દેશભરની શાળાઓમાં હવે મેનેજમેન્ટ કમિટી ફરજિયાત, વાલીઓ-શિક્ષકો સહિતના લોકો હશે સામેલ

દેશભરની શાળાઓમાં હવે મેનેજમેન્ટ કમિટી ફરજિયાત, વાલીઓ-શિક્ષકો સહિતના લોકો હશે સામેલ

નવી માર્ગદર્શિકા અનુસાર હવે ધોરણ 1 થી 12 સુધી અલગ અલગ સમિતિઓના બદલે એક જ કોમન મેનેજમેન્ટ કમિટી કાર્યરત રહેશે

દેશની શાળા વ્યવસ્થામાં વાલીઓની વધુ સક્રિય ભાગીદારી અને શિક્ષણ વ્યવસ્થાને વધુ જવાબદાર બનાવવા માટે કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિના ભાગરૂપે હવે સરકારી, સ્થાનિક સ્વરાજ્ય સંચાલિત તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (SMC)ની રચના ફરજિયાત બનાવવામાં આવશે.

નવી માર્ગદર્શિકા અનુસાર હવે ધોરણ 1 થી 12 સુધી અલગ અલગ સમિતિઓના બદલે એક જ કોમન મેનેજમેન્ટ કમિટી કાર્યરત રહેશે. અગાઉ પ્રાથમિક અને માધ્યમિક વિભાગો માટે અલગ વ્યવસ્થા હતી, પરંતુ હવે સમગ્ર શાળા માટે એકીકૃત સંચાલન મોડલ અપનાવવામાં આવશે.

પ્રગતિનો પ્રવેશોત્સવ – અહેવાલ 2026

સમિતિની રચનામાં વાલીઓને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે. નવા નિયમ મુજબ સમિતિના મોટા ભાગના સભ્યો વિદ્યાર્થીઓના માતા-પિતા હશે અને અધ્યક્ષ તેમજ ઉપાધ્યક્ષ પદ પણ વાલીઓમાંથી પસંદ કરવામાં આવશે. મહિલાઓની ભાગીદારી વધારવા માટે સમિતિમાં ઓછામાં ઓછા 50 ટકા મહિલા સભ્યો ફરજિયાત રાખવામાં આવ્યા છે.

વિદ્યાર્થી સંખ્યાના આધારે સમિતિનું કદ નક્કી કરવામાં આવ્યું છે. 100 સુધીના વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં 12થી 15 સભ્યો રહેશે, 100થી 500 વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં 15થી 20 સભ્યો રહેશે અને 500થી વધુ વિદ્યાર્થીઓ હોય ત્યાં 20થી 25 સભ્યોની સમિતિ રચાશે. આ સમિતિમાં શિક્ષકો, નિવૃત્ત શિક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ સ્થાન આપવામાં આવશે.

આ સમિતિ માત્ર વહીવટી કામગીરી પૂરતી મર્યાદિત નહીં રહે પરંતુ શાળાના સમગ્ર વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવશે. તેમાં શાળા વિકાસ માટે લાંબા ગાળાનું આયોજન, અભ્યાસ બહાર રહેલા બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવાના પ્રયાસો, વિદ્યાર્થીઓના અધિકારોનું રક્ષણ અને શિક્ષણની ગુણવત્તા સુધારવાના નિર્ણયો સામેલ રહેશે. નાણાકીય પારદર્શિતા વધારવા માટે સમિતિનું સંયુક્ત બેંક ખાતું રાખવામાં આવશે અને દર વર્ષે સામાજિક ઓડિટ પણ ફરજિયાત રહેશે. સાથે સાથે શાળામાં મધ્યાહન ભોજનની ગુણવત્તા, સ્વચ્છતા અને વિદ્યાર્થીઓની સુરક્ષા પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે.

read more :: રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરાશે, શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો

https://twitter.com/VtvGujarati/status/2070356715862921251?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2070356715862921251%7Ctwgr%5Edb8ba5f5a44b9f806c02447c2d68e94b7405d114%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fnational-school-management-committee-new-education-policy

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

અધ્યયન ના સિદ્ધાંતો : આંતરસૂઝ અધ્યયન ➖કોહલર

અધ્યની પ્રક્રિયાની પૂરેપૂરી સમજવા માટે આપણે કેટલાંક મનોવૈજ્ઞાનિકો દ્વારા અધ્યયનના જે સિદ્ધાંતો તારવી કાઢવામાં આવ્યા છે. તેના વિશે જાણકારી મેળવવી પડે. આ સિદ્ધાંતોની મદદથી વર્ગની ઘણી બધી સમસ્યાઓ નિરાકરણ લાવી શકાય છે. અધ્યયનના સિદ્ધાંતો પૈકી આંતર સૂઝ દ્વારા અધ્યયન ની સમજ અહીં આપવામાં આવેલી છે

પ્રાણી : સુલતાન નામનો ચિમ્પાન્ઝી (વાંદરો), કૂંડું, લાકડી

  • આ સિદ્ધાંત જર્મન મનોવૈજ્ઞાનિક કોહલર, કોફકા અને વર્થાઇમરએ આપ્યો છે. તેઓ ગેસ્ટાલ્ટવાદી વિચારધારા ધરાવતા હતા.
  • ગેસ્ટાલ્ટ’ જર્મન શબ્દ છે, જેનો અર્થ સમગ્રતા, આકૃતિ, આકાર કે સમૂહ એવો થાય છે.
  • કોહલરે આ પ્રયોગ ચિમ્પાન્ઝી નામના વાંદરા પર કર્યો હતો. તેનું નામ ‘સુલતાન’ હતું.

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

આંતરસૂઝ અધ્યયન પ્રયોગ–1:

આ પ્રયોગમાં ભૂખ્યા ચિમ્પાન્ઝી વાંદરાને પાંજરામાં પૂરવામાં આવ્યો. કેળાં પાંજરાની બહાર ચિમ્પાન્ઝીના હાથ ન પહોંચે તેટલે દૂર મૂકવામાં આવ્યા. પાંજરામાં એક લાકડી પણ મૂકવામાં આવી. ચિમ્પાન્ઝીએ પહેલાં હાથ વડે કેળાં મેળવવાનો પ્રયત્ન કર્યો, પણ તે સફળ ન થયો. હવે તે પાંજરામાં આંટા મારવા લાગ્યો. અચાનક તેની નજર પાંજરામાં મૂકેલી લાકડી પર પડી. તેણે લાકડી લીધી અને લાકડીની મદદથી કેળાં મેળવવામાં સફળ થયો.

પ્રયોગ–2:

આ પ્રયોગમાં કેળાં પાંજરાની બહાર વધારે દૂર મૂકવામાં આવ્યા. પાંજરામાં એક નાની અને એક મોટી એમ બે લાકડીઓ મૂકવામાં આવી. વાંદરાએ લાકડીની મદદથી કેળાં મેળવવાનો પ્રયત્ન કર્યો, પણ તે સફળ થયો નહીં. તે પાંજરામાં બંને લાકડીઓ સાથે રમવા લાગ્યો. રમતાં રમતાં એક લાકડીનો છેડો બીજી લાકડીમાં ખોસાઈ ગયો તેથી લાકડીની લંબાઈ વધી ગઈ. આ રીતે ચિમ્પાન્ઝીને સમસ્યાનો ઉકેલ મળી ગયો. તે મોટી લાકડીની મદદથી કેળાં મેળવવામાં સફળ થયો.

ફલિતાર્થ:

  • આંતરસૂઝ દ્વારા અધ્યયન ગોખણપટ્ટીને ઉત્તેજન આપતું નથી, પણ પૂર્ણતત્ત્વને પ્રાધાન્ય આપે છે.
  • શિક્ષણ સાથે વાસ્તવિક જીવન સાંકળવામાં આવે તો અધ્યયન અસરકારક બને છે.
  • બાળકને પહેલાં સમસ્યાનો ખ્યાલ આપી પછી જ તેના ભાગોનો ખ્યાલ આપવો જોઈએ.
  • શિક્ષણમાં વિવિધ વિષયો વચ્ચે અને વિષયો અને વાસ્તવિક જીવન વચ્ચે અન્વય બંધાવવો જોઈએ.

બી. હિલગાર્ડ ના આંતરસૂઝ દ્વારા શિક્ષણના મુખ્ય ચાર લક્ષણો:

  • શીખનાર પાસે પૂર્વ અનુભવ
  • યોગ્ય પ્રયોગિક ગોઠવણ
  • યોગ્ય બૌદ્ધિક સ્તર
  • પ્રેરિત પ્રયત્ન અને ભૂલયુક્ત વર્તન

પ્રગતિનો પ્રવેશોત્સવ – અહેવાલ 2026

read more :: રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરાશે, શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

પ્રગતિનો પ્રવેશોત્સવ – અહેવાલ 2026

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ અમારી શાળામાં તા. 23 થી 25 દરમિયાન પ્રગતિનો પ્રવેશોત્સવ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો. કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળાપ્રવેશયોગ્ય તમામ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે જોડવા, વાલીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા તથા શાળામાં આનંદમય અને આવકારદાયક વાતાવરણનું નિર્માણ કરવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન મહેમાનો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, એસ.એમ.સી.ના સભ્યો, વાલીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં નવા વિદ્યાર્થીઓનું કંકુ-તિલક, પુષ્પહાર, મીઠાઈ અને તાળીઓના ગડગડાટ સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. બાળકોને શાળાનો પરિચય કરાવવામાં આવ્યો તેમજ શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું. શાળામાં ઉપલબ્ધ શૈક્ષણિક સુવિધાઓ, રમતગમત, પુસ્તકાલય, ડિજિટલ શિક્ષણ અને વિવિધ સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવામાં આવી.

ત્રણ દિવસ દરમિયાન શિક્ષકો દ્વારા ગામમાં સંપર્ક અભિયાન ચલાવી પ્રવેશપાત્ર બાળકોના ઘરે મુલાકાત લેવામાં આવી. વાલીઓ સાથે સંવાદ કરી બાળકોને નિયમિત શાળાએ મોકલવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહ વધે તે માટે વિવિધ રમતો, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રેરણાત્મક પ્રવૃત્તિઓ તથા વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.

સમગ્ર કાર્યક્રમ શિક્ષકો, એસ.એમ.સી., ગ્રામજનો અને વાલીઓના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ પ્રવેશોત્સવ દ્વારા શાળામાં નવા વિદ્યાર્થીઓનો ઉત્સાહપૂર્વક પ્રવેશ થયો અને શિક્ષણ પ્રત્યે સકારાત્મક વાતાવરણનું નિર્માણ થયું. અંતે સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.

પ્રગતિનો પ્રવેશોત્સવ – અહેવાલ

અન્ય રજા વિશે વાંચવા માટે નીચેનું આર્ટીકલ જુઓ

શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

વિષય: પ્રગતિનો પ્રવેશોત્સવ 2026

  • કાર્યક્રમની તારીખ: 23 થી 25
  • સ્થળ: _
  • કાર્યક્રમનો મુખ્ય હેતુ
  • મહેમાનો અને ઉપસ્થિત મહાનુભાવોનો પરિચય
  • દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના
  • મહેમાનોનું સ્વાગત અને સન્માન
  • નવા વિદ્યાર્થીઓનું તિલક, ફૂલહાર અને મીઠાઈથી સ્વાગત
  • વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ અપાવવાની કામગીરી
  • વાલીઓ સાથે સંવાદ અને શિક્ષણનું મહત્વ સમજાવવું
  • શાળાની વિવિધ સુવિધાઓનો પરિચય
  • પાઠ્યપુસ્તકો, શૈક્ષણિક કિટ અથવા અન્ય સામગ્રીનું વિતરણ (જો કરવામાં આવ્યું હોય)
  • સાંસ્કૃતિક કાર્યક્રમો, બાળગીત, નૃત્ય અને પ્રેરણાત્મક પ્રવૃત્તિઓ
  • વૃક્ષારોપણ, સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ
  • ગ્રામજનો, એસ.એમ.સી., શિક્ષકો અને કર્મચારીઓનો સહયોગ
  • ત્રણ દિવસ દરમિયાન થયેલા કુલ પ્રવેશની વિગતો
  • કાર્યક્રમની મુખ્ય સિદ્ધિઓ
  • આભારવિધિ
  • કાર્યક્રમનું સફળ સમાપન અને નિષ્કર્ષ

વિષય: પ્રગતિનો પ્રવેશોત્સવ

read more :: રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરાશે, શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

8મા પગાર પંચનું મોટું અપડેટ: કેન્દ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બરમાં મળી શકે છે મોટી ભેટ

8મા પગાર પંચનું મોટું અપડેટ: કેન્દ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બરમાં મળી શકે છે મોટી ભેટ

8th Pay Commission updates: મોંઘવારી ભથ્થા (DA) માં વધારાની શક્યતા; પગાર પંચને રિપોર્ટ સોંપવા 10 મહિના બાકી, 5.5 મિલિયન કર્મચારીઓ અને 6.9 મિલિયન પેન્શનરોને થશે સીધો ફાયદો.

8મા પગાર પંચનું મોટું અપડેટ: કેન્દ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બરમાં મળી શકે છે મોટી ભેટ 8th pay commission central government employees da hike salary updates

  • સપ્ટેમ્બરમાં DA વધારાની જાહેરાત, લાખો કર્મચારી-પેન્શનરોને ફાયદો થશે.
  • 8મા પગાર પંચે સૂચનો મેળવ્યા, મૂળ પગાર વધારાની મુખ્ય માંગ.
  • પંચ રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે, વધુ સૂચનો મેળવશે.

8th Pay Commission updates: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટા અને ખુશીના સમાચાર છે. 8મા પગાર પંચની ભલામણો અને મોંઘવારી ભથ્થા (DA) ને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. 8મા પગાર પંચને રચાયે લગભગ આઠ મહિના વીતી ગયા છે અને હવે પંચ પાસે પોતાની ભલામણો સરકારને સોંપવા માટે 10 મહિનાનો સમય બાકી છે. જોકે, આ દરમિયાન કર્મચારીઓ માટે સારા સમાચાર એ છે કે સરકાર આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં DA માં વધારો જાહેર કરી શકે છે. આ નિર્ણયથી દેશના લગભગ 5.5 મિલિયન (55 લાખ) કર્મચારીઓ અને 6.9 મિલિયન (69 લાખ) પેન્શનરોને સીધો ફાયદો થશે.

DA વધીને 60% થયો, સપ્ટેમ્બરમાં નવી જાહેરાતની આશા

કેન્દ્ર સરકાર સામાન્ય રીતે વર્ષમાં બે વાર પોતાના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) જાહેર કરે છે.

આ વર્ષે જાન્યુઆરીમાં સરકારે DA માં 2% નો વધારો કર્યો હતો, જેનાથી કર્મચારીઓનું કુલ DA 60% થઈ ગયું છે.

જુલાઈથી ડિસેમ્બરના સમયગાળા માટેનું DA મોટાભાગે સપ્ટેમ્બરમાં જાહેર કરવામાં આવે છે, જોકે ક્યારેક તેમાં ઓક્ટોબર સુધીનો સમય પણ લાગી શકે છે.

DA ની જાહેરાતમાં લાગતા સમય પાછળનું કારણ ડેટા છે. સરકાર માત્ર એક મહિનાના ડેટા પરથી નિર્ણય નથી લેતી, પણ સરેરાશ કાઢવા માટે ઓછામાં ઓછા 2 થી 3 મહિનાના ડેટાનો ઉપયોગ કરે છે.

કઈ રીતે થાય છે DA ની ગણતરી?

કેન્દ્રીય કર્મચારીઓના DA ની ગણતરી લેબર બ્યુરો દ્વારા જાહેર કરાયેલા ‘ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ’ (AICPI-IW) ના ડેટાના આધારે કરવામાં આવે છે. એપ્રિલ 2026 નો અંતિમ AICPI-IW આંકડો 0.8 પોઈન્ટ વધીને 149.9 પર પહોંચ્યો હતો. હવે જુલાઈ 2026 માં DA નો દર કેટલો વધશે, તેનો સીધો આધાર મે અને જૂન મહિનાના ડેટા પર રહેલો છે.

8મા પગાર પંચ સમક્ષ કર્મચારીઓની મુખ્ય માંગણીઓ

  • 8મા પગાર પંચને પોતાના સૂચનો (મેમોરેન્ડમ) સોંપવાની અંતિમ તારીખ 15 જૂન, 2026 હતી, જે હવે પૂર્ણ થઈ ચૂકી છે.
  • કેન્દ્ર સરકારના વિવિધ કર્મચારી સંગઠનોએ પંચને પોતાના પ્રસ્તાવો આપી દીધા છે, જેમાં પગાર, પેન્શન અને નિવૃત્તિ પછીના લાભો વધારવાની માંગ કરાઈ છે.
  • કર્મચારીઓની સૌથી મોટી માંગ ‘ફિટમેન્ટ ફેક્ટર’ (Fitment Factor) વધારવાની અને લઘુત્તમ મૂળ પગાર (Basic Pay) માં નોંધપાત્ર વધારો કરવાની છે.

પંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રવાસે

15 જૂનની સમયમર્યાદા પૂરી થયા બાદ હવે પગાર પંચે કર્મચારીઓ સાથે પરામર્શ (ચર્ચા-વિચારણા) નો એક મહત્વનો તબક્કો પૂરો કરી લીધો છે. હવે કમિશન કર્મચારીઓ, પેન્શનરો અને અન્ય લોકો તરફથી મળેલા સૂચનોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરશે. આ ઉપરાંત, 8મા પગાર પંચે દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મુલાકાત લેવાનું પણ શરૂ કરી દીધું છે (જે પૈકી કેટલાક રાજ્યોનો પ્રવાસ પૂરો પણ થઈ ગયો છે). આ મુલાકાતનો મુખ્ય હેતુ ગ્રાઉન્ડ લેવલ પર જઈને કર્મચારીઓ પાસેથી સીધા જ સૂચનો મેળવવાનો છે.

ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation

Frequently Asked Questions

  • સરકાર આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં DA માં વધારો જાહેર કરી શકે છે. આનાથી લગભગ 55 લાખ કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને ફાયદો થશે.
  • 8th Pay Commission updates: મોંઘવારી ભથ્થા(DA) માં વધારાની શક્યતા; પગાર પંચને રિપોર્ટ સોંપવા10 મહિના બાકી, 5.5 મિલિયન કર્મચારીઓ અને6.9 મિલિયન પેન્શનરોને થશે સીધો ફાયદો.

અબ્રાહમ મેસ્લો પ્રેરણાઓના શ્રેણી ક્રમ નો સિદ્ધાંત

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

ULLAS ➖ઉલ્લાસ ( understanding of lifelong learning for all in society )

➖ શિક્ષણ પૂર્ણ કરેલા અને પુખ્ત વયના લોકોને શૈક્ષણિક તકો પૂરી પાડવી.
➖ કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજના

✡️ ઉલ્લાસ ના ઘટકો

  1. પાયાની સાક્ષરતા અને અભિગમ
  2. તાર્કિક જીવન કૌશલ્યો
  3. પાયાનું શિક્ષણ
  4. વ્યવસાયિક કૌશલ્ય
  5. સતત શિક્ષણ

➖ULLAS મોબાઈલ એપ્લિકેશન જુલાઈ 23 થી શરૂ કરવામાં આવેલ છે.
➖ JUN 2024 થી ઉલ્લાસ હેઠળ સંપૂર્ણ સાક્ષરતાનું લક્ષ્ય છે..

Tet htat કે અન્ય શિક્ષણ ની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે વાંચવા લાયક આર્ટિકલ

અબ્રાહમ મેસ્લો પ્રેરણાઓના શ્રેણી ક્રમ નો સિદ્ધાંત

ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation

READ MORE :: Tet /htat exam માટે ઉપયોગી બચાવપ્રયુક્તિઓ

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

D.El.Ed (PTC) Admission 2026-27 Gujarat: ઓનલાઈન અરજી, લાયકાત, મેરિટ, ઉંમર મર્યાદા અને સંપૂર્ણ માર્ગદર્શિકા

ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષક બનવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે D.El.Ed (PTC) પ્રવેશ પ્રક્રિયા 2026-27ની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે.રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ, સ્વનિર્ભર અને અલ્પસંખ્યક સંસ્થાઓમાં D.El.Ed (PTC) અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે.

📅 D.El.Ed (PTC) Admission 2026-27 Important Dates

🎓 D.El.Ed (PTC) Admission 2026 માટે લાયકાત

  • ધોરણ-12 (Higher Secondary) પરીક્ષા પાસ કરેલ ઉમેદવારો પ્રવેશ માટે અરજી કરી શકે છે.
  • વિજ્ઞાન, સામાન્ય, વ્યવસાયલક્ષી તથા ઉત્તર બૂનિયાદી પ્રવાહના ઉમેદવારોને પ્રવેશ માટે પાત્ર ગણવામાં આવશે.
  • સામાન્ય વર્ગ માટે ઓછામાં ઓછા 50% ગુણ જરૂરી.
  • SC/ST/SEBC/EWS ઉમેદવારો માટે ઓછામાં ઓછા 45% ગુણ જરૂરી.
  • GSHSEB અથવા સમકક્ષ બોર્ડનું પ્રમાણપત્ર માન્ય રહેશે.

READ MORE :: Tet /htat exam માટે ઉપયોગી બચાવપ્રયુક્તિઓ

📊 D.El.Ed (PTC) Merit List 2026

પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણપણે મેરિટ આધારિત રહેશે. ઉમેદવારના ધોરણ-12માં મેળવેલા ગુણના આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ ચોઇસ ફિલિંગ અને એલોટમેન્ટ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

📅 ઉંમર મર્યાદા (Age Limit)

  1. 01/07/2026 ના રોજ મહત્તમ ઉંમર 30 વર્ષ.
  2. SC/ST/SEBC/EWS ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળશે.
  3. 🏆 અનામત બેઠકો (Reservation)
  4. SC – 7%
  5. ST – 15%
  6. SEBC – 27%
  7. EWS – 10%
  8. PwD ઉમેદવારો માટે સરકારના નિયમ મુજબ અનામત.

📂 અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • ધોરણ-10 માર્કશીટ
  • ધોરણ-12 માર્કશીટ
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડે)
  • EWS પ્રમાણપત્ર
  • નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર
  • દિવ્યાંગતા પ્રમાણપત્ર (જો લાગુ પડે)

💼 D.El.Ed (PTC) Course પછી કારકિર્દીની તકો

  1. સરકારી પ્રાથમિક શિક્ષક
  2. ખાનગી શાળામાં શિક્ષક
  3. TET પરીક્ષા માટે પાત્રતા
  4. શૈક્ષણિક ક્ષેત્રમાં વિવિધ રોજગાર તકો

❓ FAQs

  • 24 જૂન 2026 સવારે 11:00 વાગ્યાથી.
  • 05 જુલાઈ 2026 રાત્રે 11:58 વાગ્યા સુધી.

https://dpegujarat.in/?utm_source=chatgpt.com

નિષ્કર્ષ

D.El.Ed (PTC) Admission 2026-27 ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક શિક્ષક બનવાની ઉત્તમ તક છે. ઉમેદવારોએ સમયસર ઓનલાઈન અરજી કરીને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરાવવી જોઈએ. વધુ માહિતી માટે નિયમિત રીતે અધિકૃત વેબસાઇટની મુલાકાત લેતા રહેવું.

ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation

D.El.Ed Admission 2026 Gujarat, PTC Admission Gujarat 2026, PTC Online Form 2026, Gujarat D.El.Ed Merit List, D.El.Ed Eligibility Gujarat, Teacher Training Course Gujarat, Gujarat PTC Admission Process, DPE Gujarat PTC Admission, PTC College Admission Gujarat, Primary Teacher Training Course Admission.

નિપુણ ભારત (NIPUN Bharat)

અબ્રાહમ મેસ્લો પ્રેરણાઓના શ્રેણી ક્રમ નો સિદ્ધાંત

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

નિપુણ ભારત (NIPUN Bharat) –

નિપુણ ભારત (NIPUN Bharat)

NIPUN (National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy)

ધ્યેય: વર્ષ 2026-27 સુધીમાં ધો.-3 સુધીના બાળકો વાંચન, લેખન અને ગણનમાં શીખવાની જરૂરી ક્ષમતા પ્રાપ્ત કરી શકે તે માટે સહાયક વાતાવરણનું નિર્માણ.

READ MORE :: Tet /htat exam માટે ઉપયોગી બચાવપ્રયુક્તિઓ

બાળવાટિકા:

  • મૂળાક્ષરો અને સંબંધિત ઉચ્ચારણની ઓળખ કરી 10 સુધીની સંખ્યાને ઓળખી અને વાંચી શકે.
  • બે-ત્રણ મૂળાક્ષરોથી બનતા સરળ શબ્દોને વાંચી શકે.
  • સંખ્યા, વસ્તુ, આકાર અને ઘટનાઓને ક્રમમાં ગોઠવી શકે.

ધોરણ-1

  • અપરિચિત લખાણમાંથી ચાર-પાંચ સરળ શબ્દોથી બનતાં નાના વાક્યોને વાંચી શકે.
  • 99 સુધીની સંખ્યાઓનું લેખન અને વાંચન કરી શકે.
  • સરળ સરવાળા, બાદબાકી કરી શકે.

ધોરણ-2

  • એક મિનિટમાં 45 થી 60 શબ્દોનું સમજ સાથે વાંચન કરી શકે.
  • 999 સુધીની સંખ્યાનું લેખન અને વાંચન કરી શકે.
  • 99 સુધીની સંખ્યાઓનું બાદબાકી કરી શકે.

ધોરણ-3

  • એક મિનિટમાં 60 શબ્દોનું સમજ સાથે વાંચન.
  • 9999 સુધીની સંખ્યાનું લેખન અને વાંચન કરી શકે.
  • સરળ ગુણાકારના દાખલા ગણી શકે.

key world

  • ✅ NIPUN – National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy
  • ✅ શરૂઆત: 2021
  • ✅ ધ્યેય: ધોરણ 3 સુધીના બાળકોમાં પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન વિકસાવવું
  • ✅ FLN (Foundational Literacy and Numeracy) – પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન
  • ✅ લક્ષ્ય વર્ષ: 2026-27
  • ✅ વાંચન કૌશલ્ય (Reading)
  • ✅ લેખન કૌશલ્ય (Writing)
  • ✅ ગણન કૌશલ્ય (Numeracy)
  • ✅ સમજ સાથે વાંચન (Reading with Understanding)
  • ✅ બાળવાટિકા થી ધોરણ 3 સુધી ફોકસ
  • ✅ સરળ સરવાળા, બાદબાકી અને ગુણાકાર
  • ✅ શીખવાના પરિણામો (Learning Outcomes)
  • ✅ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP 2020) સાથે સુસંગત
  • ✅ બાળકેન્દ્રિત શિક્ષણ (Child-Centric Learning)
  • ✅ પાયાનું શિક્ષણ મજબૂત બનાવવાનો કાર્યક્રમ

ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation

અબ્રાહમ મેસ્લો પ્રેરણાઓના શ્રેણી ક્રમ નો સિદ્ધાંત

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

નિપુણ ભારત (NIPUN Bharat)

નિપુણ ભારત (NIPUN Bharat)

NIPUN (National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy)

ધ્યેય: વર્ષ 2026-27 સુધીમાં ધો.-3 સુધીના બાળકો વાંચન, લેખન અને ગણનમાં શીખવાની જરૂરી ક્ષમતા પ્રાપ્ત કરી શકે તે માટે સહાયક વાતાવરણનું નિર્માણ.

READ MORE :: Tet /htat exam માટે ઉપયોગી બચાવપ્રયુક્તિઓ

બાળવાટિકા:

  • મૂળાક્ષરો અને સંબંધિત ઉચ્ચારણની ઓળખ કરી 10 સુધીની સંખ્યાને ઓળખી અને વાંચી શકે.
  • બે-ત્રણ મૂળાક્ષરોથી બનતા સરળ શબ્દોને વાંચી શકે.
  • સંખ્યા, વસ્તુ, આકાર અને ઘટનાઓને ક્રમમાં ગોઠવી શકે.

ધોરણ-1

  • અપરિચિત લખાણમાંથી ચાર-પાંચ સરળ શબ્દોથી બનતાં નાના વાક્યોને વાંચી શકે.
  • 99 સુધીની સંખ્યાઓનું લેખન અને વાંચન કરી શકે.
  • સરળ સરવાળા, બાદબાકી કરી શકે.

ધોરણ-2

  • એક મિનિટમાં 45 થી 60 શબ્દોનું સમજ સાથે વાંચન કરી શકે.
  • 999 સુધીની સંખ્યાનું લેખન અને વાંચન કરી શકે.
  • 99 સુધીની સંખ્યાઓનું બાદબાકી કરી શકે.

ધોરણ-3

  • એક મિનિટમાં 60 શબ્દોનું સમજ સાથે વાંચન.
  • 9999 સુધીની સંખ્યાનું લેખન અને વાંચન કરી શકે.
  • સરળ ગુણાકારના દાખલા ગણી શકે.

key world

  • ✅ NIPUN – National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy
  • ✅ શરૂઆત: 2021
  • ✅ ધ્યેય: ધોરણ 3 સુધીના બાળકોમાં પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન વિકસાવવું
  • ✅ FLN (Foundational Literacy and Numeracy) – પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન
  • ✅ લક્ષ્ય વર્ષ: 2026-27
  • ✅ વાંચન કૌશલ્ય (Reading)
  • ✅ લેખન કૌશલ્ય (Writing)
  • ✅ ગણન કૌશલ્ય (Numeracy)
  • ✅ સમજ સાથે વાંચન (Reading with Understanding)
  • ✅ બાળવાટિકા થી ધોરણ 3 સુધી ફોકસ
  • ✅ સરળ સરવાળા, બાદબાકી અને ગુણાકાર
  • ✅ શીખવાના પરિણામો (Learning Outcomes)
  • ✅ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP 2020) સાથે સુસંગત
  • ✅ બાળકેન્દ્રિત શિક્ષણ (Child-Centric Learning)
  • ✅ પાયાનું શિક્ષણ મજબૂત બનાવવાનો કાર્યક્રમ

ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation

અબ્રાહમ મેસ્લો પ્રેરણાઓના શ્રેણી ક્રમ નો સિદ્ધાંત

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

કઈ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડથી કરાવી શકશો મફત સારવાર? આ રીતે કરો ચેક

કઈ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડથી કરાવી શકશો મફત સારવાર? આ રીતે કરો ચેક

ભારત સરકાર દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ લાવે છે. સરકારની આ યોજનાઓનો લાભ કરોડો લોકોને મળે છે. આરોગ્ય એ દરેક વ્યક્તિના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. અચાનક માંદગી કે અકસ્માતના કિસ્સામાં લોકોને ઘણા પૈસા ખર્ચવા પડે છે.

read more :::Ayushman Card Renewal

કઈ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડથી કરાવી શકશો મફત સારવાર? આ રીતે કરો ચેક

Income Tax 2025–26 (FY 2025-26 / AY 2026-27) — New Rules, Slabs, Benefits, and Full Details 👇📝અહીંયા થી ક્લિક કરી વાંચો

તેથી જ ભારત સરકારે ગરીબ જરૂરિયાતમંદ લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વર્ષ 2018માં પ્રધાનમંત્રી Ayushman Bharat Yojana આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ ભારત સરકાર 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપે છે. ભારત સરકાર આયુષ્માન યોજનાના લાભાર્થીઓને Ayushman Card આયુષ્માન કાર્ડ જારી કરે છે.

જેની મદદથી તમે યોજનામાં સૂચિબદ્ધ કોઈપણ હોસ્પિટલમાં મફત સારવાર મેળવી શકો છો. તમારા જિલ્લામાં આયુષ્માન ભારત યોજનામાં કઈ હોસ્પિટલો સૂચિબદ્ધ છે. જ્યાં તમે આયુષ્માન કાર્ડ બતાવીને સારવાર મેળવી શકો છો. તમે આ વિશે ઓનલાઈન જાણી શકો છો.

Ayushman Hospital / આયુષ્માન હોસ્પિટલ કેવી રીતે શોધવી

  • સૌ પ્રથમ આયુષ્માન ભારત યોજનાની સત્તાવાર વેબસાઇટ pmjay.gov.in પર જાઓ.
  • આ પછી ‘Find Hospital’ના વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે તમારું રાજ્ય, જિલ્લા અને હોસ્પિટલ (સરકારી કે ખાનગી) ભરો.
  • આ પછી તમારે તે રોગ પસંદ કરવો પડશે જેની સારવાર તમે કરાવવા માંગો છો.
  • હવે Empanelment Type માં PMJAY પસંદ કરો.
  • સ્ક્રીન પર દર્શાવેલ કેપ્ચા કોડ દાખલ કરો અને Search પર ક્લિક કરો.
  • આ પછી, આયુષ્માન યોજનામાં સૂચિબદ્ધ હોસ્પિટલોની સૂચિ સ્ક્રીન પર બતાવવામાં આવશે.

સૂચિબદ્ધ હોસ્પિટલોમાં, તે તમને એ પણ બતાવશે કે કઈ હોસ્પિટલમાં કયો રોગ આવરી લેવામાં આવ્યો છે.

How To Download Ayushman Health Card

તમને જણાવી દઈએ કે આયુષ્માન યોજનામાં આયુષ્માન કાર્ડ બતાવીને તમને કેશલેસ સારવારની સુવિધા પણ મળે છે.

Ayushman Card Apply / આયુષ્માન કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી

આયુષ્માન કાર્ડ માટે અરજી કરવાની પ્રક્રિયા એકદમ સરળ છે. તમે તેના માટે ઓનલાઈન તેમજ ઓફલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવા માટે તમારે આયુષ્માન ભારત યોજનાની વેબસાઈટ પર જવું પડશે. જ્યારે, ઑફલાઇન અરજી માટે, વ્યક્તિએ રાજ્ય અથવા જિલ્લાની હોસ્પિટલ અથવા આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો પડશે.

70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્માન ભારત કાર્ડ

હવે 70 વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો આયુષ્માન ભારત યોજના હેઠળ આરોગ્ય સુવિધાઓનો લાભ લઈ શકશે. આ માટે તેમને ખાસ કાર્ડ આપવામાં આવશે. જે વૃદ્ધો પહેલાથી જ આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તેમને 5 લાખનું વધારાનું કવર મળશે. તે જ સમયે, 70 વર્ષથી વધુ ઉંમરના અન્ય નાગરિકોને કુટુંબના ધોરણે 5 લાખ રૂપિયા સુધીનું વાર્ષિક કવર મળશે.

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

સરકારી નોકરીવાળા માટે મોટી ખબર, ડેથ બેનિફિટ અને ગ્રેજ્યુઇટી પર આવ્યુ મોટું અપડેટ

સરકારી નોકરીવાળા માટે મોટી ખબર, ડેથ બેનિફિટ અને ગ્રેજ્યુઇટી પર આવ્યુ મોટું અપડેટ

સરકારી કર્મચારીઓ પાંચ વર્ષનો ફરજિયાત સેવા સમયગાળો પૂર્ણ કર્યા પછી રિટાયરમેન્ટ પર ગ્રેચ્યુઇટીનો ફાયદો આપવામાં આવે છે. જો કોઈ સરકારી કર્મચારીનું સેવા દરમિયાન અવસાન થાય છે, તો તેમના પરિવારને નિર્ધારિત દરે ગ્રેચ્યુઇટી મળવાનો અધિકાર છે.

ગુજરાતની પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક–વિદ્યાર્થી પ્રમાણ અને શિક્ષકોની સંખ્યા: સંપૂર્ણ માર્ગદર્શિકા

સરકારી કર્મચારીઓ પાંચ વર્ષનો ફરજિયાત સેવા સમયગાળો પૂર્ણ કર્યા પછી રિટાયરમેન્ટ પર ગ્રેચ્યુઇટીનો ફાયદો આપવામાં આવે છે. જો કોઈ સરકારી કર્મચારીનું સેવા દરમિયાન અવસાન થાય છે, તો તેમના પરિવારને નિર્ધારિત દરે ગ્રેચ્યુઇટી મળવાનો અધિકાર છે. 8મા પગાર પંચની ભલામણોના અમલીકરણ પહેલા, વિવિધ કર્મચારી અને પેન્શનર સંગઠનોએ ગ્રેચ્યુઇટી નિયમોમાં નોંધપાત્ર ફેરફારોની માંગ કરી છે. એક મિન્ટ રિપોર્ટ સૂચવે છે કે, આ બદલાવોમાં ગ્રેચ્યુઇટીની લીમિટ વધારવી, ગણતરી પદ્ધતિમાં સુધારો કરવો અને કર્મચારીના મૃત્યુના કિસ્સામાં થવા પર મળવાનો ફાયદો સામેલ છે.

READ MORE :: Tet /htat exam માટે ઉપયોગી બચાવપ્રયુક્તિઓ

ગ્રેચ્યુઇટીમાં હાજર નિયમ શું છે?

સરકારી કર્મચારીઓ પાંચ વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી રિટાયરમેન્ટ થવા પર ગ્રેચ્યુઇટી લાભ મેળવવા માટે હકદાર છે. જો કોઈ સરકારી કર્મચારી સેવા દરમિયાન મૃત્યુ પામે છે, તો તેમના પરિવારને સરકારી નિયમો અનુસાર ગ્રેચ્યુઇટી ચુકવણી મળે છે. આવો આપણે વર્તમાન નિયમો અને ગણતરીની પદ્ધતિ સમજીએ.

કર્મચારી સંગઠનોને શું પ્રસ્તાવ આપવામાં આવ્યા છે?

  • મહત્તમ ગ્રેચ્યુઇટી મર્યાદા વધારીને 50 લાખ રુપિયા કરવી,
  • ગણતરી નીચે મુજબ છે: ગ્રેચ્યુઇટી = (1/3) x (મૂળભૂત પગાર + મોંઘવારી ભથ્થું) × (કર્મચારી દ્વારા પૂર્ણ કરાયેલ 6-મહિનાના સેવા સમયગાળાની કુલ સંખ્યા).
  • ભારતીય રેલ્વે ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશને પોતાના મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે, “રિટાયરમેન્ટ ગ્રેચ્યુઇટીની ગણતરી દર છ મહિનાના સમયગાળાના આધારે માસિક પગારના ત્રીજા ભાગ અને રિટાયરમેન્ટની તારીખે મેળવેલા મોંઘવારી ભથ્થાના દરે થવી જોઈએ. 33 વર્ષ કે તેથી વધુ સમયની જરૂરી સેવા માટે, ચૂકવવાપાત્ર રિટાયરમેન્ટ ગ્રેચ્યુઇટી માસિક પગાર અને મોંઘવારી ભથ્થાના 32 ગણી હોવી જોઈએ. આ માટેની મહત્તમ મર્યાદા 50 લાખ રુપિયા હોવી જોઈએ.”

રેલવે ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશને ડેથ ગ્રેચ્યુઇટી અંગે કયો પ્રસ્તાવ રજૂ કર્યો છે?

ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation

રેલવે ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશને જણાવ્યું હતું કે ડેથ ગ્રેચ્યુઇટીની રકમ, જે હાલમાં 50 લાખ રુપિયા સુધી મર્યાદિત છે, તે કર્મચારીના કુલ લાયકાત ધરાવતા સેવા સમયગાળા પર આધારિત હોવી જોઈએ, જે નીચે મુજબ છે:

  • એક વર્ષથી ઓછું: મૂળ પગારના 4 ગણું
  • એક વર્ષ કે તેથી વધુ પરંતુ 5 વર્ષથી ઓછું: મૂળ પગારના 12 ગણું
  • 5 વર્ષ કે તેથી વધુ પરંતુ 11 વર્ષથી ઓછું: મૂળ પગારના 24 ગણું
  • 11 વર્ષ કે તેથી વધુ પરંતુ 20 વર્ષથી ઓછું: મૂળ પગારના 30 ગણું
  • 20 વર્ષ કે તેથી વધુ: પાત્ર સેવાના દરેક પૂર્ણ 6-મહિનાના સમયગાળા માટે મહેનતાણુંનો અડધો ભાગ, મહત્તમ 50 ગણું મહેનતાણું.

રેલ્વે સિનિયર સિટીઝન્સ વેલફેર સમિતિ(RSCWS) દ્વારા ગ્રેચ્યુઇટી પ્રસ્તાવ

અબ્રાહમ મેસ્લો પ્રેરણાઓના શ્રેણી ક્રમ નો સિદ્ધાંત

રેલ્વે સિનિયર સિટીઝન્સ વેલફેર સમિતિ(RSCWS) એ ગ્રેચ્યુઇટી માટેની મહત્તમ મર્યાદામાં સમયાંતરે સુધારો કરવાની માંગ કરી છે.

સંગઠને પોતાના મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે, “વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદાની સમયાંતરે સમીક્ષા થવી જોઈએ. કર્મચારીની નિવૃત્તિ પછી કોઈપણ વિલંબ વિના ગ્રેચ્યુઇટીની ચુકવણી તરત જ કરવી જોઈએ. આ સાથે જૂની પેન્શન યોજના (OPS), નવી પેન્શન યોજના (NPS) અને યુનિફાઇડ પેન્શન યોજના (UPS) હેઠળ ગ્રેચ્યુઇટીની જોગવાઈઓને તર્કસંગત બનાવવી જોઈએ.”

ગ્રેચ્યુઇટીની ટોચમર્યાદા વધારીને 75 લાખ રુપિયા કરવાની માંગ

બીજી કર્મચારી સંસ્થા NC-JCM (નેશનલ કાઉન્સિલ-જોઇન્ટ કન્સલ્ટેટિવ ​​મશીનરી) એ તેની મુખ્ય માંગણીઓમાં મહત્તમ ગ્રેચ્યુઇટી મર્યાદા વધારીને 75 લાખ રુપિયા કરવાની અને ગણતરી 30 દિવસને બદલે દર મહિને 25 કાર્યકારી દિવસો પર આધારિત કરવાની માંગનો સમાવેશ કર્યો છે. NC-JCM એ એવી સંસ્થા છે જે 8મા પગાર પંચ સમક્ષ કેન્દ્ર સરકારના કર્મચારીઓની માંગણીઓ રજૂ કરે છે.

NC-JCM (સ્ટાફ સાઇડ) પગારના 16.5 ગણા પગારની હાલની મર્યાદાને દૂર કરવાની પણ માંગ કરે છે. આ મર્યાદા 33 વર્ષથી વધુ સમયથી સેવા આપતા કર્મચારીઓ માટે ગ્રેચ્યુઇટીમાં નોંધપાત્ર ઘટાડો કરે છે.

read more :: રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરાશે, શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો

અન્ય રજા વિશે વાંચવા માટે નીચેનું આર્ટીકલ જુઓ

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930