ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના શાળા રેકોર્ડમાં નામ, અટક, પિતાનું નામ, જન્મતારીખ અને જાતિ સંબંધિત ભૂલ દૂર કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટ માર્ગદર્શન જાહેર કરવામાં આવ્યું છે. જો તમે તમારા બાળકના શાળા રેકોર્ડમાં કોઇ પણ પ્રકારનો સુધારો કરવા માંગતા હો તો આ લેખ તમારા માટે ખૂબ ઉપયોગી છે.
આ નમૂનો પાલનપુર, બનાસકાંઠા નો છે. પણ સમજવા ખુબજ ઉપયોગી છે.દરખાસ્ત અને તમામ પુરાવા સાથેની નકલ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, પાલનપુર ખાતે શાળાના જવાબદાર કર્મચારી દ્વારા જ મોકલવી રહેશે.
વાંચન ગણન લેખન FLN ના તમામ પત્રકો અને ઉપયોગી સાહિત્ય
કેન્દ્ર સરકારના કર્મચારીઓ મોંઘવારી ભથ્થા (Dearness Allowance)ના છેલ્લા વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે જાણીએ કે આ વખતે કેન્દ્ર સરકાર કેટલા ટકા મોંઘવારી ભથ્થું વધારી શકે છે.DA Hike under 7th Pay Commission:
કેન્દ્ર સરકારના કર્મચારીઓ મોંઘવારી ભથ્થા (Dearness Allowance)ના છેલ્લા વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 7મા પગારપંચ હેઠળ આ છેલ્લો DA રિવિઝન હશે, જે ડિસેમ્બર 2025માં સમાપ્ત થઈ જશે. જોકે, આ મોંઘવારી ભથ્થું જુલાઈથી લાગુ ગણાય છે, પરંતુ સામાન્ય રીતે તેની ચૂકવણી ઓક્ટોબરમાં કરવામાં આવે છે. આવી સ્થિતિમાં કર્મચારીઓને આ વખતે પગારમાં ખાસ રાહત મળવાની આશા છે, ખાસ કરીને તહેવારોની સિઝન પહેલાં.
માર્ચ 2025માં 2% DA વધારવાની જાહેરાત કરી હતી, આ વધારો જાન્યુઆરી 2025થી લાગુ કરાયો હતો. આ 2%ના વધારાથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોનું DA વધીને મૂળ પગાર (બેઝિક પગાર)ના 55% સુધી પહોંચી ગયું છે.
આ વખતે 3% વધારો થાય તેવી સંભાવના
આ વખતે 3% વધારો થાય તેવી સંભાવનામોંઘવારી ભથ્થાની ગણતરી લેબર બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવતા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ ફોર ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સ (CPI-IW)ના આધારે કરવામાં આવે છે. જૂન 2024થી મે 2025 સુધી, છેલ્લા 12 મહિનાનું સરેરાશ AICPI-IW 143.3 આવ્યું છે. તેને 2001ના બેઝ યરના 261.42 સાથે જોડીને 7મા પગારપંચના ફોર્મ્યુલા દ્વારા DAનો સંભવિત વધારો નક્કી કરવામાં આવે છે.
મોંઘવારી ભથ્થાની ગણતરી લેબર બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવતા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ ફોર ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સ (CPI-IW)ના આધારે કરવામાં આવે છે. જૂન 2024થી મે 2025 સુધી, છેલ્લા 12 મહિનાનું સરેરાશ AICPI-IW 143.3 આવ્યું છે. તેને 2001ના બેઝ યરના 261.42 સાથે જોડીને 7મા પગારપંચના ફોર્મ્યુલા દ્વારા DAનો સંભવિત વધારો નક્કી કરવામાં આવે છે.
ગણતરી
412.70 – 261.42 / 261.42 x 100 = 0.578
57.8% અથવા લગભગ 58%
મતલબ
DA 55%થી વધીને 58%
આનો મતલબ છે કે DA 55%થી વધીને 58% સુધી જઈ શકે છે. આનો અર્થ એ થયો કે કેન્દ્ર સરકાર આ વખતે 3% DA વધારી શકે છે, કારણ કે હાલમાં DA 55% છે. આ હિસાબે જો કોઈ કર્મચારીનો બેઝિક પગાર ₹25,000 હોય, તો તેમનું DA ₹13,750થી વધીને લગભગ ₹14,500 થઈ જશે.
અપડેટ?8મા પગારપંચ
સરકારે હજુ સુધી 8મા પગારપંચની ટર્મ્સ ઓફ રેફરન્સ (TOR) જાહેર કરી નથી, અને ન તો તેના અધ્યક્ષ કે સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. નિષ્ણાતો માને છે કે આ પ્રક્રિયામાં ઓછામાં ઓછો દોઢથી બે વર્ષનો સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં 8મું પગારપંચ વર્ષ 2027ની શરૂઆતમાં લાગુ થઈ શકે છે, જેની ગણતરી જાન્યુઆરી 2026થી કરવામાં આવશે. તેની સીધી અસર એ થશે કે કર્મચારીઓને તે સમયગાળાનું એરિયર પેમેન્ટ પણ મળશે.
છેલ્લો DA વધારો કેમ મનાય છે?
એવું માનવામાં આવે છે કે 8મા પગારપંચ પછી DA રીસેટ કરીને ફરીથી શરૂ કરવામાં આવશે. જુલાઈ 2025નો DA વધારો 7મા પગારપંચનો છેલ્લો હશે,
આ છેલ્લો DA વધારો કેમ મનાય છે? જ્યારે 7મા પગારપંચની ભલામણો લાગુ કરવામાં આવી હતી, ત્યારે DAને શૂન્ય કરીને ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું
8મા પગારપંચ પછી DA રીસેટ કરીને ફરીથી શરૂ કરવામાં આવશે. જુલાઈ 2025નો DA વધારો 7મા પગારપંચનો છેલ્લો હશે, કારણ કે ડિસેમ્બર 2025માં તેની સમયમર્યાદા સમાપ્ત થઈ રહી છે. ત્યારબાદ 8મા પગારપંચ લાગુ થાય ત્યાં સુધી કર્મચારીઓ CPI-IW આધારિત વધારા વિના રહી શકે છે. આ જ કારણે આ DA વધારો ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે.
DA Hike under 7th Pay Commission માં માઘવારી ભાથું હાલ કેટલું છે ?
શું તમે ગુજરાતીમાં સુવિચાર શાળા માટે શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ ગુજરાતી સુવિચાર શાળા માટે રજુ કર્યા છે .જે આપની શાળા માં ખુબજ ઉપયોગી થશે .વેબસાઈટ WWW.EDUCATION PARIPAR COM ગુજરાત ના પ્રાથમિક શિક્ષણ ની તમામ અગત્ય ની બાબત , ભરતી ,યોજના ,શિક્ષક ટીએલએમ પ્રાથમિક શિક્ષણ ન્યૂઝ વિગેરે આપે છે . આપ અમારી વેબ પર આવ્યા બદલ આભાર .
નાના સુવિચાર ગુજરાતીમાં
✔શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે.
✔શાળા એ ગ્રંથાલય અને રમતગમતનું મંદિર છે.
✔શિક્ષણ એ આત્માનું ખોરાક છે.
✔શિક્ષક એ વિદ્યાર્થીનો માર્ગદર્શક છે.
✔વિદ્યા એ શક્તિ છે.
✔જ્ઞાન એ સર્વશ્રેષ્ઠ સંપત્તિ છે.
✔શિક્ષણ એ સમાજનો આધાર છે.
✔શિક્ષણ એ વિકાસનું શસ્ત્ર છે.
✔શિક્ષણ એ શાંતિનું સાધન છે.
✔શિક્ષણ એ ઉત્સાહ અને પ્રેરણાનો સ્ત્રોત છે.
✔શાળા એ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાનું કેન્દ્ર છે.
✔શિક્ષણ એ સમાજનું આધુનિકીકરણ છે.
✔શિક્ષણ એ ગરીબીનો નાશ કરવાનું એક માધ્યમ છે.
✔શિક્ષણ એ સંસ્કૃતિ અને ધર્મનું જતન કરે છે.
✔શિક્ષણ એ સમાજનું સુધારણા કરે છે.
✔શિક્ષણ એ સમાજનું સંકલન કરે છે.
✔શિક્ષણ એ સમાજનું સંરક્ષણ કરે છે.
✔શિક્ષણ એ સંશોધન અને નવીનતાનું ઘર છે.
✔શિક્ષણ એ વ્યક્તિગત અને સામાજિક વિકાસનું મહત્વનું સાધન છે.
ગુજરાતી સુવિચાર શાળા માટે | નાના સુવિચાર |
👉શિક્ષણ એ વિશ્વની સમસ્યાઓનું નિરાકરણ શોધવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે.
👉શિક્ષણ એ વિશ્વને એક સ્થળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે.
👉શિક્ષણ એ આપણા બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે
💥આજનું કામ આજે જ કરો.
💥સકારાત્મક વિચારોથી સફળતા નીકળે છે.
💥જીવનમાં ક્યારેય હાર ન માનવી જોઈએ.
💥શીખવાનું ક્યારેય બંધ ન કરવું જોઈએ.
💥સમયનું મૂલ્ય જાણો.
💥સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન રહે છે.
💥પ્રેમ એ જીવનનું સૌથી મોટું આભાર્ય છે.
💥સહકાર એ સફળતાનો પાયો છે.
💥દાન એ ભગવાનનું ધર્મ છે.
💥અહિંસા એ સૌથી મોટું બળ છે.
💥સત્ય એ જીવનનો પાયો છે.
💥ભગવાનમાં વિશ્વાસ રાખો.
💥મનની શાંતિ એ જીવનનું સૌથી મોટું સુખ છે.
💥સમસ્યાઓને પડકાર તરીકે જુઓ.
💛જીવનમાં સફળ થવા માટે મહેનત અને સખત પરિશ્રમ જરૂરી છે.
💛ખુશી એ જીવનનું સૌથી મોટું સંપત્તિ છે.
💛સમયનો સારો ઉપયોગ કરો.
💛જીવનને સરળતાથી લો.
💛ખુશી તમારી પાસે છે, તમે તેને શોધવા માટે બહાર જોઈ રહ્યા છો.
💛સમસ્યાઓને ભૂલી જાઓ, સમાધાનો શોધો.
💛જીવન એક અનુભવ છે, તેને માણો.
💛બીજાઓને જે રીતે ઈચ્છો છો તે રીતે તમારી સાથે વર્તવા દો.
💛પ્રેમ કરો અને પ્રેમ પામો.
💛સ્વીકારો અને છોડી દો.
💛આજે જ શરૂઆત કરો.
💛તમારી જાતને પ્રેમ કરો.
💛કૃતજ્ઞ રહો.
💛સંશોધન કરો અને જાણો.
💛પરિપૂર્ણ ન હોવાથી ડરશો નહીં.
💛તમારા સપનાને પૂર્ણ કરો.
💛જવાબદારી લો.
💛આત્મવિશ્વાસ રાખો.
💛સમય જાય છે, પરંતુ સમય મૂલ્યવાન છે.
💛જીવનમાં સફળ થવા માટે શીખો અને વિકસો.
💛જીવનમાં સુખી રહેવા માટે તમારી જાતને સંતુષ્ટ રાખો.
💛જીવનમાં સફળ થવા માટે ખુશ રહો.
ગુજરાતી સુવિચાર શાળા માટે | નાના સુવિચાર | Gujarati Suvichar for School
હમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતા પણ વધારે જલ્દી ઈશ્વરની નજીક પહોચાય છે.
જેનામાં આત્મવિશ્વાસ ન હોય એનામાં બીજી વસ્તુઓ તરફ વિશ્વાસ કઈ રીતે ઉત્પન્ન થઇ શકે.
જ્ઞાની માણસોનું કામ પોતાના દોષ શોધી કાઢવાનું છે.
પરિણામની જે પરવા કરતો નથી એવા માણસ ને બધા કર્તવ્યો એકસરખા લાગે છે.
બકરીની જેમ સો વર્ષ જીવવા કરતા એક પળ સિંહની જેમ જીવવું વધુ બહેતર છે.
સાચી કેળવણી તો તે છે કે જે માનવી પોતાના પગ પર ઊભો રહેતા શીખવે.
જે સ્વાર્થી માણસ પોતાની જ પરવા કરે છે અને આળસુ જીવન ગાળે છે, તેને નરકમાં પણ સ્થાન નથી.
અનંત શ્રદ્ધા અને બળ, એજ માત્ર સફળતાનું રહસ્ય છે.
દરેક બાળક એવો સંદેશ લઈને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ થયા નથી.
શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.
ઓછી આવડતવાળો શિક્ષક કદાચ નિભાવી શકાય, પણ શીલ અને સંસ્કાર વિનાનો શિક્ષક તો ન જ ચાલે.
બંધ હોઠમાં કેદ ચમકતા સફેદ મોટી જેવા દાત સાથેના ચઢેલા ચહેરા કરતા પીળા દાંત બતાવતું મુગ્ધ હાસ્ય વધુ સારૂ.
કોણ કેટલું જીવે છે એ મહત્વનું નથી, કોણ કેવું જીવે છે એ અગત્યનું છે.
હજાર માઈલની લાંબી સફર પણ માત્ર પ્રથમ પગલાં શરૂ થાય છે.
💜આજના સુર્યને આવતીકાલના વાદળો પાછળ સંતાડી દેવો એનું નામ ચિંતા. 💜ખુદને ખરાબ કહેવાની હિમત નથી રહી તેથી બધા કહે છે કે જમાનો ખરાબ છે. 💜મારો જન્મ મારા પિતાને આભારી છે, પરંતુ મારૂ જીવન તો મારા શિક્ષકને આભારી છે. 💜ભેગા મળીને જીવે તે ગામડાની સંસ્કૃતિ, પરંતુ ભેગું કરીને જીવે તે શહેરની સંસ્કૃતિ. 💜શિક્ષણ એટલે જીવનની વિકટ પરિસ્થિતિઓનો મુકાબલો કરવાની શક્તિ. 💜તકની મોટી મુશ્કેલી એ છે કે એ આવે છે તેના કરતા જતી રહે ત્યારે મોટી લાગે છે .💜મારૂ એ સાચું નહિ પણ સાચું એજ મારૂ – આ સિદ્ધાંત જીવનમાં અપનાવાથી સુખી થવાય છે 💜 દાન કેટલું આપ્યું તે મહત્વનું નથી, દાન ક્યાં માર્ગે વપરાયું તે મહત્વનું છે. 💜કોણ સાચું છે તે વાત મહત્વની નથી, પણ શું સાચું છે તે વાત મહત્વની છે. 💜ક્ષમા આપવી એ ઉતમ છે, પણ ભૂલી જવું એ એના કરતાંય વધુ ઉત્તમ. 💜શિક્ષણ આજીવિકા ના સાધન તરીકે હોય તો કલા છે ,જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે. 💜તરસ્યા ને પાણી પાવું, ભુખ્યાને રોટલો આપવો, અંધને રસ્તો બતાવવો – એ ઉત્કૃષ્ટ કર્મદાન છે. 💜જે ઘરમાં પાચ થી દસ સારા પુસ્તકો ન હોય ત્યાં દિકરી આપતા વિચાર કરજો. 💜શિક્ષક અર્કવાળો, તર્કવાળો, મધુપર્કવાળો અને સતત સંપર્ક વાળો હોવો જોઈએ. 💜પ્રબળ આત્મવિશ્વાસ જ મહાનાકાર્યોનો જનક છે.
✅વધારે પડતા કાર્યનો બોજો નહિ, પરંતુ અનિયમિતતા જ માણસને મારી નાખે છે.
✅સફળ માતા-પિતા એ જગતની સર્વશ્રેષ્ઠ ડીગ્રી છે.
✅બધી કલાઓમાં જીવન જીવવાની કલા શ્રેષ્ઠ છે, સારી રીતે જીવી જાણે તે જ સાચો કલાકાર.
✅ઈર્ષા, લોભ, ક્રોધ અને કઠોરવચન – આ ચાર વસ્તુ થી હમેશા દૂર રહેવું તેનું નામ ધર્મ.
✅જો એક વાર બોલતા પહેલા બે વાર વિચારશો તો તમે સારૂ બોલશો.
✅આપણે સમયનું ધ્યાન નથી રાખતા, તેથી સમય આપણું ધ્યાન નથી રાખતો.
✅તમારો અહંકાર બીજાને કદાચ ડંખે, પણ તમારું તો પતન જ કરે.
✅અમીર હોવા છતાં જેની ધનલાલસા ઓછી નથી થઇ, તે સૌથી વધુ ગરીબ છે.
✅તમે આળસને માત્ર “આજ” આપશો, તો તે તમારી “કાલ” પણ ચોરી જશે.
✅જાત ને બદલશો તો આખું જગત બદલાઈ જશે.
✅જોખમ તો દરેક કામમાં છે, પરંતુ કશું નહિ કરવામાં સૌથી મોટું જોખમ છે.
✅સાચું બોલવાનો એક ફાયદો એ છે કે પછી આપને શું બોલેલા તે યાદ રાખવું પડતું નથી.
✅હું સુખી છુ એનું કારણ એ છે કે મારે કોઈની પાસેથી કશું જોઈતું નથી. – આઇન્સ્ટાઇન
✅જિંદગીનો સૌથી નકામો દિવસ એ છે કે જે દિવસે આપણે હાસ્ય ના હોઈએ.- ચાર્લી ચેપ્લીન
✅જયારે દરેક વસ્તુ તમને સહેલાયથી મળવા લાગે ત્યારે સમજવું કે તમે એ રસ્તા પર એકલા ચાલી રહ્યા છો.
✅ જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હમેશા ખુશ રહો, કારણકે તમારી ખુશી એ વ્યક્તિઓને ખતમ કરી નાખશે.
✅જીવનની મુશ્કેલ પળ એ છે કે જયારે તમને ખબર જ છે કે તમે ખોટા છો છતાં તમે દલીલ કરવાનું ચાલુ રાખો.
✅જો આપને પ્રસન્ન હોઈએ તો આખી પ્રકૃતિ આપણી સાથે હસતી હોય તેવું લાગે છે.
✅પુસ્તકનું મુલ્ય રત્ન કરતાય અધિક છે, રત્ન બહારની ચમક બતાવે છે. જયારે પુસ્તક અંતઃકરણને ઉજજવળ કરે છે. – ગાંધીજી
✅ધન કરતા જ્ઞાન એટલા માટે ઉતમ છે કે ધનની રક્ષા તમારે જ કરવી પડે છે જયારે જ્ઞાન તો પોતે જ તમારી રક્ષા કરે છે.
✅કોઈ એક ઉંચા આસન પર બેસવાથી કઈ ગૌરવ વધતું નથી, ગૌરવ ગુણોને કારણે આવે છે, કાગડો રાજમહેલના શિખર પર બેઠો હોય તો તે ગરૂડ કહેવાય નહિ.
ગુજરાતી શુભ સુવિચાર શાળામાં લખી શકાય તેવા સુવિચાર
💢જગતને જોવા માટે આંખ હોવી અનિવાર્ય છે, પણ શું જોવા જેવું છે ને શું નથી એના માટે દ્રષ્ટિ જોઈએ. 💢જિંદગીની કિતાબમાં ભૂતકાળમાં ખોટું લખાઇ ગયું હોય તો તેની ચિંતામાં પડવા કરતા કિતાબના કોરા પાના સારા લખાય તેની ચિંતા કરો. જાગ્યા ત્યાર થી સવાર. 💢સાહેબ કહે એ સાચું નહિ પણ સાચું કહે એ સાહેબ. 💢પુરુષાર્થ વિનાની સંપતિ, આત્મા વિનાનો આનંદ, માનવતા વિનાનું વિજ્ઞાન, સંસ્કાર વિનાનું જ્ઞાન, સિદ્ધાંત વિનાનું રાજકારણ, નૈતિકતા વિનાનો વેપાર અને ત્યાગ વિનાની પૂજા. આ સાત મહાપાપ છે. – ગાંધીજી 💢આજીવિકા માટે તમને ગમે તેવું કામ પસંદ કરો, પછી આખી જિંદગી ક્યારેય તમારે કામ કરવું પડશે નહિ. 💢મને આ વાત માં વિશ્વાસ છે – તમારા કામથી તમારી ઓળખ ઊભી થાય છે, ઓળખથી તમને સન્માન મળે છે, અને સન્માનથી તમને શક્તિ મળે છે.- નારાયણ મૂર્તિ 💢પ્રેમ વિનાનું કામ એ ગુલામી છે. – મધર ટેરેસા 💢ગુસ્સાની એક ક્ષણ સાંભળી શકશો, તો પસ્તાવાના સો વર્ષ થી બચી જશો. 💢ખેતરે પહોચો સૌથી પહેલા,ખાટલે પહોચો સૌથી છેલ્લા. 💢જે કઈક પૂછે છે એ પાંચેક મીનીટ માટે મૂરખ સાબિત થઇ શકે, જે કશું પૂછતો નથી એ આખી જિંદગી મૂરખ રહે છે. 💢તમારું કોઈ કામ કોઈ જાણે નહિ એવું ઇચ્છતા હો તો એ કામ કરો જ નહિ. 💢પોતાની જવાબદારીમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું. 💢જે માણસ કોઈનુંય કશું સંભાળતો નથી એનું ઈશ્વર પણ કઈ સાંભાળતો નથી. 64. સાદાઈ,સંયમ અને સંતોષ હશે તો જ શાંતિની અનુભૂતિ થઇ શકશે. 💢સંતતિ અને સંપતિ એ કુદરતી દેન છે, તેને પ્રાપ્ત કરવા પાપ ન કરાય પણ પ્રયત્ન કરાય. 💢તમારી હાજરીથી જે લોકો કાપે છે, એ જ લોકો તમારી ગેરહાજરીમાં તમને કાપે છે. 💢બાળકોને કેળવવા એ એક કળા છે, એમાં જેટલો સમય આપશો એટલા મીઠા ફળ ભવિષ્યમાં મળશે. 💢દુનિયામાં માનપૂર્વક રહેવાનો સરળ માર્ગ એ છે કે, આપણે જેવા બહારથી દેખાવા ઇચ્છતા હોઈએ તેવાજ અંદર થી પણ રહીએ. 💢પગ લપસવાથી થયેલા ઘા રૂઝાય જશે, પણ જીભ લપસવાથી થયેલા ઘા રૂઝાતા બહુ વાર લાગે છે. 💢માણસ જો પોતાના મન થી શાંતિ પ્રાપ્ત ન કરી શકતો હોય, તો દુનિયાનું કોઈપણ સ્થળ તેને શાંતિ આપી શકશે નહિ. 💢સાચા-ખોટાને પારખી શકવાનો વિવેક જ સાચું શિક્ષણ. 💢હે પ્રભુ હું જે ઈચ્છું એ નહિ, પણ જે યોગ્ય હોય તેજ થાજો. 💢કામ આજે જ કરો આવતી કાલે તો એ કામ ને કાટ ચડી જશે. 💢વ્યવહારુ માણસ એ ગણાય જે દરેક સમસ્યામાંથી પોતાની તક શોધી લે. 💢આ દુનિયામાં આપણું કઈ જ નથી સિવાય કે સમય. 💢ગૂંચ પડી છે તો ઉકેલી નાખો,ગાંઠ પડી છે તો છોડી નાખો,ભૂલ થઇ હોય તો સુધારી લો. 💢કામ કરવાનો વિચાર આવતાજ જેને, થાક લાગવા માંડે છે એ માણસ ખરો આળસુ. 💢જેની પાસે ઓછું ધન છે તે ગરીબ નથી પણ જેની ઇચ્છાઓ અતૃપ્ત છે તેજ ખરેખરો ગરીબ છે. 💢દૂર રહીને પણ જે દિલ માં રહે એ આપણો ખરો સ્વજન. 💢ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. 💢માણસ પોતે જ પોતાનો ભાગ્યવિધાતા છે. 💢જે મળે તે ગમે એનું નામ સુખ.
SCHOOL GOOD SUVICHAR
💖માણસ એટલે સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક.
💖સપના સાચા પાડવા માટે ખરા સમયે જાગી જવું પણ બહુ જરૂરી છે.
💖જે માતા-પિતા પોતાના બાળકોને લાડકા ઉછેરે છે, તેઓ તેનું ભવિષ્ય બગાડે છે.
💖રાતે ઘસઘસાટ ઊંઘવા માટે નિષ્કલંક અંતરાત્મા જેવું મુલાયમ ઓશીકું એકેય નથી.
💖શાણપણ એટલે વિવેક મર્યાદાને પાણી ચડાવેલું જ્ઞાન.
💖શાણા માણસો પુસ્તક અને પોતાનું જીવન બન્ને વાંચે છે.
💖જે તમારા દોષ દેખાડે તેને દાટેલું ધન દેખાડનારો સમજો.
💖જે બીજાને જાણે તે શિક્ષિત પણ પોતાને ઓળખે તે બુદ્ધિમાન.
💖સફળ થવું હોય તો બે જ રસ્તા છે, ગમતું કામ કરો યા કામને ગમતું કરો.
💖આવડત હમેશા નમ્રતાના વસ્ત્રો માં જ શોભે.
💖ખુવાર થવાની તૈયારી હોય તો જ ખુમારી રાખજો.
💖ફૂલ વગર પણ મધ બનાવનારી મધમાખીનું નામ આશા છે.
💖મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ મન છે.
💖જેને ક્યારેય થાક ન લાગે એનું નામ સફળતા.
💖આવેલ તક ને ઝડપી લો એમાં જ તમારું ભાગ્ય છે.
💖તમે ક્ષણને બગાડો એ તમારું ભાગ્ય બગાડશે.
💖જગતમાં ચીજ માત્રની કિમત આંકી શકાય છે, સમયની નહિ.
💖પ્રસન્નતા સૌને પ્રિય છે ખિન્નતા નહિ,
💖પ્રમાદી માણસ કાર્યશક્તિ ખોઈ બેસે છે.
💖પડવું એ પતન નથી, પડ્યા રહેવું એ પતન છે.
💖સિદ્ધિના આનંદ કરતા લક્ષ્યની સ્પષ્ટતા વધારે જરૂરી છે.
💖પોતાનો જન્મજાત સ્વભાવ અને પૂર્વગ્રહ ભૂલીને શિક્ષણની સાધના કરવી એનું નામ ખરી સંસ્કૃતિ.
💖મોઢા પર કડવી વાત સંભળાવી દે અને પીઠ પાછળ ખરા દિલથી વખાણ કરે તેનું નામ સાચો મિત્ર.
💖વેરમાં હમેશા વાંધો હોય છે, જયારે સ્નેહમાં કે પ્રેમમાં હમેશા સાંધો હોય છે.
👉હે પ્રભુ આખા જગતને સુધારજે અને સુધારવાની શરૂઆત પ્લીઝ મારાથી કરજે.
👉આજના સુરજને આવતીકાલના વાદળા પાછળ સંતાડી દે એનું નામ ચિંતા.
👉સફળતાના દ્વાર ખોલવા હોય ત્યારે મુસીબતના દરવાજે ટકોરા તો મારવા જ પડે.
👉વિજયી માણસ જે માટીમાંથી બન્યો છે એનું નામ સાહસ છે.
👉જિંદગી ખુલ્લી કિતાબ છે એનો અર્થ એ નહિ કે મનફાવે ત્યારે પાના ફાડી નાખવા.
👉બાળક પાસે જે એક સચોટ બ્રહ્માસ્ત્ર છે, એનું નામ છે હાસ્ય.
👉કામથી મો ફેરવી લેવું, ગમો – અણગમો જાહેર કરવો એ કાયરતાની નિશાની છે.
👉પુસ્તક એટલે સમયના સાગરમાં ઊભી કરવામાં આવેલી દીવાદાંડી.
👉જેની પાસે માં ના સ્તર સુધી જઈને સમજાવવાની શક્તિ છે એ માસ્તર.
LEKHAK :Gujarati Suvichar for School
(1) મારી પ્રજાનું કલ્યાણ થાઓ. – કૃષ્ણકુમારસિંહજી
(2) વિશાળ જગવિસ્તારે નથી એક જ માનવી; પશુ છે, પંખી છે, પુષ્પો; વનોની છે વનસ્પતિ.ઉમાશંકર જોશી
(3) “મારો મત એ મારું ભવિષ્ય..
(4) દરેક જાતિ કે રાષ્ટ્ર ખાલી તલવારથી બહાદુર નથી બનતું, સંરક્ષણ માટે તલવાર જરૂરી છે, પરંતુ રાષ્ટ્રની પ્રગતિ તેની નૈતિકતાથી જ માપી શકાય છે.સરદાર વલ્લભભાઈ પટેલ
શું તમે ગુજરાતીમાં આધુનિક સાધનો – શાપ કે આશીર્વાદ વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો! જે આપની શાળા માં ખુબજ ઉપયોગી થશે .www.educationparipatr.com વેબસાઈટ ગુજરાત ના પ્રાથમિક શિક્ષણ ની તમામ અગત્ય ની બાબત , ભરતી ,યોજના ,શિક્ષક ટીએલએમ પ્રાથમિક શિક્ષણ ન્યૂઝ વિગેરે આપે છે . આપ અમારી વેબ પર આવ્યા બદલ આભાર .
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો આધુનિક સાધનો – શાપ કે આશીર્વાદ વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે
અહીં ગુજરાતી આધુનિક સાધનો – શાપ કે આશીર્વાદ વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં છે.
નીચે આપેલ આધુનિક સાધનો – શાપ કે આશીર્વાદ વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
આધુનિક સાધનો – શાપ કે આશીર્વાદ વિશે ગુજરાતીમાં નિબંધ
આ સૃષ્ટિનો ક્રમ એવો વિચિત્ર છે કે જે વસ્તુ આપણા જીવનને પોષે છે, ટકાવે છે, વિકસાવે છે એ જ વસ્તુ આપણા જીવનને નષ્ટ કરે છે. મૃત્યુનું કારણ બને છે. પતનનું પગથિયું બને છે. આ બાબત જગતના અન્ય વસ્તુ કે પદાર્થની જેમ વિજ્ઞાનને અક્ષરસઃ લાગુ પડે છે. વિજ્ઞાન આપણને રોજિંદા જીવનમાં કેટલું બધું સહાયક બની ગયું છે તે આપણે સૌ જાણીએ છીએ. આ જ વિજ્ઞાનનો વિવેકહીને ઉપયોગ માનવજીનવ માટે વિનાશ નોંતરે છે એ પણ કઠોર સત્ય છે.
કુદરતી કે પ્રાકૃત સ્થિતિમાં જીવતા માણસને સભ્ય અને સંસ્કૃત બનાવવાનું કામ વિજ્ઞાને કર્યું છે. ખોરાક, પોશાક, રહેઠાણ અને હવાપાણી જેવી આપણી પ્રાથમિક જરૂરિયાતોને વિજ્ઞાને વ્યવસ્થિત અને પરિમાર્જિત કરી આપીને આપણા જીવનને સુવિધાપૂર્ણ બનાવ્યું છે. આ બધી વૈજ્ઞાનિક સગવડોના સમુચિત ઉપયોગથી માનવનું રોજિંદું જીવન વધુ સુખદાયક અને આનંદપ્રદ બન્યું છે. માર્ગ અને વાહનની પ્રગતિએ આપણો પ્રવાસ સરળ બનાવ્યો છે. સમય અને શક્તિના બચાવ સાથે યાત્રા ઝડપી બની શકે છે.
પ્રવાસના આડે આવતા પર્વતો, દરિયો અને ખાઈ જેવા અવરોધો આસાનીથી પાર કરવા વિજ્ઞાને અવનવી તરકીબો શોધી કાઢી છે. ખાડા-ખાઈ ઉપર પુલ બાંધ્યા એમ નદીને પુલથી પાર કરવાની સગવડ કરી. રામેશ્વરમ્ પાસે દરિયા ઉપર પુલ બાંધીને ચમત્કારક વાત એ કરી કે મોટાં વહાણ કે સ્ટીમર દરિયામાંથી પસાર થાય ત્યારે પુલ વચ્ચેથી બે બાજુ ખૂલી શકે તેવી સગવડ રાખી. પર્વતો પાર કરવા વિમાન અને હેલિકોપ્ટર શોધ્યાં. એટલું જ નહીં, દરિયામાં સ્ટીમર પરથી સીધું વિમાન હવામાં ઉડાડી શકાય તેવી સગવડ પણ કરી છે.
રાષ્ટ્રના સંરક્ષણ માટે સૈન્યને આધુનિક શસ્ત્રોથી સુસજ્જ કરવામાં વિજ્ઞાનનો વિશેષ ફાળો છે. દુશ્મનને પરાસ્ત કરવા જાતજાતનાં શસ્ત્રો શોધી વિજ્ઞાને કમાલ કરી નાખી છે. આપણું સૈન્ય જલ, થલ અને હવાઈ માર્ગે લડી શકે તેવી સુવિધા થઈ છે.
રહેઠાણના પ્રશ્નો ઉકેલવા બહુમાળી મકાનો બાંધ્યાં, અંધારિયા ઓરડા પ્રકાશિત કરવા તથા રોજિંદા કામો ઝડપથી અને ઓછી શક્તિથી કરી શકાય એ માટે વિદ્યુતની શોધ થઈ. જીવનના દરેક ક્ષેત્રમાં આજે વિજ્ઞાન એટલું તો ઓતપ્રોત થઈ ગયું છે કે માણસ જાયે અજાણ્યે વૈજ્ઞાનિક ઉપકરણોનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરતો થઈ ગયો છે. વિજ્ઞાનની શોધોથી આજના માનવનું જીવન સગવડભર્યું અને આનંદપ્રદ બન્યું છે. તો જ ઔષધો વડે જીવન તંદુરસ્ત અને દીર્ધાયુ પણ થયું છે. પહેલાં સરેરાશ આયુષ્ય ઓછું હતું, આજે ઘણું વધ્યું છે. આમ વિજ્ઞાને માનવના જીવનવિકાસમાં અપૂર્વ ફાળો આપ્યો છે.
પરંતુ વિજ્ઞાનનો ઉપયોગ માનવના હાથમાં આવે છે તે ક્ષણે એક બાબત અનિવાર્ય બને છે. એ છે વિજ્ઞાનના વિવેકભર્યા અને કલ્યાણકારી ઉપયોગની. જે ચપ્પ વડે શાક સમારી શકાય છે તેના વડે કોઈનું ખૂન પણ થઈ શકે છે. જે અણુશક્તિ હજારો માણસના જીવનને સુખમય બનાવવા વાપરી શકાય છે, તે જ લાખો માનવોના સંહારનું નિમિત્ત પણ બની શકે છે. યુદ્ધનાં અદ્યતન શસ્ત્રોથી જાપાનમાં હજારો માનવો મોતને ભેટ્યાં હતાં, એ સમયે વિશ્વને વિજ્ઞાનની આ સંહારક શક્તિનો પ્રથમ પરિચય થયો.
વિજ્ઞાન એક શક્તિ છે, સાધન છે, સહાયક પરિબળ છે. એનું નિયંત્રણ જેના હાથમાં છે તે માનવે વિવેકપૂર્વક, શુદ્ધ હેતુથી માનવજાતના કલ્યાણમાં એનો વિનિયોગ કરવાનો છે. સ્વાર્થી, સત્તાભૂખ્યા કે ક્રોધી માણસના હાથમાં આવતાં વિજ્ઞાનનાં સાધનો એને સંહારક અથવા વિનાશક માર્ગે લઈ જાય છે એમાં વિજ્ઞાનનો દોષ નથી, માનવબુદ્ધિનો દોષ છે. વિજ્ઞાનનો વિવેકથી ઉપયોગ કરીને તેના સંહારકને બદલે સર્જનાત્મક પાસાને ધ્યાનમાં લઈશું તો વિજ્ઞાન શાપને બદલે વરદાન બની શકશે.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં આધુનિક સાધનો – શાપ કે આશીર્વાદ વિશે નિબંધ એટલે કે Adhunik Sadhano Ashirvad ke Abhishap Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
Disclaimer
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
ALSO READ : ARRTILKAL BY EDUCATION PARIPATR.COM
વાંચન ગણન લેખન FLN ના તમામ પત્રકો અને ઉપયોગી સાહિત્ય
સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ગુજરાતી નિબંધ | Sardar Vallabhbhai Patel Essay in Gujarati
શું તમે ગુજરાતીમાં સરદાર વલ્લભભાઈ પટેલ વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે આ .જે આપની શાળા માં ખુબજ ઉપયોગી થશે.WWW.EDUCATIONPARIPATR.COM વેબસાઈટ ગુજરાત ના પ્રાથમિક શિક્ષણ ની તમામ અગત્ય ની બાબત , ભરતી ,યોજના ,શિક્ષક ટીએલએમ પ્રાથમિક શિક્ષણ ન્યૂઝ વિગેરે આપે છે . આપ અમારી વેબ પર આવ્યા બદલ આભાર
સરદાર વલ્લભભાઈ પટેલ વિશે નિબંધ
અહીં ગુજરાતી સરદાર વલ્લભભાઈ પટેલ વિશે બે નિબંધ રજુ કર્યા છે જે 100 શબ્દોમાં અને 200 શબ્દોમાં શબ્દોમાં છે.
નીચે આપેલ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે નિબંધ ગુજરાતીમાં 200 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
સરદાર વલ્લભભાઈ પટેલ, જેને “ભારતના લોખંડી પુરુષ” તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા અને દેશની સ્વતંત્રતા પછીના યુગમાં નિર્ણાયક વ્યક્તિ હતા. તેમનો જન્મ 31 ઓક્ટોબર, 1875 ના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ વ્યવસાયે વકીલ હતા, પરંતુ તેમના દેશ અને તેમના લોકો પ્રત્યેના તેમના પ્રેમે તેમને રાજકારણી અને સ્વતંત્રતા સેનાની બનાવ્યા.
સરદાર વલ્લભભાઈ પટેલે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત 1917માં કરી હતી, જ્યારે તેઓ ગુજરાત સભાના સચિવ તરીકે ચૂંટાયા હતા, જેનું લક્ષ્ય ગુજરાતના લોકોના હિતોને પ્રોત્સાહન આપવાનું હતું. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રેન્કમાંથી ઝડપથી ઉભરી આવ્યા, જે મુખ્ય રાજકીય પક્ષ હતો જેણે બ્રિટિશ શાસનથી ભારતની સ્વતંત્રતાની લડતનું નેતૃત્વ કર્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીના નજીકના સહયોગી હતા અને ભારતની સ્વતંત્રતા હાંસલ કરવા તેમની સાથે નજીકથી કામ કર્યું હતું
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સરદાર વલ્લભભાઈ પટેલનું સૌથી મોટું યોગદાન 1930ના મીઠાના સત્યાગ્રહમાં તેમની ભૂમિકા હતી. અંગ્રેજોએ મીઠા પર કર લાદ્યો હતો, જે ભારતીય લોકો માટે આવશ્યક ચીજવસ્તુ હતી. સરદાર વલ્લભભાઈ પટેલે મીઠાની કૂચનું આયોજન કરવામાં અને ટેક્સ સામેના વિરોધનું નેતૃત્વ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મીઠા કૂચ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક મહત્વપૂર્ણ ઘટના હતી, અને તેણે ભારતીય લોકોને એકત્ર કરવામાં અને સ્વતંત્રતાની જરૂરિયાત વિશે જાગૃતિ લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
1947 માં ભારતને આઝાદી મળ્યા પછી, સરદાર વલ્લભભાઈ પટેલને ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ રજવાડાઓને ભારતીય સંઘમાં એકીકૃત કરવા માટે જવાબદાર હતા, જે કાર્ય ઘણા લોકો દ્વારા અશક્ય માનવામાં આવતું હતું. સરદાર વલ્લભભાઈ પટેલના નિશ્ચય અને રાજકીય કુશાગ્રતાએ તેમને આ સ્મારક કાર્ય હાંસલ કરવામાં મદદ કરી. તેમણે રજવાડાના શાસકોને ભારતીય સંઘમાં જોડાવા માટે સમજાવ્યા અને હૈદરાબાદ, જૂનાગઢ અને જમ્મુ અને કાશ્મીર રાજ્યોને ભારત સરકારના નિયંત્રણ હેઠળ લાવવા માટે તેમણે બુદ્ધિ-બળ ઉપયોગ કર્યો હતો. રજવાડાઓને એકીકૃત કરવાના સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસોને કારણે તેમને “ભારતના લોખંડી પુરુષ” તરીકેનું ઉપનામ મળ્યું.
સરદાર વલ્લભભાઈ પટેલ મહાન દ્રષ્ટી અને દૂરંદેશી ધરાવતા માણસ હતા. તેઓ દ્રઢપણે માનતા હતા કે ભારત એકતા રહેશે તો જ મહાનતા પ્રાપ્ત કરી શકશે. તેમણે વિવિધ પ્રદેશો, ધર્મો અને જાતિઓના લોકોને એક સાથે લાવવા અને રાષ્ટ્રીય એકતાની ભાવના બનાવવા માટે અથાક મહેનત કરી. ભારતની એકતા અને અખંડિતતામાં તેમનું યોગદાન અજોડ છે. તેઓ લોકશાહી અને બિનસાંપ્રદાયિકતાના પ્રબળ હિમાયતી હતા અને માનતા હતા કે ભારતની વિવિધતા તેની સૌથી મોટી તાકાત છે.
નિષ્કર્ષ
સરદાર વલ્લભભાઈ પટેલ એક મહાન નેતા, સ્વાતંત્ર્ય સેનાની અને સ્વપ્નદ્રષ્ટા હતા જેમણે ભારતની સ્વતંત્રતાની લડત અને તેના પછીના એકીકરણમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. તેમનો વારસો ભારતીયોની પેઢીઓને અખંડ અને સમૃદ્ધ ભારત તરફ કામ કરવા માટે પ્રેરિત કરે છે. ભારતની સ્વતંત્રતા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને દેશને એકીકૃત કરવાના તેમના સંકલ્પને આધુનિક ભારતના ઈતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ સિદ્ધિઓમાંની એક તરીકે હંમેશા યાદ રાખવામાં આવશે.
સરદાર વલ્લભભાઈ પટેલ, જેમને આપણે “ભારતના લોખંડી પુરુષ” તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સૌથી અગ્રણી નેતાઓમાંના એક હતા. તેમનો જન્મ 31 ઓક્ટોબર, 1875 ના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ વ્યવસાયે વકીલ હતા, પરંતુ તેમના દેશ પ્રત્યેના પ્રેમે તેમને રાજકારણી અને સ્વતંત્રતા સેનાની બનાવ્યા.
બ્રિટિશ શાસનથી ભારતની આઝાદીની લડતમાં સરદાર વલ્લભભાઈ પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓમાંના એક હતા અને તેમણે મહાત્મા ગાંધી સાથે નજીકથી કામ કર્યું હતું. તેઓ તેમની રાજકીય કુશળતા, નેતૃત્વ કૌશલ્ય અને ભારતની આઝાદીના હેતુ માટે અતૂટ પ્રતિબદ્ધતા માટે જાણીતા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ અહિંસક પ્રતિકારના મજબૂત હિમાયતી હતા, અને તેમણે બ્રિટિશ શાસન સામે વિવિધ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો અને પ્રદર્શનો યોજવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
1947 માં ભારતને આઝાદી મળ્યા પછી, સરદાર વલ્લભભાઈ પટેલે રજવાડાઓને ભારતીય સંઘમાં એકીકરણ કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. હૈદરાબાદ, જૂનાગઢ, અને જમ્મુ અને કાશ્મીર રાજ્યોને ભારત સરકારના નિયંત્રણ હેઠળ લાવવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. આનાથી તેમને “ભારતના આયર્ન મેન”નું ઉપનામ મળ્યું.
સરદાર વલ્લભભાઈ પટેલ મહાન દ્રષ્ટી અને દૂરંદેશી ધરાવતા માણસ હતા. તેઓ દ્રઢપણે માનતા હતા કે ભારત એકતા રહેશે તો જ મહાનતા પ્રાપ્ત કરી શકશે. તેમણે વિવિધ પ્રદેશો, ધર્મો અને જાતિઓના લોકોને એક સાથે લાવવા અને રાષ્ટ્રીય એકતાની ભાવના બનાવવા માટે અથાક મહેનત કરી. ભારતની એકતા અને અખંડિતતામાં તેમનું યોગદાન અજોડ છે.
નિષ્કર્ષમાં, સરદાર વલ્લભભાઈ પટેલ એક મહાન નેતા, સ્વાતંત્ર્ય સેનાની અને સ્વપ્નદ્રષ્ટા હતા જેમણે ભારતની સ્વતંત્રતાની લડત અને તેના પછીના એકીકરણમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. તેમનો વારસો ભારતીયોની પેઢીઓને અખંડ અને સમૃદ્ધ ભારત તરફ કામ કરવા માટે પ્રેરિત કરે છે.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં સરદાર વલ્લભભાઈ પટેલ વિશે નિબંધ એટલે કે Sardar Vallabhbhai Patel Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer :
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
ALSO READ : ARRTILKAL BY EDUCATION PARIPATR.COM
વાંચન ગણન લેખન FLN ના તમામ પત્રકો અને ઉપયોગી સાહિત્ય
શું તમે ગુજરાતીમાં ચૂંટણી વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો! જે આપની શાળા માં ખુબજ ઉપયોગી આ આર્ટીકલમાં અમે સરસ મજાનો ચૂંટણી વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે.થશે.WWW.EDUCATIONPARIPATR.COM વેબસાઈટ ગુજરાત ના પ્રાથમિક શિક્ષણ ની તમામ અગત્ય ની બાબત , ભરતી ,યોજના ,શિક્ષક ટીએલએમ પ્રાથમિક શિક્ષણ ન્યૂઝ વિગેરે આપે છે . આપ અમારી વેબ પર આવ્યા બદલ આભાર .
લોકશાહી શાસનપદ્ધતિમાં મતદારો દ્વારા પ્રતિનિધિઓને પસંદ કરવાની પ્રક્રિયા એટલે ચૂંટણી. ચૂંટણી લોકશાહીને જીવંત રાખે છે. ચૂંટણી લોકમત જાણવાનું અને લોકશાહીના સંચાલનનું મહત્વનું માધયમ છે તેથી જ તો ચૂંટણીને લોકશાહીની પારાશીશ પણ કહેવામાં આવે છે.
પ્રથમ, ચૂંટણી નાગરિકોને તેમના દેશની નિર્ણય લેવાની પ્રક્રિયામાં ભાગ લેવાની તક પૂરી પાડે છે. તેમના મતના અધિકારનો ઉપયોગ કરીને, નાગરિકો તેમના પ્રતિનિધિઓને પસંદ કરી શકે છે અને તેમના જીવનને સંચાલિત કરતી નીતિઓ અને કાયદાઓમાં અભિપ્રાય આપી શકે છે. આ નાગરિકોને સશક્તિકરણની ભાવના આપે છે અને નાગરિક જોડાણ અને સહભાગિતાને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે.
બીજું, ચૂંટણીઓ સરકારમાં જવાબદારી અને પારદર્શિતા સુનિશ્ચિત કરે છે. ચૂંટાયેલા અધિકારીઓ એવા નિર્ણયો લેવા માટે જવાબદાર હોય છે જેનાથી મોટાભાગના નાગરિકોને ફાયદો થાય, માત્ર અમુક જ નહીં. ચૂંટણી નાગરિકોને તેમના મંતવ્યો વ્યક્ત કરવા અને તેમના ચૂંટાયેલા અધિકારીઓને તેમની ક્રિયાઓ માટે જવાબદાર ઠેરવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ જવાબદારી ભ્રષ્ટાચારને રોકવામાં અને સરકારી અધિકારીઓ તેમના ઘટકોના શ્રેષ્ઠ હિતમાં કામ કરી રહ્યા છે તેની ખાતરી કરવામાં મદદ કરે છે.
ત્રીજું, સરકારની કામગીરી માટે ચૂંટણીઓ આવશ્યક છે. તેઓ એક વહીવટીતંત્રમાંથી બીજા વહીવટમાં શાંતિપૂર્ણ રીતે સત્તાનું ટ્રાન્સફર પ્રદાન કરે છે, જે સરકારની સ્થિરતા જાળવવા અને સરમુખત્યારશાહી શાસનના ઉદભવને રોકવા માટે મહત્વપૂર્ણ છે. લોકતાંત્રિક પ્રણાલી એ સુનિશ્ચિત કરે છે કે ચૂંટાયેલા અધિકારીઓ એવા નિર્ણયો લેવા માટે જવાબદાર છે કે જેનાથી બહુમતી નાગરિકોને ફાયદો થાય, માત્ર અમુક જ નહીં.
ચોથું, ચૂંટણીઓ સામાજિક એકતા અને એકતાને પ્રોત્સાહન આપે છે. ચૂંટણીઓ વિવિધ પૃષ્ઠભૂમિ અને રાજકીય માન્યતાઓના લોકોને એક સામાન્ય ધ્યેયમાં ભાગ લેવા માટે સાથે લાવે છે. આ વિવિધ દ્રષ્ટિકોણ અને અભિપ્રાયોની સમજણ, સહિષ્ણુતા અને સ્વીકૃતિને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. ચૂંટણીઓ ઉમેદવારોને તેમના મંતવ્યો શેર કરવા અને મતદારો સાથે અર્થપૂર્ણ સંવાદમાં જોડાવવા માટે એક પ્લેટફોર્મ પણ પ્રદાન કરે છે.
નાગરિક જોડાણને પ્રોત્સાહન આપવા, સરકારમાં જવાબદારી અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા, સરકારની સ્થિરતા જાળવવા અને સામાજિક એકતા અને એકતાને પ્રોત્સાહન આપવા માટે ચૂંટણીઓ નિર્ણાયક છે. ચૂંટણીઓ વિના, નાગરિકોને લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવાની અને તેમના ચૂંટાયેલા અધિકારીઓને તેમની ક્રિયાઓ માટે જવાબદાર રાખવાની તક નહીં મળે. તેથી, ચૂંટણી એ કોઈપણ લોકશાહી પ્રણાલીનું આવશ્યક ઘટક છે.
ચૂંટણી પ્રક્રિયા એ ચૂંટણી યોજવા માટે થતી પ્રક્રિયાઓનો સમૂહ છે. આ પ્રક્રિયાઓ દેશ અને ચૂંટણીના પ્રકારને આધારે બદલાય છે. જો કે, ચૂંટણી પ્રક્રિયામાં કેટલાક સામાન્ય પગલાં સામેલ છે, જે નીચે દર્શાવેલ છે.
મતદાર નોંધણી:
ચૂંટણી પ્રક્રિયામાં પ્રથમ પગલું મતદાર નોંધણી છે. આ લાયક મતદારોને ઓળખવાની અને તેમને મતદાન કરવા માટે નોંધણી કરવાની પ્રક્રિયા છે. પાત્રતા જરૂરિયાતો દેશ પ્રમાણે બદલાય છે અને તેમાં ઉંમર, નાગરિકતા અને રહેઠાણનો સમાવેશ થઈ શકે છે. મતદાર નોંધણી એ સુનિશ્ચિત કરે છે કે માત્ર લાયક નાગરિકોને જ મતદાન કરવાની મંજૂરી છે અને મતદારની છેતરપિંડી અટકાવવામાં મદદ કરે છે.
ઉમેદવારોના નામાંકન:
ઉમેદવારો કે જેઓ હોદ્દા માટે લડવા માંગે છે તેઓ રાજકીય પક્ષ દ્વારા નામાંકિત હોવા જોઈએ અથવા પાત્ર મતદારો પાસેથી ચોક્કસ સંખ્યામાં સહીઓ એકત્રિત કરવી જોઈએ. નામાંકન માટેની આવશ્યકતાઓ દેશ પ્રમાણે બદલાય છે અને તેમાં ફી, હસ્તાક્ષર અને પાત્રતા માપદંડનો સમાવેશ થઈ શકે છે.
પ્રચાર:
એકવાર ઉમેદવારો નોમિનેટ થઈ જાય, તેઓ પ્રચાર શરૂ કરે છે. ઝુંબેશમાં રેલીઓ, ભાષણો અને આઉટરીચના અન્ય સ્વરૂપોનો સમાવેશ થાય છે જેથી મતદારોને તેમના ઉમેદવારોને સમર્થન આપવા માટે સમજાવવામાં આવે. ઉમેદવારો મતદારો સુધી પહોંચવા અને તેમના મંતવ્યો શેર કરવા માટે સોશિયલ મીડિયા જેવી વિવિધ વ્યૂહરચનાઓનો ઉપયોગ કરે છે.
મતદાન:
ચૂંટણીના દિવસે, મતદારો મતદાન કરવા માટે મતદાન મથકો પર જાય છે. મતદાન માટેની પ્રક્રિયાઓ દેશ પ્રમાણે અલગ-અલગ હોય છે અને તેમાં પેપર બેલેટ, ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન અથવા બંનેના મિશ્રણનો સમાવેશ થઈ શકે છે. મત આપવા માટે મતદારોએ ઓળખ અથવા રહેઠાણનો પુરાવો બતાવવાની જરૂર પડી શકે છે.
મત ગણતરી:
મતદાન કર્યા પછી, મતપત્રો એકત્રિત કરવામાં આવે છે, અને મતોની ગણતરી કરવામાં આવે છે. ચૂંટણીના કદ અને ગણતરી કરવાના મતોની સંખ્યાના આધારે આ પ્રક્રિયામાં ઘણા કલાકો અથવા તો દિવસો લાગી શકે છે. સૌથી વધુ મત મેળવનાર ઉમેદવાર અથવા પક્ષને વિજેતા જાહેર કરવામાં આવે છે.
પરિણામોની ઘોષણા:
એકવાર મતોની ગણતરી થઈ જાય, પછી પરિણામો જાહેર કરવામાં આવે છે. ચૂંટણી પંચ વિજેતાઓની ઘોષણા કરે છે, અને જે ઉમેદવારો જીત્યા છે તેઓને ઓફિસમાં શપથ લેવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં, જો કોઈ ઉમેદવારને બહુમતી મત ન મળે તો રન-ઑફ ચૂંટણી થઈ શકે છે.
ચૂંટણી પ્રક્રિયા એ કોઈપણ લોકશાહી પ્રણાલીનો જટિલ અને આવશ્યક ઘટક છે. તેમાં મતદાર નોંધણી, ઉમેદવારોના નામાંકન, પ્રચાર, મતદાન, મત ગણતરી અને પરિણામોની ઘોષણા સહિત અનેક પગલાંઓ સામેલ છે. ચૂંટણી નિષ્પક્ષ અને પારદર્શક રીતે હાથ ધરવામાં આવે તે સુનિશ્ચિત કરવા પ્રક્રિયાનું દરેક પગલું મહત્વપૂર્ણ છે. ચૂંટણી પ્રક્રિયા એ સુનિશ્ચિત કરે છે કે નાગરિકોને લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવાની તક મળે છે અને તેમના જીવનને સંચાલિત કરતી નીતિઓ અને કાયદાઓમાં અભિપ્રાય છે.
રાજકીય પક્ષોની ભૂમિકા
ચૂંટણીમાં રાજકીય પક્ષો મહત્વની ભૂમિકા ભજવે છે. તેઓ ઉમેદવારોને તેમના મંતવ્યો વ્યક્ત કરવા અને ઓફિસ માટે પ્રચાર કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. સરકારની નીતિઓ અને કાયદાઓને આકાર આપવામાં રાજકીય પક્ષો પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
રાજકીય પક્ષોની રચના વિચારધારાઓ અને માન્યતાઓના આધારે થાય છે. સમાન વિચારધારા ધરાવતા પક્ષો ગઠબંધન રચવા માટે સાથે આવે છે અને એક સામાન્ય ધ્યેય તરફ કામ કરે છે. પક્ષો રાજકીય સ્પેક્ટ્રમની જમણી કે ડાબી બાજુએ હોઈ શકે છે. જમણેરી પક્ષો મુક્ત બજાર મૂડીવાદને સમર્થન આપે છે, જ્યારે ડાબેરી પક્ષો સામાજિક ન્યાય અને આર્થિક સમાનતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ચૂંટણી પર સોશિયલ મીડિયાની અસર
સોશિયલ મીડિયાની ચૂંટણીમાં ખાસ્સી અસર જોવા મળી છે. ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉમેદવારોને વ્યાપક પ્રેક્ષકો સુધી પહોંચવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. તેઓ ઉમેદવારોને મતદારો સાથે વાતચીત કરવા અને સમર્થન મેળવવાની પણ મંજૂરી આપે છે.સોશિયલ મીડિયાએ ઝુંબેશ ચલાવવાની રીત પણ બદલી નાખી છે.
ઉમેદવારો સોશિયલ મીડિયાનો ઉપયોગ ચોક્કસ વસ્તી વિષયકને લક્ષ્ય બનાવવા અને વ્યક્તિગત સંદેશા પહોંચાડવા માટે કરી શકે છે. સોશિયલ મીડિયા ઉમેદવારોને પરંપરાગત મીડિયા આઉટલેટ્સને બાયપાસ કરવાની અને મતદારો સુધી સીધા પહોંચવાની પણ મંજૂરી આપે છે.જોકે, ચૂંટણી પ્રક્રિયા પર તેની અસરને લઈને સોશિયલ મીડિયાની પણ ટીકા થઈ રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટી માહિતી અને ફેક ન્યૂઝનો ફેલાવો મતદારોના નિર્ણયોને પ્રભાવિત કરી શકે છે. સોશિયલ મીડિયા ડેટા ગોપનીયતા અને મતદારોના મંતવ્યો સાથે છેડછાડ અંગે પણ ચિંતા કરે છે.
કોઈપણ લોકશાહી પ્રણાલી માટે ચૂંટણીઓ નિર્ણાયક છે. તેઓ નાગરિકોને તેમના પ્રતિનિધિઓને પસંદ કરવાની અને તેમની ક્રિયાઓ માટે જવાબદાર રાખવાની સત્તા પ્રદાન કરે છે. ચૂંટણી પ્રક્રિયામાં મતદાર નોંધણી, પ્રચાર, મતદાન અને મત ગણતરી સહિત અનેક પગલાઓનો સમાવેશ થાય છે. સરકારી નીતિઓ અને કાયદાઓ ઘડવામાં રાજકીય પક્ષો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
સોશિયલ મીડિયાએ ચૂંટણી પર નોંધપાત્ર અસર કરી છે, જે ઉમેદવારોને વ્યાપક પ્રેક્ષકો સુધી પહોંચવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. જ્યારે સોશિયલ મીડિયાના ઘણા ફાયદા છે, તે ડેટાની ગોપનીયતા અને ખોટી માહિતીના ફેલાવા અંગે પણ ચિંતા કરે છે. એકંદરે, ચૂંટણીઓ પારદર્શિતા, જવાબદારી અને લોકશાહી સરકારોની સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે.
હુ આશા રાખુ છું કે તમને અમારો ચૂંટણી વિશે નિબંધ (Election Essay in Gujarati) લેખ ખુબ જ ગમ્યો હશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ચૂંટણી વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer :
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
ALSO READ : ARRTILKAL BY EDUCATION PARIPATR.COM
વાંચન ગણન લેખન FLN ના તમામ પત્રકો અને ઉપયોગી સાહિત્ય
ક દુકાનદાર હતો. તેને કરિયાણાની દુકાન હતી. દુકાનદાર લુચ્ચો હતો. તે ગ્રાહકોને છેતરતો. તે ઓછું તોલતો અને વધારે કિંમત પડાવતો.
એક દિવસ એક ગ્રાહક આવ્યો. તેણે બે કિલો ખાંડ તોલી આપવા જણાવ્યું. દુકાનદારે ખાંડ ઓછી તોલી. ગ્રાહકે આ જોયું.ગ્રાહકે દુકાનદારને કહ્યું, “ભાઈ, તમે ખાંડ ઓછી તોલી છે. વજન બરાબર કરોને.”ગ્રાહકની ફરિયાદ સાંભળી દુકાનદાર લુચ્ચું હસ્યો અને બોલ્યો, કે “ભાઈ, તારે વધારે વજન ઊંચકવું નહિ પડે.”
ગ્રાહક પણ તેના માથાનો હતો. તેણે દુકાનદારને પાઠ ભણાવવા નું મનોમન વિચાર્યું. તેણે દુકાનદારને ઓછા પૈસા ચૂકવ્યા.દુકાનદારે પૈસા ગણ્યા તો ઓછા હતા. તેણે ગ્રાહકને કહ્યું, “ભાઈ, તેં મને ઓછા પૈસા ચૂકવ્યા છે.”ગ્રાહકે રોકડું પરખાવ્યું.ભાઈ, તમારે વધારે પૈસા ગણવા નહિ પડે.”
1) મુદ્દા : નગરનો માર્ગ – માર્ગમાં પથ્થર – પથ્થર અનેકનેનડે છે. કોઈ પથ્થર ખસેડતું નથી – છેવટે એક માણસ પથ્થર
ઉપાડે છે. – પથ્થર નીચેથી રાજાની ચિઠ્ઠી અને સોનામહોર નીકળે
છે – ચિઠ્ઠીમાં લખ્યું છે, “પથ્થર ખસેડવાનું ઇનામ” – બોધ.
એક રાજા હતો. તે ઘણીવાર વેશપલટો કરીને પોતાના રાજ્યની નગરચર્યા જોવા-કરવા નીકળતો હતો. આજ રીતે એકવાર આ રાજા વહેલી સવારે વેશપલટો કરીને પોતાના નગરની નગર ચર્યા કરવા માટે નીકળ્યા હતા. તેણે મુખ્ય માર્ગ પર એક મોટો પથ્થર પડેલો જોયો. આ પથ્થર રસ્તા વચ્ચેથી કોણ ખસેડે છે તે જોવાની રાજાને ઈચ્છા થઈ. આથી રાજા એ એ પથ્થર નીચે એક ચિઠ્ઠી અને એક સોનામહોરની થેલી મૂકી. પછી શું થાય છે તે જોવા રાજા થોડે દુર એક ઝાડની પાછળ સંતાઈને ઊભો રહ્યો.
એવામાં એક ખેડૂત પોતાના બળદ લઈને ત્યાંથી પસાર થયો. તેના એક બળદનો પગ પથ્થર સાથે અથડાયો. પછી બળદ લંગડાતો લંગડાતો આગળ ચાલવા લાગ્યો. પણ તેમ છતાં પેલા ખેડૂતે રસ્તા વચ્ચેથી પથ્થર ખસેડવાની તસ્દી લીધી નહિ.
થોડીવાર પછી એક ઘોડાગાડીવાળો એ રસ્તેથી પસાર થયો. એ પોતાની મસ્તીમાં ગીત ગાતો ગાતો જતો હતો. એવામાં એ ગાડીનું એક પૈડું રસ્તાવાળા પથ્થર સાથે અથડાયું.તેણે જોયું તો પથ્થર હતો તેણે એ પથ્થર ને ખસેડાયો અને જોયું તો ત્યાં એક ચિઠ્ઠી અને એક સોનામહોર નીકળે છે. તે ચિઠ્ઠી વાંચે છે તો તેમાં લખેલું હોય છે કે “પથ્થર ખસેડવાનું ઇનામ” તે ખુબજ રાજી થયો અને ઘોડાગાડી લઈને ગીત ગાતો ગાતો આગળ વધી ગયો .
શીર્ષક- પથ્થર ખસેડવાનું ઈનામ
– બીજાનું ભલું કરવામાં પોતાનું ભલું છે.
ALSO READ : ARRTILKAL BY EDUCATION PARIPATR.COM
વાંચન ગણન લેખન FLN ના તમામ પત્રકો અને ઉપયોગી સાહિત્ય
રાજ્યની શાળાઓમાં ખાલી જગ્યાઓ પર નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ, ટેટ-ટાટ ઉમેદવારોના રોષ બાદ સરકારનો નિર્ણય
Gujarat Teachers Recruitment: ગુજરાત સરકારે વિદ્યાસહાયકોની ભરતીને લઈને તાત્કાલિક ધોરણે પોતાના મનસ્વી નિર્ણયને બદલવાની ફરજ પડી છે. સરકારે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય હવે રદ કર્યો છે. આ અંગે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને માહિતી આપી છે.
શું હતો પરિપત્ર ?
રાજ્યના શિક્ષણ વિભાગે શૈક્ષણિક કાર્ય ખોરવાય નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નિવૃત્ત શિક્ષકોને માનદવેતનથી ભરતી કરવાનો નિર્ણય કર્યો હતો. આ માટે પરિપત્રમાં નિયમો પણ બનાવવામાં આવ્યા હતા.
શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાસહાયકોની ખાલી જગ્યા પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં નવા શિક્ષકોની બદલે ધોરણ 1થી 12માં ખાલી જગ્યાઓમાં નિવૃત્ત શિક્ષકોની 11 માસના કરાર હેઠળ ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
નિર્ણયનો વિરોધ : તમામ સંઘ નો વિરોધ
આજે તારીખ 28/7/2025 પરત ખેંચ્યો નિર્ણય
આ નિર્ણયનો વિરોધ થયા બાદ સરકારને આ તઘલઘી નિયમ પાછો લેવો પડ્યો છે. એકબાજું જ્યાં હજારો-લાખોની સંખ્યામાં ઉમેદવારોનું શિક્ષક બનવાનું સપનું ભરતી ન પડતી હોવાના કારણે રોળાય છે. ત્યાં બીજી બાજું ખાલી જગ્યા પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાના આ મનસ્વી નિર્ણયનો ઉમેદવારો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ અને ટીકાઓના વંટોળના કારણે સરકાર ભોંઠી પડી અને બે દિવસમાં જ આ નિર્ણય પરત ખેંચવામાં આવ્યો છે.
There is good news for candidates looking for jobs in the banking sector. Bank of Baroda has invited applications for the posts of Manager and other posts. Interested and eligible candidates can apply online through the official website of Bank of Baroda, bankofbaroda.in. Let us tell you that the last date to apply for this is 12 August 2025.
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઈટ, bankofbaroda.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12 ઓગસ્ટ 2025 છે.
Details of vacancies
Under this recruitment drive, recruitment will be done for 41 posts in the organization. In which,
In this recruitment drive, educational qualification and age limit have been decided differently for different posts. To get information about this, you can go to the official website of the bank and check the notification.
Selection process
The selection process will include an online test, candidates who clear the online test will be called for group discussion and/or interview. The written test will consist of 150 questions carrying 225 marks. You will be given 150 minutes to solve it.
લેખિત પરીક્ષામાં 225 માર્ક્સ ધરાવતા 150 પ્રશ્નો હશે. જેને સોલ્વ કરવા માટે 150 મિનિટ મળશે.
How much is the application fee?
The application fee for General, EWS and OBC candidates applying for this recruitment is Rs 850 and for SC, ST, Divyangjan, Ex-Servicemen/Tribal Minority and Women candidates it is Rs 175. The payment should be made through online mode. For more details, candidates can visit the official website of Bank of Baroda.
અરજી ફી 850 રૂપિયા છે અને SC, ST, દિવ્યાંગજન, ભૂતપૂર્વ સૈનિકો/આદિવાસી લઘુમતી અને મહિલા ઉમેદવારો માટે 175 રૂપિયા છે