નેશનલ કરિક્યુલમ ફ્રેમ વર્ક (NCF) – 2005

નેશનલ કરિક્યુલમ ફ્રેમ વર્ક (NCF) – 2005

NCF-2005 (રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા) એ NCERT દ્વારા તૈયાર થયેલ દસ્તાવેજ છે. જેમાં ડૉ. યશપાલનું વિશેષ યોગદાન છે. જે ભારત વિના ભારતરના અહેવાલના આધારે તૈયાર થયો છે.

શિક્ષણ એ ભારતીય બંધારણની સમવર્તી યાદીનો વિષય છે.

દેશભરની શાળાઓમાં હવે મેનેજમેન્ટ કમિટી ફરજિયાત, વાલીઓ-શિક્ષકો સહિતના લોકો હશે સામેલ

National Curriculum Framework (NCF) – 2005

ડૉ. યશપાલની આગેવાનીમાં આંતરરાષ્ટ્રીય સ્તરના વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો અને પ્રોફેસરોએ MHRDની દેખરેખ હેઠળ તૈયાર કરેલ છે.

મુખ્ય ભલામણો : શિક્ષણ એક નવી રાષ્ટ્રીય યુગ

  • શિક્ષણને બહારના જીવન સાથે જોડવું.
  • ગોખણપટ્ટીથી મુક્ત શિક્ષણ બનાવવું.
  • પાઠ્યક્રમ માત્ર પુસ્તક પૂરતો સીમિત ન રહે, વાસ્તવિક જીવનના સંદર્ભો સામેલ કરવા.
  • પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવું જોઈએ.
  • રાષ્ટ્રીય એકતા બને તેવું શિક્ષણ આપવું જોઈએ.
  • બાળક પોતે જ્ઞાનનું સર્જન કરે છે, માટે તેને એવું વાતાવરણ પૂરું પાડવું.
  • પ્રારંભિક શિક્ષણ પ્રાદેશિક ભાષામાં આપવું જોઈએ.

પ્રગતિનો પ્રવેશોત્સવ – અહેવાલ 2026

બોજરૂપ શિક્ષણમાંથી મુક્તિ આપવા માટે અભ્યાસક્રમ રચના માટે ચાર માર્ગદર્શક સિદ્ધાંતો સૂચવે છે.

  1. શાળા બહારના જીવન સાથે જ્ઞાનને જોડવું.
  2. ભારતર ગોખણપટ્ટીથી દૂર રહે તેનું ધ્યાન રાખવું.
  3. અભ્યાસક્રમને એવી રીતે સમૃદ્ધ કરવો જેથી તે પાઠ્યપુસ્તકોથી પણ આગળ જતો હોય.
  4. પરીક્ષાઓને વધુ સરળ બનાવવી અને વર્ગખંડના જીવન સાથે સંબંધિત કરવી.

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

NCF-2005માં ભાષામાં ત્રિભાષા સૂત્રનો અમલ કરવાનું જણાવે છે.

  • પ્રાદેશિક ભાષાને પ્રાધાન્ય આપવું તેમજ અંગ્રેજી ભાષાનો પણ સ્વીકાર કરવો અને માતૃભાષાને શિક્ષણના એક સારા માધ્યમ તરીકે સ્વીકારવાનું જણાવે છે.
  • તેમાં આદિવાસી ભાષાઓને પણ સામેલ કરવાની જરૂર છે.
  • ગણિત શીખવવાનું મુખ્ય લક્ષ્ય ગણિતના જ્ઞાન કરતાં ગણિતીય પ્રક્રિયાઓને તર્કબદ્ધ રીતે વિચારવું, અમૂર્ત ખ્યાલો સમજવા અને તેનો ઉપયોગ કરવો તે છે.
  • વિજ્ઞાનની ભાષા, પ્રક્રિયા અને વિષયવસ્તુ વિદ્યાર્થીની ઉંમર અને તેની જ્ઞાન ક્ષમતાને અનુરૂપ હોવી જોઈએ.
  • વિજ્ઞાન શિક્ષણ જિજ્ઞાસાને સંતોષનારું હોવું જોઈએ.
  • સામાજિક વિજ્ઞાનના શિક્ષણનું લક્ષ્ય વિદ્યાર્થીઓને નૈતિક ઊર્જા મળે જે આગળ જતાં બાળકોમાં સ્વતંત્ર વિચાર કરવાની ક્ષમતા તથા સામાજિક મુદ્દાઓ પર વિવેકપૂર્ણ દૃષ્ટિકોણ વિકસિત કરી શકે તેવું હોવું જોઈએ.
  • નાગરિકશાસ્ત્રને રાજનીતિશાસ્ત્ર બનાવવું જોઈએ.
  • વિદ્યાર્થીઓને કલા, શાંતિ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ આપવું જોઈએ.
  • પરીક્ષા સંદર્ભે NCFમાં વિષય આધારિત કસોટીઓને બદલે સમસ્યા, ઉકેલ અને સમજણની કસોટીઓની તેમજ ટૂંકી પરીક્ષાઓ રાખવાની ભલામણ કરી છે.
  • ઉપરોક્ત અભિગમના આધારે શાળાના વિવિધ અભ્યાસક્રમોની ભલામણો પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ કક્ષાઓ માટે કરવામાં આવી છે.

NCF મુજબ બાળક જ જ્ઞાનનું સર્જન કરે છે.

બાળક જ્ઞાનનું સર્જન કરે છે તે હકીકતનો સુચિતાર્થ એ છે કે અભ્યાસક્રમ, પાઠ્યક્રમ અને પાઠ્યપુસ્તકો એવા હોવા જોઈએ કે તેના દ્વારા શિક્ષકો બાળકોના સ્વભાવ અને તેમના પર્યાવરણની સાથે તાલમેલ સાધીને વર્ગખંડના અનુભવો પ્રયોગશાળાસક્ષમ બને અને બધા બાળકોને તર્ક પૂરી પાડી શકે.

NCF–2005 એટલે…

  • NCF (રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા) 2000ની સમીક્ષાના આધારે તૈયાર થયેલો દસ્તાવેજ છે.
  • ડૉ. યશપાલજીની અધ્યક્ષતામાં રાષ્ટ્ર કક્ષાની એક તથા વિવિધ વિષયો આધારિત 21 ફોકસ ગ્રુપ દ્વારા તૈયાર થયેલ દસ્તાવેજ.
  • 1993ના ‘ભાર વગરનું ભણતર’ અહેવાલના આધારે તૈયાર થયેલ દસ્તાવેજ.

NCF-2005ના મહત્ત્વના મુદ્દાઓ

  • [09:40, 28/06/2026] સાબલી રામાયણ: શિક્ષણની રાષ્ટ્રીય વ્યવસ્થાને બહુલતાવાળી સમાજમાં મજબૂતી પ્રદાન કરવી.
  • ‘ભાર વગરના ભણતર’ની સમજ પ્રમાણે પાઠ્યચર્યાના ભારને ઓછું કરવું.
  • પાઠ્યચર્યા સુધારા સાથે વ્યવસ્થાગત પરિવર્તન.
  • સંવિધાનમાં નિર્દિષ્ટ મૂલ્યો, સામાજિક ન્યાય, સમાનતા અને બિનસાંપ્રદાયિકતા આધારિત પાઠ્યચર્યા અભ્યાસ.
  • બધા માટે ગુણવત્તાપૂર્ણ શિક્ષણ સુનિશ્ચિત કરવું.
  • એવા નાગરિક વર્ગનું નિર્માણ જેની લોકશાહી પ્રક્રિયામાં મૂલ્યોમાં, દૈનિક ન્યાય પ્રત્યે સંવેદનશીલતા, અનુસૂચિત જાતિઓ, જનજાતિઓ અને વિશેષ આવશ્યકતાવાળા બાળકોની સમસ્યાઓ અને આવશ્યકતાઓ પ્રત્યે આસ્થા હોય તથા તેમાં રાજકીય અને આર્થિક પ્રક્રિયાઓમાં ભાગ લેવાની ક્ષમતા હોય.
  • અધ્યાપન અને અધ્યયન સંબંધોનું પુનઃઅભિસ્થાપન કરવું.
  • વિદ્યાર્થીઓના વિકાસ અને શિક્ષણના સંબંધમાં સર્વાંગી દૃષ્ટિકોણ.
  • આંકડા આધારિત અને આવશ્યકતા આધારિત કાર્યક્રમો દ્વારા શીખવવાની અસમર્થતાને દૂર કરવી.
  • જ્ઞાન નિર્માણમાં વિદ્યાર્થીઓનો સહયોગ અને સ્વતંત્રતા વધારવી.
  • પ્રયોગાત્મક માધ્યમો દ્વારા સક્રિય શિક્ષણ.
  • પાઠ્યચર્યા પ્રક્રિયાઓમાં બાળકોના વિચાર, ઉત્સુકતા અને પ્રશ્નાર્થતા માટે સ્થાન.
  • જ્ઞાનની શિક્ષણલક્ષી સીમાઓથી આગળ વિસ્તાર આપતા શિક્ષણના માળખાને વ્યાપક પરિમાણો આપવા.
  • વિદ્યાર્થીઓની સહભાગિતાના ક્ષેત્ર—અવલોકન, સંશોધન, ટીકાત્મક ચર્ચા વગેરે પણ વિષય શિક્ષણની જેમ શિક્ષણના મહત્ત્વપૂર્ણ વિષય છે.
  • સામાજિક-સાંસ્કૃતિક વાસ્તવિકતા પર નિર્ણાયક સમજને વિકસિત કરનારી પ્રક્રિયાઓને પાઠ્યચર્યામાં સ્થાનની આવશ્યકતા. સ્થાનિક જ્ઞાન અને બાળકોના અનુભવો પાઠ્યપુસ્તકો અને અધ્યાપન તકનિકીના મહત્ત્વપૂર્ણ અંગ છે.
  • શાળાના વર્ષ બાળકોની ક્ષમતાઓ, યોગ્યતાઓ વગેરેમાં ઊંડાપૂર્વક વિકાસના વર્ષ હોય છે. એ માટે વિષયવસ્તુની પસંદગી અને વ્યવસ્થા તથા જ્ઞાન નિર્માણની પ્રક્રિયાઓને તેમના હિતોને અનુરૂપ કરવાની આવશ્યકતા છે.
  • [09:43, 28/06/2026] સાબલી રામાયણ: લખાણ નીચે મુજબ છે:
  • કેન્દ્રીય માહિતી પંચ અને રાજ્ય માહિતી પંચને કોઈપણ બાબતમાં તપાસ કરતી વખતે દીવાની ન્યાયાલયમાં નિહિત થયેલી સત્તા જેવી જ સત્તા રહેશે. (કલમ 18(1))
  • ઉપરના દરજ્જાના અધિકારીનો નિર્ણય સામેની બીજી અપીલ જે તારીખે નિર્ણય કરવો જોઈતો હતો અથવા ખરેખર મળ્યો હોય તે તારીખથી નેવું દિવસની અંદર કેન્દ્રીય માહિતી પંચ અથવા રાજ્ય માહિતી પંચ સમક્ષ કરી શકાશે. (કલમ 19(3))
  • દર વર્ષે કેન્દ્રીય માહિતી પંચે કેન્દ્ર સરકારને અને રાજ્ય માહિતી પંચે રાજ્ય સરકારને અહેવાલ મોકલવો પડશે. (કલમ 25(1))
  • આ કાયદાના અમલ પછી માહિતી સ્વાતંત્ર્ય અધિનિયમ–2002 રદ કરવામાં આવેલ છે. (કલમ 31)
  • માહિતી મેળવવા માંગતી વ્યક્તિએ નિયમ–5 હેઠળ કરાવેલી ફી સાથે નમૂના ‘ક’ માં અથવા ઈ-મીડિયા મારફતે જાહેર માહિતી અધિકારીને અરજી કરવી જોઈએ.
  • અરજીની પહોંચ અરજદારને નમૂના ‘ખ’ માં આપવામાં આવશે.
  • ઈ-મીડિયાથી અરજી કરનાર વ્યક્તિએ અરજીની તારીખથી સાત દિવસની અંદર ફી ભરવી જોઈએ. જેમાં ચૂક કર્યે અરજી પાછી ખેંચેલી ગણાશે.
  • BPL (ગરીબી રેખા હેઠળ) કુટુંબના કાર્ડની પ્રમાણિત નકલ અથવા સંબંધિત સત્તાધિકારીએ અર્થે કાઢી આપેલું પ્રમાણપત્ર અરજીને સાથે જોડે તો તેવી વ્યક્તિએ ફી અને ચાર્જ ભરવાના થશે નહીં.
  • જાહેર માહિતી અધિકારીએ અરજદારે માંગેલી માહિતી, તેની વિનંતી મળ્યાથી ત્રીસ દિવસની અંદર નમૂના–ઘ માં પૂરી પાડવી જોઈએ અથવા અરજીના અસ્વીકાર અંગે નમૂના–છ માં જાણ કરવી જોઈએ.
  • ગુજરાતમાં અરજીદીઠ રૂ. 20 અરજી ફી રહેશે. (અલગ–અલગ રાજ્યોમાં અલગ–અલગ ફીની જોગવાઈ છે.)
  • જાહેર માહિતી અધિકારીના નમૂના–ઘ અથવા નમૂના–છ માંના નિર્ણયથી નારાજ થયેલી અથવા નિર્ણય ન મળ્યો હોય તેવી કોઈપણ વ્યક્તિએ નિર્ણય મળ્યાની અથવા નિર્ણય ન મળ્યાની તારીખથી ત્રીસ દિવસની અંદર અપીલ અધિકારીને નમૂના–જ માં અપીલ કરી શકશે.
July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

બાળવાટિકા આયોજન (Balvatika Planning): હેતુ, દૈનિક આયોજન અને પ્રવૃત્તિઓ

બાળવાટિકા આયોજન (Balvatika Planning): હેતુ, દૈનિક આયોજન અને પ્રવૃત્તિઓ

બાળવાટિકા એ બાળકના શૈક્ષણિક જીવનનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે. આ તબક્કામાં બાળક રમતાં-રમતાં શીખે છે, પોતાની કલ્પનાશક્તિ વિકસાવે છે અને સામાજિક, ભાવનાત્મક, ભાષાકીય તથા શારીરિક વિકાસ તરફ આગળ વધે છે. નવી શિક્ષણ નીતિ (NEP 2020) અનુસાર બાળવાટિકામાં આનંદમય અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

બાળવાટિકા આયોજન શું છે?

દેશભરની શાળાઓમાં હવે મેનેજમેન્ટ કમિટી ફરજિયાત, વાલીઓ-શિક્ષકો સહિતના લોકો હશે સામેલ

બાળવાટિકા આયોજન એટલે બાળકોની ઉંમર અને ક્ષમતાને અનુરૂપ દૈનિક, સાપ્તાહિક અને માસિક શૈક્ષણિક પ્રવૃત્તિઓનું સુવ્યવસ્થિત આયોજન. તેનો હેતુ બાળકોને રમતમાં જ્ઞાન, સંસ્કાર અને જીવન કૌશલ્યો આપવાનો છે.

બાળવાટિકા આયોજનના મુખ્ય હેતુઓ

  • બાળકનો સર્વાંગી વિકાસ કરવો.
  • ભાષા અને સંવાદ કૌશલ્ય વિકસાવવું.
  • સંખ્યાજ્ઞાન અને તર્કશક્તિ વધારવી.
  • સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિને પ્રોત્સાહન આપવું.
  • સામાજિક અને ભાવનાત્મક વિકાસ કરવો.
  • સ્વચ્છતા, શિસ્ત અને સારા સંસ્કારોનું સિંચન કરવું.
  • રમત દ્વારા શીખવાની ટેવ વિકસાવવી.

દૈનિક બાળવાટિકા આયોજન

પ્રગતિનો પ્રવેશોત્સવ – અહેવાલ 2026

સ્વાગત અને પ્રાર્થના

  • બાળકોનું સ્મિત સાથે સ્વાગત, પ્રાર્થના, રાષ્ટ્રીય ગીત અથવા બાળગીત.

હાજરી અને સંવાદ

  • હાજરી લેવી, દિવસ, તારીખ, હવામાન અને સામાન્ય ચર્ચા.

ભાષા વિકાસ પ્રવૃત્તિ

  • વાર્તા, કવિતા, ચિત્ર ઓળખ, અક્ષર પરિચય અને શબ્દભંડોળ વધારવાની પ્રવૃત્તિઓ.

ગણિતીય પ્રવૃત્તિ

  • સંખ્યા ઓળખ, આકાર, રંગ, ગોઠવણી, સરખામણી અને સરળ ગણતરી.

સર્જનાત્મક પ્રવૃત્તિ

  • ચિત્રકામ, રંગપૂરણી, કાગળકામ, માટીકામ અને હસ્તકલા.

રમતગમત અને શારીરિક વિકાસ

  • દોડ, કૂદ, સંતુલન, સંગીત સાથેની રમતો અને યોગ.

જીવન કૌશલ્ય અને સ્વચ્છતા

  • હાથ ધોવા, સ્વચ્છતા, શિસ્ત, વહેંચણી અને સહકારની પ્રવૃત્તિઓ.

સમાપન પ્રવૃત્તિ

  • પુનરાવર્તન, પ્રશ્નોત્તરી અને વિદાય ગીત.

read more :: રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરાશે, શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો

બાળવાટિકામાં ઉપયોગી શિક્ષણ સામગ્રી

  1. ચિત્ર કાર્ડ
  2. ફ્લેશ કાર્ડ
  3. બ્લોક્સ
  4. પઝલ
  5. રંગીન બોલ
  6. વાર્તા પુસ્તકો
  7. ચાર્ટ
  8. શૈક્ષણિક રમકડાં

બાળવાટિકાના લાભ

બાળકમાં આત્મવિશ્વાસ વધે છે.

ભાષા અને સંવાદ કૌશલ્ય વિકસે છે.

સર્જનાત્મક વિચારશક્તિ વધે છે.

શાળામાં જવાની રુચિ વધે છે.

સામાજિક વ્યવહાર અને સહકારની ભાવના વિકસે છે.

શારીરિક અને માનસિક વિકાસ સંતુલિત રીતે થાય છે.

SEO Keywords: બાળવાટિકા આયોજન, Balvatika Planning, બાળવાટિકા દૈનિક આયોજન, Balvatika Activities, NEP 2020, Foundational Stage, ECCE, પ્રાથમિક શિક્ષણ, બાળવિકાસ, રમતાં રમતાં શીખવું.

બાળવાટિકા વિવિધ આયોજન downlod

બાળવાટિકા દૈનિક નોંધ

Exel ફાઈલ બાળવાટિકા માસવાર

બાળવાટિકા દૈનિક સમય પત્રક

બાળવાટિકા જુલાઈ આયોજન

બાળવાટિકા ઓગસ્ટ માસ નું આયોજન

સપ્ટેમ્બર માસ નું આયોજન

ઓક્ટોબર નવેમ્બર માસ નું આયોજન

નિષ્કર્ષ

બાળવાટિકા આયોજન બાળકના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો છે. જો શિક્ષક આનંદમય, રમત આધારિત અને બાળક કેન્દ્રિત આયોજન કરે, તો બાળકો શીખવાની પ્રક્રિયાનો આનંદ માણે છે અને જીવનભર ઉપયોગી એવા કૌશલ્યો વિકસાવે છે.

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

અધ્યયન ના સિદ્ધાંતો : આંતરસૂઝ અધ્યયન ➖કોહલર

અધ્યની પ્રક્રિયાની પૂરેપૂરી સમજવા માટે આપણે કેટલાંક મનોવૈજ્ઞાનિકો દ્વારા અધ્યયનના જે સિદ્ધાંતો તારવી કાઢવામાં આવ્યા છે. તેના વિશે જાણકારી મેળવવી પડે. આ સિદ્ધાંતોની મદદથી વર્ગની ઘણી બધી સમસ્યાઓ નિરાકરણ લાવી શકાય છે. અધ્યયનના સિદ્ધાંતો પૈકી આંતર સૂઝ દ્વારા અધ્યયન ની સમજ અહીં આપવામાં આવેલી છે

પ્રાણી : સુલતાન નામનો ચિમ્પાન્ઝી (વાંદરો), કૂંડું, લાકડી

  • આ સિદ્ધાંત જર્મન મનોવૈજ્ઞાનિક કોહલર, કોફકા અને વર્થાઇમરએ આપ્યો છે. તેઓ ગેસ્ટાલ્ટવાદી વિચારધારા ધરાવતા હતા.
  • ગેસ્ટાલ્ટ’ જર્મન શબ્દ છે, જેનો અર્થ સમગ્રતા, આકૃતિ, આકાર કે સમૂહ એવો થાય છે.
  • કોહલરે આ પ્રયોગ ચિમ્પાન્ઝી નામના વાંદરા પર કર્યો હતો. તેનું નામ ‘સુલતાન’ હતું.

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

આંતરસૂઝ અધ્યયન પ્રયોગ–1:

આ પ્રયોગમાં ભૂખ્યા ચિમ્પાન્ઝી વાંદરાને પાંજરામાં પૂરવામાં આવ્યો. કેળાં પાંજરાની બહાર ચિમ્પાન્ઝીના હાથ ન પહોંચે તેટલે દૂર મૂકવામાં આવ્યા. પાંજરામાં એક લાકડી પણ મૂકવામાં આવી. ચિમ્પાન્ઝીએ પહેલાં હાથ વડે કેળાં મેળવવાનો પ્રયત્ન કર્યો, પણ તે સફળ ન થયો. હવે તે પાંજરામાં આંટા મારવા લાગ્યો. અચાનક તેની નજર પાંજરામાં મૂકેલી લાકડી પર પડી. તેણે લાકડી લીધી અને લાકડીની મદદથી કેળાં મેળવવામાં સફળ થયો.

પ્રયોગ–2:

આ પ્રયોગમાં કેળાં પાંજરાની બહાર વધારે દૂર મૂકવામાં આવ્યા. પાંજરામાં એક નાની અને એક મોટી એમ બે લાકડીઓ મૂકવામાં આવી. વાંદરાએ લાકડીની મદદથી કેળાં મેળવવાનો પ્રયત્ન કર્યો, પણ તે સફળ થયો નહીં. તે પાંજરામાં બંને લાકડીઓ સાથે રમવા લાગ્યો. રમતાં રમતાં એક લાકડીનો છેડો બીજી લાકડીમાં ખોસાઈ ગયો તેથી લાકડીની લંબાઈ વધી ગઈ. આ રીતે ચિમ્પાન્ઝીને સમસ્યાનો ઉકેલ મળી ગયો. તે મોટી લાકડીની મદદથી કેળાં મેળવવામાં સફળ થયો.

ફલિતાર્થ:

  • આંતરસૂઝ દ્વારા અધ્યયન ગોખણપટ્ટીને ઉત્તેજન આપતું નથી, પણ પૂર્ણતત્ત્વને પ્રાધાન્ય આપે છે.
  • શિક્ષણ સાથે વાસ્તવિક જીવન સાંકળવામાં આવે તો અધ્યયન અસરકારક બને છે.
  • બાળકને પહેલાં સમસ્યાનો ખ્યાલ આપી પછી જ તેના ભાગોનો ખ્યાલ આપવો જોઈએ.
  • શિક્ષણમાં વિવિધ વિષયો વચ્ચે અને વિષયો અને વાસ્તવિક જીવન વચ્ચે અન્વય બંધાવવો જોઈએ.

બી. હિલગાર્ડ ના આંતરસૂઝ દ્વારા શિક્ષણના મુખ્ય ચાર લક્ષણો:

  • શીખનાર પાસે પૂર્વ અનુભવ
  • યોગ્ય પ્રયોગિક ગોઠવણ
  • યોગ્ય બૌદ્ધિક સ્તર
  • પ્રેરિત પ્રયત્ન અને ભૂલયુક્ત વર્તન

પ્રગતિનો પ્રવેશોત્સવ – અહેવાલ 2026

read more :: રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરાશે, શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

ULLAS ➖ઉલ્લાસ ( understanding of lifelong learning for all in society )

➖ શિક્ષણ પૂર્ણ કરેલા અને પુખ્ત વયના લોકોને શૈક્ષણિક તકો પૂરી પાડવી.
➖ કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજના

✡️ ઉલ્લાસ ના ઘટકો

  1. પાયાની સાક્ષરતા અને અભિગમ
  2. તાર્કિક જીવન કૌશલ્યો
  3. પાયાનું શિક્ષણ
  4. વ્યવસાયિક કૌશલ્ય
  5. સતત શિક્ષણ

➖ULLAS મોબાઈલ એપ્લિકેશન જુલાઈ 23 થી શરૂ કરવામાં આવેલ છે.
➖ JUN 2024 થી ઉલ્લાસ હેઠળ સંપૂર્ણ સાક્ષરતાનું લક્ષ્ય છે..

Tet htat કે અન્ય શિક્ષણ ની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે વાંચવા લાયક આર્ટિકલ

અબ્રાહમ મેસ્લો પ્રેરણાઓના શ્રેણી ક્રમ નો સિદ્ધાંત

ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation

READ MORE :: Tet /htat exam માટે ઉપયોગી બચાવપ્રયુક્તિઓ

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

નિપુણ ભારત (NIPUN Bharat) –

નિપુણ ભારત (NIPUN Bharat)

NIPUN (National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy)

ધ્યેય: વર્ષ 2026-27 સુધીમાં ધો.-3 સુધીના બાળકો વાંચન, લેખન અને ગણનમાં શીખવાની જરૂરી ક્ષમતા પ્રાપ્ત કરી શકે તે માટે સહાયક વાતાવરણનું નિર્માણ.

READ MORE :: Tet /htat exam માટે ઉપયોગી બચાવપ્રયુક્તિઓ

બાળવાટિકા:

  • મૂળાક્ષરો અને સંબંધિત ઉચ્ચારણની ઓળખ કરી 10 સુધીની સંખ્યાને ઓળખી અને વાંચી શકે.
  • બે-ત્રણ મૂળાક્ષરોથી બનતા સરળ શબ્દોને વાંચી શકે.
  • સંખ્યા, વસ્તુ, આકાર અને ઘટનાઓને ક્રમમાં ગોઠવી શકે.

ધોરણ-1

  • અપરિચિત લખાણમાંથી ચાર-પાંચ સરળ શબ્દોથી બનતાં નાના વાક્યોને વાંચી શકે.
  • 99 સુધીની સંખ્યાઓનું લેખન અને વાંચન કરી શકે.
  • સરળ સરવાળા, બાદબાકી કરી શકે.

ધોરણ-2

  • એક મિનિટમાં 45 થી 60 શબ્દોનું સમજ સાથે વાંચન કરી શકે.
  • 999 સુધીની સંખ્યાનું લેખન અને વાંચન કરી શકે.
  • 99 સુધીની સંખ્યાઓનું બાદબાકી કરી શકે.

ધોરણ-3

  • એક મિનિટમાં 60 શબ્દોનું સમજ સાથે વાંચન.
  • 9999 સુધીની સંખ્યાનું લેખન અને વાંચન કરી શકે.
  • સરળ ગુણાકારના દાખલા ગણી શકે.

key world

  • ✅ NIPUN – National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy
  • ✅ શરૂઆત: 2021
  • ✅ ધ્યેય: ધોરણ 3 સુધીના બાળકોમાં પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન વિકસાવવું
  • ✅ FLN (Foundational Literacy and Numeracy) – પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન
  • ✅ લક્ષ્ય વર્ષ: 2026-27
  • ✅ વાંચન કૌશલ્ય (Reading)
  • ✅ લેખન કૌશલ્ય (Writing)
  • ✅ ગણન કૌશલ્ય (Numeracy)
  • ✅ સમજ સાથે વાંચન (Reading with Understanding)
  • ✅ બાળવાટિકા થી ધોરણ 3 સુધી ફોકસ
  • ✅ સરળ સરવાળા, બાદબાકી અને ગુણાકાર
  • ✅ શીખવાના પરિણામો (Learning Outcomes)
  • ✅ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP 2020) સાથે સુસંગત
  • ✅ બાળકેન્દ્રિત શિક્ષણ (Child-Centric Learning)
  • ✅ પાયાનું શિક્ષણ મજબૂત બનાવવાનો કાર્યક્રમ

ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation

અબ્રાહમ મેસ્લો પ્રેરણાઓના શ્રેણી ક્રમ નો સિદ્ધાંત

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

નિપુણ ભારત (NIPUN Bharat)

નિપુણ ભારત (NIPUN Bharat)

NIPUN (National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy)

ધ્યેય: વર્ષ 2026-27 સુધીમાં ધો.-3 સુધીના બાળકો વાંચન, લેખન અને ગણનમાં શીખવાની જરૂરી ક્ષમતા પ્રાપ્ત કરી શકે તે માટે સહાયક વાતાવરણનું નિર્માણ.

READ MORE :: Tet /htat exam માટે ઉપયોગી બચાવપ્રયુક્તિઓ

બાળવાટિકા:

  • મૂળાક્ષરો અને સંબંધિત ઉચ્ચારણની ઓળખ કરી 10 સુધીની સંખ્યાને ઓળખી અને વાંચી શકે.
  • બે-ત્રણ મૂળાક્ષરોથી બનતા સરળ શબ્દોને વાંચી શકે.
  • સંખ્યા, વસ્તુ, આકાર અને ઘટનાઓને ક્રમમાં ગોઠવી શકે.

ધોરણ-1

  • અપરિચિત લખાણમાંથી ચાર-પાંચ સરળ શબ્દોથી બનતાં નાના વાક્યોને વાંચી શકે.
  • 99 સુધીની સંખ્યાઓનું લેખન અને વાંચન કરી શકે.
  • સરળ સરવાળા, બાદબાકી કરી શકે.

ધોરણ-2

  • એક મિનિટમાં 45 થી 60 શબ્દોનું સમજ સાથે વાંચન કરી શકે.
  • 999 સુધીની સંખ્યાનું લેખન અને વાંચન કરી શકે.
  • 99 સુધીની સંખ્યાઓનું બાદબાકી કરી શકે.

ધોરણ-3

  • એક મિનિટમાં 60 શબ્દોનું સમજ સાથે વાંચન.
  • 9999 સુધીની સંખ્યાનું લેખન અને વાંચન કરી શકે.
  • સરળ ગુણાકારના દાખલા ગણી શકે.

key world

  • ✅ NIPUN – National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy
  • ✅ શરૂઆત: 2021
  • ✅ ધ્યેય: ધોરણ 3 સુધીના બાળકોમાં પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન વિકસાવવું
  • ✅ FLN (Foundational Literacy and Numeracy) – પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન
  • ✅ લક્ષ્ય વર્ષ: 2026-27
  • ✅ વાંચન કૌશલ્ય (Reading)
  • ✅ લેખન કૌશલ્ય (Writing)
  • ✅ ગણન કૌશલ્ય (Numeracy)
  • ✅ સમજ સાથે વાંચન (Reading with Understanding)
  • ✅ બાળવાટિકા થી ધોરણ 3 સુધી ફોકસ
  • ✅ સરળ સરવાળા, બાદબાકી અને ગુણાકાર
  • ✅ શીખવાના પરિણામો (Learning Outcomes)
  • ✅ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP 2020) સાથે સુસંગત
  • ✅ બાળકેન્દ્રિત શિક્ષણ (Child-Centric Learning)
  • ✅ પાયાનું શિક્ષણ મજબૂત બનાવવાનો કાર્યક્રમ

ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation

અબ્રાહમ મેસ્લો પ્રેરણાઓના શ્રેણી ક્રમ નો સિદ્ધાંત

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Planning for the new academic year: Language Education (Standards 6 to 8)

શિક્ષણ એ વ્યક્તિના સર્વાંગી વિકાસનું મહત્વપૂર્ણ સાધન છે. તેમાં ભાષા શિક્ષણનું સ્થાન અત્યંત અગત્યનું છે, કારણ કે ભાષા જ જ્ઞાન પ્રાપ્ત કરવાની, વિચારો વ્યક્ત કરવાની, સંવાદ સ્થાપિત કરવાની અને સર્જનાત્મકતા વિકસાવવાની મુખ્ય કડી છે. ધોરણ 6 થી 8 એ વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવનનો એવો તબક્કો છે, જ્યાં તેઓ પ્રાથમિક શિક્ષણમાંથી ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ તરફ આગળ વધે છે. આ તબક્કે ભાષા વિષય માત્ર પાઠ્યપુસ્તક સુધી મર્યાદિત રહેતો નથી, પરંતુ જીવનકૌશલ્ય, અભિવ્યક્તિ, વાંચન, લેખન, શ્રવણ અને વક્તૃત્વ જેવી વિવિધ ક્ષમતાઓના વિકાસ માટેનું મહત્વપૂર્ણ માધ્યમ બની જાય છે.

નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત એ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શાળાઓ માટે નવી તકો અને નવા લક્ષ્યો નક્કી કરવાનો સમય છે. ભાષા શિક્ષણનું યોગ્ય આયોજન કરવામાં આવે તો વિદ્યાર્થીઓમાં ભાષાકીય કુશળતાઓનો અસરકારક વિકાસ કરી શકાય છે. આયોજન દ્વારા શિક્ષક વર્ષ દરમિયાન કરવાના અભ્યાસક્રમ, પ્રવૃત્તિઓ, મૂલ્યાંકન પદ્ધતિઓ, વાંચન અભિયાન, સર્જનાત્મક લેખન, પ્રોજેક્ટ કાર્ય અને ટેક્નોલોજીના ઉપયોગને વ્યવસ્થિત રીતે ગોઠવી શકે છે.

READ MORE ::📚 HTAT જિલ્લા આંતરિક / અરસ-પરસ કેમ્પ શેડ્યૂલ 2026 📚

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP-2020) ભાષા શિક્ષણને વિશેષ મહત્વ આપે છે. નીતિ અનુસાર વિદ્યાર્થીઓમાં ભાષા દ્વારા સમજણ, વિચારશક્તિ, સમસ્યા નિરાકરણ અને સંવાદ કૌશલ્ય વિકસાવવાનું મુખ્ય ધ્યેય છે. આ માટે ભાષા શિક્ષણને પ્રવૃત્તિ આધારિત, વિદ્યાર્થી કેન્દ્રિત અને અનુભવાત્મક બનાવવાની જરૂરિયાત છે.

ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation

ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓમાં વિવિધ ભાષાકીય પૃષ્ઠભૂમિ, રસ અને શૈક્ષણિક ક્ષમતાઓ જોવા મળે છે. તેથી શિક્ષકે સમાવેશી શિક્ષણના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને આયોજન કરવું જોઈએ. ભાષા શિક્ષણમાં વાર્તા, કવિતા, નાટક, ચર્ચા, વાદ-વિવાદ, પુસ્તક વાંચન, પ્રસ્તુતિ અને સર્જનાત્મક લેખન જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરીને વિદ્યાર્થીઓને સક્રિય રીતે જોડવા જરૂરી બને છે.

ડિજિટલ યુગમાં ભાષા શિક્ષણ માટે વિવિધ ઓનલાઈન સાધનો, ઈ-સામગ્રી, ઓડિયો-વિડિયો સામગ્રી અને શૈક્ષણિક એપ્લિકેશનોનો ઉપયોગ પણ વધતો જાય છે. નવા શૈક્ષણિક વર્ષની આયોજન પ્રક્રિયામાં આ સાધનોને યોગ્ય સ્થાન આપવાથી શિક્ષણ વધુ રસપ્રદ, અસરકારક અને આધુનિક બની શકે છે.

આ લેખમાં ધોરણ 6 થી 8 માટે ભાષા વિષયના નવા શૈક્ષણિક વર્ષની આયોજન સંબંધિત મુખ્ય મુદ્દાઓ, ઉદ્દેશ્યો, શિક્ષણ પદ્ધતિઓ, મૂલ્યાંકન, પ્રવૃત્તિઓ અને નવીન અભિગમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે, જેથી શિક્ષકોને વર્ષભરનું અસરકારક આયોજન કરવામાં માર્ગદર્શન મળી શકે

દૈનિક આયોજન ગુજરાતી

std 6 gujrati Downlod
std 7 gujrati Downlod
std 8 gujrati Downlod

આયોજન સંસ્કૃત

hindi std 6 to 8 downlod

English std 6 to 8

std 6 english

std 8 english

ભાષા શિક્ષણના ઉદ્દેશ્યો અને વાર્ષિક આયોજન

ભાષા શિક્ષણના ઉદ્દેશ્યો

ધોરણ 6 થી 8માં ભાષા શિક્ષણનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ભાષાકીય કૌશલ્યોનો સર્વાંગી વિકાસ કરવાનો છે. ભાષા માત્ર વિષય તરીકે નહીં, પરંતુ જ્ઞાન પ્રાપ્ત કરવાનું, વિચાર વ્યક્ત કરવાનું અને સમાજ સાથે જોડાવાનું શક્તિશાળી માધ્યમ છે. તેથી ભાષા શિક્ષણના ઉદ્દેશ્યો વ્યાપક અને જીવનલક્ષી હોવા જોઈએ.

  1. શ્રવણ કૌશલ્યનો વિકાસ

વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારની માહિતી, વાર્તાઓ, કાવ્યો, સંવાદો અને સૂચનાઓને ધ્યાનપૂર્વક સાંભળી સમજી શકે તેવો વિકાસ કરવો.

  1. વક્તૃત્વ કૌશલ્યનો વિકાસ

વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પોતાના વિચારો, અનુભવો અને લાગણીઓ સ્પષ્ટ રીતે રજૂ કરી શકે તે માટે તક પૂરી પાડવી.

  1. વાંચન કૌશલ્યનો વિકાસ

વિદ્યાર્થીઓ સરળતાથી, અર્થગ્રહણ સાથે અને રસપૂર્વક વાંચી શકે તથા વાંચેલી સામગ્રીનું વિશ્લેષણ કરી શકે તેવો વિકાસ કરવો.

  1. લેખન કૌશલ્યનો વિકાસ

વિદ્યાર્થીઓ યોગ્ય ભાષા, વ્યાકરણ અને શબ્દભંડોળનો ઉપયોગ કરીને સર્જનાત્મક અને અસરકારક લેખન કરી શકે તે માટે પ્રોત્સાહન આપવું.

  1. શબ્દભંડોળમાં વૃદ્ધિ

નવા શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગો અને ભાષાકીય અભિવ્યક્તિઓનો ઉપયોગ શીખવવો.

  1. સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિનો વિકાસ

વાર્તા લેખન, કાવ્ય રચના, નિબંધ લેખન અને પ્રોજેક્ટ કાર્ય દ્વારા સર્જનાત્મક વિચારશક્તિ વિકસાવવી.

  1. ભાષા પ્રત્યે રસ અને અભિરુચિ વિકસાવવી

પુસ્તક વાંચન, સાહિત્યિક પ્રવૃત્તિઓ અને ભાષાકીય રમતો દ્વારા ભાષા પ્રત્યે પ્રેમ અને રસ વધારવો.

GSRTC Driver Recruitment 2026: Online application started for 4599 posts

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

અબ્રાહમ મેસ્લો પ્રેરણાઓના શ્રેણી ક્રમ નો સિદ્ધાંત

અબ્રાહમ મેસ્લો પ્રેરણાઓના શ્રેણી ક્રમ નો સિદ્ધાંત

માનવતા વાદી મનોવૈજ્ઞાનિક માનવ જરૂરિયાતોની શ્રેણી ક્રમમાં ગોઠવી છે.

✅ વ્યક્તિ પહેલા ક્રમની પ્રેરણા ના સંતોષ પછી જ બીજી જરૂરિયાતો તરફ આગળ વધે છે.

✅ મેસ્લો માનવીની જરૂરિયાતોની એક ચોક્કસ ક્રમમાં ગોઠવે છે સૌથી નીચે અગ્રતાવારી શારીરિક જરૂરિયાતો જેવી કે ભૂખ તરસ વિગેરે આવે છે. માનવીના સ્વાસ્થ્ય વિકાસ અને અસ્તિત્વ માટે આ જરૂરીયાતો પૂરી કરવી અનિવાર્ય છે. શાયરી જડિયા તો પૂરી તે સંતોષાયા બાદ જ માનવી ઉપરની પ્રેરણા ઉપર ધ્યાન આપે છે.

✅ બીજા ક્રમે સલામતીની જરૂરિયાતો છે તેમાં શારીરિક અને માનસિક સલામતીનો સમાવેશ થાય છે.

☝️ ઉપરની મનની જરૂરિયાતો પ્રાથમિક જરૂરિયાત તરીકે ઓળખાય છે અને આ જરૂરિયાતો સંપૂર્ણપણે પૂર્ણ થતા માનવી આગળની જરૂરિયાત તરફ આગળ વધે છે.

✅ સ્નેહની જરૂરિયાત આગળના ક્રમની છે જેમાં અન્ય સાથે સંપર્ક,પ્રેમ મેળવવો અને પ્રેમ આપવાનો સમાવેશ થાય છે.

✅ સ્નેહી જરૂરિયાતો પૂર્ણ થતો માનવી સોમવારની જરૂરિયાતો તરફ આગળ વધે છે. તેમાં આત્મવિશ્વાસ પોતાની શક્તિની ક્ષમતાઓનું ભાન અન્યનું આદર અને પોતાના સન્માનનું સમાવેશ થાય છે. તેથી વ્યક્તિની આત્મા ગૌરવની જરૂરિયાતોનો સંતોષ થતો આગળની ટોચની જરૂરિયાત તરફ આગળ વધે છે.

✅ સૌથી ઉપર આત્મ સાર્થકતા કે આત્મસ સંપૂર્ણકરણ ની જરૂરિયાત આવે છે. જીવનના અર્થસભર લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે તેમજ પોતાની શક્તિઓનો અર્થ સફર ઉપયોગ કરવા તરફ વહેતી આગળ વળે છે..

✅ મેસલોની આ જરૂરિયાતોનું ક્રમ મહત્વનો છે

READ MORE :: Tet /htat exam માટે ઉપયોગી બચાવપ્રયુક્તિઓ

ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation

READ MORE ::: ગુજરાત સરકાર પ્રવેશોત્સવ 2026:ALL NEWS

READ MORE ::📚 HTAT જિલ્લા આંતરિક / અરસ-પરસ કેમ્પ શેડ્યૂલ 2026 📚

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Tet /htat exam માટે ઉપયોગી બચાવપ્રયુક્તિઓ

Tet htat exam કે શિક્ષણની કોઈ પણ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી મટીરીયલ આપણી વેબસાઈટ www.educationparipatr.com પર આપણે મુકતા હોઈએ છીએ. આજનો વિષય છે બચાવ પ્રયુક્તિઓ

આપણે કેટલીકવાર બચાવ પ્રયુક્તિઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અહીંયા પચાઉ પ્રયુક્તિ એટલે શું? બચાવ પ્રયુક્તિનું કાર્ય,સ્વરૂપ, બચાવ પ્રયુક્તિ ના પ્રકારો વિશે વિસ્તૃત અને ઊંડાણપૂર્વક જોઈશું.

  • ➖ જ્યારે પણ વ્યક્તિની લક્ષ પ્રાપ્તિ થતી નથી, અથવા કંઈ મળતું નથી, જીવનમાં વેફલ્ય કે હતાશા આવતી હોય, માનવી પોતાની તંગ દિલ્લી હળવી કરવા માટે કેટલાક પરોક્ષ ઉપાયો અજમાવે છે.. જેની બચાવ પ્રયુક્તિઓ કહેવામાં આવે છે..
  • [ ગવાયેલા અહમની સંતોષવા માટે વ્યક્તિ જે પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે તેની બચાવ પ્રયુક્તિ કહે છે ]
  • [ વ્યક્તિની જ્યારે લક્ષ પ્રાપ્તિ થતી નથી ત્યારે તે તંગ દિલ્હીનો અનુભવ કરે છે પરિણામે તેનામાં હતાશા પેદા થાય છે. આ પ્રકારની માનસિક તંગ હરવી કરવા માટે વ્યક્તિ કેટલાક ઉપાયો લે છે ………. કહેવામાં આવે છે.]

બચાવ પ્રયુક્તિ કાર્ય

ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation

અહીંયા બચાવ પ્રયુક્તિ શું કામ કરે છે તેના વિશે આપને જોવાનું છે.

  • ✡️ નિષ્ફળતા છુપાવવાનું
  • ✡️ આવેગાત્મક થેસની રૂઝ લાવવાનું
  • ✡️ ચિંતા કરવી કરવાનું

બચાવ પ્રયુક્તિનું સ્વરૂપ

બચાવ પ્રવૃત્તિના પ્રણેતા ડોક્ટર સિંગમંડ ફ્રોઈડ છે. આ બધું આપણા અચેતન મન સાથે અને આપણા ઈગો સાથે સંકળાયેલ છે.. આપણી તાર્કિકતા પણ ભાગ ભજવતી હોય છે.

બચાવ પ્રયુક્તિ ના પ્રકારો

  1. ➖ યોક્તિકરણ
  2. ➖ પ્રક્ષેપણ
  3. ➖ દિવા સ્વપ્ન
  4. ➖ તાદાત્મ્ય
  5. ➖ ઇનકાર કે આવિષ્કાર
  6. ➖ ક્ષતિપૂર્તિ
  7. ➖ઉધ્વીકરણ
  8. ➖ પરાનુંભુતી
  9. ➖ વિરોધી ભાવ ધારણ કે વિરોધી પ્રતિક્રિયા
  10. ➖ સ્થાનાંતરણ
  11. ➖ અલિપ્તતા

વ્યક્તિ કારણો રજૂ કરે. સાચા કારણને બદલે સારા કારણો રજૂ કરે. બહાના કરવાની પ્રયુક્તિ કરે. નિષ્ફળતા મળે એટલે કંઈક ને કંઈક બહાના કાઢતા હોય છે.

દા :ત

  • ➖સુંદર યુવતી સાથે લગ્ન કરવાનો પ્રયત્ન કરવામાં આવી અને લગ્ન ન કરી શકે તો તે બહાનું કાઢે છે કે સુંદર યુવતી.. ચારિત્રની દ્રષ્ટિએ સારી ન હોઈ શકે.
  • ➖પરીક્ષામાં નપાસ થાય ત્યારે મહાન કરે કે ભણે કોનું સારું થયું છે પણ ભણવા કશું મળતું નથી..
  • ➖ કોઈક વખત શહેરની યુવતી સાથે લગ્ન ન થાય તો યુવક એમ કહે કે ગામડાની યુવતી સાથે લગ્ન કરવા સારા

➖ બીજા ઉપર દોષારોપણ કરવાની પ્રવૃત્તિને પ્રક્ષેપણ પણ કહેવામાં આવે છે.

  • દા: ત પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે તો પરીક્ષક નો વાંક કાઢી કે બોર્ડનો વાંક કાઢતા હોય છે.

મનમો પરણવું અને મનમાં રાંડવું.. વાસ્તવિક વાતાવરણ કે પરિસ્થિતિમાં છટકવાનો પ્રયત્ન આ દિવા અશોક થાય છે. વ્યક્તિ લેખક કવિ ચિત્રકાર એન્જિનિયર શિલ્પી બને છે..

જ્યારે વ્યક્તિ કોઈપણ સંસ્થા કે વિચાર કે આદર્શ સાથે એક આત્મા ભાવ અનુભવે ત્યારે તે તાનાત્મ્ય ભાવ અનુભવે છે તેમ કહેવાય છે.

  • દા: ત કેટલીક વખત વ્યક્તિ તાદાત્મક ભાવ અનુભવે જેમકે.. કોઈક ફિલ્મનું સીન જોયા પછી તે રડી ઊઠે.
  • ✅ પ્રસિદ્ધ અભિનેતા અભિનેત્રી ખેલાડી સાથે એકાત્મક નો ભાવ અનુભવે

દા: ત➖ કોઈ વ્યક્તિ પાણીમાં તરતા ડરતો હોય પણ કહી એમ કે હું ડરતો નથી.
➖ અંધારાથી ડરતો હોવા છતાં વ્યક્તિ એમ કહે કે હું અંધારાથી ડરતો નથી.

( વ્યક્તિ પોતાના વિચારો લાગણીઓ આવેગોનો અન્ય વ્યક્તિ સમક્ષ સ્વીકાર કરતો નથી પરંતુ ઇનકાર કે અવિષ્કાર કરે છે.)

પોતાની નિષ્ફળતા કે ઉણપ રાખવા માટે આ પ્રવૃત્તિનું આશરે લે છે. અને તે ઉણપ પૂરી કરવા માટે બીજા ક્ષેત્ર માં પ્રેરાય છે.

સામાન્ય રીતે કોઈ એક ક્ષેત્રની પોતાની નિષ્ફળતા કે ઢાંકવા વ્યક્તિ આ વ્યક્તિ આ પ્રયુક્તિનું આશ્રય લે છે.

  • ➖ દાખલા તરીકે પ્રોફેસર ન બને તો તે શિક્ષક બની સંતોષ અનુભવે છે.( પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ )
  • ➖ વ્યક્તિ પોતે ડોક્ટર ન બની શકે તો પોતાના દીકરાને ડોક્ટર બનાવવાનું વિચારે ( પરોક્ષ ક્ષતિપૂર્તિ )

ઊધ્વીકરણ એટલે પોતાના વિચારો કે લાગણીઓની ઊંચી લઈ જવા.

  • ➖ આક્રમકતા આવીશ હોય તો તે વ્યક્તિ લશ્કરમાં જોડાય છે.

પોતાની બીજાની જાતનો મૂકી અને એવી લાગણી અનુભવવી.

  • ➖ કોઈક બાળકના માતા-પિતા અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોય તો. તે એવું વિચારે કે મારા માતા-પિતા મૃત્યુ પામ્યા હોય તો હું કેવી લાગણી અનુભવવું. આ પરાનુંભુતી છે.

દા :ત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા
➖ વ્યક્તિ કોઈ વ્યક્તિ પોતે ખરાબ ભાવ ધરાવતો હોય તો તે સારો ભાવ ધરાવે છે તેઓ બાહ્ય દેખાડો કરવો.

પોતાના વિચારો અપેક્ષા લાગણી એ અન્ય સ્થાને રજૂ કરે છે.

READ MORE ::: ગુજરાત સરકાર પ્રવેશોત્સવ 2026:ALL NEWS

READ MORE ::📚 HTAT જિલ્લા આંતરિક / અરસ-પરસ કેમ્પ શેડ્યૂલ 2026 📚

HTAT, TET, TAT, and AEI Exam Online Book Website GuideIntroduction to HTAT, TET, TAT, and AEI Exams

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

ગુજરાત સરકાર પ્રવેશોત્સવ 2026:ALL NEWS

ગુજરાત સરકાર પ્રવેશોત્સવ 2026
શિક્ષણ તરફનો પ્રગતિશીલ પગલું

📚 કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025 – મુખ્ય મુદ્દાઓ

  • 🔹 રાજ્યભરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
  • 🔹 રાજ્યના અધિકારીઓને દરરોજ 1 પ્રાથમિક શાળા અને 2 માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓની મુલાકાત લેવાની રહેશે.
  • 🔹 શિક્ષણ વિભાગના નવા પ્રોજેક્ટો અને યોજનાઓ અંગેના ડોક્યુમેન્ટ, પોસ્ટર અને માહિતી સામગ્રી તૈયાર કરી શાળાઓમાં પ્રદર્શિત કરાશે.
  • 🔹 પ્રવેશોત્સવના પ્રચાર-પ્રસાર માટે હોર્ડિંગ, ટેમ્પ્લેટ, જાહેરાતો અને સોશિયલ મીડિયા સામગ્રી તૈયાર કરવામાં આવશે.
  • 🔹 આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1માં પ્રવેશ લાયક તમામ બાળકોનો પ્રવેશ સુનિશ્ચિત કરવા કામગીરી કરાશે.
  • 🔹 બાલવાટિકા થી ધોરણ-1, ધોરણ-5 થી ધોરણ-6 અને ધોરણ-8 થી ધોરણ-9 માં તમામ બાળકોનો પ્રવેશ સુનિશ્ચિત કરાશે.
  • 🔹 વર્ષ 2024-25માં ડ્રોપઆઉટ થયેલા આશરે 5.41 લાખ બાળકોને પુનઃપ્રવેશ અપાવવા વિશેષ અભિયાન ચલાવવામાં આવશે.
  • 🔹 જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષાશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ માટે માર્ગદર્શન આપવામાં આવશે.
  • 🔹 નમો લક્ષ્મી, નમો સરસ્વતી, મુખ્યમંત્રી જ્ઞાનસેતુ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ જેવી યોજનાઓની માહિતી આપવામાં આવશે.
  • 🔹 અધિકારીઓના રૂટ અને શાળા મુલાકાતનું આયોજન જિલ્લા કક્ષાએ કરવામાં આવશે.
  • 🔹 પ્રવેશોત્સવ દરમિયાન કેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો તેની સંપૂર્ણ આંકડાકીય માહિતી એકત્રિત અને સંકલિત કરવામાં આવશે.
  • 🔹 તમામ સંબંધિત કચેરીઓ, GCERT, સમગ્ર શિક્ષા, પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી અને શાળાઓ દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવશે.
  • 📌 ખાસ ઉદ્દેશ્ય:
  • રાજ્યમાં 100% શાળા પ્રવેશ, ડ્રોપઆઉટ ઘટાડવો, પુનઃપ્રવેશ વધારવો અને સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અંગે જનજાગૃતિ લાવવી. ✅

પ્રવેશ ઉત્સવ ➖શાળા નિરીક્ષણ ફોર્મ

આગામી શાળા પ્રવેશોત્સવ 2026-27 સમયે મુખ્ય મહેમાનનાં વરદ્ હસ્તે આપી શકાય તેવા વિવિધ સન્માનપત્રો.

પ્રવેશોત્સવ 2026 best fail downlod

શાળા પ્રવેશ ઉત્સવ આયોજન ફાઈલ

READ MORE ::📚 HTAT જિલ્લા આંતરિક / અરસ-પરસ કેમ્પ શેડ્યૂલ 2026 📚

પ્રવેશોત્સવ 2026 નું મહત્વ અને હેતુ

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે યોજાતો “પ્રવેશોત્સવ” એ માત્ર શાળામાં બાળકોને દાખલ કરવાનો કાર્યક્રમ નથી, પરંતુ શિક્ષણ પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવાનો એક મહત્ત્વપૂર્ણ અભિયાન છે. વર્ષ 2026 માં પણ રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ દરેક બાળકને શિક્ષણના અધિકાર સાથે જોડવાનો અને શાળા છોડનાર બાળકોને ફરીથી શિક્ષણ તરફ પ્રેરવાનો છે.
પ્રવેશોત્સવનો પ્રારંભ ગુજરાતમાં શિક્ષણના વ્યાપ અને ગુણવત્તા સુધારવા માટે કરવામાં આવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોથી લઈને શહેરી વિસ્તારો સુધી દરેક બાળક શાળામાં નિયમિત રીતે ભણે અને શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરકાર, શિક્ષકો, અધિકારીઓ અને સમાજના લોકો મળીને આ અભિયાનને સફળ બનાવે છે.

વર્ષ 2026 ના પ્રવેશોત્સવમાં ખાસ કરીને “બાળક કેન્દ્રિત શિક્ષણ” પર ભાર મૂકવામાં આવ્યો છે. બાળકોને આનંદમય શિક્ષણ, ડિજિટલ શિક્ષણ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સરકાર નવી યોજનાઓ અમલમાં મૂકી રહી છે. શાળાઓમાં સ્માર્ટ ક્લાસ, ઈ-લર્નિંગ અને ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમ દરમિયાન સરકારી અધિકારીઓ અને શિક્ષકો ગામે ગામ જઈને માતા-પિતાને બાળકોને શાળામાં મોકલવા માટે પ્રેરિત કરે છે. ખાસ કરીને દીકરીઓના શિક્ષણ માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવે છે. “બેટી બચાવો, બેટી ભણાવો” જેવા સંદેશા સાથે સમાજમાં શિક્ષણ પ્રત્યે સકારાત્મક વિચારસરણી વિકસાવવામાં આવે છે.

પ્રવેશોત્સવ 2026 દ્વારા રાજ્યમાં સાક્ષરતા દરમાં વધારો થાય, શાળામાં હાજરી સુધરે અને શિક્ષણની ગુણવત્તામાં વૃદ્ધિ થાય તે સરકારનો મુખ્ય ઉદ્દેશ છે. આ અભિયાન માત્ર સરકારનો કાર્યક્રમ નથી પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે.

HTAT, TET, TAT, and AEI Exam Online Book Website GuideIntroduction to HTAT, TET, TAT, and AEI Exams

પ્રવેશોત્સવ 2026 ની મુખ્ય વિશેષતાઓ

ગુજરાત સરકારના પ્રવેશોત્સવ 2026 માં અનેક નવી પહેલો અને વિશેષતાઓ સામેલ કરવામાં આવી છે. આ વર્ષે વિદ્યાર્થીઓને આધુનિક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

  • આધુનિક યુગમાં ટેકનોલોજીનું મહત્વ વધતું જાય છે. તેથી શાળાઓમાં સ્માર્ટ બોર્ડ, પ્રોજેક્ટર અને ઈ-લર્નિંગ સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ અને ડિજિટલ કન્ટેન્ટ દ્વારા શીખવાની તક આપવામાં આવશે.
  • ઘણા બાળકો વિવિધ કારણોસર અભ્યાસ અધૂરો છોડે છે. આવા બાળકોને ફરીથી શાળામાં જોડવા માટે વિશેષ સર્વે અને અભિયાન ચલાવવામાં આવશે. શિક્ષકો અને ગ્રામ પંચાયત મળીને આવા વિદ્યાર્થીઓ સુધી પહોંચશે.
  • શાળાઓને બાળકો માટે વધુ આકર્ષક અને આનંદદાયક બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. સ્વચ્છ વર્ગખંડ, રમતોના સાધનો, પુસ્તકાલયો અને સ્વચ્છ પાણી જેવી સુવિધાઓમાં વધારો કરવામાં આવશે.
  • દીકરીઓના શિક્ષણ માટે અલગ જાગૃતિ કાર્યક્રમો યોજાશે. માતા-પિતાને દીકરીઓને નિયમિત શાળામાં મોકલવા માટે પ્રેરિત કરવામાં આવશે.
  • વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે મિડ-ડે મીલ, આરોગ્ય ચકાસણી અને પોષણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સ્વસ્થ બાળક જ સારું શિક્ષણ મેળવી શકે છે તે વિચારસરણી સાથે સરકાર કાર્ય કરી રહી છે.

પ્રવેશોત્સવ 2026 ની આ વિશેષતાઓ રાજ્યના શિક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે અને વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરશે.

PTC Admission 2026-27 : ફરી શરૂ થશે ઓનલાઈન-કેન્દ્રિયકૃત પ્રવેશ પ્રક્રિયા |D.El.Ed Admission Gujarat 2026

શિક્ષકો અને સમાજની ભૂમિકા

પ્રવેશોત્સવને સફળ બનાવવા માટે શિક્ષકો, માતા-પિતા અને સમાજની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. માત્ર સરકારના પ્રયત્નોથી શિક્ષણનો વ્યાપ વધારી શકાય નહીં; તેમાં સમગ્ર સમાજનો સહકાર જરૂરી છે.

  • શિક્ષક માત્ર ભણાવનાર નથી પરંતુ બાળકોના ભવિષ્યના નિર્માતા છે. પ્રવેશોત્સવ દરમિયાન શિક્ષકો ઘર-ઘર જઈને માતા-પિતાને શિક્ષણનું મહત્વ સમજાવે છે. તેઓ શાળા છોડનાર વિદ્યાર્થીઓને ફરીથી શિક્ષણ તરફ લાવવા પ્રયત્ન કરે છે.
  • શિક્ષકો બાળકોમાં આત્મવિશ્વાસ વિકસાવે છે અને શાળાને આનંદમય બનાવે છે. નવી શિક્ષણ પદ્ધતિઓ અને ટેકનોલોજીના ઉપયોગથી બાળકોને સરળ રીતે સમજાવવામાં આવે છે.
  • ઘણા માતા-પિતા હજુ પણ શિક્ષણનું પૂરતું મહત્વ સમજી શકતા નથી. પ્રવેશોત્સવ દરમિયાન તેમને સમજાવવામાં આવે છે કે શિક્ષણ બાળકના જીવનમાં સફળતાની ચાવી છે. નિયમિત હાજરી, હોમવર્ક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં માતા-પિતાનો સહકાર જરૂરી છે
  • સમાજના આગેવાનો, યુવક મંડળો અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ પ્રવેશોત્સવમાં ભાગ લે છે. તેઓ શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવે છે અને ગરીબ બાળકોને શૈક્ષણિક સામગ્રી પૂરું પાડે છે.
  • પ્રવેશોત્સવ દરમિયાન બાળમજૂરી સામે પણ જાગૃતિ ફેલાવવામાં આવે છે. બાળકોને કામ પર મૂકવાના બદલે શાળામાં મોકલવા માટે માતા-પિતાને સમજાવવામાં આવે છે.
  • આ રીતે શિક્ષકો, માતા-પિતા અને સમાજના સહયોગથી પ્રવેશોત્સવ વધુ અસરકારક બને છે અને દરેક બાળક સુધી શિક્ષણ પહોંચે છે.

પ્રવેશોત્સવ 2026 અને નવી શિક્ષણ નીતિ

ભારતની નવી શિક્ષણ નીતિ (NEP 2020) ને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર પ્રવેશોત્સવ 2026 માં અનેક સુધારાઓ લાવી રહી છે. આ નીતિનો હેતુ શિક્ષણને વધુ પ્રાયોગિક, સર્જનાત્મક અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બનાવવાનો છે.

  • નાના બાળકોમાં વાંચન, લેખન અને ગણિતની મજબૂત પાયાની રચના કરવા માટે ખાસ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. પ્રાથમિક સ્તરે બાળકોને રમતાં રમતાં શીખવવાની પદ્ધતિ અપનાવવામાં આવશે.
  • વિદ્યાર્થીઓને માત્ર પુસ્તક જ્ઞાન નહીં પરંતુ જીવન માટે જરૂરી કૌશલ્ય પણ શીખવવામાં આવશે. કમ્પ્યુટર શિક્ષણ, સંચાર કૌશલ્ય અને સર્જનાત્મક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવશે.
  • નવી શિક્ષણ નીતિ અનુસાર પ્રાથમિક શિક્ષણમાં માતૃભાષાને મહત્વ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં ગુજરાતી ભાષા દ્વારા બાળકોને સરળ અને અસરકારક રીતે ભણાવવામાં આવશે.
  • શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ લર્નિંગ અને ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ વધારવામાં આવશે. વિદ્યાર્થીઓને આધુનિક વિશ્વ માટે તૈયાર કરવામાં આવશે.

સર્વાંગી વિકાસ

  • પ્રવેશોત્સવ 2026 માત્ર શૈક્ષણિક વિકાસ નહીં પરંતુ વિદ્યાર્થીઓના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ પર પણ ભાર મૂકે છે. રમતગમત, સંગીત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પણ મહત્વ આપવામાં આવશે.

આ નવી પહેલોથી ગુજરાતનું શિક્ષણ ક્ષેત્ર વધુ મજબૂત બનશે અને વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે સક્ષમ બનાવશે.

ભવિષ્ય માટે પ્રવેશોત્સવનું મહત્વ

પ્રવેશોત્સવ માત્ર આજના બાળકો માટે નહીં પરંતુ સમગ્ર રાજ્યના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે. શિક્ષિત સમાજ જ વિકાસશીલ સમાજ બની શકે છે. શિક્ષણ દ્વારા ગરીબી, બેરોજગારી અને અજ્ઞાનતા જેવી સમસ્યાઓનો ઉકેલ શક્ય બને છે.
ગુજરાત સરકારનો ઉદ્દેશ દરેક બાળક સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવાનો છે. જ્યારે દરેક બાળક શાળામાં જશે ત્યારે રાજ્યની સાક્ષરતા વધશે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન આવશે.

આર્થિક વિકાસમાં યોગદાન

  • શિક્ષિત યુવાનો ભવિષ્યમાં દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. સારી નોકરી, વ્યવસાય અને નવી શોધો દ્વારા રાજ્યની આર્થિક પ્રગતિમાં વધારો થાય છે.

સામાજિક સમાનતા

  • શિક્ષણ સમાજમાં સમાનતા લાવે છે. ગરીબ અને પછાત વર્ગના બાળકોને પણ આગળ વધવાની તક મળે છે. દીકરીઓના શિક્ષણથી સમાજ વધુ સશક્ત બને છે.

જવાબદાર નાગરિકોની રચના

  • શિક્ષણથી બાળકોમાં શિસ્ત, જવાબદારી અને દેશપ્રેમ જેવી ભાવનાઓ વિકસે છે. ભવિષ્યમાં તેઓ સારા નાગરિક બનીને સમાજને આગળ વધારશે.

ડિજિટલ અને આધુનિક ગુજરાત

  • પ્રવેશોત્સવ 2026 દ્વારા રાજ્ય ડિજિટલ અને આધુનિક શિક્ષણ તરફ આગળ વધી રહ્યું છે. ટેકનોલોજી સાથે જોડાયેલું શિક્ષણ વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે સફળતા અપાવશે.

પ્રવેશોત્સવ 2026 NEWS

નિષ્કર્ષ
ગુજરાત સરકારનો પ્રવેશોત્સવ 2026 એ શિક્ષણ ક્ષેત્રમાં એક મહત્ત્વપૂર્ણ અભિયાન છે. આ કાર્યક્રમ દ્વારા દરેક બાળકને શિક્ષણ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકાર, શિક્ષકો, માતા-પિતા અને સમાજના સહયોગથી આ અભિયાન વધુ સફળ બનશે.
શિક્ષણ એ જીવનનો પ્રકાશ છે, અને પ્રવેશોત્સવ એ આ પ્રકાશ દરેક બાળક સુધી પહોંચાડવાનો એક સુંદર પ્રયાસ છે.

🎓 Diploma Admission 2026-27 Starts After Standard 10: Complete Guide for Students and Parents

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031