8મા પગાર પંચના એરીયર લઈને ખુબ ચર્ચા થઇ રહી છે. જેમાં કર્મચારીઓને કેટલું એરીયર મળશે? તે બાબત ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ભર કરશે.
read more :: રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરાશે, શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો
કેન્દ્રીય કર્મચારીઓમાં હાલમાં 8મા પગાર પંચ વિશે ઘણી ચર્ચા ચાલી રહી છે. જેમાં ફિટમેન્ટ ફેક્ટરથી એરીયર સુધીના મુખ્ય પ્રશ્નોના જવાબો હજુ પણ રાહ જોવાઈ રહ્યા છે. જેના લીધે કર્મચારીઓમાં ઉત્સુકતા છે. 7મું નાણાં પંચ 31 ડિસેમ્બર 2025 ના રોજ સમાપ્ત થયું હતું અને 8મું નાણાં પંચ 1 જાન્યુઆરીથી અમલમાં આવ્યું હતું. આથી જ કર્મચારીઓ પગાર પંચ સંબંધિત માહિતી પર વધુને વધુ ચર્ચા કરી રહ્યા છે. નવા પગાર પંચના અહેવાલની સીધી અસર 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરો પર પડશે.
અબ્રાહમ મેસ્લો પ્રેરણાઓના શ્રેણી ક્રમ નો સિદ્ધાંત
પગાર પંચના અમલીકરણ અને અસરકારકતા વચ્ચે અંતર જોવા મળે તે સામાન્ય બાબત છે. આ રિપોર્ટની તૈયારી અને ત્યાર બાદના સરકારી નિર્ણયને કારણે થાય છે. 8મા પગાર પંચના અમલીકરણની તારીખ 1 જાન્યુઆરી 2026 છે, પરંતુ તેને સંપૂર્ણપણે અસરકારક બનવામાં સમય લાગશે. કમિશન હાલમાં અહેવાલો તૈયાર કરી રહ્યું છે અને તે મુજબ કર્મચારીઓએરીયર માટે પાત્ર રહેશે. પણ આ અંગેનો અંતિમ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવશે.
કેટલું મળશે એરિયર ?
READ MORE :: Tet /htat exam માટે ઉપયોગી બચાવપ્રયુક્તિઓ
8મા પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓને કેટલું એરિયર મળશે તે મોટાભાગે ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ભર રહેશે. જેમાં કર્મચારી સંગઠનોએ પગાર પંચ પાસેથી 3.83 ફિટમેન્ટ ફેક્ટરની માંગણી કરી છે. જો આ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો બેઝિક પગાર 18000 રૂપિયાથી વધીને 69,000 રૂપિયા થશે. મતલબ કે જો 3.83 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો બેઝિક પગાર 51000 રૂપિયા વધી શકે છે.
મતલબ કે 8મા નાણા પંચને અમલમાં આવવામાં 24 મહિના લાગે છે. તો આવી સ્થિતિમાં કર્મચારીઓને12.24 લાખ રૂપિયા સુધીનું એરિયર મળશે. જો 18 મહિનાનું એરિયર મળે તો પણ રકમ 9.18 લાખ રૂપિયા રહેશે. પણ કેન્દ્ર સરકારે ફિટમેન્ટ ફેક્ટર અંગે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી.
ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation
અંતિમ એરિયર ઘણા પરિબળો પર આધાર રાખશે, જેમાં બેઝીક પગાર, ફિટમેન્ટ ફેક્ટર, મોંઘવારી ભથ્થાને મર્જ કરવા માટેનું ફોર્મ્યુલા (જો કોઈ હોય તો), તે કઈ તારીખથી પ્રાપ્ત થશે, કર્મચારીના પે લેવલ વગેરેનો સમાવેશ થાય છે. જેમાં અમુક અહેવાલો અનુસાર 8મું પગાર પંચ 2027 ના અંત સુધીમાં સંપૂર્ણ રીતે લાગુ થઈ શકે છે.
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ..
અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
TET : बैगर टीईटी वाले शिक्षकों को नहीं मिलेगा प्रमोशन, सरकार ने किया साफ, नवंबर 2027 तक की मोहलत
અન્ય રજા વિશે વાંચવા માટે નીચેનું આર્ટીકલ જુઓ
અર્ધ પગારી રજા (Ardhpagari leave)
