અધ્યની પ્રક્રિયાની પૂરેપૂરી સમજવા માટે આપણે કેટલાંક મનોવૈજ્ઞાનિકો દ્વારા અધ્યયનના જે સિદ્ધાંતો તારવી કાઢવામાં આવ્યા છે. તેના વિશે જાણકારી મેળવવી પડે. આ સિદ્ધાંતોની મદદથી વર્ગની ઘણી બધી સમસ્યાઓ નિરાકરણ લાવી શકાય છે. અધ્યયનના સિદ્ધાંતો પૈકી આંતર સૂઝ દ્વારા અધ્યયન ની સમજ અહીં આપવામાં આવેલી છે
પ્રણેતા : કોહલર
પ્રાણી : સુલતાન નામનો ચિમ્પાન્ઝી (વાંદરો), કૂંડું, લાકડી
- આ સિદ્ધાંત જર્મન મનોવૈજ્ઞાનિક કોહલર, કોફકા અને વર્થાઇમરએ આપ્યો છે. તેઓ ગેસ્ટાલ્ટવાદી વિચારધારા ધરાવતા હતા.
- ગેસ્ટાલ્ટ’ જર્મન શબ્દ છે, જેનો અર્થ સમગ્રતા, આકૃતિ, આકાર કે સમૂહ એવો થાય છે.
- કોહલરે આ પ્રયોગ ચિમ્પાન્ઝી નામના વાંદરા પર કર્યો હતો. તેનું નામ ‘સુલતાન’ હતું.
અર્ધ પગારી રજા (Ardhpagari leave)
આંતરસૂઝ અધ્યયન પ્રયોગ–1:
આ પ્રયોગમાં ભૂખ્યા ચિમ્પાન્ઝી વાંદરાને પાંજરામાં પૂરવામાં આવ્યો. કેળાં પાંજરાની બહાર ચિમ્પાન્ઝીના હાથ ન પહોંચે તેટલે દૂર મૂકવામાં આવ્યા. પાંજરામાં એક લાકડી પણ મૂકવામાં આવી. ચિમ્પાન્ઝીએ પહેલાં હાથ વડે કેળાં મેળવવાનો પ્રયત્ન કર્યો, પણ તે સફળ ન થયો. હવે તે પાંજરામાં આંટા મારવા લાગ્યો. અચાનક તેની નજર પાંજરામાં મૂકેલી લાકડી પર પડી. તેણે લાકડી લીધી અને લાકડીની મદદથી કેળાં મેળવવામાં સફળ થયો.

પ્રયોગ–2:
આ પ્રયોગમાં કેળાં પાંજરાની બહાર વધારે દૂર મૂકવામાં આવ્યા. પાંજરામાં એક નાની અને એક મોટી એમ બે લાકડીઓ મૂકવામાં આવી. વાંદરાએ લાકડીની મદદથી કેળાં મેળવવાનો પ્રયત્ન કર્યો, પણ તે સફળ થયો નહીં. તે પાંજરામાં બંને લાકડીઓ સાથે રમવા લાગ્યો. રમતાં રમતાં એક લાકડીનો છેડો બીજી લાકડીમાં ખોસાઈ ગયો તેથી લાકડીની લંબાઈ વધી ગઈ. આ રીતે ચિમ્પાન્ઝીને સમસ્યાનો ઉકેલ મળી ગયો. તે મોટી લાકડીની મદદથી કેળાં મેળવવામાં સફળ થયો.
ફલિતાર્થ:
- આંતરસૂઝ દ્વારા અધ્યયન ગોખણપટ્ટીને ઉત્તેજન આપતું નથી, પણ પૂર્ણતત્ત્વને પ્રાધાન્ય આપે છે.
- શિક્ષણ સાથે વાસ્તવિક જીવન સાંકળવામાં આવે તો અધ્યયન અસરકારક બને છે.
- બાળકને પહેલાં સમસ્યાનો ખ્યાલ આપી પછી જ તેના ભાગોનો ખ્યાલ આપવો જોઈએ.
- શિક્ષણમાં વિવિધ વિષયો વચ્ચે અને વિષયો અને વાસ્તવિક જીવન વચ્ચે અન્વય બંધાવવો જોઈએ.
બી. હિલગાર્ડ ના આંતરસૂઝ દ્વારા શિક્ષણના મુખ્ય ચાર લક્ષણો:
- શીખનાર પાસે પૂર્વ અનુભવ
- યોગ્ય પ્રયોગિક ગોઠવણ
- યોગ્ય બૌદ્ધિક સ્તર
- પ્રેરિત પ્રયત્ન અને ભૂલયુક્ત વર્તન
પ્રગતિનો પ્રવેશોત્સવ – અહેવાલ 2026
read more :: રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરાશે, શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ..
અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.

