વિદ્યાર્થીને કોઈ વિષયમાં E ગ્રેડ આવે છે તો શું કરવું?

👉 પરિપત્ર આ પત્ર 17.03.2020 gceart નો છેઃ  

👫૧. શિક્ષણ વિભાગનું નોટીફીકેશન No.GH/SH/83/PRE/122019/singleFile-5-K Date 21 September, 2019 

👫૨. જીસીઇઆરટીનો પરિપત્ર ક્રમાંકઃ જીસીઇઆરટી/સી ઇ/મૂલ્યાંકન/2014-15/16061-16111 તા. 1/8/2014 વિષય: ધોરણ 1 થી 8 ની મૂલ્યાંકન યોજનામાં સુધારો

વંચાણે લીધેલ -1 ના નોટીફીકેશનમાં બાળકો માટેના મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર અધિનિયમ ૨૦૦૯ના વિનિયમોમાં કલમ 24 માં સુધારો કરેલ છે. સદર સુધારા અનુસાર કલમ-24 ની પેટા કલમ-G પછી H, I, J, K અને L ઉમેરવામાં આવેલ છે, જે આ સાથે સામેલ છે. આ સુધારા અનુસાર ધોરણ 5 અને ધોરણ 8 માં દરેક વિષયમાં A, B, C, કે D ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીને જ આગળના ધોરણમાં વર્ગબઢતી આપવાની રહેશે. અન્ય ધોરણમાં વિદ્યાર્થીને અટકાવી શકાશે નહીં.

આમ, વર્ષ 2019-20 થી, ધોરણ 5 અથવા ધોરણ 8 માં જે વિદ્યાર્થી બે કે તેથી વધુ વિષયમાં E ગ્રેડ મેળવે(એટલે કે 35%થી ઓછું સિદ્ધિસ્તર હોય) તેને જે તે ધોરણમાંથી વર્ગબઢતી આપી શકાશે નહીં. પરંતુ પરીક્ષાનું પરિણામ જાહેર થયાના બે માસ દરમિયાન ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કર્યા બાદ શાળાકક્ષાએ પુન:કસોટી યોજવાની રહેશે જેમાં વિદ્યાર્થી પોતાના ગ્રેડમાં અપેક્ષિત સુધારો કરી શકે તો વર્ગબઢતી આપવાની રહેશે. ધોરણ 5 અને ધોરણ 8 સિવાયના અન્ય ધોરણોમાં કોઈ વિદ્યાર્થીને રોકી શકાશે નહીં. ” આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળાઓ (જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા હસ્તકની તેમજ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ (સ્વનિર્ભર) ખાનગી શાળાઓ)માં ફરજિયાત અમલ કરવાકરાવવા આપની કક્ષાએથી સંબંધિતોને જાણ કરવા વિનંતી.

પેન્શનમાં મૂળ નામ શબ્દ પછી જોડાયેલ માનવાચક પ્રત્યયો બાબત ➖paripatr

કુટુંબ ની વ્યાખ્યા માં સુધારોઆરોગ્ય વિભાગ નો કર્મચારી માટે મહત્વ નો પત્ર

✅➖ ✅કર્મયોગી પોર્ટલ માં રજા આ રીતે મુકાય

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

Leave a Comment