અધ્યયન ના સિદ્ધાંતો : આંતરસૂઝ અધ્યયન ➖કોહલર

અધ્યની પ્રક્રિયાની પૂરેપૂરી સમજવા માટે આપણે કેટલાંક મનોવૈજ્ઞાનિકો દ્વારા અધ્યયનના જે સિદ્ધાંતો તારવી કાઢવામાં આવ્યા છે. તેના વિશે જાણકારી મેળવવી પડે. આ સિદ્ધાંતોની મદદથી વર્ગની ઘણી બધી સમસ્યાઓ નિરાકરણ લાવી શકાય છે. અધ્યયનના સિદ્ધાંતો પૈકી આંતર સૂઝ દ્વારા અધ્યયન ની સમજ અહીં આપવામાં આવેલી છે

પ્રાણી : સુલતાન નામનો ચિમ્પાન્ઝી (વાંદરો), કૂંડું, લાકડી

  • આ સિદ્ધાંત જર્મન મનોવૈજ્ઞાનિક કોહલર, કોફકા અને વર્થાઇમરએ આપ્યો છે. તેઓ ગેસ્ટાલ્ટવાદી વિચારધારા ધરાવતા હતા.
  • ગેસ્ટાલ્ટ’ જર્મન શબ્દ છે, જેનો અર્થ સમગ્રતા, આકૃતિ, આકાર કે સમૂહ એવો થાય છે.
  • કોહલરે આ પ્રયોગ ચિમ્પાન્ઝી નામના વાંદરા પર કર્યો હતો. તેનું નામ ‘સુલતાન’ હતું.

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

આંતરસૂઝ અધ્યયન પ્રયોગ–1:

આ પ્રયોગમાં ભૂખ્યા ચિમ્પાન્ઝી વાંદરાને પાંજરામાં પૂરવામાં આવ્યો. કેળાં પાંજરાની બહાર ચિમ્પાન્ઝીના હાથ ન પહોંચે તેટલે દૂર મૂકવામાં આવ્યા. પાંજરામાં એક લાકડી પણ મૂકવામાં આવી. ચિમ્પાન્ઝીએ પહેલાં હાથ વડે કેળાં મેળવવાનો પ્રયત્ન કર્યો, પણ તે સફળ ન થયો. હવે તે પાંજરામાં આંટા મારવા લાગ્યો. અચાનક તેની નજર પાંજરામાં મૂકેલી લાકડી પર પડી. તેણે લાકડી લીધી અને લાકડીની મદદથી કેળાં મેળવવામાં સફળ થયો.

પ્રયોગ–2:

આ પ્રયોગમાં કેળાં પાંજરાની બહાર વધારે દૂર મૂકવામાં આવ્યા. પાંજરામાં એક નાની અને એક મોટી એમ બે લાકડીઓ મૂકવામાં આવી. વાંદરાએ લાકડીની મદદથી કેળાં મેળવવાનો પ્રયત્ન કર્યો, પણ તે સફળ થયો નહીં. તે પાંજરામાં બંને લાકડીઓ સાથે રમવા લાગ્યો. રમતાં રમતાં એક લાકડીનો છેડો બીજી લાકડીમાં ખોસાઈ ગયો તેથી લાકડીની લંબાઈ વધી ગઈ. આ રીતે ચિમ્પાન્ઝીને સમસ્યાનો ઉકેલ મળી ગયો. તે મોટી લાકડીની મદદથી કેળાં મેળવવામાં સફળ થયો.

ફલિતાર્થ:

  • આંતરસૂઝ દ્વારા અધ્યયન ગોખણપટ્ટીને ઉત્તેજન આપતું નથી, પણ પૂર્ણતત્ત્વને પ્રાધાન્ય આપે છે.
  • શિક્ષણ સાથે વાસ્તવિક જીવન સાંકળવામાં આવે તો અધ્યયન અસરકારક બને છે.
  • બાળકને પહેલાં સમસ્યાનો ખ્યાલ આપી પછી જ તેના ભાગોનો ખ્યાલ આપવો જોઈએ.
  • શિક્ષણમાં વિવિધ વિષયો વચ્ચે અને વિષયો અને વાસ્તવિક જીવન વચ્ચે અન્વય બંધાવવો જોઈએ.

બી. હિલગાર્ડ ના આંતરસૂઝ દ્વારા શિક્ષણના મુખ્ય ચાર લક્ષણો:

  • શીખનાર પાસે પૂર્વ અનુભવ
  • યોગ્ય પ્રયોગિક ગોઠવણ
  • યોગ્ય બૌદ્ધિક સ્તર
  • પ્રેરિત પ્રયત્ન અને ભૂલયુક્ત વર્તન

પ્રગતિનો પ્રવેશોત્સવ – અહેવાલ 2026

read more :: રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરાશે, શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

પ્રગતિનો પ્રવેશોત્સવ – અહેવાલ 2026

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ અમારી શાળામાં તા. 23 થી 25 દરમિયાન પ્રગતિનો પ્રવેશોત્સવ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો. કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળાપ્રવેશયોગ્ય તમામ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે જોડવા, વાલીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા તથા શાળામાં આનંદમય અને આવકારદાયક વાતાવરણનું નિર્માણ કરવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન મહેમાનો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, એસ.એમ.સી.ના સભ્યો, વાલીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં નવા વિદ્યાર્થીઓનું કંકુ-તિલક, પુષ્પહાર, મીઠાઈ અને તાળીઓના ગડગડાટ સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. બાળકોને શાળાનો પરિચય કરાવવામાં આવ્યો તેમજ શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું. શાળામાં ઉપલબ્ધ શૈક્ષણિક સુવિધાઓ, રમતગમત, પુસ્તકાલય, ડિજિટલ શિક્ષણ અને વિવિધ સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવામાં આવી.

ત્રણ દિવસ દરમિયાન શિક્ષકો દ્વારા ગામમાં સંપર્ક અભિયાન ચલાવી પ્રવેશપાત્ર બાળકોના ઘરે મુલાકાત લેવામાં આવી. વાલીઓ સાથે સંવાદ કરી બાળકોને નિયમિત શાળાએ મોકલવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહ વધે તે માટે વિવિધ રમતો, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રેરણાત્મક પ્રવૃત્તિઓ તથા વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.

સમગ્ર કાર્યક્રમ શિક્ષકો, એસ.એમ.સી., ગ્રામજનો અને વાલીઓના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ પ્રવેશોત્સવ દ્વારા શાળામાં નવા વિદ્યાર્થીઓનો ઉત્સાહપૂર્વક પ્રવેશ થયો અને શિક્ષણ પ્રત્યે સકારાત્મક વાતાવરણનું નિર્માણ થયું. અંતે સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.

પ્રગતિનો પ્રવેશોત્સવ – અહેવાલ

અન્ય રજા વિશે વાંચવા માટે નીચેનું આર્ટીકલ જુઓ

શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

વિષય: પ્રગતિનો પ્રવેશોત્સવ 2026

  • કાર્યક્રમની તારીખ: 23 થી 25
  • સ્થળ: _
  • કાર્યક્રમનો મુખ્ય હેતુ
  • મહેમાનો અને ઉપસ્થિત મહાનુભાવોનો પરિચય
  • દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના
  • મહેમાનોનું સ્વાગત અને સન્માન
  • નવા વિદ્યાર્થીઓનું તિલક, ફૂલહાર અને મીઠાઈથી સ્વાગત
  • વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ અપાવવાની કામગીરી
  • વાલીઓ સાથે સંવાદ અને શિક્ષણનું મહત્વ સમજાવવું
  • શાળાની વિવિધ સુવિધાઓનો પરિચય
  • પાઠ્યપુસ્તકો, શૈક્ષણિક કિટ અથવા અન્ય સામગ્રીનું વિતરણ (જો કરવામાં આવ્યું હોય)
  • સાંસ્કૃતિક કાર્યક્રમો, બાળગીત, નૃત્ય અને પ્રેરણાત્મક પ્રવૃત્તિઓ
  • વૃક્ષારોપણ, સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ
  • ગ્રામજનો, એસ.એમ.સી., શિક્ષકો અને કર્મચારીઓનો સહયોગ
  • ત્રણ દિવસ દરમિયાન થયેલા કુલ પ્રવેશની વિગતો
  • કાર્યક્રમની મુખ્ય સિદ્ધિઓ
  • આભારવિધિ
  • કાર્યક્રમનું સફળ સમાપન અને નિષ્કર્ષ

વિષય: પ્રગતિનો પ્રવેશોત્સવ

read more :: રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરાશે, શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930