નેશનલ કરિક્યુલમ ફ્રેમ વર્ક (NCF) – 2005

NCF-2005 (રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા) એ NCERT દ્વારા તૈયાર થયેલ દસ્તાવેજ છે. જેમાં ડૉ. યશપાલનું વિશેષ યોગદાન છે. જે ભારત વિના ભારતરના અહેવાલના આધારે તૈયાર થયો છે.

શિક્ષણ એ ભારતીય બંધારણની સમવર્તી યાદીનો વિષય છે.

દેશભરની શાળાઓમાં હવે મેનેજમેન્ટ કમિટી ફરજિયાત, વાલીઓ-શિક્ષકો સહિતના લોકો હશે સામેલ

ડૉ. યશપાલની આગેવાનીમાં આંતરરાષ્ટ્રીય સ્તરના વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો અને પ્રોફેસરોએ MHRDની દેખરેખ હેઠળ તૈયાર કરેલ છે.

મુખ્ય ભલામણો : શિક્ષણ એક નવી રાષ્ટ્રીય યુગ

  • શિક્ષણને બહારના જીવન સાથે જોડવું.
  • ગોખણપટ્ટીથી મુક્ત શિક્ષણ બનાવવું.
  • પાઠ્યક્રમ માત્ર પુસ્તક પૂરતો સીમિત ન રહે, વાસ્તવિક જીવનના સંદર્ભો સામેલ કરવા.
  • પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવું જોઈએ.
  • રાષ્ટ્રીય એકતા બને તેવું શિક્ષણ આપવું જોઈએ.
  • બાળક પોતે જ્ઞાનનું સર્જન કરે છે, માટે તેને એવું વાતાવરણ પૂરું પાડવું.
  • પ્રારંભિક શિક્ષણ પ્રાદેશિક ભાષામાં આપવું જોઈએ.

પ્રગતિનો પ્રવેશોત્સવ – અહેવાલ 2026

બોજરૂપ શિક્ષણમાંથી મુક્તિ આપવા માટે અભ્યાસક્રમ રચના માટે ચાર માર્ગદર્શક સિદ્ધાંતો સૂચવે છે.

  1. શાળા બહારના જીવન સાથે જ્ઞાનને જોડવું.
  2. ભારતર ગોખણપટ્ટીથી દૂર રહે તેનું ધ્યાન રાખવું.
  3. અભ્યાસક્રમને એવી રીતે સમૃદ્ધ કરવો જેથી તે પાઠ્યપુસ્તકોથી પણ આગળ જતો હોય.
  4. પરીક્ષાઓને વધુ સરળ બનાવવી અને વર્ગખંડના જીવન સાથે સંબંધિત કરવી.

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

NCF-2005માં ભાષામાં ત્રિભાષા સૂત્રનો અમલ કરવાનું જણાવે છે.

  • પ્રાદેશિક ભાષાને પ્રાધાન્ય આપવું તેમજ અંગ્રેજી ભાષાનો પણ સ્વીકાર કરવો અને માતૃભાષાને શિક્ષણના એક સારા માધ્યમ તરીકે સ્વીકારવાનું જણાવે છે.
  • તેમાં આદિવાસી ભાષાઓને પણ સામેલ કરવાની જરૂર છે.
  • ગણિત શીખવવાનું મુખ્ય લક્ષ્ય ગણિતના જ્ઞાન કરતાં ગણિતીય પ્રક્રિયાઓને તર્કબદ્ધ રીતે વિચારવું, અમૂર્ત ખ્યાલો સમજવા અને તેનો ઉપયોગ કરવો તે છે.
  • વિજ્ઞાનની ભાષા, પ્રક્રિયા અને વિષયવસ્તુ વિદ્યાર્થીની ઉંમર અને તેની જ્ઞાન ક્ષમતાને અનુરૂપ હોવી જોઈએ.
  • વિજ્ઞાન શિક્ષણ જિજ્ઞાસાને સંતોષનારું હોવું જોઈએ.
  • સામાજિક વિજ્ઞાનના શિક્ષણનું લક્ષ્ય વિદ્યાર્થીઓને નૈતિક ઊર્જા મળે જે આગળ જતાં બાળકોમાં સ્વતંત્ર વિચાર કરવાની ક્ષમતા તથા સામાજિક મુદ્દાઓ પર વિવેકપૂર્ણ દૃષ્ટિકોણ વિકસિત કરી શકે તેવું હોવું જોઈએ.
  • નાગરિકશાસ્ત્રને રાજનીતિશાસ્ત્ર બનાવવું જોઈએ.
  • વિદ્યાર્થીઓને કલા, શાંતિ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ આપવું જોઈએ.
  • પરીક્ષા સંદર્ભે NCFમાં વિષય આધારિત કસોટીઓને બદલે સમસ્યા, ઉકેલ અને સમજણની કસોટીઓની તેમજ ટૂંકી પરીક્ષાઓ રાખવાની ભલામણ કરી છે.
  • ઉપરોક્ત અભિગમના આધારે શાળાના વિવિધ અભ્યાસક્રમોની ભલામણો પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ કક્ષાઓ માટે કરવામાં આવી છે.

NCF મુજબ બાળક જ જ્ઞાનનું સર્જન કરે છે.

બાળક જ્ઞાનનું સર્જન કરે છે તે હકીકતનો સુચિતાર્થ એ છે કે અભ્યાસક્રમ, પાઠ્યક્રમ અને પાઠ્યપુસ્તકો એવા હોવા જોઈએ કે તેના દ્વારા શિક્ષકો બાળકોના સ્વભાવ અને તેમના પર્યાવરણની સાથે તાલમેલ સાધીને વર્ગખંડના અનુભવો પ્રયોગશાળાસક્ષમ બને અને બધા બાળકોને તર્ક પૂરી પાડી શકે.

NCF–2005 એટલે…

  • NCF (રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા) 2000ની સમીક્ષાના આધારે તૈયાર થયેલો દસ્તાવેજ છે.
  • ડૉ. યશપાલજીની અધ્યક્ષતામાં રાષ્ટ્ર કક્ષાની એક તથા વિવિધ વિષયો આધારિત 21 ફોકસ ગ્રુપ દ્વારા તૈયાર થયેલ દસ્તાવેજ.
  • 1993ના ‘ભાર વગરનું ભણતર’ અહેવાલના આધારે તૈયાર થયેલ દસ્તાવેજ.

NCF-2005ના મહત્ત્વના મુદ્દાઓ

  • [09:40, 28/06/2026] સાબલી રામાયણ: શિક્ષણની રાષ્ટ્રીય વ્યવસ્થાને બહુલતાવાળી સમાજમાં મજબૂતી પ્રદાન કરવી.
  • ‘ભાર વગરના ભણતર’ની સમજ પ્રમાણે પાઠ્યચર્યાના ભારને ઓછું કરવું.
  • પાઠ્યચર્યા સુધારા સાથે વ્યવસ્થાગત પરિવર્તન.
  • સંવિધાનમાં નિર્દિષ્ટ મૂલ્યો, સામાજિક ન્યાય, સમાનતા અને બિનસાંપ્રદાયિકતા આધારિત પાઠ્યચર્યા અભ્યાસ.
  • બધા માટે ગુણવત્તાપૂર્ણ શિક્ષણ સુનિશ્ચિત કરવું.
  • એવા નાગરિક વર્ગનું નિર્માણ જેની લોકશાહી પ્રક્રિયામાં મૂલ્યોમાં, દૈનિક ન્યાય પ્રત્યે સંવેદનશીલતા, અનુસૂચિત જાતિઓ, જનજાતિઓ અને વિશેષ આવશ્યકતાવાળા બાળકોની સમસ્યાઓ અને આવશ્યકતાઓ પ્રત્યે આસ્થા હોય તથા તેમાં રાજકીય અને આર્થિક પ્રક્રિયાઓમાં ભાગ લેવાની ક્ષમતા હોય.
  • અધ્યાપન અને અધ્યયન સંબંધોનું પુનઃઅભિસ્થાપન કરવું.
  • વિદ્યાર્થીઓના વિકાસ અને શિક્ષણના સંબંધમાં સર્વાંગી દૃષ્ટિકોણ.
  • આંકડા આધારિત અને આવશ્યકતા આધારિત કાર્યક્રમો દ્વારા શીખવવાની અસમર્થતાને દૂર કરવી.
  • જ્ઞાન નિર્માણમાં વિદ્યાર્થીઓનો સહયોગ અને સ્વતંત્રતા વધારવી.
  • પ્રયોગાત્મક માધ્યમો દ્વારા સક્રિય શિક્ષણ.
  • પાઠ્યચર્યા પ્રક્રિયાઓમાં બાળકોના વિચાર, ઉત્સુકતા અને પ્રશ્નાર્થતા માટે સ્થાન.
  • જ્ઞાનની શિક્ષણલક્ષી સીમાઓથી આગળ વિસ્તાર આપતા શિક્ષણના માળખાને વ્યાપક પરિમાણો આપવા.
  • વિદ્યાર્થીઓની સહભાગિતાના ક્ષેત્ર—અવલોકન, સંશોધન, ટીકાત્મક ચર્ચા વગેરે પણ વિષય શિક્ષણની જેમ શિક્ષણના મહત્ત્વપૂર્ણ વિષય છે.
  • સામાજિક-સાંસ્કૃતિક વાસ્તવિકતા પર નિર્ણાયક સમજને વિકસિત કરનારી પ્રક્રિયાઓને પાઠ્યચર્યામાં સ્થાનની આવશ્યકતા. સ્થાનિક જ્ઞાન અને બાળકોના અનુભવો પાઠ્યપુસ્તકો અને અધ્યાપન તકનિકીના મહત્ત્વપૂર્ણ અંગ છે.
  • શાળાના વર્ષ બાળકોની ક્ષમતાઓ, યોગ્યતાઓ વગેરેમાં ઊંડાપૂર્વક વિકાસના વર્ષ હોય છે. એ માટે વિષયવસ્તુની પસંદગી અને વ્યવસ્થા તથા જ્ઞાન નિર્માણની પ્રક્રિયાઓને તેમના હિતોને અનુરૂપ કરવાની આવશ્યકતા છે.
  • [09:43, 28/06/2026] સાબલી રામાયણ: લખાણ નીચે મુજબ છે:
  • કેન્દ્રીય માહિતી પંચ અને રાજ્ય માહિતી પંચને કોઈપણ બાબતમાં તપાસ કરતી વખતે દીવાની ન્યાયાલયમાં નિહિત થયેલી સત્તા જેવી જ સત્તા રહેશે. (કલમ 18(1))
  • ઉપરના દરજ્જાના અધિકારીનો નિર્ણય સામેની બીજી અપીલ જે તારીખે નિર્ણય કરવો જોઈતો હતો અથવા ખરેખર મળ્યો હોય તે તારીખથી નેવું દિવસની અંદર કેન્દ્રીય માહિતી પંચ અથવા રાજ્ય માહિતી પંચ સમક્ષ કરી શકાશે. (કલમ 19(3))
  • દર વર્ષે કેન્દ્રીય માહિતી પંચે કેન્દ્ર સરકારને અને રાજ્ય માહિતી પંચે રાજ્ય સરકારને અહેવાલ મોકલવો પડશે. (કલમ 25(1))
  • આ કાયદાના અમલ પછી માહિતી સ્વાતંત્ર્ય અધિનિયમ–2002 રદ કરવામાં આવેલ છે. (કલમ 31)
  • માહિતી મેળવવા માંગતી વ્યક્તિએ નિયમ–5 હેઠળ કરાવેલી ફી સાથે નમૂના ‘ક’ માં અથવા ઈ-મીડિયા મારફતે જાહેર માહિતી અધિકારીને અરજી કરવી જોઈએ.
  • અરજીની પહોંચ અરજદારને નમૂના ‘ખ’ માં આપવામાં આવશે.
  • ઈ-મીડિયાથી અરજી કરનાર વ્યક્તિએ અરજીની તારીખથી સાત દિવસની અંદર ફી ભરવી જોઈએ. જેમાં ચૂક કર્યે અરજી પાછી ખેંચેલી ગણાશે.
  • BPL (ગરીબી રેખા હેઠળ) કુટુંબના કાર્ડની પ્રમાણિત નકલ અથવા સંબંધિત સત્તાધિકારીએ અર્થે કાઢી આપેલું પ્રમાણપત્ર અરજીને સાથે જોડે તો તેવી વ્યક્તિએ ફી અને ચાર્જ ભરવાના થશે નહીં.
  • જાહેર માહિતી અધિકારીએ અરજદારે માંગેલી માહિતી, તેની વિનંતી મળ્યાથી ત્રીસ દિવસની અંદર નમૂના–ઘ માં પૂરી પાડવી જોઈએ અથવા અરજીના અસ્વીકાર અંગે નમૂના–છ માં જાણ કરવી જોઈએ.
  • ગુજરાતમાં અરજીદીઠ રૂ. 20 અરજી ફી રહેશે. (અલગ–અલગ રાજ્યોમાં અલગ–અલગ ફીની જોગવાઈ છે.)
  • જાહેર માહિતી અધિકારીના નમૂના–ઘ અથવા નમૂના–છ માંના નિર્ણયથી નારાજ થયેલી અથવા નિર્ણય ન મળ્યો હોય તેવી કોઈપણ વ્યક્તિએ નિર્ણય મળ્યાની અથવા નિર્ણય ન મળ્યાની તારીખથી ત્રીસ દિવસની અંદર અપીલ અધિકારીને નમૂના–જ માં અપીલ કરી શકશે.
June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

Leave a Comment