વરસાદની છોતરા કાઢી નાખી તેવી આગાહી ➖ ગુજરાત હવામાન

વરસાદની છોતરા કાઢી નાખી તેવી આગાહી ➖ ગુજરાત હવામાન

અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!વરસાદની છોતરા કાઢી નાખી તેવી આગાહી ➖ ગુજરાત હવામાન

D.El.Ed (PTC) Admission 2026-27 Gujarat: ઓનલાઈન અરજી, લાયકાત, મેરિટ, ઉંમર મર્યાદા અને સંપૂર્ણ માર્ગદર્શિકા

ambalal patel rain forecast: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ચોમાસું ફરી જમાવશે રંગ, દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિની શક્યતા અને 16 જુલાઈથી મેઘરાજાનો વધુ એક નવો રાઉન્ડ આવશે.આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!

read more :::ભારતની પહેલી બુટેલ ટ્રેન માટે નીકળી ભરતી, ₹1.25 લાખ સુધી પગાર, જાણો કોણ કરી શકશે અરજી?

જુલાઈ 16 અને ઓગસ્ટ 2એ વધુ વરસાદના મજબૂત રાઉન્ડની આગાહી.

વરસાદ અટકવાનું કારણ અને નવી સિસ્ટમની એન્ટ્રી

અત્યારે દરિયામાં કોઈ મોટી સિસ્ટમ સક્રિય નથી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતમાં ચોમાસું થોડું ધીમું પડી ગયું છે, જેના લીધે વરસાદમાં વિલંબ થઈ રહ્યો છે. પરંતુ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 28 કે 29 જૂનની આસપાસ બંગાળની ખાડી (બંગાળના ઉપસાગર)માં હવાનું એક નવું દબાણ ઊભું થવાની પૂરી શક્યતા છે. આ સિસ્ટમ સક્રિય થતાં જ ગુજરાતમાં અટકેલો વરસાદ ફરીથી ફૂલ સ્પીડમાં ચાલુ થઈ જશે.

કયા વિસ્તારોમાં કેવો રહેશે માહોલ?

  • બંગાળની ખાડીમાં બનેલી આ સિસ્ટમની અસરથી 28 જૂનથી લઈને 7 જુલાઈ સુધી રાજ્યના તમામ ઝોનમાં સારો એવો વરસાદ જોવા મળશે:
  • દક્ષિણ ગુજરાત: આ દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અહીંના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે, તેથી લોકોએ સાવચેત રહેવું પડશે.
  • અન્ય વિસ્તારો: સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડશે, જેથી ખેડૂતોને મોટો ફાયદો થશે.

જુલાઈ અને ઓગસ્ટ માટે પણ મોટી આગાહી

અંબાલાલ પટેલે આવનારા મહિનાઓ માટે પણ પોતાનું અનુમાન વ્યક્ત કર્યું છે:

  • 16 જુલાઈનો રાઉન્ડ: 7 જુલાઈએ પહેલો રાઉન્ડ પૂરો થયા બાદ, 16 જુલાઈની આસપાસ વરસાદનો વધુ એક નવો અને મજબૂત રાઉન્ડ શરૂ થશે. આ સમયગાળા દરમિયાન થનારા ભારે વરસાદથી નર્મદા નદીના જળસ્તરમાં મોટો વધારો જોવા મળી શકે છે.
  • 2 ઓગસ્ટનો રાઉન્ડ: ત્યારબાદ, 2 ઓગસ્ટની આસપાસ પણ રાજ્યભરમાં ફરી એકવાર સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના છે. આ રાઉન્ડમાં સારો વરસાદ પડવાથી તાપી નદીના જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.
  • એકંદરે, આગામી દિવસોમાં ગુજરાત પર મેઘરાજા મન મૂકીને વરસવાના છે અને વરસાદની ઘટ પૂરી થઈ જશે.
June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

ભારતની પહેલી બુટેલ ટ્રેન માટે નીકળી ભરતી, ₹1.25 લાખ સુધી પગાર, જાણો કોણ કરી શકશે અરજી?

Bullet Train NHSRCL Recruitment 2026: બુલેટ ટ્રેન ભરતી 2026 ઝુંબેશમાં ઘણી મુખ્ય ટેકનિકલ અને ઓપરેશનલ પદો માટે ઉમેદવારો પસંદ કરવાના છે. આ માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Bullet Train NHSRCL Recruitment 2026: ભારતની પહેલી બુલેટ ટ્રેન આગામી વર્ષોમાં શરુ થવા જઈ રહી છે. ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં નોકરી કરવાનું સપનું જોતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જવાબદાર એજન્સી નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ નોકરી શોધનારાઓ માટે ભરતી ઝુંબેશની જાહેરાત કરી છે. વિવિધ પદો માટે કુલ 224 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.

બુલેટ ટ્રેન ભરતી 2026 ઝુંબેશમાં ઘણી મુખ્ય ટેકનિકલ અને ઓપરેશનલ પદો માટે ઉમેદવારો પસંદ કરવાના છે. આ માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

NHSRCL ભરતી 2026ની મહત્વની માહિતી
સંસ્થા

સંસ્થાનેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)
પોસ્ટટેકનિકલ અને ઓપરેશનલ પદો
કુલ જગ્યાઓ224
વય મર્યાદામહત્તમ 45 વર્ષ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી ફી₹400
અરજી કરવાની છેલ્લી તારીખ14 જુલાઈ 2026

ક્યાં અરજી કરવી

બુલેટ ટ્રેન ભરતી 2026 અંતર્ગત પોસ્ટની વિગતો

NHSRCL ભરતી 2026 ઝુંબેશ હેઠળ કુલ 224 પદોની જાહેરાત કરવામાં આવી છે. આમાંથી 209 પદો નોન-એક્ઝિક્યુટિવ શ્રેણીમાં છે, જ્યારે 15 ખાલી જગ્યાઓ એક્ઝિક્યુટિવ-સ્તરના પદો માટે છે.

  • જુનિયર એન્જિનિયર
  • સ્ટેશન અને ટ્રેન મેનેજર
  • ઓપરેશન્સ કંટ્રોલર
  • સ્ટેશન/ટ્રેન મેનેજર
  • તકોમાં IT અને સલામતી વિભાગોમાં વિવિધ જગ્યાઓનો સમાવેશ થાય છે.

NHSRCL ભરતી 2026 લાયકાત

NHSRCL ભરતી 2026 માટે જરૂરી શૈક્ષણિક લાયકાત પદ પ્રમાણે બદલાશે. મોટાભાગની જગ્યાઓ માટે, ઉમેદવારો પાસે સંબંધિત ક્ષેત્રમાં ડિપ્લોમા, BE, અથવા BTech ડિગ્રી હોવી જોઈએ. ચોક્કસ જગ્યાઓ માટે અગાઉના કાર્ય અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપી શકાય છે.

વય મર્યાદા

પસંદગી પ્રક્રિયા

NHSRCL ભરતી 2026 માટેની પસંદગી પ્રક્રિયામાં કમ્પ્યુટર-આધારિત કસોટી (CBT) હશે, ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી અને તબીબી તપાસ થશે. જે ઉમેદવારો સફળતાપૂર્વક તમામ તબક્કાઓ પાસ કરશે તેમને અંતિમ વિચારણા માટે ધ્યાનમાં લેવામાં આવશે.

પગાર અને લાભો

પસંદ કરાયેલા ઉમેદવારોને ઘણા વધારાના લાભો સાથે આકર્ષક પગાર પેકેજ પ્રાપ્ત થશે. વિગતો નીચે મુજબ છે:

  1. સ્થિતિના આધારે માસિક પગાર આશરે ₹40,000 થી ₹1.25 લાખ સુધીનો રહેશે
  2. મોંઘવારી ભથ્થું (DA)
  3. ઘર ભાડું ભથ્થું (HRA) અને લાગુ નિયમો અનુસાર અન્ય ભથ્થાં.
  4. તબીબી સુવિધાઓ અને આરોગ્યસંભાળ લાભો.
  5. સરકાર દ્વારા મંજૂર વધારાની સુવિધાઓ અને કર્મચારી લાભો.

નોટિફિકેશન

અરજી કરેવી રીતે?

  • બુલેટ ટ્રેન ભરતી 2026 અરજી કરવા માટે ઉમેદવારે પહોલા સંસ્થાની સત્તાવાર વેબસાઈટ www.nhsrcl.inની મુલાકાત લેવી.
  • અહી પોસ્ટ પ્રમાણે અરજી કરી શકાશે.

દેશભરની શાળાઓમાં હવે મેનેજમેન્ટ કમિટી ફરજિયાત, વાલીઓ-શિક્ષકો સહિતના લોકો હશે સામેલ

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

India vs Ireland Live Streaming: આજે મુકાબલો, ક્યારે અને કઈ ચેનલ પર LIVE પ્રસારણ?

India vs Ireland Live Streaming: આજે મુકાબલો, ક્યારે અને કઈ ચેનલ પર LIVE પ્રસારણ?

બેલફાસ્ટના આકાશમાં કાળા વાદળો વચ્ચે એક નવો ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે! ભારતીય ક્રિકેટપ્રેમીઓની ધડકનો તેજ થઈ ગઈ છે કારણ કે આજે ભારત અને આયર્લેન્ડ (IND vs IRE) વચ્ચે રમાનારી 2nd હાઈ-વોલ્ટેજ T20 મુકાબલામાં કંઈક એવું થવા જઈ રહ્યું છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. નવા કેપ્ટન શ્રેયસ અય્યરની સેના મેદાન પર ઉતરવા માટે સજ્જ છે, પણ સૌથી મોટો સસ્પેન્સ એ છે કે શું IPL માં ધમાકો મચાવનાર 15 વર્ષનો વંડર બોય વૈભવ સૂર્યવંશી આજે પોતાની ડેબ્યૂ કેપ મેળવીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવશે? જાણો ક્યારે, ક્યાં અને કઈ ચેનલ પર તમે આ રોમાંચક મેચનું LIVE Streaming ટીવી અને મોબાઈલ પર માણી શકશો!

D.El.Ed (PTC) Admission 2026-27 Gujarat: ઓનલાઈન અરજી, લાયકાત, મેરિટ, ઉંમર મર્યાદા અને સંપૂર્ણ માર્ગદર્શિકા

IND vs IRE 2nd T20: ભારતીય ક્રિકેટના નવા યુગની શરૂઆત

લાખો ભારતીય ક્રિકેટ ચાહકો 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીના ઈન્ટરનેશનલ ડેબ્યૂની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ લાગે છે કે આ રાહ હજુ થોડી લાંબી ખેંચાઈ શકે છે. હકીકતમાં, પ્રથમ T20 મેચ પહેલા જ કેપ્ટન શ્રેયસ ઐયર અને બેટિંગ કોચ સિતાંશુ કોટકે સ્પષ્ટ કર્યું હતું કે ટીમમાં પહેલાથી જ શાનદાર ફોર્મમાં રહેલા બેટ્સમેનો હાજર છે. એવામાં તેમને અચાનક બહાર બેસાડવા તેમના માટે અન્યાય ગણાશે.

આયર્લેન્ડની ટીમ પોતાના હોમ કન્ડિશન્સમાં હંમેશા ખતરનાક સાબિત થાય છે. લોર્કન ટકર (Lorcan Tucker) ની કપ્તાની હેઠળ આયરિશ ટીમ ભારતને આશ્ચર્યજનક ઝટકો આપી ચુકી છે. સિરીઝ જીતી હજુ મોટો ઝટકો આપી શકે છે. ચાલો આ મેચની તમામ વિગતો, લાઈવ બ્રોડકાસ્ટિંગ પાર્ટનર્સ અને પિચ રિપોર્ટ પર વિગતવાર નજર કરીએ.

મેચ ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે? (Match Schedule & Venue)

ભારત અને આયર્લેન્ડ વચ્ચેની બે મેચોની T20 સીરીઝની આ 2nd મેચ છે. આ મેચ આયર્લેન્ડના ખૂબ જ સુંદર અને ઐતિહાસિક સિવિલ સર્વિસ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે, જેને સ્ટોર્મોન્ટ ક્રિકેટ ગ્રાઉન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે.

વિગત (Details)માહિતી (Information)
મેચ (Match)ભારત વિરુદ્ધ આયર્લેન્ડ, 2nd T20I (2nd T20I)
તારીખ (Date)Sunday, 28 જૂન 2026 (Today)
સમય (Time)સાંજે 06:00 વાગ્યે (ભારતીય સમય અનુસાર – IST)
ટોસનો સમય (Toss)સાંજે 05:30 વાગ્યે (IST)
સ્ટેડિયમ (Venue)સિવિલ સર્વિસ ક્રિકેટ ગ્રાઉન્ડ (સ્ટોર્મોન્ટ ક્રિકેટ ગ્રાઉન્ડ), બેલફાસ્ટ

કઈ ટીવી ચેનલ અને એપ પર LIVE જોઈ શકાશે મુકાબલો? (Live Telecast & Streaming)

ક્રિકેટ ફેન્સ માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ મેચ ભારતમાં લાઈવ ક્યાં જોઈ શકાશે. જો તમે તમારા ઘરના ટીવી પર અથવા ઓફિસમાં મોબાઈલ પર મેચ જોવા માંગો છો, તો નીચે મુજબની સત્તાવાર વિગતો નોંધવા જેવી છે:

ભારતમાં લાઈવ ટેલિકાસ્ટ (TV Channel in India)

ભારત વિરૂદ્ધ આયર્લેન્ડ ટી20 મેચનું ભારતમાં સત્તાવાર લાઈવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક (Sony Sports Network) ની વિવિધ ચેનલો પર અલગ-અલગ ભાષાઓમાં કરવામાં આવશે. તમે સોની સ્પોર્ટ્સની HD અને SD ચેનલો પર મેચનો આનંદ માણી શકશો.

લાઈવ સ્ટ્રીમિંગ મોબાઈલ પર ક્યાં જોવું? (Live Streaming App)

જો તમે મોબાઈલ, લેપટોપ કે સ્માર્ટ ટીવી પર ડિજિટલી લાઈવ મેચ જોવા માંગો છો, તો ભારત વિરૂદ્ધ આયર્લેન્ડ પ્રથમ T20 નું લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ (Sony LIV) એપ અને તેની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે. આ માટે યુઝર્સ પાસે સોની લિવનું સક્રિય સબ્સ્ક્રિપ્શન હોવું જરૂરી છે.

શું આજે 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે? (Vaibhav Sooryavanshi Debut News)

આ મેચની સૌથી મોટી હેડલાઇન 15 વર્ષનો યુવા ઓપનિંગ બેટ્સમેન Vaibhav Sooryavanshi છે. વૈભવે ડોમેસ્ટિક ક્રિકેટ અને IPL ઓક્શનમાં શાનદાર પ્રદર્શન કરીને હેડલાઇન્સ બનાવી હતી. તેની આ અદ્ભુત ક્ષમતાને કારણે જ તેને સીધો સિનિયર ભારતીય ટીમમાં કોલ-અપ મળ્યો છે.

“બંનેએ સ્વીકાર્યું છે કે વૈભવ એક શાનદાર ક્રિકેટર છે, પરંતુ તેણે પોતાની તક માટે હજુ થોડી રાહ જોવી પડી શકે છે. આથી, પૂરી શક્યતા છે કે બીજી T20માં પણ વૈભવને બહાર જ બેસવું પડે.”

બંને દેશોની સંભવિત પ્લેઈંગ-11 (Predicted Playing XI)

ભારતીય ટીમ આયર્લેન્ડ સામે પોતાની મજબૂત પ્લેઈંગ-11 ઉતારવા માટે તૈયાર છે જેથી આ પ્રવાસની શરૂઆત જીત સાથે થઈ શકે.

  1. Abhishek Sharma,
  2. Sanju Samson (wk),
  3. Ishan Kishan,
  4. Shreyas Iyer (c),
  5. Tilak Varma,
  6. Shivam Dube,
  7. Axar Patel,
  8. Washington Sundar,
  9. Harshit Rana,
  10. Arshdeep Singh,
  11. Prasidh Krishna/Prince Yadav
  1. Tim Tector,
  2. Ross Adair,
  3. Harry Tector,
  4. Lorcan Tucker (c) (wk),
  5. Benjamin Calitz,
  6. Gareth Delany,
  7. George Dockrell,
  8. Liam McCarthy,
  9. Matthew Humphreys,
  10. Jai Moondra,
  11. Matthew Hollard

Belfast Pitch Report: બેટ્સમેનોને જલસા કે બોલરોનો કહેર?

સ્ટોર્મોન્ટ ક્રિકેટ ગ્રાઉન્ડ (સિવિલ સર્વિસ ક્રિકેટ ગ્રાઉન્ડ) ની પિચ સામાન્ય રીતે સંતુલિત માનવામાં આવે છે. પરંતુ શરૂઆતની ઓવરોમાં અહીં ફાસ્ટ બોલરોને પિચમાંથી સારો સીમ અને સ્વિંગ (Swing) મળે છે. જેમ જેમ રમત આગળ વધશે તેમ પિચ બેટિંગ માટે અનુકૂળ બનશે. બેલફાસ્ટમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું હોવાથી ટોસ જીતનાર ટીમ પહેલા Bowling કરવાનો નિર્ણય કરી શકે છે. અહીં પાવરપ્લે (Powerplay) માં વિકેટ બચાવવી એ મેચ જીતવાની ચાવી બનશે.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ Section)

ઉત્તર: આ મેચ બેલફાસ્ટના સિવિલ સર્વિસ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે, જેને સ્ટોર્મોન્ટ ક્રિકેટ ગ્રાઉન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે.

પ્રશ્ન 2: India vs Ireland પ્રથમ T20 કેટલા વાગ્યે શરૂ થશે અને ટોસ ક્યારે થશે?

ઉત્તર: ભારત વિરૂદ્ધ આયર્લેન્ડ પ્રથમ T20 મેચ ભારતીય સમય અનુસાર સાંજે 6 વાગ્યે શરૂ થશે, જ્યારે મેચનો ટોસ સાંજે 5:30 વાગ્યે થશે.

ઉત્તર: આ મેચોનું લાઈવ ટેલિકાસ્ટ ભારતમાં સોની સ્પોર્ટ્સ નેટવર્ક (Sony Sports Network) ની ચેનલો પર જોઈ શકાશે.

ઉત્તર: ભારત વિરૂદ્ધ આયર્લેન્ડ પ્રથમ T20 નું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ (Sony LIV) એપ અને તેની વેબસાઈટ પર કરવામાં આવશે.

India vs IrelandIND vs IREIndia vs Ireland LiveIndia vs Ireland HighlightsIndia vs Ireland Today MatchTeam IndiaIndian Cricket TeamIreland Cricket TeamCricket Match TodayLive Cricket ScoreCricket HighlightsIndia BattingIndia BowlingT20 CricketODI CricketCricket NewsCricket UpdatesMatch PreviewFantasy CricketICC Cricket

READ MORE :: Tet /htat exam માટે ઉપયોગી બચાવપ્રયુક્તિઓ

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

નેશનલ કરિક્યુલમ ફ્રેમ વર્ક (NCF) – 2005

નેશનલ કરિક્યુલમ ફ્રેમ વર્ક (NCF) – 2005

NCF-2005 (રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા) એ NCERT દ્વારા તૈયાર થયેલ દસ્તાવેજ છે. જેમાં ડૉ. યશપાલનું વિશેષ યોગદાન છે. જે ભારત વિના ભારતરના અહેવાલના આધારે તૈયાર થયો છે.

શિક્ષણ એ ભારતીય બંધારણની સમવર્તી યાદીનો વિષય છે.

દેશભરની શાળાઓમાં હવે મેનેજમેન્ટ કમિટી ફરજિયાત, વાલીઓ-શિક્ષકો સહિતના લોકો હશે સામેલ

National Curriculum Framework (NCF) – 2005

ડૉ. યશપાલની આગેવાનીમાં આંતરરાષ્ટ્રીય સ્તરના વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો અને પ્રોફેસરોએ MHRDની દેખરેખ હેઠળ તૈયાર કરેલ છે.

મુખ્ય ભલામણો : શિક્ષણ એક નવી રાષ્ટ્રીય યુગ

  • શિક્ષણને બહારના જીવન સાથે જોડવું.
  • ગોખણપટ્ટીથી મુક્ત શિક્ષણ બનાવવું.
  • પાઠ્યક્રમ માત્ર પુસ્તક પૂરતો સીમિત ન રહે, વાસ્તવિક જીવનના સંદર્ભો સામેલ કરવા.
  • પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવું જોઈએ.
  • રાષ્ટ્રીય એકતા બને તેવું શિક્ષણ આપવું જોઈએ.
  • બાળક પોતે જ્ઞાનનું સર્જન કરે છે, માટે તેને એવું વાતાવરણ પૂરું પાડવું.
  • પ્રારંભિક શિક્ષણ પ્રાદેશિક ભાષામાં આપવું જોઈએ.

પ્રગતિનો પ્રવેશોત્સવ – અહેવાલ 2026

બોજરૂપ શિક્ષણમાંથી મુક્તિ આપવા માટે અભ્યાસક્રમ રચના માટે ચાર માર્ગદર્શક સિદ્ધાંતો સૂચવે છે.

  1. શાળા બહારના જીવન સાથે જ્ઞાનને જોડવું.
  2. ભારતર ગોખણપટ્ટીથી દૂર રહે તેનું ધ્યાન રાખવું.
  3. અભ્યાસક્રમને એવી રીતે સમૃદ્ધ કરવો જેથી તે પાઠ્યપુસ્તકોથી પણ આગળ જતો હોય.
  4. પરીક્ષાઓને વધુ સરળ બનાવવી અને વર્ગખંડના જીવન સાથે સંબંધિત કરવી.

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

NCF-2005માં ભાષામાં ત્રિભાષા સૂત્રનો અમલ કરવાનું જણાવે છે.

  • પ્રાદેશિક ભાષાને પ્રાધાન્ય આપવું તેમજ અંગ્રેજી ભાષાનો પણ સ્વીકાર કરવો અને માતૃભાષાને શિક્ષણના એક સારા માધ્યમ તરીકે સ્વીકારવાનું જણાવે છે.
  • તેમાં આદિવાસી ભાષાઓને પણ સામેલ કરવાની જરૂર છે.
  • ગણિત શીખવવાનું મુખ્ય લક્ષ્ય ગણિતના જ્ઞાન કરતાં ગણિતીય પ્રક્રિયાઓને તર્કબદ્ધ રીતે વિચારવું, અમૂર્ત ખ્યાલો સમજવા અને તેનો ઉપયોગ કરવો તે છે.
  • વિજ્ઞાનની ભાષા, પ્રક્રિયા અને વિષયવસ્તુ વિદ્યાર્થીની ઉંમર અને તેની જ્ઞાન ક્ષમતાને અનુરૂપ હોવી જોઈએ.
  • વિજ્ઞાન શિક્ષણ જિજ્ઞાસાને સંતોષનારું હોવું જોઈએ.
  • સામાજિક વિજ્ઞાનના શિક્ષણનું લક્ષ્ય વિદ્યાર્થીઓને નૈતિક ઊર્જા મળે જે આગળ જતાં બાળકોમાં સ્વતંત્ર વિચાર કરવાની ક્ષમતા તથા સામાજિક મુદ્દાઓ પર વિવેકપૂર્ણ દૃષ્ટિકોણ વિકસિત કરી શકે તેવું હોવું જોઈએ.
  • નાગરિકશાસ્ત્રને રાજનીતિશાસ્ત્ર બનાવવું જોઈએ.
  • વિદ્યાર્થીઓને કલા, શાંતિ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ આપવું જોઈએ.
  • પરીક્ષા સંદર્ભે NCFમાં વિષય આધારિત કસોટીઓને બદલે સમસ્યા, ઉકેલ અને સમજણની કસોટીઓની તેમજ ટૂંકી પરીક્ષાઓ રાખવાની ભલામણ કરી છે.
  • ઉપરોક્ત અભિગમના આધારે શાળાના વિવિધ અભ્યાસક્રમોની ભલામણો પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ કક્ષાઓ માટે કરવામાં આવી છે.

NCF મુજબ બાળક જ જ્ઞાનનું સર્જન કરે છે.

બાળક જ્ઞાનનું સર્જન કરે છે તે હકીકતનો સુચિતાર્થ એ છે કે અભ્યાસક્રમ, પાઠ્યક્રમ અને પાઠ્યપુસ્તકો એવા હોવા જોઈએ કે તેના દ્વારા શિક્ષકો બાળકોના સ્વભાવ અને તેમના પર્યાવરણની સાથે તાલમેલ સાધીને વર્ગખંડના અનુભવો પ્રયોગશાળાસક્ષમ બને અને બધા બાળકોને તર્ક પૂરી પાડી શકે.

NCF–2005 એટલે…

  • NCF (રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા) 2000ની સમીક્ષાના આધારે તૈયાર થયેલો દસ્તાવેજ છે.
  • ડૉ. યશપાલજીની અધ્યક્ષતામાં રાષ્ટ્ર કક્ષાની એક તથા વિવિધ વિષયો આધારિત 21 ફોકસ ગ્રુપ દ્વારા તૈયાર થયેલ દસ્તાવેજ.
  • 1993ના ‘ભાર વગરનું ભણતર’ અહેવાલના આધારે તૈયાર થયેલ દસ્તાવેજ.

NCF-2005ના મહત્ત્વના મુદ્દાઓ

  • [09:40, 28/06/2026] સાબલી રામાયણ: શિક્ષણની રાષ્ટ્રીય વ્યવસ્થાને બહુલતાવાળી સમાજમાં મજબૂતી પ્રદાન કરવી.
  • ‘ભાર વગરના ભણતર’ની સમજ પ્રમાણે પાઠ્યચર્યાના ભારને ઓછું કરવું.
  • પાઠ્યચર્યા સુધારા સાથે વ્યવસ્થાગત પરિવર્તન.
  • સંવિધાનમાં નિર્દિષ્ટ મૂલ્યો, સામાજિક ન્યાય, સમાનતા અને બિનસાંપ્રદાયિકતા આધારિત પાઠ્યચર્યા અભ્યાસ.
  • બધા માટે ગુણવત્તાપૂર્ણ શિક્ષણ સુનિશ્ચિત કરવું.
  • એવા નાગરિક વર્ગનું નિર્માણ જેની લોકશાહી પ્રક્રિયામાં મૂલ્યોમાં, દૈનિક ન્યાય પ્રત્યે સંવેદનશીલતા, અનુસૂચિત જાતિઓ, જનજાતિઓ અને વિશેષ આવશ્યકતાવાળા બાળકોની સમસ્યાઓ અને આવશ્યકતાઓ પ્રત્યે આસ્થા હોય તથા તેમાં રાજકીય અને આર્થિક પ્રક્રિયાઓમાં ભાગ લેવાની ક્ષમતા હોય.
  • અધ્યાપન અને અધ્યયન સંબંધોનું પુનઃઅભિસ્થાપન કરવું.
  • વિદ્યાર્થીઓના વિકાસ અને શિક્ષણના સંબંધમાં સર્વાંગી દૃષ્ટિકોણ.
  • આંકડા આધારિત અને આવશ્યકતા આધારિત કાર્યક્રમો દ્વારા શીખવવાની અસમર્થતાને દૂર કરવી.
  • જ્ઞાન નિર્માણમાં વિદ્યાર્થીઓનો સહયોગ અને સ્વતંત્રતા વધારવી.
  • પ્રયોગાત્મક માધ્યમો દ્વારા સક્રિય શિક્ષણ.
  • પાઠ્યચર્યા પ્રક્રિયાઓમાં બાળકોના વિચાર, ઉત્સુકતા અને પ્રશ્નાર્થતા માટે સ્થાન.
  • જ્ઞાનની શિક્ષણલક્ષી સીમાઓથી આગળ વિસ્તાર આપતા શિક્ષણના માળખાને વ્યાપક પરિમાણો આપવા.
  • વિદ્યાર્થીઓની સહભાગિતાના ક્ષેત્ર—અવલોકન, સંશોધન, ટીકાત્મક ચર્ચા વગેરે પણ વિષય શિક્ષણની જેમ શિક્ષણના મહત્ત્વપૂર્ણ વિષય છે.
  • સામાજિક-સાંસ્કૃતિક વાસ્તવિકતા પર નિર્ણાયક સમજને વિકસિત કરનારી પ્રક્રિયાઓને પાઠ્યચર્યામાં સ્થાનની આવશ્યકતા. સ્થાનિક જ્ઞાન અને બાળકોના અનુભવો પાઠ્યપુસ્તકો અને અધ્યાપન તકનિકીના મહત્ત્વપૂર્ણ અંગ છે.
  • શાળાના વર્ષ બાળકોની ક્ષમતાઓ, યોગ્યતાઓ વગેરેમાં ઊંડાપૂર્વક વિકાસના વર્ષ હોય છે. એ માટે વિષયવસ્તુની પસંદગી અને વ્યવસ્થા તથા જ્ઞાન નિર્માણની પ્રક્રિયાઓને તેમના હિતોને અનુરૂપ કરવાની આવશ્યકતા છે.
  • [09:43, 28/06/2026] સાબલી રામાયણ: લખાણ નીચે મુજબ છે:
  • કેન્દ્રીય માહિતી પંચ અને રાજ્ય માહિતી પંચને કોઈપણ બાબતમાં તપાસ કરતી વખતે દીવાની ન્યાયાલયમાં નિહિત થયેલી સત્તા જેવી જ સત્તા રહેશે. (કલમ 18(1))
  • ઉપરના દરજ્જાના અધિકારીનો નિર્ણય સામેની બીજી અપીલ જે તારીખે નિર્ણય કરવો જોઈતો હતો અથવા ખરેખર મળ્યો હોય તે તારીખથી નેવું દિવસની અંદર કેન્દ્રીય માહિતી પંચ અથવા રાજ્ય માહિતી પંચ સમક્ષ કરી શકાશે. (કલમ 19(3))
  • દર વર્ષે કેન્દ્રીય માહિતી પંચે કેન્દ્ર સરકારને અને રાજ્ય માહિતી પંચે રાજ્ય સરકારને અહેવાલ મોકલવો પડશે. (કલમ 25(1))
  • આ કાયદાના અમલ પછી માહિતી સ્વાતંત્ર્ય અધિનિયમ–2002 રદ કરવામાં આવેલ છે. (કલમ 31)
  • માહિતી મેળવવા માંગતી વ્યક્તિએ નિયમ–5 હેઠળ કરાવેલી ફી સાથે નમૂના ‘ક’ માં અથવા ઈ-મીડિયા મારફતે જાહેર માહિતી અધિકારીને અરજી કરવી જોઈએ.
  • અરજીની પહોંચ અરજદારને નમૂના ‘ખ’ માં આપવામાં આવશે.
  • ઈ-મીડિયાથી અરજી કરનાર વ્યક્તિએ અરજીની તારીખથી સાત દિવસની અંદર ફી ભરવી જોઈએ. જેમાં ચૂક કર્યે અરજી પાછી ખેંચેલી ગણાશે.
  • BPL (ગરીબી રેખા હેઠળ) કુટુંબના કાર્ડની પ્રમાણિત નકલ અથવા સંબંધિત સત્તાધિકારીએ અર્થે કાઢી આપેલું પ્રમાણપત્ર અરજીને સાથે જોડે તો તેવી વ્યક્તિએ ફી અને ચાર્જ ભરવાના થશે નહીં.
  • જાહેર માહિતી અધિકારીએ અરજદારે માંગેલી માહિતી, તેની વિનંતી મળ્યાથી ત્રીસ દિવસની અંદર નમૂના–ઘ માં પૂરી પાડવી જોઈએ અથવા અરજીના અસ્વીકાર અંગે નમૂના–છ માં જાણ કરવી જોઈએ.
  • ગુજરાતમાં અરજીદીઠ રૂ. 20 અરજી ફી રહેશે. (અલગ–અલગ રાજ્યોમાં અલગ–અલગ ફીની જોગવાઈ છે.)
  • જાહેર માહિતી અધિકારીના નમૂના–ઘ અથવા નમૂના–છ માંના નિર્ણયથી નારાજ થયેલી અથવા નિર્ણય ન મળ્યો હોય તેવી કોઈપણ વ્યક્તિએ નિર્ણય મળ્યાની અથવા નિર્ણય ન મળ્યાની તારીખથી ત્રીસ દિવસની અંદર અપીલ અધિકારીને નમૂના–જ માં અપીલ કરી શકશે.
June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

બાળવાટિકા આયોજન (Balvatika Planning): હેતુ, દૈનિક આયોજન અને પ્રવૃત્તિઓ

બાળવાટિકા આયોજન (Balvatika Planning): હેતુ, દૈનિક આયોજન અને પ્રવૃત્તિઓ

બાળવાટિકા એ બાળકના શૈક્ષણિક જીવનનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે. આ તબક્કામાં બાળક રમતાં-રમતાં શીખે છે, પોતાની કલ્પનાશક્તિ વિકસાવે છે અને સામાજિક, ભાવનાત્મક, ભાષાકીય તથા શારીરિક વિકાસ તરફ આગળ વધે છે. નવી શિક્ષણ નીતિ (NEP 2020) અનુસાર બાળવાટિકામાં આનંદમય અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

બાળવાટિકા આયોજન શું છે?

દેશભરની શાળાઓમાં હવે મેનેજમેન્ટ કમિટી ફરજિયાત, વાલીઓ-શિક્ષકો સહિતના લોકો હશે સામેલ

બાળવાટિકા આયોજન એટલે બાળકોની ઉંમર અને ક્ષમતાને અનુરૂપ દૈનિક, સાપ્તાહિક અને માસિક શૈક્ષણિક પ્રવૃત્તિઓનું સુવ્યવસ્થિત આયોજન. તેનો હેતુ બાળકોને રમતમાં જ્ઞાન, સંસ્કાર અને જીવન કૌશલ્યો આપવાનો છે.

બાળવાટિકા આયોજનના મુખ્ય હેતુઓ

  • બાળકનો સર્વાંગી વિકાસ કરવો.
  • ભાષા અને સંવાદ કૌશલ્ય વિકસાવવું.
  • સંખ્યાજ્ઞાન અને તર્કશક્તિ વધારવી.
  • સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિને પ્રોત્સાહન આપવું.
  • સામાજિક અને ભાવનાત્મક વિકાસ કરવો.
  • સ્વચ્છતા, શિસ્ત અને સારા સંસ્કારોનું સિંચન કરવું.
  • રમત દ્વારા શીખવાની ટેવ વિકસાવવી.

દૈનિક બાળવાટિકા આયોજન

પ્રગતિનો પ્રવેશોત્સવ – અહેવાલ 2026

સ્વાગત અને પ્રાર્થના

  • બાળકોનું સ્મિત સાથે સ્વાગત, પ્રાર્થના, રાષ્ટ્રીય ગીત અથવા બાળગીત.

હાજરી અને સંવાદ

  • હાજરી લેવી, દિવસ, તારીખ, હવામાન અને સામાન્ય ચર્ચા.

ભાષા વિકાસ પ્રવૃત્તિ

  • વાર્તા, કવિતા, ચિત્ર ઓળખ, અક્ષર પરિચય અને શબ્દભંડોળ વધારવાની પ્રવૃત્તિઓ.

ગણિતીય પ્રવૃત્તિ

  • સંખ્યા ઓળખ, આકાર, રંગ, ગોઠવણી, સરખામણી અને સરળ ગણતરી.

સર્જનાત્મક પ્રવૃત્તિ

  • ચિત્રકામ, રંગપૂરણી, કાગળકામ, માટીકામ અને હસ્તકલા.

રમતગમત અને શારીરિક વિકાસ

  • દોડ, કૂદ, સંતુલન, સંગીત સાથેની રમતો અને યોગ.

જીવન કૌશલ્ય અને સ્વચ્છતા

  • હાથ ધોવા, સ્વચ્છતા, શિસ્ત, વહેંચણી અને સહકારની પ્રવૃત્તિઓ.

સમાપન પ્રવૃત્તિ

  • પુનરાવર્તન, પ્રશ્નોત્તરી અને વિદાય ગીત.

read more :: રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરાશે, શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો

બાળવાટિકામાં ઉપયોગી શિક્ષણ સામગ્રી

  1. ચિત્ર કાર્ડ
  2. ફ્લેશ કાર્ડ
  3. બ્લોક્સ
  4. પઝલ
  5. રંગીન બોલ
  6. વાર્તા પુસ્તકો
  7. ચાર્ટ
  8. શૈક્ષણિક રમકડાં

બાળવાટિકાના લાભ

બાળકમાં આત્મવિશ્વાસ વધે છે.

ભાષા અને સંવાદ કૌશલ્ય વિકસે છે.

સર્જનાત્મક વિચારશક્તિ વધે છે.

શાળામાં જવાની રુચિ વધે છે.

સામાજિક વ્યવહાર અને સહકારની ભાવના વિકસે છે.

શારીરિક અને માનસિક વિકાસ સંતુલિત રીતે થાય છે.

SEO Keywords: બાળવાટિકા આયોજન, Balvatika Planning, બાળવાટિકા દૈનિક આયોજન, Balvatika Activities, NEP 2020, Foundational Stage, ECCE, પ્રાથમિક શિક્ષણ, બાળવિકાસ, રમતાં રમતાં શીખવું.

બાળવાટિકા વિવિધ આયોજન downlod

બાળવાટિકા દૈનિક નોંધ

Exel ફાઈલ બાળવાટિકા માસવાર

બાળવાટિકા દૈનિક સમય પત્રક

બાળવાટિકા જુલાઈ આયોજન

બાળવાટિકા ઓગસ્ટ માસ નું આયોજન

સપ્ટેમ્બર માસ નું આયોજન

ઓક્ટોબર નવેમ્બર માસ નું આયોજન

નિષ્કર્ષ

બાળવાટિકા આયોજન બાળકના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો છે. જો શિક્ષક આનંદમય, રમત આધારિત અને બાળક કેન્દ્રિત આયોજન કરે, તો બાળકો શીખવાની પ્રક્રિયાનો આનંદ માણે છે અને જીવનભર ઉપયોગી એવા કૌશલ્યો વિકસાવે છે.

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

દેશભરની શાળાઓમાં હવે મેનેજમેન્ટ કમિટી ફરજિયાત, વાલીઓ-શિક્ષકો સહિતના લોકો હશે સામેલ

દેશભરની શાળાઓમાં હવે મેનેજમેન્ટ કમિટી ફરજિયાત, વાલીઓ-શિક્ષકો સહિતના લોકો હશે સામેલ

નવી માર્ગદર્શિકા અનુસાર હવે ધોરણ 1 થી 12 સુધી અલગ અલગ સમિતિઓના બદલે એક જ કોમન મેનેજમેન્ટ કમિટી કાર્યરત રહેશે

દેશની શાળા વ્યવસ્થામાં વાલીઓની વધુ સક્રિય ભાગીદારી અને શિક્ષણ વ્યવસ્થાને વધુ જવાબદાર બનાવવા માટે કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિના ભાગરૂપે હવે સરકારી, સ્થાનિક સ્વરાજ્ય સંચાલિત તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (SMC)ની રચના ફરજિયાત બનાવવામાં આવશે.

નવી માર્ગદર્શિકા અનુસાર હવે ધોરણ 1 થી 12 સુધી અલગ અલગ સમિતિઓના બદલે એક જ કોમન મેનેજમેન્ટ કમિટી કાર્યરત રહેશે. અગાઉ પ્રાથમિક અને માધ્યમિક વિભાગો માટે અલગ વ્યવસ્થા હતી, પરંતુ હવે સમગ્ર શાળા માટે એકીકૃત સંચાલન મોડલ અપનાવવામાં આવશે.

પ્રગતિનો પ્રવેશોત્સવ – અહેવાલ 2026

સમિતિની રચનામાં વાલીઓને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે. નવા નિયમ મુજબ સમિતિના મોટા ભાગના સભ્યો વિદ્યાર્થીઓના માતા-પિતા હશે અને અધ્યક્ષ તેમજ ઉપાધ્યક્ષ પદ પણ વાલીઓમાંથી પસંદ કરવામાં આવશે. મહિલાઓની ભાગીદારી વધારવા માટે સમિતિમાં ઓછામાં ઓછા 50 ટકા મહિલા સભ્યો ફરજિયાત રાખવામાં આવ્યા છે.

વિદ્યાર્થી સંખ્યાના આધારે સમિતિનું કદ નક્કી કરવામાં આવ્યું છે. 100 સુધીના વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં 12થી 15 સભ્યો રહેશે, 100થી 500 વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં 15થી 20 સભ્યો રહેશે અને 500થી વધુ વિદ્યાર્થીઓ હોય ત્યાં 20થી 25 સભ્યોની સમિતિ રચાશે. આ સમિતિમાં શિક્ષકો, નિવૃત્ત શિક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ સ્થાન આપવામાં આવશે.

આ સમિતિ માત્ર વહીવટી કામગીરી પૂરતી મર્યાદિત નહીં રહે પરંતુ શાળાના સમગ્ર વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવશે. તેમાં શાળા વિકાસ માટે લાંબા ગાળાનું આયોજન, અભ્યાસ બહાર રહેલા બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવાના પ્રયાસો, વિદ્યાર્થીઓના અધિકારોનું રક્ષણ અને શિક્ષણની ગુણવત્તા સુધારવાના નિર્ણયો સામેલ રહેશે. નાણાકીય પારદર્શિતા વધારવા માટે સમિતિનું સંયુક્ત બેંક ખાતું રાખવામાં આવશે અને દર વર્ષે સામાજિક ઓડિટ પણ ફરજિયાત રહેશે. સાથે સાથે શાળામાં મધ્યાહન ભોજનની ગુણવત્તા, સ્વચ્છતા અને વિદ્યાર્થીઓની સુરક્ષા પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે.

read more :: રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરાશે, શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો

https://twitter.com/VtvGujarati/status/2070356715862921251?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2070356715862921251%7Ctwgr%5Edb8ba5f5a44b9f806c02447c2d68e94b7405d114%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fnational-school-management-committee-new-education-policy

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

અધ્યયન ના સિદ્ધાંતો : આંતરસૂઝ અધ્યયન ➖કોહલર

અધ્યની પ્રક્રિયાની પૂરેપૂરી સમજવા માટે આપણે કેટલાંક મનોવૈજ્ઞાનિકો દ્વારા અધ્યયનના જે સિદ્ધાંતો તારવી કાઢવામાં આવ્યા છે. તેના વિશે જાણકારી મેળવવી પડે. આ સિદ્ધાંતોની મદદથી વર્ગની ઘણી બધી સમસ્યાઓ નિરાકરણ લાવી શકાય છે. અધ્યયનના સિદ્ધાંતો પૈકી આંતર સૂઝ દ્વારા અધ્યયન ની સમજ અહીં આપવામાં આવેલી છે

પ્રાણી : સુલતાન નામનો ચિમ્પાન્ઝી (વાંદરો), કૂંડું, લાકડી

  • આ સિદ્ધાંત જર્મન મનોવૈજ્ઞાનિક કોહલર, કોફકા અને વર્થાઇમરએ આપ્યો છે. તેઓ ગેસ્ટાલ્ટવાદી વિચારધારા ધરાવતા હતા.
  • ગેસ્ટાલ્ટ’ જર્મન શબ્દ છે, જેનો અર્થ સમગ્રતા, આકૃતિ, આકાર કે સમૂહ એવો થાય છે.
  • કોહલરે આ પ્રયોગ ચિમ્પાન્ઝી નામના વાંદરા પર કર્યો હતો. તેનું નામ ‘સુલતાન’ હતું.

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

આંતરસૂઝ અધ્યયન પ્રયોગ–1:

આ પ્રયોગમાં ભૂખ્યા ચિમ્પાન્ઝી વાંદરાને પાંજરામાં પૂરવામાં આવ્યો. કેળાં પાંજરાની બહાર ચિમ્પાન્ઝીના હાથ ન પહોંચે તેટલે દૂર મૂકવામાં આવ્યા. પાંજરામાં એક લાકડી પણ મૂકવામાં આવી. ચિમ્પાન્ઝીએ પહેલાં હાથ વડે કેળાં મેળવવાનો પ્રયત્ન કર્યો, પણ તે સફળ ન થયો. હવે તે પાંજરામાં આંટા મારવા લાગ્યો. અચાનક તેની નજર પાંજરામાં મૂકેલી લાકડી પર પડી. તેણે લાકડી લીધી અને લાકડીની મદદથી કેળાં મેળવવામાં સફળ થયો.

પ્રયોગ–2:

આ પ્રયોગમાં કેળાં પાંજરાની બહાર વધારે દૂર મૂકવામાં આવ્યા. પાંજરામાં એક નાની અને એક મોટી એમ બે લાકડીઓ મૂકવામાં આવી. વાંદરાએ લાકડીની મદદથી કેળાં મેળવવાનો પ્રયત્ન કર્યો, પણ તે સફળ થયો નહીં. તે પાંજરામાં બંને લાકડીઓ સાથે રમવા લાગ્યો. રમતાં રમતાં એક લાકડીનો છેડો બીજી લાકડીમાં ખોસાઈ ગયો તેથી લાકડીની લંબાઈ વધી ગઈ. આ રીતે ચિમ્પાન્ઝીને સમસ્યાનો ઉકેલ મળી ગયો. તે મોટી લાકડીની મદદથી કેળાં મેળવવામાં સફળ થયો.

ફલિતાર્થ:

  • આંતરસૂઝ દ્વારા અધ્યયન ગોખણપટ્ટીને ઉત્તેજન આપતું નથી, પણ પૂર્ણતત્ત્વને પ્રાધાન્ય આપે છે.
  • શિક્ષણ સાથે વાસ્તવિક જીવન સાંકળવામાં આવે તો અધ્યયન અસરકારક બને છે.
  • બાળકને પહેલાં સમસ્યાનો ખ્યાલ આપી પછી જ તેના ભાગોનો ખ્યાલ આપવો જોઈએ.
  • શિક્ષણમાં વિવિધ વિષયો વચ્ચે અને વિષયો અને વાસ્તવિક જીવન વચ્ચે અન્વય બંધાવવો જોઈએ.

બી. હિલગાર્ડ ના આંતરસૂઝ દ્વારા શિક્ષણના મુખ્ય ચાર લક્ષણો:

  • શીખનાર પાસે પૂર્વ અનુભવ
  • યોગ્ય પ્રયોગિક ગોઠવણ
  • યોગ્ય બૌદ્ધિક સ્તર
  • પ્રેરિત પ્રયત્ન અને ભૂલયુક્ત વર્તન

પ્રગતિનો પ્રવેશોત્સવ – અહેવાલ 2026

read more :: રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરાશે, શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

પ્રગતિનો પ્રવેશોત્સવ – અહેવાલ 2026

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ અમારી શાળામાં તા. 23 થી 25 દરમિયાન પ્રગતિનો પ્રવેશોત્સવ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો. કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળાપ્રવેશયોગ્ય તમામ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે જોડવા, વાલીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા તથા શાળામાં આનંદમય અને આવકારદાયક વાતાવરણનું નિર્માણ કરવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન મહેમાનો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, એસ.એમ.સી.ના સભ્યો, વાલીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં નવા વિદ્યાર્થીઓનું કંકુ-તિલક, પુષ્પહાર, મીઠાઈ અને તાળીઓના ગડગડાટ સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. બાળકોને શાળાનો પરિચય કરાવવામાં આવ્યો તેમજ શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું. શાળામાં ઉપલબ્ધ શૈક્ષણિક સુવિધાઓ, રમતગમત, પુસ્તકાલય, ડિજિટલ શિક્ષણ અને વિવિધ સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવામાં આવી.

ત્રણ દિવસ દરમિયાન શિક્ષકો દ્વારા ગામમાં સંપર્ક અભિયાન ચલાવી પ્રવેશપાત્ર બાળકોના ઘરે મુલાકાત લેવામાં આવી. વાલીઓ સાથે સંવાદ કરી બાળકોને નિયમિત શાળાએ મોકલવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહ વધે તે માટે વિવિધ રમતો, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રેરણાત્મક પ્રવૃત્તિઓ તથા વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.

સમગ્ર કાર્યક્રમ શિક્ષકો, એસ.એમ.સી., ગ્રામજનો અને વાલીઓના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ પ્રવેશોત્સવ દ્વારા શાળામાં નવા વિદ્યાર્થીઓનો ઉત્સાહપૂર્વક પ્રવેશ થયો અને શિક્ષણ પ્રત્યે સકારાત્મક વાતાવરણનું નિર્માણ થયું. અંતે સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.

પ્રગતિનો પ્રવેશોત્સવ – અહેવાલ

અન્ય રજા વિશે વાંચવા માટે નીચેનું આર્ટીકલ જુઓ

શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

વિષય: પ્રગતિનો પ્રવેશોત્સવ 2026

  • કાર્યક્રમની તારીખ: 23 થી 25
  • સ્થળ: _
  • કાર્યક્રમનો મુખ્ય હેતુ
  • મહેમાનો અને ઉપસ્થિત મહાનુભાવોનો પરિચય
  • દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના
  • મહેમાનોનું સ્વાગત અને સન્માન
  • નવા વિદ્યાર્થીઓનું તિલક, ફૂલહાર અને મીઠાઈથી સ્વાગત
  • વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ અપાવવાની કામગીરી
  • વાલીઓ સાથે સંવાદ અને શિક્ષણનું મહત્વ સમજાવવું
  • શાળાની વિવિધ સુવિધાઓનો પરિચય
  • પાઠ્યપુસ્તકો, શૈક્ષણિક કિટ અથવા અન્ય સામગ્રીનું વિતરણ (જો કરવામાં આવ્યું હોય)
  • સાંસ્કૃતિક કાર્યક્રમો, બાળગીત, નૃત્ય અને પ્રેરણાત્મક પ્રવૃત્તિઓ
  • વૃક્ષારોપણ, સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ
  • ગ્રામજનો, એસ.એમ.સી., શિક્ષકો અને કર્મચારીઓનો સહયોગ
  • ત્રણ દિવસ દરમિયાન થયેલા કુલ પ્રવેશની વિગતો
  • કાર્યક્રમની મુખ્ય સિદ્ધિઓ
  • આભારવિધિ
  • કાર્યક્રમનું સફળ સમાપન અને નિષ્કર્ષ

વિષય: પ્રગતિનો પ્રવેશોત્સવ

read more :: રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરાશે, શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

8મા પગાર પંચનું મોટું અપડેટ: કેન્દ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બરમાં મળી શકે છે મોટી ભેટ

8મા પગાર પંચનું મોટું અપડેટ: કેન્દ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બરમાં મળી શકે છે મોટી ભેટ

8th Pay Commission updates: મોંઘવારી ભથ્થા (DA) માં વધારાની શક્યતા; પગાર પંચને રિપોર્ટ સોંપવા 10 મહિના બાકી, 5.5 મિલિયન કર્મચારીઓ અને 6.9 મિલિયન પેન્શનરોને થશે સીધો ફાયદો.

8મા પગાર પંચનું મોટું અપડેટ: કેન્દ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બરમાં મળી શકે છે મોટી ભેટ 8th pay commission central government employees da hike salary updates

  • સપ્ટેમ્બરમાં DA વધારાની જાહેરાત, લાખો કર્મચારી-પેન્શનરોને ફાયદો થશે.
  • 8મા પગાર પંચે સૂચનો મેળવ્યા, મૂળ પગાર વધારાની મુખ્ય માંગ.
  • પંચ રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે, વધુ સૂચનો મેળવશે.

8th Pay Commission updates: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટા અને ખુશીના સમાચાર છે. 8મા પગાર પંચની ભલામણો અને મોંઘવારી ભથ્થા (DA) ને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. 8મા પગાર પંચને રચાયે લગભગ આઠ મહિના વીતી ગયા છે અને હવે પંચ પાસે પોતાની ભલામણો સરકારને સોંપવા માટે 10 મહિનાનો સમય બાકી છે. જોકે, આ દરમિયાન કર્મચારીઓ માટે સારા સમાચાર એ છે કે સરકાર આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં DA માં વધારો જાહેર કરી શકે છે. આ નિર્ણયથી દેશના લગભગ 5.5 મિલિયન (55 લાખ) કર્મચારીઓ અને 6.9 મિલિયન (69 લાખ) પેન્શનરોને સીધો ફાયદો થશે.

DA વધીને 60% થયો, સપ્ટેમ્બરમાં નવી જાહેરાતની આશા

કેન્દ્ર સરકાર સામાન્ય રીતે વર્ષમાં બે વાર પોતાના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) જાહેર કરે છે.

આ વર્ષે જાન્યુઆરીમાં સરકારે DA માં 2% નો વધારો કર્યો હતો, જેનાથી કર્મચારીઓનું કુલ DA 60% થઈ ગયું છે.

જુલાઈથી ડિસેમ્બરના સમયગાળા માટેનું DA મોટાભાગે સપ્ટેમ્બરમાં જાહેર કરવામાં આવે છે, જોકે ક્યારેક તેમાં ઓક્ટોબર સુધીનો સમય પણ લાગી શકે છે.

DA ની જાહેરાતમાં લાગતા સમય પાછળનું કારણ ડેટા છે. સરકાર માત્ર એક મહિનાના ડેટા પરથી નિર્ણય નથી લેતી, પણ સરેરાશ કાઢવા માટે ઓછામાં ઓછા 2 થી 3 મહિનાના ડેટાનો ઉપયોગ કરે છે.

કઈ રીતે થાય છે DA ની ગણતરી?

કેન્દ્રીય કર્મચારીઓના DA ની ગણતરી લેબર બ્યુરો દ્વારા જાહેર કરાયેલા ‘ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ’ (AICPI-IW) ના ડેટાના આધારે કરવામાં આવે છે. એપ્રિલ 2026 નો અંતિમ AICPI-IW આંકડો 0.8 પોઈન્ટ વધીને 149.9 પર પહોંચ્યો હતો. હવે જુલાઈ 2026 માં DA નો દર કેટલો વધશે, તેનો સીધો આધાર મે અને જૂન મહિનાના ડેટા પર રહેલો છે.

8મા પગાર પંચ સમક્ષ કર્મચારીઓની મુખ્ય માંગણીઓ

  • 8મા પગાર પંચને પોતાના સૂચનો (મેમોરેન્ડમ) સોંપવાની અંતિમ તારીખ 15 જૂન, 2026 હતી, જે હવે પૂર્ણ થઈ ચૂકી છે.
  • કેન્દ્ર સરકારના વિવિધ કર્મચારી સંગઠનોએ પંચને પોતાના પ્રસ્તાવો આપી દીધા છે, જેમાં પગાર, પેન્શન અને નિવૃત્તિ પછીના લાભો વધારવાની માંગ કરાઈ છે.
  • કર્મચારીઓની સૌથી મોટી માંગ ‘ફિટમેન્ટ ફેક્ટર’ (Fitment Factor) વધારવાની અને લઘુત્તમ મૂળ પગાર (Basic Pay) માં નોંધપાત્ર વધારો કરવાની છે.

પંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રવાસે

15 જૂનની સમયમર્યાદા પૂરી થયા બાદ હવે પગાર પંચે કર્મચારીઓ સાથે પરામર્શ (ચર્ચા-વિચારણા) નો એક મહત્વનો તબક્કો પૂરો કરી લીધો છે. હવે કમિશન કર્મચારીઓ, પેન્શનરો અને અન્ય લોકો તરફથી મળેલા સૂચનોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરશે. આ ઉપરાંત, 8મા પગાર પંચે દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મુલાકાત લેવાનું પણ શરૂ કરી દીધું છે (જે પૈકી કેટલાક રાજ્યોનો પ્રવાસ પૂરો પણ થઈ ગયો છે). આ મુલાકાતનો મુખ્ય હેતુ ગ્રાઉન્ડ લેવલ પર જઈને કર્મચારીઓ પાસેથી સીધા જ સૂચનો મેળવવાનો છે.

ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation

Frequently Asked Questions

  • સરકાર આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં DA માં વધારો જાહેર કરી શકે છે. આનાથી લગભગ 55 લાખ કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને ફાયદો થશે.
  • 8th Pay Commission updates: મોંઘવારી ભથ્થા(DA) માં વધારાની શક્યતા; પગાર પંચને રિપોર્ટ સોંપવા10 મહિના બાકી, 5.5 મિલિયન કર્મચારીઓ અને6.9 મિલિયન પેન્શનરોને થશે સીધો ફાયદો.

અબ્રાહમ મેસ્લો પ્રેરણાઓના શ્રેણી ક્રમ નો સિદ્ધાંત

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

ULLAS ➖ઉલ્લાસ ( understanding of lifelong learning for all in society )

➖ શિક્ષણ પૂર્ણ કરેલા અને પુખ્ત વયના લોકોને શૈક્ષણિક તકો પૂરી પાડવી.
➖ કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજના

✡️ ઉલ્લાસ ના ઘટકો

  1. પાયાની સાક્ષરતા અને અભિગમ
  2. તાર્કિક જીવન કૌશલ્યો
  3. પાયાનું શિક્ષણ
  4. વ્યવસાયિક કૌશલ્ય
  5. સતત શિક્ષણ

➖ULLAS મોબાઈલ એપ્લિકેશન જુલાઈ 23 થી શરૂ કરવામાં આવેલ છે.
➖ JUN 2024 થી ઉલ્લાસ હેઠળ સંપૂર્ણ સાક્ષરતાનું લક્ષ્ય છે..

Tet htat કે અન્ય શિક્ષણ ની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે વાંચવા લાયક આર્ટિકલ

અબ્રાહમ મેસ્લો પ્રેરણાઓના શ્રેણી ક્રમ નો સિદ્ધાંત

ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation

READ MORE :: Tet /htat exam માટે ઉપયોગી બચાવપ્રયુક્તિઓ

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930