રાજ્યના શિક્ષણ વિભાગ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કરાર આધારીત જ્ઞાન સહાયકોની ભરતીને લઈ ઠરાવ કરવામાં આવ્યો છે. સરકારી અને બિનસરકારી અનુદાનિત સ્કૂલ માટે જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્યના શિક્ષણ વિભાગે સરકારી તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કરાર આધારિત ધોરણે જ્ઞાન સહાયકની ભરતી કરવા અંગે મહત્વપૂર્ણ ઠરાવ જાહેર કર્યો છે. આ નિર્ણયથી શિક્ષણ ક્ષેત્રે રોજગારીની નવી તકો ઊભી થવાની શક્યતા છે.
નવી જોગવાઈ મુજબ, ટાટ (TAT) પાસ ઉમેદવારો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક તરીકે અરજી કરવા પાત્ર રહેશે.
ઉંમર મર્યાદા
ઉંમર મર્યાદા અંગે પણ સ્પષ્ટ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. માધ્યમિક શાળાઓ માટે ઉમેદવારની મહત્તમ ઉંમર 48 વર્ષ રાખવામાં આવી છે, જ્યારે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 50 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે.
પગાર
પગારની વાત કરીએ તો, માધ્યમિક શાળાઓમાં પસંદગી પામેલા જ્ઞાન સહાયકોને દર મહિને ₹24,000નું માનધન આપવામાં આવશે. જ્યારે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા જ્ઞાન સહાયકોને ₹26,000 માસિક માનધન ચૂકવવામાં આવશે.
શિક્ષણ વિભાગના આ નિર્ણયથી રાજ્યની શાળાઓમાં શિક્ષકોની અછત દૂર કરવામાં મદદ મળશે અને વિદ્યાર્થીઓને નિયમિત શિક્ષણ સુલભ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભરતી પ્રક્રિયા, અરજીની તારીખો અને અન્ય વિગતવાર સૂચનાઓ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
સમગ્ર શિક્ષા અભિયાન (Samagra Shiksha)
“જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” માટે 11 માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” ની જગ્યાઓ માટે ઓનલાઈન અરજી આમંત્રિત કરવામાં આવે છે.
u003cstrongu003eતન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.u003c/strongu003e
પ્રાથમિક શાળાનાં બાળકોની પ્રાથમિક શાળામાં નિયમિત હાજરી આપવામાં આવે તે માટે વંચાણે લીધેલ ક્રમાંકઃ (૨) ઉપરના અધિનિયમ અને નિયમોમાં કરવામાં આવેલ જોગવાઇઓ ધ્યાને લઇ, પ્રાથમિક શાળાનું બાળક શાળામાં નિયમિત હાજરી આપે તે માટે બાળકની સતત દેખરેખ અને પરામર્શ કરવામાં આવે તે માટે શાળાના શિક્ષકો અને અન્ય સંબંધિતોએ પગલાં ભરવા માટે જરૂરી સૂચનાઓ વિભાગ તરફથી બહાર પાડવા માટે વંચાણે લીધેલ ક્રમાંકઃ (૧) ઉપરની નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની કચેરીની સીંગલ ફાઇલ નંબર-૧૫ ઉપરની તારીખ ૧૪/૧૨/૨૦૧૮ની નોંધથી આ વિભાગને કરવામાં આવેલ દરખાસ્ત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
પ્રાથમિક શાળાનાં બાળકોની પ્રાથમિક શાળામાં નિયમિત હાજરી આપવામાં આવે તે માટે વંચાણે લીધેલ ક્રમાંકઃ (૨) ઉપરના અધિનિયમ અને નિયમોમાં કરવામાં આવેલ જોગવાઇઓ ધ્યાને લઇ, પ્રાથમિક શાળાનું બાળક શાળામાં નિયમિત હાજરી આપે તે માટે બાળકની સતત દેખરેખ અને પરામર્શ કરવામાં આવે તે માટે શાળાના શિક્ષકો અને અન્ય સંબંધિતોએ પગલાં ભરવા માટે જરૂરી સૂચનાઓ વિભાગ તરફથી બહાર પાડવા માટે વંચાણે લીધેલ ક્રમાંકઃ (૧) ઉપરની નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની કચેરીની સીંગલ ફાઇલ નંબર-૧૫ ઉપરની તારીખ ૧૪/૧૨/૨૦૧૮ની નોંધથી આ વિભાગને કરવામાં આવેલ દરખાસ્ત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
(૧) જો કોઇ બાળક સતત ત્રણ દિવસ શાળામાં ગેરહાજર રહે તો તેવા બાળકની ગેરહાજરી બાબતે તે બાળક જે વિસ્તારમાં રહેવાસી હોય તે વિસ્તારમાંથી શાળામાં આવતા અન્ય બાળકોની પૂછપરછ કરીને તે બાળકની ગેરહાજરીનું કારણ જાણવા માટે વર્ગ શિક્ષકે તપાસ કરવાની રહેશે. તે વિસ્તારનાં બાળકો મારફતે બાળકને સાથે શાળામાં લઇ આવવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવાનાં રહેશે.
7 દિવસ રોજકામ
(૨ ) જો કોઇ બાળક સતત સાત દિવસ સુધી
(ઉપર જણાવેલ ત્રણ દિવસો સહીત ) શાળામાં ગેરહાજર રહે તો વર્ગ શિક્ષકે બાળકના માતા -પિતા કે વાલીના ઘરની રૂબરૂ મુલાકાત લઇ બાળક તથા માતા -પિતા કે વાલી સાથે પરામર્શ કરી બાળકને શાળામાં નિયમિત મોકલવા સમજ આપવાની રહેશે .
10 દિવસ રોજકામ
(૩) જો કોઇ બાળક સતત દસ દિવસ સુધી (ઉપર જણાવેલ સાત દિવસો સહીત) બાદ પણ શાળામાં ગેરહાજર રહે તો શાળાના મુખ્ય શિક્ષકે બાળકના માતા-પિતા કે વાલીની રૂબરૂ મુલાકાત લઇ બાળક તથા માતા-પિતા કે વાલી સાથે પરામર્શ કરી બાળકને શાળામાં નિયમિત મોકલવા સમજ આપવાની રહેશે.
સતત પંદર દિવસ
(૪) જો કોઇ બાળક સતત પંદર દિવસ સુધી (ઉપર જણાવેલ દસ દિવસો સહીત) શાળામાં ગેરહાજર રહે તો શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષે અથવા સભ્ય બાળકના માતા-પિતા કે વાલીના ઘરની રૂબરૂ મુલાકાત લઇ બાળક તથા માતા-પિતા કે વાલી સાથે પરામર્શ કરી બાળકને શાળામાં નિયમિત મોકલવા માટે સમજાવવાનો અને પ્રોત્સાહિત કરવાનો પ્રમાણિક પ્રયત્ન કરવાનો રહેશે.
બાળક સતત એકવીસ દિવસ
(૫ ) જો કોઇ બાળક સતત એકવીસ દિવસ સુધી (ઉપર જણાવેલ પંદર દિવસો સહીત ) શાળામાં ગેરહાજર રહે તો શાળાના સીઆરસી કો -ઓર્ડીનેટરે બાળકના માતા -પિતા કે વાલીના ઘરની રૂબરૂ મુલાકાત લઇ બાળક તથા માતા -પિતા કે વાલી સાથે પરામર્શ કરીને બાળકને શાળામાં નિયમિત મોકલવા માટે સમજાવવાનો અને પ્રોત્સાહિત કરવાનો પ્રમાણિક પ્રયત્ન કરવાનો રહેશે .
(૬) જો કોઇ બાળક સતત ત્રીસ દિવસ સુધી (ઉપર જણાવેલ એકવીસ દિવસો સહીત) શાળામાં ગેરહાજર રહે તો તે બાળકને શાળા બહારનું બાળક ગણવાનું રહેશે અને શાળાના હાજરી પત્રકમાંથી તે બાળકનું નામ દૂર કરવાનું રહેશે. પરંતુ, બાળકના માતા-પિતા કે વાલી, જ્યાં સુધી બાળકનું શાળા છોડ્યા અંગેના પ્રમાણપત્રની માંગણી ન કરે ત્યાં સુધી શાળાના જનરલ રજીસ્ટરમાં તે બાળકનું નામ ચાલુ રાખવાનું રહેશે. આવા શાળા બહારનાં બાળકો માટે શિક્ષણ વિભાગના તારીખ ૧૨/૦૭/૨૦૧૬ના જાહેરનામા ક્રમાંકઃ પીઆરઇ/૧૨૧૬/યુઓઆર
શાળાના વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવા સમિતિ
૭) શાળા બહારનું બાળક ગણેલ બાળકનું નામ શાળાના વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવા માટે નીચે મુજબની સમિતિ બનાવવાની રહેશે અને તે સમિતિએ ઠરાવ કરીને આવા બાળકનું નામ વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવાનું રહેશે.
(૧ ) શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ , (ર ) શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યસચિવ (૩ ) જે તે વર્ગખંડના વર્ગ શિક્ષક (૪ ) જે તે શાળાના સીઆરસી કો -ઓર્ડીનેટર
(૮) જે બાળકોનાં નામ વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવામાં આવેલ છે પરંતુ શાળાના જનરલ રજીસ્ટરમાં નામ ચાલુ રાખવામાં આવેલ છે તેવા બાળકોને બાદ કરીને વર્ગખંડના વર્ગ રજીસ્ટરની વાસ્તવિક સંખ્યા ધ્યાને લઇને સેટઅપ રજીસ્ટર તૈયાર કરવાનું રહેશે અને તેના આધારે મળવાપાત્ર મહેકમ નક્કી કરવાનું રહેશે.
(૯) જે બાળકનું નામ વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવામાં આવે તે બાળકનું નામ સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા અમલી ચાઇલ્ડ ટ્રેકીંગ સીસ્ટમ (ઓનલાઇન હાજરી રજીસ્ટર)માંથી કમી કરવાનું રહેશે. જો તેવા બાળકને શાળામાં પુનઃ દાખલ કરવામાં આવે તો પુનઃ દાખલ કરતી વખતે તેનું નામ વર્ગ રજીસ્ટરમાં તેમજ ચાઇલ્ડ ટ્રેકીંગ સીસ્ટમમાં ઉમેરવાનું રહેશે.
(૧૦) જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારી, કેળવણી નિરીક્ષક તેમજ બીઆરસી/સીઆરસી કો-ઓર્ડીનેટરે આવા બાળકોની વિગતો દર માસે સંકલિત કરવાની રહેશે અને ઉપર્યુક્ત સૂચનાઓ મુજબ કાર્યવાહી થયેલ છે કે કેમ? તેની ચકાસણી કરવાની રહેશે.
(૧૧) સીઆરસી કો-ઓર્ડીનેટરે તેના કાર્યક્ષેત્રની શાળાઓની ચકાસણી કરીને તેનો અહેવાલ બીઆરસી કો-ઓર્ડીનેટર મારફત જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજુ કરવાનો રહેશે.
(૧૨) તે જ રીતે કેળવણી નિરિક્ષકે તેના કાર્યક્ષેત્રની શાળાઓની ચકાસણી કરીને તેનો અહેવાલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફત જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને દર માસે માસિક અહેવાલ તરીકે રજુ કરવાનો રહેશે.
(૧૩) જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને મળેલા આવા માસિક અહેવાલના આધારે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શાળા બહારનાં બાળકો (ડ્રોપ આઉટ બાળકો) અંગે જરૂરી કાર્યવાહી કરવાની રહેશે.
૩. આ ઠરાવ આ વિભાગની સમાનાંકી ફાઇલ ઉપર તારીખ /૦૧/૨૦૧૯ના રોજની સચિવશ્રી(પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ)ની મળેલ અનુમતિ અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવે છે.
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
u003cstrongu003eતન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.u003c/strongu003e
Post Office Scheme: મહિનાના અંતે તમારો પગાર કે વેતન ગમે તેટલું હોય બચત કરવી ખૂબ જ જરૂરી છે જેથી ભવિષ્યમાં જ્યારે તમને જરૂર હોય ત્યારે કોઈ પાસે હાથ લંબાવવાની જરુર ન પડે. મોંઘવારીના આ સમયમાં રોજિંદા જીવનના વિવિધ ખર્ચાઓને પૂર્ણ કરતી વખતે બચત કરવી હંમેશા શક્ય નથી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આજે અમે તમને પોસ્ટ ઓફિસ યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને દરરોજ માત્ર 50 રૂપિયા બચાવીને 35 લાખ રૂપિયા સુધીનું ભંડોળ બનાવવા દે છે. અમે “ગ્રામ સુરક્ષા યોજના” વિશે વાત કરી રહ્યા છીએ, જે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના લોકો માટે રચાયેલ છે.
આ યોજનાની ખાસિયત શું છે?
પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજના એ ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) હેઠળ સરકાર દ્વારા સંચાલિત સંપૂર્ણ જીવન વીમા પૉલિસી છે. તેને વીમા અને લાંબા ગાળાની બચતના સંયોજન તરીકે જોઈ શકાય છે, જે ઓછા રોકાણ પર સારું વળતર આપે છે.
રોકાણ મર્યાદાની વાત કરીએ તો આ યોજના મહત્તમ લોકોને તેનો લાભ મળે તે માટે બનાવવામાં આવી છે. લઘુત્તમ વીમા રકમ માત્ર ₹10,000 નક્કી કરવામાં આવી છે, જે ઓછી આવક ધરાવતા પરિવારો માટે પણ તે સસ્તું બનાવે છે. આ યોજના હેઠળ, સબ્સ્ક્રાઇબર્સ મહત્તમ ₹10 લાખ સુધીનું જીવન વીમા કવર પસંદ કરી શકે છે, જે નોંધપાત્ર નાણાકીય સુરક્ષા અને સુવિધા પૂરી પાડે છે.
ગણતરી શું છે?
પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજના હેઠળ વળતર સંપૂર્ણપણે સરકારી બોનસ દરો પર આધાર રાખે છે. પોસ્ટ ઓફિસ આપમેળે તમારી પસંદ કરેલી વીમા રકમમાં દર વર્ષે ₹1,000 દીઠ ₹60 નું બોનસ ઉમેરે છે. ધારો કે તમે 19 વર્ષના છો અને 60 વર્ષની ઉંમર સુધી પ્રીમિયમ ચૂકવવાનું પસંદ કર્યું છે, તો તમારા કુલ રોકાણનો સમયગાળો 41 વર્ષ હશે. આ યોજના ₹1,000 ની વીમા રકમ પર ₹60 નું બોનસ ઓફર કરે છે, તેથી ₹10 લાખ પર તમારું વાર્ષિક બોનસ નીચે મુજબ હશે:
1 વર્ષ માટે બોનસ (₹1,000,000 ÷ 1,000) × 60 = ₹60,000
41 વર્ષ માટે કુલ બોનસ: ₹60,000 × 41 = ₹2,460,000 (₹24.60 લાખ)
આ એક સંપૂર્ણ જીવન વીમા યોજના હોવાથી, પરિપક્વતા રકમ નીચે મુજબ છે:
(વીમા રકમ) + 41
₹10,000,000 + ₹2,460,000 = ₹3,460,000, એટલે કે, કુલ ₹34.60 (આશરે ₹35 લાખ)
આ પણ વાંચો- Post Office : પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં કરો રોકાણ, વ્યાજથી જ થશે 4 લાખથી વધુની કમાણી
કેવી રીતે અરજી કરવી?
તમારી નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લો અને કાઉન્ટર પરથી ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) અથવા ગ્રામ સુરક્ષા યોજના માટે અરજી ફોર્મ મંગાવો. તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા મતદાર ઓળખ કાર્ડ હાથમાં રાખવાનું ભૂલશો નહીં. તમે સરનામાના પુરાવા તરીકે તમારું વીજળી બિલ અથવા રેશન કાર્ડ પણ લાવી શકો છો. ઉંમરના પુરાવા તરીકે તમારી 10મા ધોરણની માર્કશીટ લાવો (કારણ કે વય મર્યાદા 19 થી 55 વર્ષ છે). ફોર્મ ભરતી વખતે, તમે તમારી સુવિધાના આધારે ₹10,000 થી ₹10 લાખ વચ્ચે વીમા રકમ પસંદ કરી શકો છો.
Frequently Asked Questions
ગ્રામ સુરક્ષા યોજનામાં કેટલી વીમા રકમ મળે છે અને કોણ અરજી કરી શકે છે?
આ યોજના હેઠળ લઘુત્તમ ₹10,000 થી મહત્તમ ₹10 લાખ સુધીનું વીમા કવર મેળવી શકાય છે. 19 થી 55 વર્ષની વયના લોકો અરજી કરી શકે છે.
ગ્રામ સુરક્ષા યોજનામાં વળતરની ગણતરી કેવી રીતે થાય છે?
પોસ્ટ ઓફિસ દર વર્ષે તમારી પસંદ કરેલી વીમા રકમના ₹1,000 દીઠ ₹60 નું બોનસ ઉમેરે છે. પાકતી મુદતે વીમા રકમ અને કુલ બોનસનો સરવાળો પાછો મળે છે.
ગ્રામ સુરક્ષા યોજના માટે અરજી કરવા કયા દસ્તાવેજોની જરૂર પડે છે?
અરજી કરવા માટે આધાર, પાન, મતદાર ઓળખ કાર્ડ, સરનામાનો પુરાવો (વીજળી બિલ/રેશન કાર્ડ) અને ઉંમરના પુરાવા તરીકે 10મા ધોરણની માર્કશીટ જરૂરી છે.
u003cstrongu003eતન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.u003c/strongu003e
ગુજરાત રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સમાનતા અને સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર સતત વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો મૂકે છે. આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ સર્વ શીખ્યા સુનિશ્ચિત કરવી તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સમર્થક માળખું ઉભું કરવું છે.
એવા બાળકો માટે હોય છે જે પોતાના ઘેર રહે છે પરંતુ શાળા બાદ અથવા નિર્ધારિત સમયમાં વિશેષતા ની માટે આવે છે.
આ તાલીમ શાળાની અંદર અથવા નજીકના કેન્દ્રમાં આપી શકાય છે.
✡️ સ્પેશિયલ ટ્રેનિંગની અવધી
➡️ સમયગાળો બાળકની શૈક્ષણિક જરૂરિયાત મુજબ નક્કી થાય છે.
➡️ સામાન્ય રીતે 3 મહિનાથી 24 મહિના સુધી.
➡️ તાલીમ પૂર્ણ થયા બાદ બાળકની વય કક્ષા અનુરૂપ દાખલ કરવામાં આવે છે.
✡️ શિક્ષકની ભૂમિકા
✅ બાળકોની શૈક્ષણિક ખામીઓ ઓળખવી.
✅ તેમની વ્યક્તિગત ધ્યાન આપવું.
✅ બાળકોના વિકાસ માટે રચનાત્મક પ્રવૃત્તિઓ કરાવવી.
✅ શાળા સાથે નિરંતર સંકરણ રાખવું જેથી બાળકની પ્રગતિ રેખદેખ હેઠળ રહે.
✡️ મૂલ્યાંકન
➖ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન ➖CCE ( continuous and comprehensive evolution ) પદ્ધતિ અપનાવવામાં આવે છે. ➖ તાલીમ દરમિયાન બાળકોની પ્રગતિનું રેકોર્ડ રાખવામાં આવે છે ➖ તાલીમ પૂર્ણ થયા બાદ બાળકોનું મૂલ્યાંકન કરીને તેને વય કક્ષા અનુરૂપ ધોરણમાં દાખલ કરવામાં આવે છે.
જુલાઈ 16 અને ઓગસ્ટ 2એ વધુ વરસાદના મજબૂત રાઉન્ડની આગાહી.
ambalal patel rain forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે વરસાદને લઈને એક મોટા સમાચાર આપ્યા છે. હાલમાં કોઈ નવી સિસ્ટમ ન હોવાથી વરસાદે થોડો વિરામ લીધો છે, પરંતુ 28 અને 29 જૂનથી રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવાના છે. અંબાલાલની આગાહી મુજબ, 7 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
વરસાદ અટકવાનું કારણ અને નવી સિસ્ટમની એન્ટ્રી
અત્યારે દરિયામાં કોઈ મોટી સિસ્ટમ સક્રિય નથી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતમાં ચોમાસું થોડું ધીમું પડી ગયું છે, જેના લીધે વરસાદમાં વિલંબ થઈ રહ્યો છે. પરંતુ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 28 કે 29 જૂનની આસપાસ બંગાળની ખાડી (બંગાળના ઉપસાગર)માં હવાનું એક નવું દબાણ ઊભું થવાની પૂરી શક્યતા છે. આ સિસ્ટમ સક્રિય થતાં જ ગુજરાતમાં અટકેલો વરસાદ ફરીથી ફૂલ સ્પીડમાં ચાલુ થઈ જશે.
કયા વિસ્તારોમાં કેવો રહેશે માહોલ?
બંગાળની ખાડીમાં બનેલી આ સિસ્ટમની અસરથી 28 જૂનથી લઈને 7 જુલાઈ સુધી રાજ્યના તમામ ઝોનમાં સારો એવો વરસાદ જોવા મળશે:
દક્ષિણ ગુજરાત: આ દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અહીંના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે, તેથી લોકોએ સાવચેત રહેવું પડશે.
અન્ય વિસ્તારો: સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડશે, જેથી ખેડૂતોને મોટો ફાયદો થશે.
જુલાઈ અને ઓગસ્ટ માટે પણ મોટી આગાહી
અંબાલાલ પટેલે આવનારા મહિનાઓ માટે પણ પોતાનું અનુમાન વ્યક્ત કર્યું છે:
16 જુલાઈનો રાઉન્ડ: 7 જુલાઈએ પહેલો રાઉન્ડ પૂરો થયા બાદ, 16 જુલાઈની આસપાસ વરસાદનો વધુ એક નવો અને મજબૂત રાઉન્ડ શરૂ થશે. આ સમયગાળા દરમિયાન થનારા ભારે વરસાદથી નર્મદા નદીના જળસ્તરમાં મોટો વધારો જોવા મળી શકે છે.
2 ઓગસ્ટનો રાઉન્ડ: ત્યારબાદ, 2 ઓગસ્ટની આસપાસ પણ રાજ્યભરમાં ફરી એકવાર સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના છે. આ રાઉન્ડમાં સારો વરસાદ પડવાથી તાપી નદીના જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.
એકંદરે, આગામી દિવસોમાં ગુજરાત પર મેઘરાજા મન મૂકીને વરસવાના છે અને વરસાદની ઘટ પૂરી થઈ જશે.
u003cstrongu003eતન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.u003c/strongu003e
Bullet Train NHSRCL Recruitment 2026: બુલેટ ટ્રેન ભરતી 2026 ઝુંબેશમાં ઘણી મુખ્ય ટેકનિકલ અને ઓપરેશનલ પદો માટે ઉમેદવારો પસંદ કરવાના છે. આ માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
Bullet Train NHSRCL Recruitment 2026: ભારતની પહેલી બુલેટ ટ્રેન આગામી વર્ષોમાં શરુ થવા જઈ રહી છે. ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં નોકરી કરવાનું સપનું જોતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જવાબદાર એજન્સી નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ નોકરી શોધનારાઓ માટે ભરતી ઝુંબેશની જાહેરાત કરી છે. વિવિધ પદો માટે કુલ 224 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.
બુલેટ ટ્રેન ભરતી 2026 ઝુંબેશમાં ઘણી મુખ્ય ટેકનિકલ અને ઓપરેશનલ પદો માટે ઉમેદવારો પસંદ કરવાના છે. આ માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
NHSRCL ભરતી 2026 ઝુંબેશ હેઠળ કુલ 224 પદોની જાહેરાત કરવામાં આવી છે. આમાંથી 209 પદો નોન-એક્ઝિક્યુટિવ શ્રેણીમાં છે, જ્યારે 15 ખાલી જગ્યાઓ એક્ઝિક્યુટિવ-સ્તરના પદો માટે છે.
જુનિયર એન્જિનિયર
સ્ટેશન અને ટ્રેન મેનેજર
ઓપરેશન્સ કંટ્રોલર
સ્ટેશન/ટ્રેન મેનેજર
તકોમાં IT અને સલામતી વિભાગોમાં વિવિધ જગ્યાઓનો સમાવેશ થાય છે.
NHSRCL ભરતી 2026 લાયકાત
NHSRCL ભરતી 2026 માટે જરૂરી શૈક્ષણિક લાયકાત પદ પ્રમાણે બદલાશે. મોટાભાગની જગ્યાઓ માટે, ઉમેદવારો પાસે સંબંધિત ક્ષેત્રમાં ડિપ્લોમા, BE, અથવા BTech ડિગ્રી હોવી જોઈએ. ચોક્કસ જગ્યાઓ માટે અગાઉના કાર્ય અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપી શકાય છે.
વય મર્યાદા
ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા 45 વર્ષ છે. જો કે, SC/ST અને અન્ય અનામત શ્રેણીઓના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ વયમાં છૂટછાટ મળશે. ઉમેદવારોને તેમની અરજી સબમિટ કરતા પહેલા સત્તાવાર સૂચનાની કાળજીપૂર્વક સમીક્ષા કરવાની સલાહ આપવામાં આવે છે.
પસંદગી પ્રક્રિયા
NHSRCL ભરતી 2026 માટેની પસંદગી પ્રક્રિયામાં કમ્પ્યુટર-આધારિત કસોટી (CBT) હશે, ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી અને તબીબી તપાસ થશે. જે ઉમેદવારો સફળતાપૂર્વક તમામ તબક્કાઓ પાસ કરશે તેમને અંતિમ વિચારણા માટે ધ્યાનમાં લેવામાં આવશે.
પગાર અને લાભો
પસંદ કરાયેલા ઉમેદવારોને ઘણા વધારાના લાભો સાથે આકર્ષક પગાર પેકેજ પ્રાપ્ત થશે. વિગતો નીચે મુજબ છે:
u003cstrongu003eતન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.u003c/strongu003e
બેલફાસ્ટના આકાશમાં કાળા વાદળો વચ્ચે એક નવો ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે! ભારતીય ક્રિકેટપ્રેમીઓની ધડકનો તેજ થઈ ગઈ છે કારણ કે આજે ભારત અને આયર્લેન્ડ (IND vs IRE) વચ્ચે રમાનારી 2nd હાઈ-વોલ્ટેજ T20 મુકાબલામાં કંઈક એવું થવા જઈ રહ્યું છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. નવા કેપ્ટન શ્રેયસ અય્યરની સેના મેદાન પર ઉતરવા માટે સજ્જ છે, પણ સૌથી મોટો સસ્પેન્સ એ છે કે શું IPL માં ધમાકો મચાવનાર 15 વર્ષનો વંડર બોય વૈભવ સૂર્યવંશી આજે પોતાની ડેબ્યૂ કેપ મેળવીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવશે? જાણો ક્યારે, ક્યાં અને કઈ ચેનલ પર તમે આ રોમાંચક મેચનું LIVE Streaming ટીવી અને મોબાઈલ પર માણી શકશો!
IND vs IRE 2nd T20: ભારતીય ક્રિકેટના નવા યુગની શરૂઆત
લાખો ભારતીય ક્રિકેટ ચાહકો 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીના ઈન્ટરનેશનલ ડેબ્યૂની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ લાગે છે કે આ રાહ હજુ થોડી લાંબી ખેંચાઈ શકે છે. હકીકતમાં, પ્રથમ T20 મેચ પહેલા જ કેપ્ટન શ્રેયસ ઐયર અને બેટિંગ કોચ સિતાંશુ કોટકે સ્પષ્ટ કર્યું હતું કે ટીમમાં પહેલાથી જ શાનદાર ફોર્મમાં રહેલા બેટ્સમેનો હાજર છે. એવામાં તેમને અચાનક બહાર બેસાડવા તેમના માટે અન્યાય ગણાશે.
આયર્લેન્ડની ટીમ પોતાના હોમ કન્ડિશન્સમાં હંમેશા ખતરનાક સાબિત થાય છે. લોર્કન ટકર (Lorcan Tucker) ની કપ્તાની હેઠળ આયરિશ ટીમ ભારતને આશ્ચર્યજનક ઝટકો આપી ચુકી છે. સિરીઝ જીતી હજુ મોટો ઝટકો આપી શકે છે. ચાલો આ મેચની તમામ વિગતો, લાઈવ બ્રોડકાસ્ટિંગ પાર્ટનર્સ અને પિચ રિપોર્ટ પર વિગતવાર નજર કરીએ.
મેચ ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે? (Match Schedule & Venue)
ભારત અને આયર્લેન્ડ વચ્ચેની બે મેચોની T20 સીરીઝની આ 2nd મેચ છે. આ મેચ આયર્લેન્ડના ખૂબ જ સુંદર અને ઐતિહાસિક સિવિલ સર્વિસ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે, જેને સ્ટોર્મોન્ટ ક્રિકેટ ગ્રાઉન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે.
કઈ ટીવી ચેનલ અને એપ પર LIVE જોઈ શકાશે મુકાબલો? (Live Telecast & Streaming)
ક્રિકેટ ફેન્સ માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ મેચ ભારતમાં લાઈવ ક્યાં જોઈ શકાશે. જો તમે તમારા ઘરના ટીવી પર અથવા ઓફિસમાં મોબાઈલ પર મેચ જોવા માંગો છો, તો નીચે મુજબની સત્તાવાર વિગતો નોંધવા જેવી છે:
ભારતમાં લાઈવ ટેલિકાસ્ટ (TV Channel in India)
ભારત વિરૂદ્ધ આયર્લેન્ડ ટી20 મેચનું ભારતમાં સત્તાવાર લાઈવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક (Sony Sports Network) ની વિવિધ ચેનલો પર અલગ-અલગ ભાષાઓમાં કરવામાં આવશે. તમે સોની સ્પોર્ટ્સની HD અને SD ચેનલો પર મેચનો આનંદ માણી શકશો.
લાઈવ સ્ટ્રીમિંગ મોબાઈલ પર ક્યાં જોવું? (Live Streaming App)
જો તમે મોબાઈલ, લેપટોપ કે સ્માર્ટ ટીવી પર ડિજિટલી લાઈવ મેચ જોવા માંગો છો, તો ભારત વિરૂદ્ધ આયર્લેન્ડ પ્રથમ T20 નું લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ (Sony LIV) એપ અને તેની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે. આ માટે યુઝર્સ પાસે સોની લિવનું સક્રિય સબ્સ્ક્રિપ્શન હોવું જરૂરી છે.
આ મેચની સૌથી મોટી હેડલાઇન 15 વર્ષનો યુવા ઓપનિંગ બેટ્સમેન Vaibhav Sooryavanshi છે. વૈભવે ડોમેસ્ટિક ક્રિકેટ અને IPL ઓક્શનમાં શાનદાર પ્રદર્શન કરીને હેડલાઇન્સ બનાવી હતી. તેની આ અદ્ભુત ક્ષમતાને કારણે જ તેને સીધો સિનિયર ભારતીય ટીમમાં કોલ-અપ મળ્યો છે.
“બંનેએ સ્વીકાર્યું છે કે વૈભવ એક શાનદાર ક્રિકેટર છે, પરંતુ તેણે પોતાની તક માટે હજુ થોડી રાહ જોવી પડી શકે છે. આથી, પૂરી શક્યતા છે કે બીજી T20માં પણ વૈભવને બહાર જ બેસવું પડે.”
ક્રિકેટ એક્સપર્ટ્સનું માનવું છે કે ટીમ ઇન્ડિયા ભવિષ્યને જોતા વૈભવને મિડલ ઓર્ડરમાં અથવા ઓપનર તરીકે મોકો આપીને સરપ્રાઈઝ આપી શકે છે. મેનેજમેન્ટ તેને પ્લેઇંગ-11 માં સ્થાન આપવા માટે ઉત્સુક છે, પરંતુ 2nd મેચમાં સિનિયરિટીને પ્રાધાન્ય મળે તેવી પણ સંભાવના છે.
બંને દેશોની સંભવિત પ્લેઈંગ-11 (Predicted Playing XI)
ભારતીય ટીમ આયર્લેન્ડ સામે પોતાની મજબૂત પ્લેઈંગ-11 ઉતારવા માટે તૈયાર છે જેથી આ પ્રવાસની શરૂઆત જીત સાથે થઈ શકે.
🇮🇳 ટીમ ઈન્ડિયા સંભવિત પ્લેઈંગ-11 (Team India Probable XI):
Belfast Pitch Report: બેટ્સમેનોને જલસા કે બોલરોનો કહેર?
સ્ટોર્મોન્ટ ક્રિકેટ ગ્રાઉન્ડ (સિવિલ સર્વિસ ક્રિકેટ ગ્રાઉન્ડ) ની પિચ સામાન્ય રીતે સંતુલિત માનવામાં આવે છે. પરંતુ શરૂઆતની ઓવરોમાં અહીં ફાસ્ટ બોલરોને પિચમાંથી સારો સીમ અને સ્વિંગ (Swing) મળે છે. જેમ જેમ રમત આગળ વધશે તેમ પિચ બેટિંગ માટે અનુકૂળ બનશે. બેલફાસ્ટમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું હોવાથી ટોસ જીતનાર ટીમ પહેલા Bowling કરવાનો નિર્ણય કરી શકે છે. અહીં પાવરપ્લે (Powerplay) માં વિકેટ બચાવવી એ મેચ જીતવાની ચાવી બનશે.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ Section)
પ્રશ્ન 1: ભારત વિરૂદ્ધ આયર્લેન્ડ પ્રથમ T20 મેચ ક્યાં રમાશે?
ઉત્તર: આ મેચ બેલફાસ્ટના સિવિલ સર્વિસ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે, જેને સ્ટોર્મોન્ટ ક્રિકેટ ગ્રાઉન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે.
પ્રશ્ન 2: India vs Ireland પ્રથમ T20 કેટલા વાગ્યે શરૂ થશે અને ટોસ ક્યારે થશે?
ઉત્તર: ભારત વિરૂદ્ધ આયર્લેન્ડ પ્રથમ T20 મેચ ભારતીય સમય અનુસાર સાંજે 6 વાગ્યે શરૂ થશે, જ્યારે મેચનો ટોસ સાંજે 5:30 વાગ્યે થશે.
પ્રશ્ન 3: India vs Ireland T20 શ્રેણીનું લાઈવ પ્રસારણ કઈ ટીવી ચેનલ પર થશે?
ઉત્તર: આ મેચોનું લાઈવ ટેલિકાસ્ટ ભારતમાં સોની સ્પોર્ટ્સ નેટવર્ક (Sony Sports Network) ની ચેનલો પર જોઈ શકાશે.
પ્રશ્ન 4: મોબાઈલ પર લાઈવ સ્ટ્રીમિંગ કઈ એપ પર જોઈ શકાશે?
ઉત્તર: ભારત વિરૂદ્ધ આયર્લેન્ડ પ્રથમ T20 નું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ (Sony LIV) એપ અને તેની વેબસાઈટ પર કરવામાં આવશે.
India vs IrelandIND vs IREIndia vs Ireland LiveIndia vs Ireland HighlightsIndia vs Ireland Today MatchTeam IndiaIndian Cricket TeamIreland Cricket TeamCricket Match TodayLive Cricket ScoreCricket HighlightsIndia BattingIndia BowlingT20 CricketODI CricketCricket NewsCricket UpdatesMatch PreviewFantasy CricketICC Cricket
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
u003cstrongu003eતન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.u003c/strongu003e
NCF-2005 (રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા) એ NCERT દ્વારા તૈયાર થયેલ દસ્તાવેજ છે. જેમાં ડૉ. યશપાલનું વિશેષ યોગદાન છે. જે ભારત વિના ભારતરના અહેવાલના આધારે તૈયાર થયો છે.
NCF-2005માં ભાષામાં ત્રિભાષા સૂત્રનો અમલ કરવાનું જણાવે છે.
પ્રાદેશિક ભાષાને પ્રાધાન્ય આપવું તેમજ અંગ્રેજી ભાષાનો પણ સ્વીકાર કરવો અને માતૃભાષાને શિક્ષણના એક સારા માધ્યમ તરીકે સ્વીકારવાનું જણાવે છે.
તેમાં આદિવાસી ભાષાઓને પણ સામેલ કરવાની જરૂર છે.
ગણિત શીખવવાનું મુખ્ય લક્ષ્ય ગણિતના જ્ઞાન કરતાં ગણિતીય પ્રક્રિયાઓને તર્કબદ્ધ રીતે વિચારવું, અમૂર્ત ખ્યાલો સમજવા અને તેનો ઉપયોગ કરવો તે છે.
વિજ્ઞાનની ભાષા, પ્રક્રિયા અને વિષયવસ્તુ વિદ્યાર્થીની ઉંમર અને તેની જ્ઞાન ક્ષમતાને અનુરૂપ હોવી જોઈએ.
વિજ્ઞાન શિક્ષણ જિજ્ઞાસાને સંતોષનારું હોવું જોઈએ.
સામાજિક વિજ્ઞાનના શિક્ષણનું લક્ષ્ય વિદ્યાર્થીઓને નૈતિક ઊર્જા મળે જે આગળ જતાં બાળકોમાં સ્વતંત્ર વિચાર કરવાની ક્ષમતા તથા સામાજિક મુદ્દાઓ પર વિવેકપૂર્ણ દૃષ્ટિકોણ વિકસિત કરી શકે તેવું હોવું જોઈએ.
નાગરિકશાસ્ત્રને રાજનીતિશાસ્ત્ર બનાવવું જોઈએ.
વિદ્યાર્થીઓને કલા, શાંતિ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ આપવું જોઈએ.
પરીક્ષા સંદર્ભે NCFમાં વિષય આધારિત કસોટીઓને બદલે સમસ્યા, ઉકેલ અને સમજણની કસોટીઓની તેમજ ટૂંકી પરીક્ષાઓ રાખવાની ભલામણ કરી છે.
ઉપરોક્ત અભિગમના આધારે શાળાના વિવિધ અભ્યાસક્રમોની ભલામણો પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ કક્ષાઓ માટે કરવામાં આવી છે.
NCF મુજબ બાળક જ જ્ઞાનનું સર્જન કરે છે.
બાળક જ્ઞાનનું સર્જન કરે છે તે હકીકતનો સુચિતાર્થ એ છે કે અભ્યાસક્રમ, પાઠ્યક્રમ અને પાઠ્યપુસ્તકો એવા હોવા જોઈએ કે તેના દ્વારા શિક્ષકો બાળકોના સ્વભાવ અને તેમના પર્યાવરણની સાથે તાલમેલ સાધીને વર્ગખંડના અનુભવો પ્રયોગશાળાસક્ષમ બને અને બધા બાળકોને તર્ક પૂરી પાડી શકે.
NCF–2005 એટલે…
NCF (રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા) 2000ની સમીક્ષાના આધારે તૈયાર થયેલો દસ્તાવેજ છે.
ડૉ. યશપાલજીની અધ્યક્ષતામાં રાષ્ટ્ર કક્ષાની એક તથા વિવિધ વિષયો આધારિત 21 ફોકસ ગ્રુપ દ્વારા તૈયાર થયેલ દસ્તાવેજ.
1993ના ‘ભાર વગરનું ભણતર’ અહેવાલના આધારે તૈયાર થયેલ દસ્તાવેજ.
‘ભાર વગરના ભણતર’ની સમજ પ્રમાણે પાઠ્યચર્યાના ભારને ઓછું કરવું.
પાઠ્યચર્યા સુધારા સાથે વ્યવસ્થાગત પરિવર્તન.
સંવિધાનમાં નિર્દિષ્ટ મૂલ્યો, સામાજિક ન્યાય, સમાનતા અને બિનસાંપ્રદાયિકતા આધારિત પાઠ્યચર્યા અભ્યાસ.
બધા માટે ગુણવત્તાપૂર્ણ શિક્ષણ સુનિશ્ચિત કરવું.
એવા નાગરિક વર્ગનું નિર્માણ જેની લોકશાહી પ્રક્રિયામાં મૂલ્યોમાં, દૈનિક ન્યાય પ્રત્યે સંવેદનશીલતા, અનુસૂચિત જાતિઓ, જનજાતિઓ અને વિશેષ આવશ્યકતાવાળા બાળકોની સમસ્યાઓ અને આવશ્યકતાઓ પ્રત્યે આસ્થા હોય તથા તેમાં રાજકીય અને આર્થિક પ્રક્રિયાઓમાં ભાગ લેવાની ક્ષમતા હોય.
અધ્યાપન અને અધ્યયન સંબંધોનું પુનઃઅભિસ્થાપન કરવું.
વિદ્યાર્થીઓના વિકાસ અને શિક્ષણના સંબંધમાં સર્વાંગી દૃષ્ટિકોણ.
આંકડા આધારિત અને આવશ્યકતા આધારિત કાર્યક્રમો દ્વારા શીખવવાની અસમર્થતાને દૂર કરવી.
જ્ઞાન નિર્માણમાં વિદ્યાર્થીઓનો સહયોગ અને સ્વતંત્રતા વધારવી.
પ્રયોગાત્મક માધ્યમો દ્વારા સક્રિય શિક્ષણ.
પાઠ્યચર્યા પ્રક્રિયાઓમાં બાળકોના વિચાર, ઉત્સુકતા અને પ્રશ્નાર્થતા માટે સ્થાન.
જ્ઞાનની શિક્ષણલક્ષી સીમાઓથી આગળ વિસ્તાર આપતા શિક્ષણના માળખાને વ્યાપક પરિમાણો આપવા.
વિદ્યાર્થીઓની સહભાગિતાના ક્ષેત્ર—અવલોકન, સંશોધન, ટીકાત્મક ચર્ચા વગેરે પણ વિષય શિક્ષણની જેમ શિક્ષણના મહત્ત્વપૂર્ણ વિષય છે.
સામાજિક-સાંસ્કૃતિક વાસ્તવિકતા પર નિર્ણાયક સમજને વિકસિત કરનારી પ્રક્રિયાઓને પાઠ્યચર્યામાં સ્થાનની આવશ્યકતા. સ્થાનિક જ્ઞાન અને બાળકોના અનુભવો પાઠ્યપુસ્તકો અને અધ્યાપન તકનિકીના મહત્ત્વપૂર્ણ અંગ છે.
શાળાના વર્ષ બાળકોની ક્ષમતાઓ, યોગ્યતાઓ વગેરેમાં ઊંડાપૂર્વક વિકાસના વર્ષ હોય છે. એ માટે વિષયવસ્તુની પસંદગી અને વ્યવસ્થા તથા જ્ઞાન નિર્માણની પ્રક્રિયાઓને તેમના હિતોને અનુરૂપ કરવાની આવશ્યકતા છે.
[09:43, 28/06/2026] સાબલી રામાયણ: લખાણ નીચે મુજબ છે:
કેન્દ્રીય માહિતી પંચ અને રાજ્ય માહિતી પંચને કોઈપણ બાબતમાં તપાસ કરતી વખતે દીવાની ન્યાયાલયમાં નિહિત થયેલી સત્તા જેવી જ સત્તા રહેશે. (કલમ 18(1))
ઉપરના દરજ્જાના અધિકારીનો નિર્ણય સામેની બીજી અપીલ જે તારીખે નિર્ણય કરવો જોઈતો હતો અથવા ખરેખર મળ્યો હોય તે તારીખથી નેવું દિવસની અંદર કેન્દ્રીય માહિતી પંચ અથવા રાજ્ય માહિતી પંચ સમક્ષ કરી શકાશે. (કલમ 19(3))
દર વર્ષે કેન્દ્રીય માહિતી પંચે કેન્દ્ર સરકારને અને રાજ્ય માહિતી પંચે રાજ્ય સરકારને અહેવાલ મોકલવો પડશે. (કલમ 25(1))
આ કાયદાના અમલ પછી માહિતી સ્વાતંત્ર્ય અધિનિયમ–2002 રદ કરવામાં આવેલ છે. (કલમ 31)
માહિતી મેળવવા માંગતી વ્યક્તિએ નિયમ–5 હેઠળ કરાવેલી ફી સાથે નમૂના ‘ક’ માં અથવા ઈ-મીડિયા મારફતે જાહેર માહિતી અધિકારીને અરજી કરવી જોઈએ.
BPL (ગરીબી રેખા હેઠળ) કુટુંબના કાર્ડની પ્રમાણિત નકલ અથવા સંબંધિત સત્તાધિકારીએ અર્થે કાઢી આપેલું પ્રમાણપત્ર અરજીને સાથે જોડે તો તેવી વ્યક્તિએ ફી અને ચાર્જ ભરવાના થશે નહીં.
જાહેર માહિતી અધિકારીએ અરજદારે માંગેલી માહિતી, તેની વિનંતી મળ્યાથી ત્રીસ દિવસની અંદર નમૂના–ઘ માં પૂરી પાડવી જોઈએ અથવા અરજીના અસ્વીકાર અંગે નમૂના–છ માં જાણ કરવી જોઈએ.
જાહેર માહિતી અધિકારીના નમૂના–ઘ અથવા નમૂના–છ માંના નિર્ણયથી નારાજ થયેલી અથવા નિર્ણય ન મળ્યો હોય તેવી કોઈપણ વ્યક્તિએ નિર્ણય મળ્યાની અથવા નિર્ણય ન મળ્યાની તારીખથી ત્રીસ દિવસની અંદર અપીલ અધિકારીને નમૂના–જ માં અપીલ કરી શકશે.
u003cstrongu003eતન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.u003c/strongu003e
બાળવાટિકા એ બાળકના શૈક્ષણિક જીવનનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે. આ તબક્કામાં બાળક રમતાં-રમતાં શીખે છે, પોતાની કલ્પનાશક્તિ વિકસાવે છે અને સામાજિક, ભાવનાત્મક, ભાષાકીય તથા શારીરિક વિકાસ તરફ આગળ વધે છે. નવી શિક્ષણ નીતિ (NEP 2020) અનુસાર બાળવાટિકામાં આનંદમય અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
બાળવાટિકા આયોજન એટલે બાળકોની ઉંમર અને ક્ષમતાને અનુરૂપ દૈનિક, સાપ્તાહિક અને માસિક શૈક્ષણિક પ્રવૃત્તિઓનું સુવ્યવસ્થિત આયોજન. તેનો હેતુ બાળકોને રમતમાં જ્ઞાન, સંસ્કાર અને જીવન કૌશલ્યો આપવાનો છે.
બાળવાટિકા આયોજન બાળકના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો છે. જો શિક્ષક આનંદમય, રમત આધારિત અને બાળક કેન્દ્રિત આયોજન કરે, તો બાળકો શીખવાની પ્રક્રિયાનો આનંદ માણે છે અને જીવનભર ઉપયોગી એવા કૌશલ્યો વિકસાવે છે.
u003cstrongu003eતન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.u003c/strongu003e
નવી માર્ગદર્શિકા અનુસાર હવે ધોરણ 1 થી 12 સુધી અલગ અલગ સમિતિઓના બદલે એક જ કોમન મેનેજમેન્ટ કમિટી કાર્યરત રહેશે
દેશની શાળા વ્યવસ્થામાં વાલીઓની વધુ સક્રિય ભાગીદારી અને શિક્ષણ વ્યવસ્થાને વધુ જવાબદાર બનાવવા માટે કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિના ભાગરૂપે હવે સરકારી, સ્થાનિક સ્વરાજ્ય સંચાલિત તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (SMC)ની રચના ફરજિયાત બનાવવામાં આવશે.
નવી માર્ગદર્શિકા અનુસાર હવે ધોરણ 1 થી 12 સુધી અલગ અલગ સમિતિઓના બદલે એક જ કોમન મેનેજમેન્ટ કમિટી કાર્યરત રહેશે. અગાઉ પ્રાથમિક અને માધ્યમિક વિભાગો માટે અલગ વ્યવસ્થા હતી, પરંતુ હવે સમગ્ર શાળા માટે એકીકૃત સંચાલન મોડલ અપનાવવામાં આવશે.
સમિતિની રચનામાં વાલીઓને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે. નવા નિયમ મુજબ સમિતિના મોટા ભાગના સભ્યો વિદ્યાર્થીઓના માતા-પિતા હશે અને અધ્યક્ષ તેમજ ઉપાધ્યક્ષ પદ પણ વાલીઓમાંથી પસંદ કરવામાં આવશે. મહિલાઓની ભાગીદારી વધારવા માટે સમિતિમાં ઓછામાં ઓછા 50 ટકા મહિલા સભ્યો ફરજિયાત રાખવામાં આવ્યા છે.
વિદ્યાર્થી સંખ્યાના આધારે સમિતિનું કદ નક્કી કરવામાં આવ્યું છે. 100 સુધીના વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં 12થી 15 સભ્યો રહેશે, 100થી 500 વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં 15થી 20 સભ્યો રહેશે અને 500થી વધુ વિદ્યાર્થીઓ હોય ત્યાં 20થી 25 સભ્યોની સમિતિ રચાશે. આ સમિતિમાં શિક્ષકો, નિવૃત્ત શિક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ સ્થાન આપવામાં આવશે.
આ સમિતિ માત્ર વહીવટી કામગીરી પૂરતી મર્યાદિત નહીં રહે પરંતુ શાળાના સમગ્ર વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવશે. તેમાં શાળા વિકાસ માટે લાંબા ગાળાનું આયોજન, અભ્યાસ બહાર રહેલા બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવાના પ્રયાસો, વિદ્યાર્થીઓના અધિકારોનું રક્ષણ અને શિક્ષણની ગુણવત્તા સુધારવાના નિર્ણયો સામેલ રહેશે. નાણાકીય પારદર્શિતા વધારવા માટે સમિતિનું સંયુક્ત બેંક ખાતું રાખવામાં આવશે અને દર વર્ષે સામાજિક ઓડિટ પણ ફરજિયાત રહેશે. સાથે સાથે શાળામાં મધ્યાહન ભોજનની ગુણવત્તા, સ્વચ્છતા અને વિદ્યાર્થીઓની સુરક્ષા પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે.
u003cstrongu003eતન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.u003c/strongu003e