www.educationparipatr.com :::રાજ્યના સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે. પાંચમા પગારપંચ હેઠળના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો છે. રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ માટે એક મોટા અને ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાત સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી દીધી છે.
આ મોંઘવારી ભથ્થું (DA) છે શું? તો તમને જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થું એ રકમ છે જે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી વધવા છતાં તેમનું જીવનધોરણ સારી રીતે જાળવી રાખવા માટે સરકાર તરફથી આપવામાં આવે છે. દેશની વર્તમાન મોંઘવારીના આંકડાઓ પ્રમાણે દર 6 મહિને તેની ગણતરી થાય છે.
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
u003cstrongu003eતન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.u003c/strongu003e
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં HTAT મુખ્ય શિક્ષકોની ભરતી અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ મુખ્ય શિક્ષકની ખાલી જગ્યાઓ સત્વરે ભરવા આદેશ કર્યો છે.
રાજ્યના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ નિર્ણય લેતા શિક્ષણ વિભાગે HTAT મુખ્ય શિક્ષકોની લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો છે. વિભાગ દ્વારા તમામ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે.
પરિપત્ર મુજબ રાજ્યભરમાં ખાલી પડેલી 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ઝડપથી ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સાથે જ આગામી અંદાજપત્રની તૈયારી પહેલાં નવી જગ્યાઓની જરૂરિયાત અંગેની દરખાસ્તો પણ મોકલવા સૂચના આપવામાં આવી છે.
૧:૧:૨ રેશિયો અંતર્ગત તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ
શિક્ષણ વિભાગે ભરતી પ્રક્રિયા 1:1:2 રેશિયો મુજબ હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. આ રેશિયો અંતર્ગત મુખ્ય શિક્ષકોની ભરતી સીધી ભરતી, બઢતી અને ખાસ સ્પર્ધાત્મક (સેમી ડાયરેક્ટ) પરીક્ષા દ્વારા કરવામાં આવશે. વિભાગના આ નિર્ણયથી લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરાશે અને શાળાઓના વહીવટી તેમજ શૈક્ષણિક કાર્યમાં ગતિ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નવી જગ્યાઓ માટે દરખાસ્ત મોકલવા સૂચના
અધિકારીઓને જરૂરી દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ કરીને ભરતી પ્રક્રિયાને વેગ આપવા સૂચના આપવામાં આવી છે. શિક્ષણજગતમાં આ નિર્ણયને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે, કારણ કે મુખ્ય શિક્ષકોની અછતને કારણે અનેક શાળાઓમાં સંચાલન સંબંધિત પડકારો ઉભા થયા હતા.
વિભાગના આ પગલાથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા અને સંચાલન વ્યવસ્થામાં વધુ સુધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
💥💥💥💥રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં HTAT મુખ્ય શિક્ષકની જગ્યાઓ ઉભી કરવા તથા ખાલી જગ્યાઓ ભરવા💥💥💥💥
📌વધુમાં વર્ષ ૨૦૨૫-૨૬ ના અંદાજપત્રમા મુખ્ય શિક્ષક વર્ગ-૩ ની તત્કાલિન સમયે બાકી રહેલ ૧,૮૦૮ જગ્યા ઉભી કરવા અંગે નવી બાબત નાણા વિભાગને રજુ કરેલ તેમા નાણા વિભાગે તત્કાલિન સમયે મુખ્ય શિક્ષક સંવર્ગની મંજુર| જગ્યા પૈકીની ખાલી રફેલ જગ્યા પ્રથમ ભરવા અને ત્યારબાદ નવી જગ્યા ઉભી કરવા અંગેની દરખાસ્ત કરવા સુચન કરેલ| હોઇ, મુખ્ય શિક્ષક વર્ગ-૩ ની ખાલી રહેલ જગ્યા ભરવા અંગેની કાર્યવાહી સત્વરે હાથ ધરી આગામી અંદાજપત્ર તૈયાર કરવા અંગેની કામગીરીની શરુઆત થાય તે અગાઉ પૂર્ણ કરવા આજ્ઞાનુસાર વિનંતી છે.💥💥
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
u003cstrongu003eતન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.u003c/strongu003e