બનાસકાંઠાના DPEOના પરિપત્રથી ભડક્યાં પ્રાથમિક શાળાના શિક્ષકો?

બનાસકાંઠા DPEOના વસ્તી ગણતરીના પરિપત્રથી નવો વિવાદ સર્જાયો છે. DPEOએ વસ્તી ગણતરી સહિતની કામગીરી શાળા સમયમાં ન કરવાનો ઉલ્લેખ કરતા પ્રાથમિક શાળાના શિક્ષકોમાં ભારે નારાજગી જોવા મળી છે.

📢 બનાસકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય

🏫 શાળાઓ માટે જાહેર કરાયા કડક નિયમો

  • 📵 1. શિક્ષકોના મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ
  • શાળા સમય દરમિયાન શિક્ષકો મોબાઇલનો ઉપયોગ કરી શકશે નહીં.
  • 📱 2. મોબાઇલ ફોન જમા કરાવવાના રહેશે
  • શાળા શરૂ થતાં જ શિક્ષકોએ પોતાના મોબાઇલ ફોન આચાર્યશ્રી પાસે જમા કરાવવાના રહેશે.
  • 👥 3. વસ્તી ગણતરીની કામગીરી
  • શાળા સમય દરમિયાન વસ્તી ગણતરી સહિતની અન્ય કામગીરી નહીં કરી શકાય.
  • 🎉 4. બિન-શૈક્ષણિક કાર્યક્રમો પર પ્રતિબંધ
  • શાળાઓમાં યોજાતા વય નિવૃત્તિ સમારંભ, સન્માન સમારંભ તથા અન્ય બિન-શૈક્ષણિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
  • 📋 5. નિયમોના કડક અમલીકરણની સૂચના
  • જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને નિયમોનું કડક પાલન કરાવવા સૂચના આપવામાં આવી છે.
  • 📚 6. વિદ્યાર્થીઓના અભ્યાસ પર વિશેષ ધ્યાન
  • બાળકોના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શિક્ષણનું સ્તર સુધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
  • ✅ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય.

બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) દ્વારા વસ્તી ગણતરી સંબંધિત કામગીરી અંગે જાહેર કરાયેલા પરિપત્રને લઈને શિક્ષક વર્ગમાં વિવાદ સર્જાયો છે. પરિપત્રમાં શિક્ષકોને શાળા સમય દરમિયાન વસ્તી ગણતરી સહિતની અન્ય સરકારી કામગીરી ન કરવા સૂચના આપવામાં આવી છે. સાથે જ શાળા સમય દરમિયાન મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકીને મોબાઈલ આચાર્યને જમા કરાવવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે.

આ નિર્ણય સામે વિવિધ શિક્ષક સંગઠનો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પરિપત્રને અયોગ્ય અને વ્યવહારુ પરિસ્થિતિઓને અવગણનાર ગણાવ્યો છે.

TET : बैगर टीईटी वाले शिक्षकों को नहीं मिलेगा प्रमोशन, सरकार ने किया साफ, नवंबर 2027 तक की मोहलत

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ મિતેષ ભટ્ટે જણાવ્યું કે, શિક્ષકોને શાળા સમય પહેલાં અથવા પછી વસ્તી ગણતરીની કામગીરી પૂર્ણ કરવાનો આદેશ વ્યવહારિક રીતે શક્ય નથી. તેમણે કહ્યું કે હાલમાં વસ્તી ગણતરીની કામગીરીમાં મોટી સંખ્યામાં મહિલા શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે. અંદાજે 50થી 55 ટકા મહિલા શિક્ષકો આ કામગીરી સાથે જોડાયેલા છે, જેથી રાત્રિના સમયે ઘર-ઘર જઈને માહિતી એકત્રિત કરવી તેમના માટે સુરક્ષા અને સુવિધાના દૃષ્ટિકોણથી મુશ્કેલ બની શકે છે.

અન્ય રજા વિશે વાંચવા માટે નીચેનું આર્ટીકલ જુઓ

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

તેમણે વધુમાં જણાવ્યું કે વસ્તી ગણતરી એક રાષ્ટ્રીય મહત્વની કામગીરી છે, પરંતુ તેની જવાબદારી માત્ર શિક્ષકો પર જ ન હોવી જોઈએ. રાજ્ય અને કેન્દ્ર સરકારના અનેક વિભાગોમાં કાર્યરત કર્મચારીઓની સેવાઓ પણ આ કામગીરી માટે લેવામાં આવી શકે છે. શિક્ષકો પર વધારાનો બોજ નાખવાને બદલે અન્ય વિભાગોના કર્મચારીઓને પણ તેમાં સામેલ કરવા જોઈએ.

પરિપત્ર જાહેર થયા બાદ શિક્ષકોમાં ચર્ચા અને અસંતોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં આ મુદ્દે શિક્ષક સંગઠનો અને શિક્ષણ વિભાગ વચ્ચે ચર્ચા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

read more :: રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરાશે, શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો

અબ્રાહમ મેસ્લો પ્રેરણાઓના શ્રેણી ક્રમ નો સિદ્ધાંત

READ MORE :: Tet /htat exam માટે ઉપયોગી બચાવપ્રયુક્તિઓ

ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

8માં પગાર પંચ લાગુ થતાં જ મળશે 12 લાખનું એરિયર! કર્મચારીઓની બલ્લે-બલ્લે

8માં પગાર પંચ લાગુ થતાં જ મળશે 12 લાખનું એરિયર! કર્મચારીઓની બલ્લે-બલ્લે

8મા પગાર પંચના એરીયર લઈને ખુબ ચર્ચા થઇ રહી છે. જેમાં કર્મચારીઓને કેટલું એરીયર મળશે? તે બાબત ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ભર કરશે.

read more :: રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરાશે, શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો

કેન્દ્રીય કર્મચારીઓમાં હાલમાં 8મા પગાર પંચ વિશે ઘણી ચર્ચા ચાલી રહી છે. જેમાં ફિટમેન્ટ ફેક્ટરથી એરીયર સુધીના મુખ્ય પ્રશ્નોના જવાબો હજુ પણ રાહ જોવાઈ રહ્યા છે. જેના લીધે કર્મચારીઓમાં ઉત્સુકતા છે. 7મું નાણાં પંચ 31 ​​ડિસેમ્બર 2025 ના રોજ સમાપ્ત થયું હતું અને 8મું નાણાં પંચ 1 જાન્યુઆરીથી અમલમાં આવ્યું હતું. આથી જ કર્મચારીઓ પગાર પંચ સંબંધિત માહિતી પર વધુને વધુ ચર્ચા કરી રહ્યા છે. નવા પગાર પંચના અહેવાલની સીધી અસર 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરો પર પડશે.

શું કર્મચારીઓને એરીયર મળશે?

અબ્રાહમ મેસ્લો પ્રેરણાઓના શ્રેણી ક્રમ નો સિદ્ધાંત

પગાર પંચના અમલીકરણ અને અસરકારકતા વચ્ચે અંતર જોવા મળે તે સામાન્ય બાબત છે. આ રિપોર્ટની તૈયારી અને ત્યાર બાદના સરકારી નિર્ણયને કારણે થાય છે. 8મા પગાર પંચના અમલીકરણની તારીખ 1 જાન્યુઆરી 2026 છે, પરંતુ તેને સંપૂર્ણપણે અસરકારક બનવામાં સમય લાગશે. કમિશન હાલમાં અહેવાલો તૈયાર કરી રહ્યું છે અને તે મુજબ કર્મચારીઓએરીયર માટે પાત્ર રહેશે. પણ આ અંગેનો અંતિમ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવશે.

કેટલું મળશે એરિયર ?

READ MORE :: Tet /htat exam માટે ઉપયોગી બચાવપ્રયુક્તિઓ

8મા પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓને કેટલું એરિયર મળશે તે મોટાભાગે ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ભર રહેશે. જેમાં કર્મચારી સંગઠનોએ પગાર પંચ પાસેથી 3.83 ફિટમેન્ટ ફેક્ટરની માંગણી કરી છે. જો આ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો બેઝિક પગાર 18000 રૂપિયાથી વધીને 69,000 રૂપિયા થશે. મતલબ કે જો 3.83 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો બેઝિક પગાર 51000 રૂપિયા વધી શકે છે.

મતલબ કે 8મા નાણા પંચને અમલમાં આવવામાં 24 મહિના લાગે છે. તો આવી સ્થિતિમાં કર્મચારીઓને12.24 લાખ રૂપિયા સુધીનું એરિયર મળશે. જો 18 મહિનાનું એરિયર મળે તો પણ રકમ 9.18 લાખ રૂપિયા રહેશે. પણ કેન્દ્ર સરકારે ફિટમેન્ટ ફેક્ટર અંગે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી.

ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation

અંતિમ એરિયર ઘણા પરિબળો પર આધાર રાખશે, જેમાં બેઝીક પગાર, ફિટમેન્ટ ફેક્ટર, મોંઘવારી ભથ્થાને મર્જ કરવા માટેનું ફોર્મ્યુલા (જો કોઈ હોય તો), તે કઈ તારીખથી પ્રાપ્ત થશે, કર્મચારીના પે લેવલ વગેરેનો સમાવેશ થાય છે. જેમાં અમુક અહેવાલો અનુસાર 8મું પગાર પંચ 2027 ના અંત સુધીમાં સંપૂર્ણ રીતે લાગુ થઈ શકે છે.

TET : बैगर टीईटी वाले शिक्षकों को नहीं मिलेगा प्रमोशन, सरकार ने किया साफ, नवंबर 2027 तक की मोहलत

અન્ય રજા વિશે વાંચવા માટે નીચેનું આર્ટીકલ જુઓ

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

શિક્ષણ વિભાગનો નવો પરિપત્ર વિવાદમાં: HTAT મુખ્ય શિક્ષક સંઘની મુખ્યમંત્રીને રજૂઆત

શિક્ષણ વિભાગનો નવો પરિપત્ર વિવાદમાં: HTAT મુખ્ય શિક્ષક સંઘની મુખ્યમંત્રીને રજૂઆત

gujrat edu ::ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક નવા પરિપત્રને કારણે રાજ્યભરના સરકારી પ્રાથમિક શાળાઓના HTAT (હેડ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ) મુખ્ય શિક્ષકોમાં ભારે અસંતોષ, વ્યથા અને આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે. શિક્ષણ વિભાગના પરિપત્ર અનુસાર, હવે મુખ્ય શિક્ષકોને 15 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી અને HTAT મુખ્ય શિક્ષકનું મંજૂર મહેકમ ધરાવતી વધારાની અન્ય એક શાળાનો ચાર્જ સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના આ અવ્યવહારુ નિર્ણયનો શિક્ષક સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ શરૂ થયો છે.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ગુજરાત) દ્વારા આ પરિપત્રનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો છે. સંગઠને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે સરકાર એક તરફ શિક્ષણની ગુણવત્તા વધારવાની મોટી-મોટી વાતો કરે છે, જ્યારે બીજી તરફ મુખ્ય શિક્ષકો પર વધારાની શાળાનો કાર્યબોજ લાદી રહી છે. આ નિર્ણય તદ્દન વિરોધાભાસી અને શૈક્ષણિક હિતની વિરુદ્ધમાં છે. અગાઉ જાન્યુઆરી 2026 માં 10 કિલોમીટરની ત્રિજ્યામાં ચાર્જ સોંપવાનો નિયમ હતો, જેની મુશ્કેલીઓ બાબતે રજૂઆત કરવા છતાં સરકારે સુધારો કરવાના નામે અંતર વધારીને 15 કિલોમીટર કરી દીધું છે, જે વધુ જોખમી છે.

મહાસંઘના પ્રમુખ પ્રવિણસિંહ બી. વાઘેલા અને મહામંત્રી રમેશભાઈ જે. ખેર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મુખ્ય શિક્ષક એ કોઈપણ શાળાનું કેન્દ્રબિંદુ અને હૃદય સમાન હોય છે. શાળાનું શૈક્ષણિક આયોજન, વહીવટી વ્યવસ્થા, સરકારી યોજનાઓનું અમલીકરણ, નાણાકીય અને વિવિધ ઓનલાઈન કામગીરીઓ તેમજ વાલી સંપર્ક જેવી અનેકવિધ જવાબદારીઓ ઓલરેડી મુખ્ય શિક્ષકના શિરે હોય છે. આવી સ્થિતિમાં એક જ વ્યક્તિને બે શાળાઓનો વહીવટ સોંપવાથી બંને શાળાઓના શિક્ષણકાર્ય, બાળકોના ભવિષ્ય અને શૈક્ષણિક ગુણવત્તાને ગંભીર નુકસાન પહોંચશે. કાર્યબોજ વધવાના કારણે મુખ્ય શિક્ષકો ભારે માનસિક તણાવનો ભોગ બનશે. જ્યાં પણ મુખ્ય શિક્ષકની જગ્યા ખાલી હોય, ત્યાં અગાઉની પરંપરાગત વ્યવસ્થા મુજબ તે જ શાળાના વરિષ્ઠ (સિનિયર) શિક્ષકને મુખ્ય શિક્ષકનો ચાર્જ સોંપવામાં આવે તે જ વધુ વ્યવહારુ અને અસરકારક પદ્ધતિ છે. બાળકો અને શાળાઓના વિશાળ હિતમાં આ વિવાદિત પરિપત્રને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે.

read more :: રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરાશે, શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો

અબ્રાહમ મેસ્લો પ્રેરણાઓના શ્રેણી ક્રમ નો સિદ્ધાંત

READ MORE :: Tet /htat exam માટે ઉપયોગી બચાવપ્રયુક્તિઓ

ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

Student Scheme: Gujarat Government’s new scheme: You will get Rs. 800 every month to go to school, see rules

ગુજરાત સરકારની નવી સ્કીમ: શાળાએ જવા માટે દર મહિને મળશે રૂ.800, જુઓ નિયમો

Student Scheme gujrat edu paripatr: ગુજરાત સરકારની નવી સ્કીમ: શાળાએ જવા માટે દર મહિને મળશે રૂ.800, જુઓ નિયમો

education paripatr.com ::ગુજરાત શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓ માટે ₹70 કરોડના બજેટ સાથે ‘શાળા પરિવહન યોજના’ જાહેર કરી છે. ઘરથી 5 કિમી કે તેથી વધુ દૂર શાળાએ જતા પાત્ર વિદ્યાર્થીઓને પ્રતિ માસ ₹800 લેખે વાર્ષિક મહત્તમ ₹8000 ની આર્થિક સહાય સીધી બેંક ખાતામાં મળશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓનો ડ્રોપ-આઉટ રેશિયો ઘટાડવાનો અને પરિવહન સરળ બનાવવાનો છે.

read more :: રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરાશે, શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો

ગુજરાતના શૈક્ષણિક ક્ષેત્રે (Education Sector) વિદ્યાર્થીઓનો ડ્રોપ-આઉટ રેશિયો ઘટાડવા અને અંતરિયાળ વિસ્તારના બાળકોને હાઈસ્કૂલ કે પ્રાથમિક શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી રાજ્ય શિક્ષણ વિભાગ (State Education Department) દ્વારા એક અત્યંત મહત્વકાંક્ષી અને કલ્યાણકારી યોજનાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર (State Government) દ્વારા આ નવીન શૈક્ષણિક પહેલને ‘શાળા પરિવહન યોજના’ (School Transportation Scheme) નામ આપવામાં આવ્યું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એવા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને (Students) મદદ કરવાનો છે, જેઓ ભૌગોલિક અંતરના કારણે શાળાએ નિયમિત જઈ શકતા નથી અથવા તો દૈનિક મુસાફરીનો પરિવહન ખર્ચ વહન કરવામાં અસમર્થ છે.

શિક્ષણ વિભાગ દ્વારા ₹70 કરોડનું બજેટ મંજૂર

મુખ્યમંત્રી (Chief Minister) અને શિક્ષણ મંત્રીના (Education Minister) સીધા માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલી આ યોજનાના સુચારુ અમલીકરણ માટે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ (Financial Year) માટે ₹70 કરોડના માતબર ભંડોળની ફાળવણી કરવામાં આવી છે. સરકારના આ વહીવટી અને આર્થિક આયોજનથી ગ્રામીણ તેમજ પછાત પટ્ટીમાં વસતા હજારો આદિવાસી અને પછાત વિદ્યાર્થીઓના પરિવારો પરથી મુસાફરી ખર્ચનો આર્થિક બોજ સંપૂર્ણપણે હળવો થશે. આ યોજના અંતર્ગત, નિયત પાત્રતા ધરાવતા પ્રત્યેક વિદ્યાર્થીને માસિક ₹800 ની આર્થિક સહાય સીધી તેમના વાલીઓના બેંક ખાતામાં ચૂકવવામાં આવશે.

વાર્ષિક ₹8000 સુધીની મળશે આર્થિક સહાય

આ શિષ્યવૃત્તિ કે સહાયની ફોર્મ્યુલા એવી રીતે નક્કી કરવામાં આવી છે કે શૈક્ષણિક સત્રના 10 મહિના દરમિયાન દર મહિને ₹800 લેખે વાર્ષિક મહત્તમ ₹8000 સુધીની પરિવહન સહાય (Transportation Subsidy) આપવામાં આવશે. આ રકમ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (Direct Benefit Transfer – DBT) માધ્યમથી જ જમા કરવામાં આવશે જેથી વહીવટી પારદર્શિતા જળવાઈ રહે અને વિલંબ વગર સહાય સમયસર પહોંચે.

READ MORE ::: ગુજરાત સરકાર પ્રવેશોત્સવ 2026:ALL NEWS

5 કિલોમીટરથી વધુ દૂર રહેતા વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે

જો કે, આ યોજનાનો લાભ મેળવવા માટે શિક્ષણ વિભાગે ચોક્કસ માપદંડો અને ક્ષેત્રીય મર્યાદા નક્કી કરી છે. આ નિયમ મુજબ, જે વિદ્યાર્થીઓ પોતાના નિવાસસ્થાનથી 5 કિલોમીટર (5 Kilometers) કે તેથી વધુ અંતરે આવેલી સરકારી અથવા ગ્રાન્ટેડ શાળાએ (Government School) અભ્યાસ અર્થે જતા હશે, માત્ર તેમને જ આ યોજનાનો સીધો લાભ મળવાપાત્ર રહેશે. 5 કિમીથી ઓછું અંતર ધરાવતા વિદ્યાર્થીઓ આ યોજના માટે પાત્ર ઠરશે નહીં. આ અંતરની ચકાસણી શાળાના આચાર્ય (School Principal) અને સ્થાનિક શિક્ષણ અધિકારી દ્વારા સત્તાવાર સરકારી પોર્ટલ (Government Portal) ના માધ્યમથી ડિજિટલ નકશાના આધારે કરવામાં આવશે.

શિક્ષણ સચિવના (Education Secretary) જણાવ્યા અનુસાર, આ યોજનાના કારણે ખાસ કરીને કન્યા કેળવણીને (Girls Education) મોટો વેગ મળશે અને ધોરણ 8 પછી નાણાકીય ખેંચના કારણે અભ્યાસ છોડી દેતી વિદ્યાર્થીનીઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાશે. આગામી અઠવાડિયાથી જ તમામ શાળાઓમાં આ યોજનાના ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓનલાઈન (Online Application) શરૂ કરી દેવામાં આવશે.

અબ્રાહમ મેસ્લો પ્રેરણાઓના શ્રેણી ક્રમ નો સિદ્ધાંત

READ MORE :: Tet /htat exam માટે ઉપયોગી બચાવપ્રયુક્તિઓ

ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

Planning for the new academic year: Language Education (Standards 6 to 8)

શિક્ષણ એ વ્યક્તિના સર્વાંગી વિકાસનું મહત્વપૂર્ણ સાધન છે. તેમાં ભાષા શિક્ષણનું સ્થાન અત્યંત અગત્યનું છે, કારણ કે ભાષા જ જ્ઞાન પ્રાપ્ત કરવાની, વિચારો વ્યક્ત કરવાની, સંવાદ સ્થાપિત કરવાની અને સર્જનાત્મકતા વિકસાવવાની મુખ્ય કડી છે. ધોરણ 6 થી 8 એ વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવનનો એવો તબક્કો છે, જ્યાં તેઓ પ્રાથમિક શિક્ષણમાંથી ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ તરફ આગળ વધે છે. આ તબક્કે ભાષા વિષય માત્ર પાઠ્યપુસ્તક સુધી મર્યાદિત રહેતો નથી, પરંતુ જીવનકૌશલ્ય, અભિવ્યક્તિ, વાંચન, લેખન, શ્રવણ અને વક્તૃત્વ જેવી વિવિધ ક્ષમતાઓના વિકાસ માટેનું મહત્વપૂર્ણ માધ્યમ બની જાય છે.

નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત એ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શાળાઓ માટે નવી તકો અને નવા લક્ષ્યો નક્કી કરવાનો સમય છે. ભાષા શિક્ષણનું યોગ્ય આયોજન કરવામાં આવે તો વિદ્યાર્થીઓમાં ભાષાકીય કુશળતાઓનો અસરકારક વિકાસ કરી શકાય છે. આયોજન દ્વારા શિક્ષક વર્ષ દરમિયાન કરવાના અભ્યાસક્રમ, પ્રવૃત્તિઓ, મૂલ્યાંકન પદ્ધતિઓ, વાંચન અભિયાન, સર્જનાત્મક લેખન, પ્રોજેક્ટ કાર્ય અને ટેક્નોલોજીના ઉપયોગને વ્યવસ્થિત રીતે ગોઠવી શકે છે.

READ MORE ::📚 HTAT જિલ્લા આંતરિક / અરસ-પરસ કેમ્પ શેડ્યૂલ 2026 📚

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP-2020) ભાષા શિક્ષણને વિશેષ મહત્વ આપે છે. નીતિ અનુસાર વિદ્યાર્થીઓમાં ભાષા દ્વારા સમજણ, વિચારશક્તિ, સમસ્યા નિરાકરણ અને સંવાદ કૌશલ્ય વિકસાવવાનું મુખ્ય ધ્યેય છે. આ માટે ભાષા શિક્ષણને પ્રવૃત્તિ આધારિત, વિદ્યાર્થી કેન્દ્રિત અને અનુભવાત્મક બનાવવાની જરૂરિયાત છે.

ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation

ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓમાં વિવિધ ભાષાકીય પૃષ્ઠભૂમિ, રસ અને શૈક્ષણિક ક્ષમતાઓ જોવા મળે છે. તેથી શિક્ષકે સમાવેશી શિક્ષણના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને આયોજન કરવું જોઈએ. ભાષા શિક્ષણમાં વાર્તા, કવિતા, નાટક, ચર્ચા, વાદ-વિવાદ, પુસ્તક વાંચન, પ્રસ્તુતિ અને સર્જનાત્મક લેખન જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરીને વિદ્યાર્થીઓને સક્રિય રીતે જોડવા જરૂરી બને છે.

ડિજિટલ યુગમાં ભાષા શિક્ષણ માટે વિવિધ ઓનલાઈન સાધનો, ઈ-સામગ્રી, ઓડિયો-વિડિયો સામગ્રી અને શૈક્ષણિક એપ્લિકેશનોનો ઉપયોગ પણ વધતો જાય છે. નવા શૈક્ષણિક વર્ષની આયોજન પ્રક્રિયામાં આ સાધનોને યોગ્ય સ્થાન આપવાથી શિક્ષણ વધુ રસપ્રદ, અસરકારક અને આધુનિક બની શકે છે.

આ લેખમાં ધોરણ 6 થી 8 માટે ભાષા વિષયના નવા શૈક્ષણિક વર્ષની આયોજન સંબંધિત મુખ્ય મુદ્દાઓ, ઉદ્દેશ્યો, શિક્ષણ પદ્ધતિઓ, મૂલ્યાંકન, પ્રવૃત્તિઓ અને નવીન અભિગમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે, જેથી શિક્ષકોને વર્ષભરનું અસરકારક આયોજન કરવામાં માર્ગદર્શન મળી શકે

દૈનિક આયોજન ગુજરાતી

std 6 gujrati Downlod
std 7 gujrati Downlod
std 8 gujrati Downlod

આયોજન સંસ્કૃત

hindi std 6 to 8 downlod

English std 6 to 8

std 6 english

std 8 english

ભાષા શિક્ષણના ઉદ્દેશ્યો અને વાર્ષિક આયોજન

ભાષા શિક્ષણના ઉદ્દેશ્યો

ધોરણ 6 થી 8માં ભાષા શિક્ષણનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ભાષાકીય કૌશલ્યોનો સર્વાંગી વિકાસ કરવાનો છે. ભાષા માત્ર વિષય તરીકે નહીં, પરંતુ જ્ઞાન પ્રાપ્ત કરવાનું, વિચાર વ્યક્ત કરવાનું અને સમાજ સાથે જોડાવાનું શક્તિશાળી માધ્યમ છે. તેથી ભાષા શિક્ષણના ઉદ્દેશ્યો વ્યાપક અને જીવનલક્ષી હોવા જોઈએ.

  1. શ્રવણ કૌશલ્યનો વિકાસ

વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારની માહિતી, વાર્તાઓ, કાવ્યો, સંવાદો અને સૂચનાઓને ધ્યાનપૂર્વક સાંભળી સમજી શકે તેવો વિકાસ કરવો.

  1. વક્તૃત્વ કૌશલ્યનો વિકાસ

વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પોતાના વિચારો, અનુભવો અને લાગણીઓ સ્પષ્ટ રીતે રજૂ કરી શકે તે માટે તક પૂરી પાડવી.

  1. વાંચન કૌશલ્યનો વિકાસ

વિદ્યાર્થીઓ સરળતાથી, અર્થગ્રહણ સાથે અને રસપૂર્વક વાંચી શકે તથા વાંચેલી સામગ્રીનું વિશ્લેષણ કરી શકે તેવો વિકાસ કરવો.

  1. લેખન કૌશલ્યનો વિકાસ

વિદ્યાર્થીઓ યોગ્ય ભાષા, વ્યાકરણ અને શબ્દભંડોળનો ઉપયોગ કરીને સર્જનાત્મક અને અસરકારક લેખન કરી શકે તે માટે પ્રોત્સાહન આપવું.

  1. શબ્દભંડોળમાં વૃદ્ધિ

નવા શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગો અને ભાષાકીય અભિવ્યક્તિઓનો ઉપયોગ શીખવવો.

  1. સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિનો વિકાસ

વાર્તા લેખન, કાવ્ય રચના, નિબંધ લેખન અને પ્રોજેક્ટ કાર્ય દ્વારા સર્જનાત્મક વિચારશક્તિ વિકસાવવી.

  1. ભાષા પ્રત્યે રસ અને અભિરુચિ વિકસાવવી

પુસ્તક વાંચન, સાહિત્યિક પ્રવૃત્તિઓ અને ભાષાકીય રમતો દ્વારા ભાષા પ્રત્યે પ્રેમ અને રસ વધારવો.

GSRTC Driver Recruitment 2026: Online application started for 4599 posts

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

GSRTC Driver Recruitment 2026: Online application started for 4599 posts

GSRTC ડ્રાઈવર ભરતી 2026: 4599 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા વર્ષ 2026 માટે ડ્રાઈવરની મોટી ભરતી જાહેર કરવામાં આવી છે, જે સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે એક સુવર્ણ તક સમાન છે. કુલ 4599 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે, જેના કારણે રાજ્યભરના લાયક ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધોરણ 12 પાસ, હેવી વ્હીકલ ડ્રાઈવિંગ લાયસન્સ, PSV બેજ અને જરૂરી અનુભવ ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે.

GSRTC રાજ્યની સૌથી મોટી જાહેર પરિવહન સંસ્થા છે, જે લાખો મુસાફરોને રોજિંદી સેવા પૂરી પાડે છે. આવી પ્રતિષ્ઠિત સંસ્થામાં ડ્રાઈવર તરીકે કારકિર્દી બનાવવાની તક યુવાનો માટે રોજગાર અને સ્થિર ભવિષ્યનો ઉત્તમ માર્ગ બની શકે છે. ભરતી પ્રક્રિયામાં OMR આધારિત લેખિત પરીક્ષા અને ડ્રાઈવિંગ ટેસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

આ લેખમાં GSRTC ડ્રાઈવર ભરતી 2026 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી જેવી કે લાયકાત, વયમર્યાદા, પગારધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો અને ઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણ રીત વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે, જેથી ઉમેદવારો સરળતાથી અરજી કરી શકે અને ભરતી પ્રક્રિયાની સંપૂર્ણ સમજ મેળવી શકે.

🚍 GSRTC ડ્રાઈવર ભરતી 2026 Overview

ભરતી સંસ્થાગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)
પોસ્ટનું નામડ્રાઈવર (Driver)
કુલ જગ્યાઓ4599
અરજી મોડઓનલાઈન (Online)
અરજી શરૂ તારીખ06 જૂન 2026
છેલ્લી તારીખ05 જુલાઈ 2026 |
ફી ભરવાની છેલ્લી તારીખ| 07 જુલાઈ 2026
ઓફિશિયલ વેબસાઈટhttp://ojas.gujarat.gov.in/

🎓 શૈક્ષણિક લાયકાત અને અન્ય માપદંડો (અંદાજિત)

સામાન્ય રીતે GSRTC ડ્રાઈવરની ભરતી માટે નીચે મુજબની લાયકાતો હોવી જરૂરી છે:

  • શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર ઓછામાં ઓછું ધોરણ 10 પાસ (Ssc) કે તેને સમકક્ષ હોવો જોઈએ.
  • ડ્રાઈવિંગ લાયસન્સ: હેવી મોટર વ્હીકલ (HMV) ડ્રાઈવિંગ લાયસન્સ અને પબ્લિક સર્વિસ વ્હીકલ (PSV) બેજ હોવો ફરજિયાત છે.
  • અનુભવ: હેવી વ્હીકલ ચલાવવાનો લઘુત્તમ 4 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
  • શારીરિક માપદંડ: ઉમેદવારની ઊંચાઈ ઓછામાં ઓછી 162 સેમી હોવી જોઈએ.

⏳ ઉંમર મર્યાદા અને પગાર ધોરણ

  • ઉંમર મર્યાદા: સામાન્ય રીતે ઉમેદવારની ઉંમર 25 થી 38 વર્ષ વચ્ચે હોવી જોઈએ (નિયમ મુજબ અનામત વર્ગના ઉમેદવારોને છૂટછાટ મળે છે).
  • પગાર ધોરણ: ફિક્સ પગાર નિયમ અનુસાર પ્રથમ 5 વર્ષ માટે સરકારશ્રી અને નિગમના ધારાધોરણ મુજબ ચૂકવવામાં આવશે.

📝 અરજી કરવાની પ્રક્રિયા

  • સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ ojas.gujarat.gov.in પર જાઓ.
  • Online Application” સેક્શનમાં જઈને “Apply” પર ક્લિક કરો.
  • લિસ્ટમાંથી GSRTC ડ્રાઈવર ભરતી પસંદ કરો.
  • તમારી બધી અંગત અને શૈક્ષણિક વિગતો સચોટ રીતે ભરો.
  • જરૂરી ફોટોગ્રાફ, સહી અને દસ્તાવેજો અપલોડ કરો.
  • અરજી સબમિટ કર્યા બાદ ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ દ્વારા નિયત અરજી ફી ભરો.

🎯 પસંદગી પ્રક્રિયા (Selection Process)

GSRTC ડ્રાઈવરની ભરતી માટે ઉમેદવારોની પસંદગી બે મુખ્ય તબક્કાના આધારે બનેલી મેરિટ લિસ્ટ દ્વારા કરવામાં આવે છે

  • શૈક્ષણિક લાયકાતનું ગુણભાર (70% વેઇટેજ): તમારા ધોરણ 10/12 અથવા શૈક્ષણિક ગુણના આધારે 70 ગુણ ગણવામાં આવે છે.
  • સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા (30% વેઇટેજ): OMR પદ્ધતિથી લેવાતી આ લેખિત પરીક્ષાના ગુણનું 30 ગુણ માં રૂપાંતર કરી આખરી મેરિટ લિસ્ટ તૈયાર થાય છે.
  • ડ્રાઈવિંગ કસોટી (Skill Test): ઉમેદવારે ઓટોમેટિક કે સામાન્ય ટ્રેક પર બસ ચલાવીને પાસ થવાનું રહેશે.
  • દસ્તાવેજ ચકાસણી (Document Verification): લાયસન્સ, બેજ અને અનુભવના ઓરિજિનલ પ્રમાણપત્રોની ચકાસણી

📝 લેખિત પરીક્ષા પેટર્ન અને સિલેબસ (Exam Pattern)

લેખિત પરીક્ષા સામાન્ય રીતે 100 ગુણ ની અને બહુવિકલ્પ પ્રકારની (MCQs) હોય છે. પરીક્ષાનો અંદાજિત વિષયવાર સિલેબસ નીચે મુજબ છે

  • | 1 | સામાન્ય જ્ઞાન (General Knowledge) (ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, વર્તમાન પ્રવાહો વગેરે) | 30 ગુણ |
  • | 2 | રોડ સેફ્ટી અને ઓટો મિકેનિક્સ (ટ્રાફિક નિયમો, ચિહ્નો અને વાહનની સામાન્ય ખામીઓ) | 20 ગુણ |
  • | 3 | ગુજરાતી ભાષા અને વ્યાકરણ | 20 ગુણ |
  • | 4 | અંકગણિત અને તાર્કિક કસોટી (Reasoning) | 10 ગુણ |
  • | 5 | અંગ્રેજી વ્યાકરણ | 10 ગુણ |
  • | 6 | કમ્પ્યુટર જ્ઞાન (Basic Computers) | 10 ગુણ |

⚠️ નોંધ: પરીક્ષામાં ખોટા જવાબ માટે 1/4 (0.25) નેગેટિવ માર્કિંગ ની સિસ્ટમ રાખવામાં આવે છે, તેથી સમજી-વિચારીને જવાબ આપવા.

📊 કેટેગરી વાઈઝ જગ્યાઓ (Category-Wise Vacancies)

આ ભરતીમાં કુલ 4599 જગ્યાઓ ભરવાની મંજૂરી આપવામાં આવી છે. સરકારી નિયમો અનુસાર અંદાજિત અનામત બેઠકોની વહેંચણી નીચે મુજબ થઈ શકે છે:

  • સામાન્ય વર્ગ (General / UR): આશરે 1800+ જગ્યાઓ
  • સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (SEBC / OBC): આશરે 1200+ જગ્યાઓ
  • આર્થિક રીતે નબળા વર્ગો (EWS): આશરે 450+ જગ્યાઓ
  • અનુસૂચિત જાતિ (SC): આશરે 320+ જગ્યાઓ
  • અનુસૂચિત જનજાતિ (ST): આશરે 690+ જગ્યાઓ

(નોંધ: મહિલા ઉમેદવારો માટે નિયમ મુજબ આ તમામ કેટેગરીમાં આંતરિક અનામત બેઠકો ફાળવવામાં આવશે.)

💡 ફોર્મ ભરતા પહેલા આટલું ચોક્કસ ચેક કરો:

  • તમારું હેવી લાયસન્સ (HMV) એક્સપાયર ન થયેલું હોવું જોઈએ.
  • RTO કચેરી દ્વારા ઇસ્યુ કરાયેલો પબ્લિક સર્વિસ વ્હીકલ (PSV) બેજ હોવો જરૂરી છે.
  • જો તમે અનામત વર્ગનો લાભ લેવા માંગતા હોવ, તો નવું નોન-ક્રીમીલેયર અને જાતિનું પ્રમાણપત્ર ફોર્મ ભરતા પહેલા તૈયાર રાખવું.

વધુ સત્તાવાર અને લાઈવ અપડેટ્સ માટે અરજી શરૂ થતા જ

notifecation:

રાજ્યના સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે. પાંચમા પગારપંચ હેઠળના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો છે.

read more :: રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરાશે, શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો

read more ::: READ MORE ::📚 HTAT જિલ્લા આંતરિક / અરસ-પરસ કેમ્પ શેડ્યૂલ 2026 📚

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

રાજ્યના સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે. પાંચમા પગારપંચ હેઠળના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો છે.

રાજ્યના સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે. પાંચમા પગારપંચ હેઠળના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો છે.

www.educationparipatr.com :::રાજ્યના સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે. પાંચમા પગારપંચ હેઠળના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો છે. રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ માટે એક મોટા અને ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાત સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી દીધી છે.

read more :: રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરાશે, શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો

નાણા વિભાગે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાનો પરિપત્ર જાહેર કર્યો છે. કર્મચારીઓના બાકી રહેતા મોંઘવારી ભથ્થાની તબક્કાવાર ચૂકવણી કરાશે. પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાના કર્મચારીઓને ફાયદો થવાનો છે. અનુદાનિત અને બિનઅનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓને પણ લાભ થશે.

મોંઘવારી ભથ્થું શું હોય છે ?

read more ::: READ MORE ::📚 HTAT જિલ્લા આંતરિક / અરસ-પરસ કેમ્પ શેડ્યૂલ 2026 📚

આ મોંઘવારી ભથ્થું (DA) છે શું? તો તમને જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થું એ રકમ છે જે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી વધવા છતાં તેમનું જીવનધોરણ સારી રીતે જાળવી રાખવા માટે સરકાર તરફથી આપવામાં આવે છે. દેશની વર્તમાન મોંઘવારીના આંકડાઓ પ્રમાણે દર 6 મહિને તેની ગણતરી થાય છે.

5 th da education paripatr image

5 th da education paripatr downlod

રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરાશે, શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરાશે, શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો

💥💥💥💥રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં HTAT મુખ્ય શિક્ષકની જગ્યાઓ ઉભી કરવા તથા ખાલી જગ્યાઓ ભરવા💥💥💥💥

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં HTAT મુખ્ય શિક્ષકોની ભરતી અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ મુખ્ય શિક્ષકની ખાલી જગ્યાઓ સત્વરે ભરવા આદેશ કર્યો છે.

રાજ્યના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ નિર્ણય લેતા શિક્ષણ વિભાગે HTAT મુખ્ય શિક્ષકોની લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો છે. વિભાગ દ્વારા તમામ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે.

ખાલી પડેલી ૧૮૦૮ જગ્યા તાત્કાલિક ભરવા સૂચના

READ MORE ::📚 HTAT જિલ્લા આંતરિક / અરસ-પરસ કેમ્પ શેડ્યૂલ 2026 📚

પરિપત્ર મુજબ રાજ્યભરમાં ખાલી પડેલી 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ઝડપથી ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સાથે જ આગામી અંદાજપત્રની તૈયારી પહેલાં નવી જગ્યાઓની જરૂરિયાત અંગેની દરખાસ્તો પણ મોકલવા સૂચના આપવામાં આવી છે.

૧:૧:૨ રેશિયો અંતર્ગત તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ

શિક્ષણ વિભાગે ભરતી પ્રક્રિયા 1:1:2 રેશિયો મુજબ હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. આ રેશિયો અંતર્ગત મુખ્ય શિક્ષકોની ભરતી સીધી ભરતી, બઢતી અને ખાસ સ્પર્ધાત્મક (સેમી ડાયરેક્ટ) પરીક્ષા દ્વારા કરવામાં આવશે. વિભાગના આ નિર્ણયથી લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરાશે અને શાળાઓના વહીવટી તેમજ શૈક્ષણિક કાર્યમાં ગતિ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નવી જગ્યાઓ માટે દરખાસ્ત મોકલવા સૂચના

અધિકારીઓને જરૂરી દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ કરીને ભરતી પ્રક્રિયાને વેગ આપવા સૂચના આપવામાં આવી છે. શિક્ષણજગતમાં આ નિર્ણયને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે, કારણ કે મુખ્ય શિક્ષકોની અછતને કારણે અનેક શાળાઓમાં સંચાલન સંબંધિત પડકારો ઉભા થયા હતા.

વિભાગના આ પગલાથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા અને સંચાલન વ્યવસ્થામાં વધુ સુધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

💥💥💥💥રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં HTAT મુખ્ય શિક્ષકની જગ્યાઓ ઉભી કરવા તથા ખાલી જગ્યાઓ ભરવા💥💥💥💥

📌વધુમાં વર્ષ ૨૦૨૫-૨૬ ના અંદાજપત્રમા મુખ્ય શિક્ષક વર્ગ-૩ ની તત્કાલિન સમયે બાકી રહેલ ૧,૮૦૮ જગ્યા ઉભી કરવા અંગે નવી બાબત નાણા વિભાગને રજુ કરેલ તેમા નાણા વિભાગે તત્કાલિન સમયે મુખ્ય શિક્ષક સંવર્ગની મંજુર| જગ્યા પૈકીની ખાલી રફેલ જગ્યા પ્રથમ ભરવા અને ત્યારબાદ નવી જગ્યા ઉભી કરવા અંગેની દરખાસ્ત કરવા સુચન કરેલ| હોઇ, મુખ્ય શિક્ષક વર્ગ-૩ ની ખાલી રહેલ જગ્યા ભરવા અંગેની કાર્યવાહી સત્વરે હાથ ધરી આગામી અંદાજપત્ર તૈયાર કરવા અંગેની કામગીરીની શરુઆત થાય તે અગાઉ પૂર્ણ કરવા આજ્ઞાનુસાર વિનંતી છે.💥💥

READ MORE :: Tet /htat exam માટે ઉપયોગી બચાવપ્રયુક્તિઓ

ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

અબ્રાહમ મેસ્લો પ્રેરણાઓના શ્રેણી ક્રમ નો સિદ્ધાંત

અબ્રાહમ મેસ્લો પ્રેરણાઓના શ્રેણી ક્રમ નો સિદ્ધાંત

માનવતા વાદી મનોવૈજ્ઞાનિક માનવ જરૂરિયાતોની શ્રેણી ક્રમમાં ગોઠવી છે.

✅ વ્યક્તિ પહેલા ક્રમની પ્રેરણા ના સંતોષ પછી જ બીજી જરૂરિયાતો તરફ આગળ વધે છે.

✅ મેસ્લો માનવીની જરૂરિયાતોની એક ચોક્કસ ક્રમમાં ગોઠવે છે સૌથી નીચે અગ્રતાવારી શારીરિક જરૂરિયાતો જેવી કે ભૂખ તરસ વિગેરે આવે છે. માનવીના સ્વાસ્થ્ય વિકાસ અને અસ્તિત્વ માટે આ જરૂરીયાતો પૂરી કરવી અનિવાર્ય છે. શાયરી જડિયા તો પૂરી તે સંતોષાયા બાદ જ માનવી ઉપરની પ્રેરણા ઉપર ધ્યાન આપે છે.

✅ બીજા ક્રમે સલામતીની જરૂરિયાતો છે તેમાં શારીરિક અને માનસિક સલામતીનો સમાવેશ થાય છે.

☝️ ઉપરની મનની જરૂરિયાતો પ્રાથમિક જરૂરિયાત તરીકે ઓળખાય છે અને આ જરૂરિયાતો સંપૂર્ણપણે પૂર્ણ થતા માનવી આગળની જરૂરિયાત તરફ આગળ વધે છે.

✅ સ્નેહની જરૂરિયાત આગળના ક્રમની છે જેમાં અન્ય સાથે સંપર્ક,પ્રેમ મેળવવો અને પ્રેમ આપવાનો સમાવેશ થાય છે.

✅ સ્નેહી જરૂરિયાતો પૂર્ણ થતો માનવી સોમવારની જરૂરિયાતો તરફ આગળ વધે છે. તેમાં આત્મવિશ્વાસ પોતાની શક્તિની ક્ષમતાઓનું ભાન અન્યનું આદર અને પોતાના સન્માનનું સમાવેશ થાય છે. તેથી વ્યક્તિની આત્મા ગૌરવની જરૂરિયાતોનો સંતોષ થતો આગળની ટોચની જરૂરિયાત તરફ આગળ વધે છે.

✅ સૌથી ઉપર આત્મ સાર્થકતા કે આત્મસ સંપૂર્ણકરણ ની જરૂરિયાત આવે છે. જીવનના અર્થસભર લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે તેમજ પોતાની શક્તિઓનો અર્થ સફર ઉપયોગ કરવા તરફ વહેતી આગળ વળે છે..

✅ મેસલોની આ જરૂરિયાતોનું ક્રમ મહત્વનો છે

READ MORE :: Tet /htat exam માટે ઉપયોગી બચાવપ્રયુક્તિઓ

ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation

READ MORE ::: ગુજરાત સરકાર પ્રવેશોત્સવ 2026:ALL NEWS

READ MORE ::📚 HTAT જિલ્લા આંતરિક / અરસ-પરસ કેમ્પ શેડ્યૂલ 2026 📚

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

Tet /htat exam માટે ઉપયોગી બચાવપ્રયુક્તિઓ

Tet htat exam કે શિક્ષણની કોઈ પણ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી મટીરીયલ આપણી વેબસાઈટ www.educationparipatr.com પર આપણે મુકતા હોઈએ છીએ. આજનો વિષય છે બચાવ પ્રયુક્તિઓ

આપણે કેટલીકવાર બચાવ પ્રયુક્તિઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અહીંયા પચાઉ પ્રયુક્તિ એટલે શું? બચાવ પ્રયુક્તિનું કાર્ય,સ્વરૂપ, બચાવ પ્રયુક્તિ ના પ્રકારો વિશે વિસ્તૃત અને ઊંડાણપૂર્વક જોઈશું.

  • ➖ જ્યારે પણ વ્યક્તિની લક્ષ પ્રાપ્તિ થતી નથી, અથવા કંઈ મળતું નથી, જીવનમાં વેફલ્ય કે હતાશા આવતી હોય, માનવી પોતાની તંગ દિલ્લી હળવી કરવા માટે કેટલાક પરોક્ષ ઉપાયો અજમાવે છે.. જેની બચાવ પ્રયુક્તિઓ કહેવામાં આવે છે..
  • [ ગવાયેલા અહમની સંતોષવા માટે વ્યક્તિ જે પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે તેની બચાવ પ્રયુક્તિ કહે છે ]
  • [ વ્યક્તિની જ્યારે લક્ષ પ્રાપ્તિ થતી નથી ત્યારે તે તંગ દિલ્હીનો અનુભવ કરે છે પરિણામે તેનામાં હતાશા પેદા થાય છે. આ પ્રકારની માનસિક તંગ હરવી કરવા માટે વ્યક્તિ કેટલાક ઉપાયો લે છે ………. કહેવામાં આવે છે.]

બચાવ પ્રયુક્તિ કાર્ય

ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation

અહીંયા બચાવ પ્રયુક્તિ શું કામ કરે છે તેના વિશે આપને જોવાનું છે.

  • ✡️ નિષ્ફળતા છુપાવવાનું
  • ✡️ આવેગાત્મક થેસની રૂઝ લાવવાનું
  • ✡️ ચિંતા કરવી કરવાનું

બચાવ પ્રયુક્તિનું સ્વરૂપ

બચાવ પ્રવૃત્તિના પ્રણેતા ડોક્ટર સિંગમંડ ફ્રોઈડ છે. આ બધું આપણા અચેતન મન સાથે અને આપણા ઈગો સાથે સંકળાયેલ છે.. આપણી તાર્કિકતા પણ ભાગ ભજવતી હોય છે.

બચાવ પ્રયુક્તિ ના પ્રકારો

  1. ➖ યોક્તિકરણ
  2. ➖ પ્રક્ષેપણ
  3. ➖ દિવા સ્વપ્ન
  4. ➖ તાદાત્મ્ય
  5. ➖ ઇનકાર કે આવિષ્કાર
  6. ➖ ક્ષતિપૂર્તિ
  7. ➖ઉધ્વીકરણ
  8. ➖ પરાનુંભુતી
  9. ➖ વિરોધી ભાવ ધારણ કે વિરોધી પ્રતિક્રિયા
  10. ➖ સ્થાનાંતરણ
  11. ➖ અલિપ્તતા

વ્યક્તિ કારણો રજૂ કરે. સાચા કારણને બદલે સારા કારણો રજૂ કરે. બહાના કરવાની પ્રયુક્તિ કરે. નિષ્ફળતા મળે એટલે કંઈક ને કંઈક બહાના કાઢતા હોય છે.

દા :ત

  • ➖સુંદર યુવતી સાથે લગ્ન કરવાનો પ્રયત્ન કરવામાં આવી અને લગ્ન ન કરી શકે તો તે બહાનું કાઢે છે કે સુંદર યુવતી.. ચારિત્રની દ્રષ્ટિએ સારી ન હોઈ શકે.
  • ➖પરીક્ષામાં નપાસ થાય ત્યારે મહાન કરે કે ભણે કોનું સારું થયું છે પણ ભણવા કશું મળતું નથી..
  • ➖ કોઈક વખત શહેરની યુવતી સાથે લગ્ન ન થાય તો યુવક એમ કહે કે ગામડાની યુવતી સાથે લગ્ન કરવા સારા

➖ બીજા ઉપર દોષારોપણ કરવાની પ્રવૃત્તિને પ્રક્ષેપણ પણ કહેવામાં આવે છે.

  • દા: ત પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે તો પરીક્ષક નો વાંક કાઢી કે બોર્ડનો વાંક કાઢતા હોય છે.

મનમો પરણવું અને મનમાં રાંડવું.. વાસ્તવિક વાતાવરણ કે પરિસ્થિતિમાં છટકવાનો પ્રયત્ન આ દિવા અશોક થાય છે. વ્યક્તિ લેખક કવિ ચિત્રકાર એન્જિનિયર શિલ્પી બને છે..

જ્યારે વ્યક્તિ કોઈપણ સંસ્થા કે વિચાર કે આદર્શ સાથે એક આત્મા ભાવ અનુભવે ત્યારે તે તાનાત્મ્ય ભાવ અનુભવે છે તેમ કહેવાય છે.

  • દા: ત કેટલીક વખત વ્યક્તિ તાદાત્મક ભાવ અનુભવે જેમકે.. કોઈક ફિલ્મનું સીન જોયા પછી તે રડી ઊઠે.
  • ✅ પ્રસિદ્ધ અભિનેતા અભિનેત્રી ખેલાડી સાથે એકાત્મક નો ભાવ અનુભવે

દા: ત➖ કોઈ વ્યક્તિ પાણીમાં તરતા ડરતો હોય પણ કહી એમ કે હું ડરતો નથી.
➖ અંધારાથી ડરતો હોવા છતાં વ્યક્તિ એમ કહે કે હું અંધારાથી ડરતો નથી.

( વ્યક્તિ પોતાના વિચારો લાગણીઓ આવેગોનો અન્ય વ્યક્તિ સમક્ષ સ્વીકાર કરતો નથી પરંતુ ઇનકાર કે અવિષ્કાર કરે છે.)

પોતાની નિષ્ફળતા કે ઉણપ રાખવા માટે આ પ્રવૃત્તિનું આશરે લે છે. અને તે ઉણપ પૂરી કરવા માટે બીજા ક્ષેત્ર માં પ્રેરાય છે.

સામાન્ય રીતે કોઈ એક ક્ષેત્રની પોતાની નિષ્ફળતા કે ઢાંકવા વ્યક્તિ આ વ્યક્તિ આ પ્રયુક્તિનું આશ્રય લે છે.

  • ➖ દાખલા તરીકે પ્રોફેસર ન બને તો તે શિક્ષક બની સંતોષ અનુભવે છે.( પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ )
  • ➖ વ્યક્તિ પોતે ડોક્ટર ન બની શકે તો પોતાના દીકરાને ડોક્ટર બનાવવાનું વિચારે ( પરોક્ષ ક્ષતિપૂર્તિ )

ઊધ્વીકરણ એટલે પોતાના વિચારો કે લાગણીઓની ઊંચી લઈ જવા.

  • ➖ આક્રમકતા આવીશ હોય તો તે વ્યક્તિ લશ્કરમાં જોડાય છે.

પોતાની બીજાની જાતનો મૂકી અને એવી લાગણી અનુભવવી.

  • ➖ કોઈક બાળકના માતા-પિતા અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોય તો. તે એવું વિચારે કે મારા માતા-પિતા મૃત્યુ પામ્યા હોય તો હું કેવી લાગણી અનુભવવું. આ પરાનુંભુતી છે.

દા :ત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા
➖ વ્યક્તિ કોઈ વ્યક્તિ પોતે ખરાબ ભાવ ધરાવતો હોય તો તે સારો ભાવ ધરાવે છે તેઓ બાહ્ય દેખાડો કરવો.

પોતાના વિચારો અપેક્ષા લાગણી એ અન્ય સ્થાને રજૂ કરે છે.

READ MORE ::: ગુજરાત સરકાર પ્રવેશોત્સવ 2026:ALL NEWS

READ MORE ::📚 HTAT જિલ્લા આંતરિક / અરસ-પરસ કેમ્પ શેડ્યૂલ 2026 📚

HTAT, TET, TAT, and AEI Exam Online Book Website GuideIntroduction to HTAT, TET, TAT, and AEI Exams

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930