ગુજરાત રાજ્યના તમામ પેન્શનરો તરફથી મળતી રજૂઆતો તેમજ તાબાની જિલ્લા તિજોરી કચેરીઓ પેન્શન ચૂકવવાના કચેરીઓ દ્વારા માગવામાં આવતા માર્ગદર્શનના અનુસંધાને ધ્યાન દોરવાનું થાય છે કે. ટેન્શનર કુટુંબ ટેન્શન ના પીપીઓ બુકમાં દર્શાવેલ નામ અને તેઓ દ્વારા રજૂ કરવામાં આવતા આધાર પુરાવો માત્ર માનવાચક પ્રત્યેયો જેવા કે “ભાઈ ” “કુમાર ” “દાસ ” “લાલ ” “બેન ” વિગેરે બાબતે જે તફાવત હોય તો તેવા કિસ્સામાં પીપીઓ બુકમાં દર્શાવેલ વ્યક્તિ તથા આધાર પુરાવામાં દર્શાવેલ વ્યક્તિ એક જ હોવા અંગેની બાંહેધરી મેળવી જરૂરી ચકાસણી કર્યા બાદ ચુકવણું કરવામાં વાંધા સરખું નથી
✅ આ ઉપરાંત ગુજરાત તિજોરી નિયમ 2000 ના નિયમ 25 7(1 )મુજબ યોગ્ય વ્યક્તિને જ ચુકવણું થઈ રહ્યું હોવાની ખાતરી કરવામાં આવે અને જરૂરી ચકાસણી પૂર્ણ થાય તો આવા કિસ્સાઓનો નિયમ અનુસાર ચૂકવવાના અંગેની કાર્યવાહી કરવી.
વધુમાં નોંધણીએ છીએ કે પીપીઓ બુકમાં નામ સુધારવાની તથા અન્ય દસ્તાવેજોમાં નામ સુધારવાની પ્રક્રિયા ખૂબ જ jatil અને સમય માંગી લે તેવી હોય છે પરિણામે પેન્શનરો કુટુંબ પે ન્શનરોની અનાવશક ખાલી નો સામનો કરવો પડે છે. સુધારો ન થાય ત્યાં સુધી. પેનશનર ને હાલાકીનો સામનો કરવો પડે છે.
આથી ઉપરોક્ત પરિસ્થિતિ ધ્યાને લેજો પીપીઓ બુકમાં દર્શાવેલ નામ અને આધાર પુરાવોમાં દર્શાવેલ ના વચ્ચે માત્ર માનવાચક પ્રત્યય બાબતે જ વિસંગતતા હોય તો ગુજરાત તિજોરી નિયમ 2000 257(1) મુજબ જરૂરી ચકાસણી કરી અને આવશ્યક બાહેધરી મેળવી પેન્શન નું ચૂકવવાનું કરવું. સમયસર ચૂકવી શકાય
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી NEP 2020 (National Education Policy 2020) અંતર્ગત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે PARAKH (Performance Assessment, Review and Analysis of Knowledge for Holistic Development)મોડેલ અમલમાં મૂકવામાં આવ્યો છે. હવે માત્ર માર્ક્સ આધારિત પરિણામ નહીં પરંતુ Comprehension, Skill Development, Critical Thinking અને Moral Values પર આધારિત મૂલ્યાંકન પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે.
આ લેખમાં આપણે ખાસ કરીને ધોરણ 4 માટે પરખ આધારિત મૂલ્યાંકન કાર્ડ (Holistic Progress Card) વિશે વિગતવાર સમજ મેળવીશું.
🔎 PARAKH શું છે?
PARAKH એટલેPerformance Assessment, Review and Analysis of Knowledge for Holistic Development
📊 Holistic Progress Card (HPC) માં શું સામેલ હોય છે?
✔ Academic Performance
✔ Foundational Literacy & Numeracy
✔ Life Skills
✔ Social Behavior
✔ Creativity & Innovation
✔ Attendance & Participation
આ રીતે વિદ્યાર્થીના સંપૂર્ણ વિકાસને ધ્યાનમાં રાખી પરિણામ આપવામાં આવે છે.
🏫 શાળા અને શિક્ષકો માટે મહત્વ
CCE (Continuous and Comprehensive Evaluation) ને મજબૂત બનાવે છે
બાળક કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ
Activity Based Learning ને પ્રોત્સાહન
Google Search માં વધુ શોધાતા Keywords:
Parakh Assessment Gujarat
Holistic Progress Card Std 4 PDF
NEP 2020 Assessment System
Std 4 New Evaluation Pattern 2026
PARAKH Based Report Card Download
👨👩👧 વાલીઓ માટે શું મહત્વનું?
માત્ર માર્ક્સ નહીં, બાળકની વાસ્તવિક ક્ષમતા જાણી શકાય બાળક ક્યાં ક્ષેત્રમાં મજબૂત છે તે સ્પષ્ટ થાય સુધારાની જરૂરિયાતવાળા ક્ષેત્રો ઓળખી શકાય 📌 PARAKH આધારિત મૂલ્યાંકન કેમ જરૂરી? આજના સમયમાં શિક્ષણ માત્ર પરીક્ષા સુધી સીમિત નથી. વિદ્યાર્થીને ભવિષ્ય માટે તૈયાર કરવું એ મુખ્ય ઉદ્દેશ્ય છે.
Critical Thinking
Problem Solving
Communication Skills
Emotional Intelligence
આ બધું મૂલ્યાંકનમાં સમાવેશ કરાયું છે.
📥 ધોરણ 4 PARAKH મૂલ્યાંકન કાર્ડ PDF કેવી રીતે મેળવો?
રાજ્ય શિક્ષણ વિભાગની સત્તાવાર વેબસાઈટ DIKSHA Portal SSA Gujarat Portal શાળાના મુખ્ય શિક્ષક દ્વારા ✍ નિષ્કર્ષ પરખ આધારિત ધોરણ 4 મૂલ્યાંકન કાર્ડ શિક્ષણ ક્ષેત્રમાં એક ક્રાંતિકારી બદલાવ છે. હવે વિદ્યાર્થીઓના માત્ર ગુણ નહીં પરંતુ તેમની સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ પર ભાર મુકવામાં આવી રહ્યો છે
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
12મા ધોરણ પછી યોગ્ય કોર્સ પસંદ કરવો એ દરેક વિદ્યાર્થીના ભવિષ્ય માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય છે. આજે, કારકિર્દીના વિકલ્પો હવે ફક્ત એન્જિનિયરિંગ અને મેડિકલ સુધી મર્યાદિત નથી રહ્યા, લો, ડિઝાઇન, અર્થશાસ્ત્ર, ડિજિટલ માર્કેટિંગ અને પત્રકારત્વ જેવા ઘણા નવા અને ઝડપથી વિકસતા ક્ષેત્રો ઉભરી આવ્યા છે. આ કોર્સ વિદ્યાર્થીઓને તેમની રુચિઓ અને ક્ષમતાઓ અનુસાર વિવિધ ક્ષેત્રોમાં નિષ્ણાત બનવાની તક આપે છે.
યોગ્ય માહિતી અને માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓ માત્ર સારી નોકરી જ નથી મેળવી શકતા, પરંતુ તેમના પસંદ કરેલા ક્ષેત્રમાં સફળ કારકિર્દી પણ બનાવી શકે છે.
કાયદામાં મજબૂત કારકિર્દી
ઈન્ટિગ્રેટેડ LLB એ પાંચ વર્ષનો કોર્સ છે, વિદ્યાર્થીઓ 12મા ધોરણ પછી સીધા જ આ કોર્સ કરી શકે છે. આ કોર્સ BA LLB અથવા BBA LLB તરીકે ઉપલબ્ધ છે. તે બંધારણ, કાનૂની પ્રક્રિયા, ન્યાયિક પ્રણાલી અને કાનૂની તર્ક જેવા વિષયોને આવરી લે છે. આ ડિગ્રી સાથે વિદ્યાર્થીઓ વકીલ બની શકે છે, કોર્પોરેટ કંપનીઓમાં લીગલ એડવાઈઝર તરીકે કામ કરી શકે છે અથવા ન્યાયિક સેવા પરીક્ષાની તૈયારી કરી શકે છે. આ કોર્સ એવા વિદ્યાર્થીઓ માટે આદર્શ છે જેઓ ચર્ચા, દલીલ અને સામાજિક મુદ્દાઓમાં રસ ધરાવે છે.
સર્જનાત્મક વિદ્યાર્થીઓ માટે તકો
B.Des એવા વિદ્યાર્થીઓ માટે યોગ્ય છે જેઓ સર્જનાત્મક વિચારસરણી અને ડિઝાઇનમાં રસ ધરાવે છે. આ કોર્સ ફેશન ડિઝાઇન, ઇન્ટિરિયર ડિઝાઇન, પ્રોડક્ટ ડિઝાઇન અને UX/UI ડિઝાઇન જેવી વિશેષતાઓ પ્રદાન કરે છે. ડિઝાઇનર્સ કંપની માટે નવી પ્રોડક્ટ્સ, ડિજિટલ એપ્લિકેશન ઇન્ટરફેસ અથવા રહેવાની જગ્યાઓ ડિઝાઇન કરે છે. આ ક્ષેત્રના વિદ્યાર્થીઓ મોટી ડિઝાઇન કંપનીઓ, ફેશન બ્રાન્ડ્સ અથવા ફ્રીલાન્સર્સ તરીકે કામ કરી શકે છે.
વૈશ્વિક સ્તરે કારકિર્દી
ઈન્ટરનેશનલ રિલેશન કોર્સ એવા વિદ્યાર્થીઓ માટે સારો વિકલ્પ છે જેઓ આંતરરાષ્ટ્રીય રાજકારણ, વિદેશ નીતિ અને વૈશ્વિક ઘટનાઓમાં રસ ધરાવે છે. તે રાષ્ટ્રીય સંબંધો, આંતરરાષ્ટ્રીય વેપાર અને વૈશ્વિક સંગઠનોની ભૂમિકા વિશે શીખવે છે. આ ક્ષેત્રના વિદ્યાર્થીઓ દૂતાવાસો, આંતરરાષ્ટ્રીય સંગઠનો અને બિન-સરકારી સંગઠનો સાથે કામ કરી શકે છે. આ કારકિર્દી માત્ર આદરણીય નથી, પરંતુ વિશ્વભરના વિવિધ દેશો સાથે કામ કરવાની તક પણ આપે છે.
વધતી માંગવાળા ક્ષેત્રો
અર્થશાસ્ત્રનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે બેંકિંગ, સરકારી નીતિ, સંશોધન અને કોર્પોરેટ ક્ષેત્રમાં અસંખ્ય તકો છે. જો તેઓ ડેટા વિશ્લેષણ પણ શીખે, તો તેઓ બજારના વલણો અને ગ્રાહક વર્તણૂકને સમજવામાં નિષ્ણાત બની શકે છે. આજે કંપનીઓ અને સરકાર બંને એવા નિષ્ણાતોની માંગ કરી રહ્યા છે જે ડેટાના આધારે યોગ્ય નિર્ણયો લેવામાં મદદ કરી શકે.
ટુરિઝમ ક્ષેત્રમાં સંભાવનાઓ
હોટેલ મેનેજમેન્ટનો કોર્સ ટુરિઝમ, હોટેલ અને ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે સંબંધિત છે. વિદ્યાર્થીઓને હોટેલ સંચાલન, ગ્રાહક સેવા અને ઈવેન્ટ મેનેજમેન્ટની ટ્રેનિંગ આપવામાં આવે છે. આ કોર્સ પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીઓ મોટી હોટલ, રિસોર્ટ, ક્રુઝ લાઈન અથવા એરલાઈન્સમાં કામ કરી શકે છે. વધુમાં, પોતાનો રેસ્ટોરન્ટ અથવા હોસ્પિટાલિટી બિઝનેસ શરૂ કરવાની તકો પણ છે.
ઓનલાઈન વિશ્વમાં ઉભરતી કારકિર્દી
ઈન્ટરનેટના વધતા ઉપયોગને કારણે ડિજિટલ માર્કેટિંગની માંગ ઝડપથી વધી છે. આ ક્ષેત્રમાં કંપનીઓની વેબસાઈટ્સ, સોશિયલ મીડિયા અને ઓનલાઈન જાહેરાતનું સંચાલન શામેલ છે. વિદ્યાર્થીઓ કન્ટેન્ટ રાઈટિંગ, SEO, સોશિયલ મીડિયા મેનેજમેન્ટ અને ઓનલાઈન બ્રાન્ડ પ્રમોશન જેવી સ્કિલ્સ શીખે છે. આ ક્ષેત્ર ટૂંકા ગાળામાં આશાસ્પદ કારકિર્દીની તકો પ્રદાન કરે છે.
પત્રકારત્વ અને માસ કોમ્યુનિકેશન કોર્સ સમાચાર, લેખન અને મીડિયામાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે યોગ્ય છે. આ કોર્સ રિપોર્ટિંગ, ડિજિટલ મીડિયા, ટીવી અને રેડિયો પ્રસારણ વિશે માહિતી પ્રદાન કરે છે. આ ક્ષેત્રના વિદ્યાર્થીઓ રિપોર્ટર, ન્યૂઝ એન્કર, કન્ટેન્ટ ક્રિએટર્સ અથવા સોશિયલ મીડિયા મેનેજર તરીકે કામ કરી શકે છે. આ ક્ષેત્ર સમાજને સચોટ માહિતી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
ફેબ્રુઆરી મહિનાની ૨૮મી તારીખ સમગ્ર દેશવાસીઓ માટે ખાસ કરીને વિજ્ઞાન જગતમાં મહત્વની ગણાય છે. ૨૮મી ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ ડૉ. ચંદ્રશેખર વેંકટરામને (સર સી.વી. રામન) ‘રામન ઈફેકટ’ની શોધ પૂરી કરી હતી. તેમની યાદમાં જ આ દિન ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ તરીકે ઊજવાય છે. આ મહામૂલી શોધ બદલ ૧૯૩૦માં તેમને નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા.ચાલો, આ મહાન વિજ્ઞાનીના જીવનને જાણીએ.
સર સી. વી. રામનનો જન્મ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તિરુચિરાપલ્લી, તામિલનાડુ રાજ્ય ખાતે હિંદુ, બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એમની માતૃભાષા તમિલ છે. બાળપણમાં જ તેમના પરિવારને વિઝાગ, આંધ્ર પ્રદેશ ખાતે રહેવા જવાનું થયું. તેઓના પિતાજી ગણિત તથા ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા હોવાને કારણે રામનજીને ભણવાનું યોગ્ય વાતાવરણ ઘરમાં જ મળી ગયું હતું. એમના ભત્રીજા સુબ્રમણ્યન ચંદ્રશેખરને પણ ભૌતિકશાસ્ત્રના વિષયમાં નોબેલ પુરસ્કાર ઇ. સ. ૧૯૮૩ના વર્ષમાં એનાયત કરવામાં આવ્યું હતું.
👉અભ્યાસ :
રામનજી પ્રેસિડન્સી કોલેજ, ચેન્નાઇ ખાતે ઇ. સ. ૧૯૦૨ના વર્ષમાં દાખલ થયા, અને ઇ. સ. ૧૯૦૪ના વર્ષમાં એમણે બી.એસસી.ની પદવી મેળવી. જેમાં એમણે પ્રથમ સ્થાને રહી સુવર્ણચંદ્રક પણ જીત્યો હતો. ઇ. સ. ૧૯૦૭ના વર્ષમાં એમણે એમ.એસસી.ની પદવી અવ્વલ સ્થાને રહી ૭૦થી વધુ ટકા સાથે મેળવી હતી. ત્યારબાદ એમણે આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલ તરીકે ઇન્ડીયન ફાયનાન્સ ડિપાર્ટમેન્ટ, કોલકતા ખાતે પોતાની કારકિર્દીની શરૂઆત કરી
👉રામન અસર :
ચંદ્રશેખર વ્યંકટ રામન જે સી.વી. રામનના નામે વિશ્વમાં વિખ્યાત છે તેઓએ ૪૦ વર્ષની વયે તા. ૨૮ ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ ભૌતિકશાસ્ત્રના પ્રકાશ વિજ્ઞાનમાં અતિ મહત્વનું સ્થાન પ્રાપ્ત કરનાર રામન અસરની શોધ કરી હતી. જે માટે તેમને ઈ.સ. ૧૯૩૦માં ફિઝીકસનું નોબેલ પ્રાઈઝ પણ આપવામાં આવ્યું હતું. રામન અસર એ પ્રકાશમાં અનુભવાતી વિવિધ ઘટનાઓમાંની વિકિર્ણન અંગેની ઘટના ઉપર આધારિત છે. ચોક્કસ આવૃત્તિવાળો એકરંગી પ્રકાશ કોઈ માધ્યમમાંથી પસાર થાય છે ત્યારે આપાત આવૃત્તિ ઉપરાંત ફેરફારવાળી આવૃત્તિઓની રેખાઓની આકૃત્તિઓ રચાય છે. આ વર્ણપટને “રામન વર્ણપટ” કહે છે. અને આ ઘટના “રામન અસર” કહેવામાં આવે છે . સ્થાન ફેરાવાળી આવૃત્તિઓ આપાત આવૃત્તિથી સ્વતંત્ર હોય છે. પરંતુ વિકિર્ણન કરતાં માધ્યમના અણુની લાક્ષણિકતા ઉપર આધાર રાખે છે. ઈ.સ. ૧૯૨૩માં શોધાયેલ ક્ષ-કિરણોના વિકિર્ણનને સમજાવતી “કોમ્પટન અસર”ની જોડીદાર જેવી રામન અસર છે. કોમ્પટન અસરએ એચ.કોમ્પટન નામના વિજ્ઞાનીએ શોધેલ જેમાં તેણે શોધેલું કે આપાત કિરણની તરંગ લંબાઈ કરતાં વિકિર્ણન પામતા કિરણની તરંગ લંબાઈ મોટી હોય છે અને આને આધારે પ્રકાશના “કવોન્ટમવાદ”ન સમજાવેલ. રામન અસર એ અણુ અને તેમના ઉત્સર્જિત શક્તિ સ્થાનોને લીધે ઉભી થાય છે અને આથી રોટેશનલ, વાઈબ્રેશનલ અને ઈલેકટ્રોનીક રામન અસર મળે છે. ઘન, પ્રવાહીને વાયુમાં રામન અસર જોઈ શકાય છે. આમ રામન અસરએ અણુ દ્વારા પ્રકાશ વિકિરણની આવૃત્તિમાં થતાં ફેરફાર સમજાવનારી ઘટના છે. આથી તેની મદદથી પરમાણુંનું બંધારણ, પ્રરમાણુની અથડામણ, રાસાયણિક બંધનોનો સ્વભાવ અને ક્રેઝ ટ્રાન્ઝીકશન વગેરે ઘટનાઓનો પૂર્ણ અભ્યાસ કરી શકાય છે. સી.વી.રામને ભારતીય વાદ્યો પર પણ સંશોધન કરેલ. સી.વી. રામન માત્ર વૈજ્ઞાનિક જ ન હતાં પરંતુ ભારતીય સંગીત-વાદ્યોના જ્ઞાતા હતા. તેઓ તબલા, સિતાર, સંતૂર જેવા તંતુ વાદ્યો ઉપર પણ તેઓએ અતિ મહત્વના સંશોધન કર્યાં તેઓ કલકત્તાથી ઈન્ડિયન જનરલ ઓફ ફિઝીક્સ અને બેંગ્લોરથી કરંટ સાયન્સનું પ્રકાશન કરી વિજ્ઞાનની સમજ આપતા હતાં
👉સમાપન :
સી.વી.રામને આજથી ૮૮ વર્ષ પહેલા લાભદાયી સંશોધન રજૂ કરેલું. દર વર્ષે ૨૮મી ફેબ્રુઆરીનો દિવસ રાષ્ટ્રીય કક્ષાએ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસે નોબેલ પ્રાઈઝ વિજેતા ભારતીય વૈજ્ઞાનિક ડો.સી.વી.રામને સમગ્ર વિશ્વમાં ઉપયોગી ‘રામન અસર’ ફિઝીકસ વિજ્ઞાનમાં પ્રસ્તુત કરી હતી. આથી દેશમાં યુવા વર્ગમાં વિજ્ઞાનમાં રસ જાગે તે હેતુથી દર વર્ષે ૨૮મી ફેબ્રુઆરીનાં દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. આ વર્ષે આ ક્રાંતિકારી શોધને ૮૮ વર્ષ થશે. તેમણે Why the Sky is Blue: Dr. C.V. Raman Talks about Science અને The new physicsનામના પુસ્તકો લખ્યા હતા. સી.વી. રામનનું ૨૧ નવેમ્બર ૧૯૭૦ના રોજ બેંગ્લોરમાં અવસાન થયું.
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
GCERT દ્વારા બહાર પાડવામાં આવેલ તાજા પરિપત્ર મુજબ બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 2 માટે Self Assessment 2026 પ્રક્રિયા ફરજિયાત બનાવવામાં આવી છે. આ કામગીરી 01/03/2026 થી 10/03/2026 દરમ્યાન પૂર્ણ કરવાની રહેશે અને ત્યારબાદ Online Data Entry on Vidya Samiksha Kendra Portal કરવાની રહેશે.
આ લેખમાં આપને મળશે સંપૂર્ણ માર્ગદર્શન – Assessment Tools, Data Upload Process, External Evaluation, Government School Compliance Guidelines અને High Priority Instructions.
ધોરણ 1 અને 2 માં સ્વ મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન બાબત પરિપત્ર
નિપુણ ભારત વાર્ષિક સર્વેક્ષણ અંતર્ગત બાલવાટિકાથી લઈને ધોરણ 1 અને 2 માં સ્વ મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન બાબત પરિપત્ર
🗓️ Self Assessment Timeline 2026
📅 તારીખ: 01 માર્ચ 2026 થી 10 માર્ચ 2026
🎯 લાગુ વર્ગો: બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 2
💻 ફરજિયાત કાર્ય: Online Marks Entry / Data Upload
📊 આગામી તબક્કો: March માં External Assessment
📌 Assessment Tools & Implementation Guidelines
GCERT ના પત્ર મુજબ તમામ DIET, DPEO, AO અને તાલુકા સ્તરના અધિકારીઓએ ખાતરી કરવી કે:
તમામ પ્રાથમિક શાળાઓ સુધી Assessment Tools પહોંચે
Teachers proper utilization કરે
Evaluation process child-centric & competency-based હોય
Continuous and Comprehensive Evaluation (CCE) ધોરણે મૂલ્યાંકન થાય
આ મૂલ્યાંકન National Education Policy (NEP 2020) ના Foundational Literacy & Numeracy (FLN Mission) ના ઉદ્દેશો સાથે સંકળાયેલ છે.
💻 Online Data Entry – Vidya Samiksha Kendra Portal
Vidya Samiksha Kendra ની સત્તાવાર વેબસાઇટ પર 10 માર્ચ 2026 સુધીમાં ગુણાંકન Upload કરવું ફરજિયાત છે.
Important Instructions:
✔️ School Login દ્વારા Data Entry કરવી
✔️ Accurate Marks Entry કરવી
✔️ Late submission ટાળવી
✔️ Data verification કર્યા પછી Final Submit કરવું
Keyword Focus: Online Assessment Gujarat, GCERT Self Evaluation 2026, Vidya Samiksha Kendra Data Upload, Primary School Online Marks Entry
નિપુણ ભારત સર્વેક્ષણ Data Entry
નિપુણ ભારત સર્વેક્ષણ 2025 26 અંતર્ગત લેવાયેલ મુલ્યાંકનની DATA ENTRY આજ રોજ તા. 02/02/2026 ને સોમવારના રોજ XAMTA APP પર શરૂ કરવામાં આવેલ છે. આ સાથે XAMTA APP ની લિંક મોકલી આપેલ છે. જે લાગુ પડતા તમામ શિક્ષકો સુધી ઉપલબ્ધ થાય અને નિયત સમય મર્યાદામાં DATA ENTRY પુર્ણ થાય તે સુનિશ્ચિત કરશો.
નિપુણ ભારત સર્વેક્ષણ Data Entry
નિપુણ ભારત સર્વેક્ષણ 2025 26 અંતર્ગત લેવાયેલ મુલ્યાંકનની DATA ENTRY આજ રોજ તા. 02/02/2026 ને સોમવારના રોજ XAMTA APP પર શરૂ કરવામાં આવેલ છે. આ સાથે XAMTA APP ની લિંક મોકલી આપેલ છે. જે લાગુ પડતા તમામ શિક્ષકો સુધી ઉપલબ્ધ થાય અને નિયત સમય મર્યાદામાં DATA ENTRY પુર્ણ થાય તે સુનિશ્ચિત કરશો.
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
👉એક કાકા બેંકમાં ખાતું ખોલાવવા ગયા. જ્યાં તેને ફોર્મ પર સહી કરવાની હતી, ત્યાં લખ્યું હતું –
*”નમૂનાની સહી”.*
કાકાએ આ વાક્ય અંગે વાંધો ઉઠાવ્યો. જ્યારે આ મામલો મેનેજર પાસે ગયો, ત્યારે મેનેજરે તેમની પાસે માફી માંગી, તેમની ભૂલ સુધારી અને તે ફોર્મ પર લખ્યું …
*“સહીનો નમૂનો”.*
સાચા અર્થઘટન માટે યોગ્ય શબ્દો જ નહીં, ક્રમ પણ સાચો હોવો જરૂરી છે.
*માતૃભાષા દિવસ નિમિત્તે અનેક અનેક શુભકામનાઓ.💐* 😇
"દુનિયાની વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો વચ્ચે સંવાદ અને સંપર્ક સાધવા માટે કોઈપણ ભાષા માધ્યમ બની શકે, પરંતુ દરેક સમાજની મૂર્ત કે અમૂર્ત ધરોહરને જીવંત રાખવા માટેનું સક્ષમ સાધન જો કોઈ હોય તો તે છે માત્ર માતૃભાષા છે"
આપ સહુને ‘વિશ્વ માતૃભાષા દિવસ’ ની શુભેચ્છાઓ!
" કેવળ માહિતીની આપ-લે થાય એને તો ફક્ત ભાષા જ કહેવાય સાહેબ, પણ હ્ર્દય પર અસર કરી જ્યાં લાગણીઓની આપ-લે થાય એને જ માતૃભાષા કહેવાય."
👉World Mother Language Day : 21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ દર વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે, તો તમને જણાવી દઈએ કે ભારતમાં 1 હજાર 652 જેટલી અલગ અલગ ભાષાઓ બોલાય છે. પોતાની માતૃભાષા પ્રત્યે લોકોને જાગૃત કરવાના હેતુથી માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
વિશ્વ માતૃભાષા દિવસ #!! માતૃભાષા દિવસની શુભેચ્છાઓ !! #21 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ #આજે 21 ફેબ્રુઆરી એટલે વિશ્વમાતૃભાષા દિવસ!!
મને મારી ભાષા ગમે છે, કારણ કે મને મારી મા ગમે છે.
મને ગુજરાતી હોવાનો ગર્વ છે, જય જય ગરવી ગુજરાત ,……… આપ સર્વેને માતૃભાષા દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી, સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી. કરે બોલતા જે ભર્યા ભાવ છાતી, રમો માતૃભાષા મુખે ગુજરાતી. મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં, થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીંરા, પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે, સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે. ધ્રુવા સત્ય-સાથી અહિંસા સુહાતી, નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.
- ઉમાશંકર જોષી
વિશ્વ માતૃભાષા દિને સૌને જય જય ગરવી ગુજરાતી🙏🏻💐🙏🏻
વ્હેંચાતા વ્હેંચાતા છેલ્લે ‘હું’ જ વધ્યો
કોઈએ ન લીધો!!!
કારણ બધા પાસે પોતાનો ‘હું’ હતો. માતૃભાષા દિવસ ની શુભકામના
ગર્વ છે હું ગુજરાતી છું//
કયાંક એવું તો નહી બને ને કે વીસ પચ્ચીસ વરસ પછી આપણે માતૃભાષા ગુજરાતી બચાવવાની ચર્ચા પણ અંગ્રેજીમાં કરવી પડશે,,,?
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
(૧૫) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ની બુનિયાદી વિષયોના પાઠ્યપુસ્તક બાબત કામગીરી?
–ઇ.સ. ૧૯૯૯ થી ધો ૧૧ અને ૧૨ ના બુનિયાદી વિષયોના ૨૬ જેટલા પાઠ્યપુસ્તકોનું પ્રકાશન કર્યું.
(૧૬) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ના પ્રમુખ કોણ હોય છે?
શિક્ષણમંત્રી
(૧૭) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની પાઠ્યપુસ્તકોમાં ભૂલ સુધારવાની રીત ?
સુધારવા માટે જરુરી આધાર પુરાવા રજૂ કરવામાં આવે તેના આધારે સુધારો જાહેર કરવામાં આવે છે
ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ|| GSSEBTB
ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળ
ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળ
સ્થાપના દિન – ૨૧મી ઓક્ટોબર
ગુજરાત રાજ્ય શાળા પાઠય પુસ્તક મંડળ ”વિઘાયન’, સેક્ટર-૧૦/એ, ગાંધીનગર
ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળની સ્થાપના ઈ.સ. ૧૯૬૯ની ૨૧મી ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી, છેતાલીસ વર્ષથી મંડળે પોતાનું મુખ્ય લક્ષ્ય, ઉચ્ચ ગુણવત્તાવાળાં પાઠયપુસ્તકોનું પ્રકાશન કરી તથા ગુજરાતના વિદ્યાર્થીઓને વાજબી કિંમતે એ સુલભ બનાવીને, પાર પાડયું છે. મંડળ તરફથી ધોરણ 1 થી ૧૨નાં ગુજરાતી માધ્યમનાં પાઠયપુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે. તદુપરાંત હિન્દી, અંગ્રેજી, મરાઠી, સિન્ધી, ઉર્દૂ, સંસ્કૃત અને તમિલ ભાષામાં પણ પાઠયપુસ્તકોનું પ્રકાશન કરવામાં આવે છે.
સભા-સમિતિઓ
મંડળનું સમગ્ર સંચાલન સારી રીતે થાય તેના નિશ્ચિત ઉદ્દેશો પાર પડે તે માટે નીચે મુજબની સભા-સમિતિની રચના કરવામાં આવે છે.
(૧) સામાન્ય સભા
(૨) નિયામક સભા
(૩) કાર્યવાહક સમિતિ
(૪) શૈક્ષણિક સમિતિ
(૫) સંશોધન સમિતિ
(૬) ઉત્પાદન સમિતિ
ઉપરની સમિતિઓ મંડળનો સમગ્ર વહીવટ સારી રીતે ચાલે એ અંગેનાં સલાહ-સૂચનો આપે છે
મંડળની વિતરણ અંગેની કામગીરી
મુદ્રિત થયેલાં પાઠયપુસ્તકોનું વિતરણ સમગ્ર ગુજરાતમાં સહકારી ધોરણે કામ કરતી સંસ્થાઓ મારફતે કરવામાં આવે છે. દરેક જિલ્લાના વિતરક સાથે પાઠયપુસ્તકોના છૂટક વેચાણની કામગીરી માટે વિક્રેતાઓને જોડી દેવામાં આવે છે. છૂટક વેચાણ કરનારા વિક્રેતાઓની નોંધણી મંડળમા કરવામાં આવે છે. આ વ્યવસ્થાની તમામ વિઘાર્થીઓને પાઠયપુસ્તકો સરળતાથી પ્રાપ્ત થાય છે. અમદાવાદમાં પણ મંડળનું પોતાનું વેચાણ કેન્દ્ર (સેલ ડેપો, ગોડાઉન નં. ૯, અસારવા પુલ નીચે, અમદાવાદ – ૩૮૦ ૦૧૬ ફોનઃ ૨૨૧૩૩૯૨૦) ચાલે છે. કોઈ પણ સંસ્થાને કે વ્યક્તિગત ધોરણે કોઈ પણ વિદ્યાર્થીને આ વેચાણ કેન્દ્ર ઉપરથી પાઠયપુસ્તકો છૂટક વેચાણના ધોરણે મળી શકે છે. બહારગામથી મનીઓર્ડર કે બેન્કડ્રાફ્ટ દ્વારા પણ પાઠયપુસ્તકો મેળવી શકાય છે. મંડળની
સંશોધન અંગેની કામગીરી
પાઠયપુસ્તક મંડળ પાઠયપુસ્તકોનું પ્રકાશનકાર્ય કરીને જ સંતોષ માનતું નથી. પાઠયપુસ્તકોની ગુણવત્તા સતત સુધરતી રહે તે માટે સંશોધન અંગેની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે. પ્રાથમિક શિક્ષકોથી માંડીને યુનિવર્સિટીના અધ્યાપકો સુધીની પ્રતિભાશાળી વ્યક્તિઓને મૂલ્યાંકન કાર્યક્રમ તથા અન્ય શૈક્ષણિક કાર્યક્રમોમાં જોડવામાં આવે છે. પાઠયપુસ્તક સંપાદન તાલીમ શિબિર અને પાઠયપુસ્તકોના લેખકો, પરામર્શકો, અનુવાદકો વગેરે માટેનો પ્રતિભાશોધ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યાં છે. મંડળની નવાં ક્ષેત્રોમાંની કામગીરી
બુનિયાદી વિષયોનાં પાઠયપુસ્તકો
ઈ.સ. ૧૯૯૯થી ધોરણ ૧૧-૧૨ના બુનિયાદી વિષયોનાં ૨૬ પાઠયપુસ્તકોનુંપ્રકાશન કરીને મંડળે જાહેર પરીક્ષા માટેના વધારે વિષયોનાં પાઠયપુસ્તકો દ્વારા જે-તે ક્ષેત્રના વિઘાર્થીઓને આધારભૂત સાહિત્ય પૂરું પાડયું છે. આથી ગ્રામ અને કૃષિનાં ક્ષેત્રોમાં પણ મંડળ માનવ સંશોધન વિકાસના મહત્ત્વના કાર્યમાં પોતાનો ફાળો આપી શક્યું છે.
મંડળના ઉદ્દેશો
ગુજરાત સરકારે મંજૂર કરેલ અભ્યાસક્રમ અનુસાર ધોરણ ૧ થી ૧૨ નાં ગુજરાતી માધ્યમ ઉપરાંત અન્ય સાત માધ્યમો – હિન્દી, અંગ્રેજી, મરાઠી, સિન્ધી, ઉર્દૂ, સંસ્કૃત અને તમિલ . કુલ 8 ભાષા માં સારી ગુણવત્તાવાળાં પાઠ્યપુસ્તકો તૈયાર કરી, તેનું મુદ્રણ કરાવી વિદ્યાર્થીઓને વાજબી કિંમતે સમયસર મળે તે મુજબ વિતરણ કરવું.
શિક્ષક અધ્યાપનપોથીઓ, સ્વાધ્યાયપોથીઓ અને અન્ય શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવી.
પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના અભ્યાસક્રમ સુધારવા માટેના સંશોધનો હાથ ધરવા અને તેને પ્રોત્સાહન આપવું. છે.
પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના વિદ્યાર્થીઓ માટે પૂરક વાચન સામગ્રી તૈયાર | કરવી.
પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણની પ્રગતિ અને ગુણવત્તા સુધારણામાં સહાય કરવી અને તેને વેગ આપવો
Click here to change this text. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
🔗 પીએમસી સ્કૂલ નો અર્થ છે પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઈઝીંગ ઇન્ડિયા ( Pradhanmantri school for rising India )
➖ આ યોજના ભારત સરકારના શિક્ષણ મંત્રાલય, ( Ministry of Education) દ્વારા સપ્ટેમ્બર 22 મો શરૂ કરવામાં આવી હતી.
➖ તેનો મુખ્ય હેતુ છે દેશભરમો એવી આદર્શ શાળાઓ( Model School) ઊભી કરવી જે નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020(NEP 2020 )ના સિદ્ધાંતોની સંપૂર્ણ રીતે અમલમાં લાવે..
PM Shree School
➖ યોજનાની શરૂઆત
7 સપ્ટેમ્બર 2022
➖ અમલ સમયગાળો
2022-23 થી 2026-27 (5વર્ષ )
➖ અમલ કરનાર વિભાગ
શિક્ષણ મંત્રાલય ભારત સરકાર
➖ સહભાગી તંત્ર
રાજ્ય સરકારો સંઘ પ્રદેશો
➖ નાણાકીય અનુપાત
60:40( કેન્દ્ર રાજ્ય )90:10 ( ઉત્તર પૂર્વ હિમાલય વિસ્તાર માટે)
INDIA LEVALE માં કુલ 14,500 જેટલી શાળાઓ પસંદ કરવામાં આવી છે.
🔗 દરેક જિલ્લાની કેટલીક કેન્દ્રીય રાજ્યો અને સ્થાનિક શાળાઓની પસંદ કરીને તેમની પીએમ શ્રી સ્કૂલ તરીકે વિકસાવવામાં આવી રહી છે.
🔗 આ શાળાઓમાં 18 લાખ વિદ્યાર્થીની સીધું લાભ મળશે
➖ પસંદગી પ્રક્રિયા
શાળાઓની પસંદગીની પ્રક્રિયા ત્રણ તબક્કાઓમાં થાય છે
પાત્રતા ચકાસણી: રાજ્ય જિલ્લા દ્વારા શાળાઓની મૂળભૂત માપદંડ તપાસ
પોર્ટલ પર અરજી : દરેક શાળા ઓનલાઈન પીએમસી પોર્ટલ પર અરજી કરે છે.
મૂલ્યાંકન અને ફિલ્ડ વેરિફિકેશન,: શિક્ષણ મંત્રાલય અને nvs /KVS ટીમ દ્વારા ચકાસની બાદ મંજૂરી
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
ભારતના બંધારણમાં આર્ટિકલ-૩૯ મુજબ રાજ્યમાં રહેતા તમામ લોકો માટે આરોગ્ય અને તંદુરસ્તી માટેની જોગવાઇ કરવાની રહે છે. સામાજિક અને રાષ્ટ્રીય એકતાના મુખ્ય સંદેશ સાથે ભારતમાં સૌ પ્રથમ ૧૯૮૨ માં તામિલનાડુમાં મધ્યાહન ભોજન આપવાની શરૂઆત કરવામાં આવી. જ્યારે ગુજરાતમાં તેની શરૂઆત ૧૯મી નવેમ્બર, ૧૯૮૪થી કરવામાં આવી. નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર મધ્યાહ્ન ભોજન યોજનાને ફરજિયાતપણે વર્ષમાં ઓછામાં ઓછા ૨૦૦ દિવસ બાળકોને ભોજન આપવાનું નક્કી કરવામાં આવ્યું. જે અંતર્ગત સરકાર હસ્તકની પ્રાથમિક શાળાઓમાં આ યોજના શરૂ કરવામાં આવી. નેશનલ પ્રોગ્રામ ઓફ ન્યુટ્રિશન સ્કીમ ઓફ એજ્યુકેશન હેઠળ આ યોજના કાર્યરત છે.
મધ્યાહ્ન ભોજન યોજના ના હેતુઓ
કુપોષણની સમસ્યાનો ઉકેલ
વિદ્યાર્થીઓના આરોગ્ય અને પોષણ મુલ્યોમાં વધારો કરવો.
ગરીબ બાળકોને શાળામાં આવતા પ્રોત્સાહન આપવું.
બાળકોના ડ્રોપઆઉટ દરમાં ઘટાડો કરી હાજરીમાં વધારો કરવો.
બાલ્યાવસ્થાથી જ બાળકોમાં સામાજિક અને રાષ્ટ્રીય એકતાનું જોડાણ ગ્રામ્ય કક્ષાએ રોજગારીની તકો પુરી પાડવી.
પરોક્ષ રીતે રાજ્ય તેમજ રાષ્ટ્રમાંથી ગરીબી દુર કરવી.
મધ્યાહન ભોજન સામગ્રી ની લેટેસ્ટ વિગતો
વસ્તુ
ધો .1 થી 5
ધો .6 થી 8
અનાજ ઘઉં ,ચોખા
100ગ્રામ /50 ગ્રામ
150 ગ્રામ
દાળ -કઠોળ
20 ગ્રામ
30ગ્રામ
શાકભાજી
50 ગ્રામ
75 ગ્રામ
ખાદ્યતેલ
10 ગ્રામ
10 ગ્રામ
મીઠું મસાલા
જરૂરિયાત
મુજબ
મધ્યાહન ભોજન અગત્ય ની માહિતી
ગુજરાત માં મધ્યાહન ભોજન 1984 માં શરુ થઇ . ત્યારે મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી હતા .
ભારત માં સૌ પથમ તામિલનાડુ માં 1982 માં શરૂઆત થઇ. .
ભારત માં 1995 માં ચાલુ થઇ (.1995 સુપ્રીમ કોર્ટ ના ચુકાદા થી થઇ. .
ભારત માં ફરજીયાત અમલ 2001 માં.
હાલ નવું નામ .PM POSHAN ગુજરાતી અર્થ – પ્રધાન મંત્રી પોષણ શક્તિ નિર્માણ
ઓછા માં ઓછા 200 દિવસ મધ્યાહન ભોજન આપવું.
મધ્યાહન ભોજન ન આપી શકાય તો 3 કિલો અનાજ આપવું .
મધ્યાહન ભોજન યોજના માળખું
શિક્ષણ ખાતું
કમિશનર (MDM)
જોઈન્ટ કમિશ્નર
કલેક્ટર /મ્યુન્સિપલ કમિશ્નર
આસી.કમિશ્નર (અમલીકરણ )
ડેપ્યુટી કમિશ્નર /મ્યુન્સિપલ કમિશ્નર
મામલતદાર
નાયબ મામલતદાર ઇન્ચાર્જ
એકાઉન્ટ ઓફિસર
નાયબ મામલતદાર એકાઉન્ટ
રિચર્સ ઓફિસર
નાયબ મામલતદાર ઇન્સ્પેક્ટર
નાયબ મામલતદાર
નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
સંચાલક ,શાળાઓ
NEP -2020 આ યોજનાના લાભ :
આ યોજના હેઠળ બાલવાટિકા થી 8 ધોરણ સુધીના વિદ્યાર્થીઓને શાળામાં બપોરનું ભોજન અને નાસ્તો મફત આપવામાં આવે છે. જો શાળામાં રસોઈની વ્યવસ્થા ન હોય તો દરેક લાયક વિદ્યાર્થીને 3 કિલો અનાજ દર મહિને આપવામાં આવે છે.
આ યોજના હેઠળ એ વિદ્યાર્થીઓ લાયક ગણાશે જેઓની શાળાના દિવસોની 80 ટકા હાજરી જરૂરી.છે
મધ્યાહન ભોજન અગત્યના પ્રશ્ન
👉1. મધ્યાહન ભોજન કેટલા દિવસ આપવું ?
200
👉2. MDM ન આપી શકાય તો કેટલું અનાજ મળે ?
3 કિલો અનાજ
👉3. ધોરણ 1 થી 5 પ્રાથમિક નો 1 બાળક દીઠ કેટલું MDM અપાય છે ?
કુલ વજન 180 ગ્રામ
👉4. ધોરણ 6 થી 8ઉચ્ચ પ્રાથમિક નો 1 બાળક દીઠ કેટલું MDM અપાય છે ?
✅ભારત સરકાર દ્વારા સપ્ટેમ્બર 2021 માં શરૂ કરવામાં આવી હતી.
✅ અગાઉ આ યોજનાનું નામ મધ્યાન ભોજન યોજના હતું.
✅ કેન્દ્રની રાજ્ય સરકારનો સહયોગ :: નાણાકીય અનુપાત 60:40 ( કેન્દ્ર રાજ્ય )90 :10➖ ઉત્તર પૂર્વ હિમાલય વિસ્તારો માટે
➡️ યોજનાની વિશેષતાઓ
પ્રી પ્રાઇમરી બાળકો આંગણવાડી ક્લાસ વન ની પણ ભોજનમાં સમાવિષ્ટ કરાયા છે
દૂધ અને માઈક્રન્યુટ્રીન્સ ઉમેરો ની દિશામાં પ્રયાસ
પીએમ પોસન પોર્ટલ મારફતે ડિજિટલ મોનિટરિંગ
Dbt ➖ direct benefit transfer રસોઈખર્ચ નું સીધો ભૂગતાન
શાળામાં જ કિચન ગાર્ડન શાળામાં શાકભાજી ઉગાડવી
ભાગીદારી સમુદાયની ભાગીદારી વધારવામાં આવી છે
✅mdm app અને pm poshn dashboard દ્વારા રોજિંદા આકલાવ ઓનલાઈન રિપોર્ટ થાય છે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
“મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
🔅 રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત આ યોજના અંતર્ગત પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવશે.
🔅 આ નવી યોજનાનો લાભ ૩૨,૨૭૭ શાળાના અંદાજે ૪૧ લાખ વિદ્યાર્થીઓને થશે.
🔅 આ યોજના અંતર્ગત, સપ્તાહ દરમિયાન ખાંડેલા સીંગદાણા સહિતની સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ તથા શ્રી અન્ન(મીલેટ)માંથી બનાવેલી ખાદ્યસામગ્રી અલ્પાહાર સ્વરૂપે અપાશે.
🔅 આ હેતુસર મટીરીયલ કોસ્ટ માટે રૂ. ૪૯૩ કરોડ તથા પૌષ્ટિક અલ્પાહાર તૈયાર કરવાની વધારાની કામગીરી માટે માનદવેતન ધારકોને ૫૦ ટકા માનદવેતન વધારા માટે રૂ. ૧૨૪ કરોડ મળીને “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” માટે સમગ્રતયા વાર્ષિક રૂ. ૬૧૭ કરોડનો વધારાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.
🔅 તદ્અનુસાર, પી.એમ. પોષણ યોજનાના માનદવેતનધારક સંચાલકને હવે રૂ. ૪૫૦૦નું માસિક માનદવેતન, ૨૬ કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓના કૂક કમ હેલ્પરને માસિક રૂ. ૩૭૫૦ તથા નાની શાળાઓ માટે વધારાના સ્ટાફ-હેલ્પરને માસિક રૂ.૧૫૦૦ માનદવેતન આપવામાં આવશે.
🔅 પૌષ્ટિક અલ્પાહાર આપવાનો નિર્ણય કરનારું ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય છે. વિદ્યાર્થીઓના સુપોષણ માટે આ યોજના ખૂબ મહત્ત્વની સાબિત થશે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
ગુજરાતની આંગણવાડીઓમાં જૂન 2026 થી ‘આધારશિલા’ અભ્યાસક્રમ શરૂ થશે. 3 થી 6 વર્ષના બાળકો માટે 4 કલાકનું નવું સમયપત્રક અને ‘મારી વિકાસ યાત્રા’ પુસ્તિકા મંજૂર કરાઈ છે.
Aadharshila Curriculum Gujarat: ગાંધીનગરથી શિક્ષણ જગત માટે મોટા સમાચાર છે. ગુજરાતના પૂર્વ પ્રાથમિક શિક્ષણ (Pre-primary Education) ક્ષેત્રે એક ક્રાંતિકારી ફેરફાર થવા જઈ રહ્યો છે. રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલના નેતૃત્વમાં મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં આંગણવાડીના બાળકો માટે તૈયાર કરાયેલા નવા અભ્યાસક્રમ “આધારશિલા” (Aadharshila Curriculum) ને લીલી ઝંડી આપી દેવામાં આવી છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) ના માપદંડોને ચુસ્તપણે અનુસરીને આ નવો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. સરકારના નિર્ણય મુજબ, આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે જૂન 2026-27 થી રાજ્યભરની તમામ આંગણવાડીઓમાં (Anganwadi) આ નવો કોર્સ લાગુ કરી દેવામાં આવશે, જેનાથી પાયાના શિક્ષણમાં મોટો સુધારો જોવા મળશે.
સમયપત્રક
સ્ટેટ ECCE કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, હવેથી આંગણવાડીઓમાં (Anganwadi gujarat) શિક્ષણની પદ્ધતિ બદલાશે. 3 થી 6 વર્ષના બાળકો માટે રોજના 4 કલાકનું સમયપત્રક નક્કી કરવામાં આવ્યું છે.
જેમાં પુસ્તકિયા જ્ઞાનને બદલે ‘રમત સાથે જ્ઞાન’ (Play-based Learning) અને ભાર વગરના ભણતર પર ભાર મૂકવામાં આવશે.
‘એક્ટિવિટી બુક’
આ નવા અભ્યાસક્રમમાં બાળકોની વયજૂથને ધ્યાનમાં રાખીને ખાસ ‘એક્ટિવિટી બુક’ તૈયાર કરાઈ છે. આ ઉપરાંત, આંગણવાડી કાર્યકરો બાળકોને યોગ્ય અને સરળ રીતે ભણાવી શકે તે માટે ‘એક્ટિવિટી બેંક’ (Activity Bank) બનાવવામાં આવી છે. આ માટે કાર્યકરોને સઘન તાલીમ પણ આપવામાં આવશે.
સર્વાંગી વિકાસ (Holistic Development)
બાળકોના વિકાસ પર નજર રાખવા માટે એક વિશેષ પહેલ કરવામાં આવી છે. મંત્રી ડૉ. મનીષાબેન વકીલે બાળકોના સર્વાંગી વિકાસ (Holistic Development) ના ટ્રેકિંગ માટે “મારી વિકાસ યાત્રા” નામની પુસ્તિકા મંજૂર કરી છે. આના દ્વારા દરેક બાળકની પ્રગતિ અને વિકાસનું વ્યક્તિગત રીતે મૂલ્યાંકન કરવામાં આવશે.
આ અભ્યાસક્રમમાં ‘સમાવેશી શિક્ષણ’ (Inclusive Education) પર વિશેષ ભાર મૂકાયો છે, જેમાં દિવ્યાંગ બાળકો માટે અનુકૂળ પ્રવૃત્તિઓનો સમાવેશ છે. બાળકના શિક્ષણમાં માતા-પિતાનો રોલ વધારવા દર અઠવાડિયે ‘હોમ લર્નિંગ’ અને દર મહિનાના ત્રીજા મંગળવારે ‘બાળ દિવસ’ ની ઉજવણીમાં વાલીઓને જોડવામાં આવશે.
વર્ષ 2016 ના જૂના કોર્સમાં ફેરફાર કરીને આ નવો કોર્સ યુનિસેફ (UNICEF) ગુજરાતના સહયોગથી તૈયાર થયો છે. GCERT, એમ.એસ. યુનિવર્સિટી અને ચિલ્ડ્રન યુનિવર્સિટીના તજજ્ઞોએ 7 જેટલી કાર્યશાળાઓ યોજીને ‘પંચ કોષ’ ની સંકલ્પનાના આધારે આ ‘આધારશિલા’ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.