ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ|| GSSEBTB

ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ|| GSSEBTB

ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ|| GSSEBTB faq

(૧) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની સ્થાપના ક્યારે કરવામાં આવી?

  • -૨૧ મી ઓક્ટોબર ૧૯૬૯

(ર) તેનો ઉદ્દેશ શો છે?

  • તેનો ઉદ્દેશ ઉચ્ચ ગુણવત્તા વાળા પાઠ્યપુસ્તકોનું પ્રકાશન કરી વિદ્યાર્થીને વાજબી કિંમતે પુસ્તકો પુરા પાડવાનો છે.

(૩) કેટલા માધ્યમના પુસ્તકો મંડળ તૈયાર કરે છે?

  • – — ૮ માધ્યમ (ગુજરાતી તથા અન્ય ૭ માધ્યમ)

(૪) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ કયા કયા માધ્યમ ના પુસ્તકો તૈયાર કરે છે?

  • સંસ્કૃત,ગુજરાતી,હિન્દી,અંગ્રેજી,મરાઠી,સિંધી,ઉર્દૂ,અને  તમીલ

    (૫) મંડળ પાઠ્યપુસ્તકો સિવાય અન્ય કયું સાહિત્ય તૈયાર કરે છે?

    • શિક્ષક અધ્યયન પોથી અને સ્વાધ્યાયપોથી તથા પીટીસી અને સીપીએડના પાઠ્યપુસ્તકો

    ૬) મંડળ દ્વારા કયો માસિક અંક પ્રકાશિત કરાય છે? 

    • બાલસૃષ્ટિ

    (૭) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનું સરનામું શું છે? ભવનનું નામ?


    • — વિદ્યાયન,સેક્ટર ૧૦ એ ગાંધીનગર

    (૮) મંડળ દ્વારા ઓનલાઇન ટેક્સ્ટ બુક ઇન્ડેન્ટ સીસ્ટમ ક્યારથી લાગુ પાડવામાં આવી?

    • ૪૭ મા સ્થાપના દિવસ પ્રસંગે ૨૦ ઓક્ટોબર ૨૦૧૬ ના રોજ થી .

    (૧૦) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ કોના આધારે પુસ્તકો તૈયાર કરે છે?

    • –  NCF 2005 

    (૧૧) મંડળના લોગોમાં આદર્શ વાક્ય કયું છે?

    • તમસોમા જ્યોતિર્ગમય…

    (૧૨) આ વાક્ય ક્યાંથી લેવામાં આવ્યું છે?

    • –બૃહદારણ્યક ઉપનિષદ
    •  (આ ગ્રંથના નામનો અર્થ ‘બૃહદ જ્ઞાન વાળો’ અથવા ‘ઘનઘોર જંગલમાં લખાયેલો ઉપનિષદ’ એવો થાય છે)

    (૧૩) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે અગ્રેજી-ગુજરાતી શબ્દકોષ તૈયાર કરે છે?

    • –ધો ૫ થી ૮ .

    (૧૪) પાઠ્યપુસ્તકો માં સંશોધન માટે કોને જોડવામાં આવે છે?

    • –પ્રાથમિક શિક્ષકોથી માંડીને યુનિવર્સિટીના અધ્યાપકો

    (૧૫) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ની બુનિયાદી વિષયોના પાઠ્યપુસ્તક બાબત કામગીરી?

    •  –ઇ.સ. ૧૯૯૯ થી ધો ૧૧ અને ૧૨ ના બુનિયાદી વિષયોના ૨૬ જેટલા પાઠ્યપુસ્તકોનું પ્રકાશન કર્યું.

    (૧૬) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ના પ્રમુખ કોણ હોય છે?

    •  શિક્ષણમંત્રી

    (૧૭) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની પાઠ્યપુસ્તકોમાં ભૂલ સુધારવાની રીત ?

    • સુધારવા માટે જરુરી આધાર પુરાવા રજૂ કરવામાં આવે તેના આધારે સુધારો જાહેર કરવામાં આવે છે
    ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ|| GSSEBTB
    ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ|| GSSEBTB

    ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળ

    • ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળ
    • સ્થાપના દિન – ૨૧મી ઓક્ટોબર
    • ગુજરાત રાજ્ય શાળા પાઠય પુસ્તક મંડળ ”વિઘાયન’, સેક્ટર-૧૦/એ, ગાંધીનગર

    ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળની સ્થાપના ઈ.સ. ૧૯૬૯ની ૨૧મી ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી, છેતાલીસ વર્ષથી મંડળે પોતાનું મુખ્ય લક્ષ્ય, ઉચ્ચ ગુણવત્તાવાળાં પાઠયપુસ્તકોનું પ્રકાશન કરી તથા ગુજરાતના વિદ્યાર્થીઓને વાજબી કિંમતે એ સુલભ બનાવીને, પાર પાડયું છે. મંડળ તરફથી ધોરણ 1 થી ૧૨નાં ગુજરાતી માધ્યમનાં પાઠયપુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે. તદુપરાંત હિન્દી, અંગ્રેજી, મરાઠી, સિન્ધી, ઉર્દૂ, સંસ્કૃત અને તમિલ ભાષામાં પણ પાઠયપુસ્તકોનું પ્રકાશન કરવામાં આવે છે.

    સભા-સમિતિઓ

    મંડળનું સમગ્ર સંચાલન સારી રીતે થાય તેના નિશ્ચિત ઉદ્દેશો પાર પડે તે માટે નીચે મુજબની સભા-સમિતિની રચના કરવામાં આવે છે.

    • (૧) સામાન્ય સભા
    •  (૨) નિયામક સભા
    • (૩) કાર્યવાહક સમિતિ
    • (૪) શૈક્ષણિક સમિતિ
    •  (૫) સંશોધન સમિતિ
    • (૬) ઉત્પાદન સમિતિ

    ઉપરની સમિતિઓ મંડળનો સમગ્ર વહીવટ સારી રીતે ચાલે એ અંગેનાં સલાહ-સૂચનો આપે છે

    મંડળની વિતરણ અંગેની કામગીરી

    મુદ્રિત થયેલાં પાઠયપુસ્તકોનું વિતરણ સમગ્ર ગુજરાતમાં સહકારી ધોરણે કામ કરતી સંસ્થાઓ મારફતે કરવામાં આવે છે. દરેક જિલ્લાના વિતરક સાથે પાઠયપુસ્તકોના છૂટક વેચાણની કામગીરી માટે વિક્રેતાઓને જોડી દેવામાં આવે છે. છૂટક વેચાણ કરનારા વિક્રેતાઓની નોંધણી મંડળમા કરવામાં આવે છે. આ વ્યવસ્થાની તમામ વિઘાર્થીઓને પાઠયપુસ્તકો સરળતાથી પ્રાપ્ત થાય છે. અમદાવાદમાં પણ મંડળનું પોતાનું વેચાણ કેન્દ્ર (સેલ ડેપો, ગોડાઉન નં. ૯, અસારવા પુલ નીચે, અમદાવાદ – ૩૮૦ ૦૧૬ ફોનઃ ૨૨૧૩૩૯૨૦) ચાલે છે. કોઈ પણ સંસ્થાને કે વ્યક્તિગત ધોરણે કોઈ પણ વિદ્યાર્થીને આ વેચાણ કેન્દ્ર ઉપરથી પાઠયપુસ્તકો છૂટક વેચાણના ધોરણે મળી શકે છે. બહારગામથી મનીઓર્ડર કે બેન્કડ્રાફ્ટ દ્વારા પણ પાઠયપુસ્તકો મેળવી શકાય છે. મંડળની

    સંશોધન અંગેની કામગીરી

    પાઠયપુસ્તક મંડળ પાઠયપુસ્તકોનું પ્રકાશનકાર્ય કરીને જ સંતોષ માનતું નથી. પાઠયપુસ્તકોની ગુણવત્તા સતત સુધરતી રહે તે માટે સંશોધન અંગેની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે. પ્રાથમિક શિક્ષકોથી માંડીને યુનિવર્સિટીના અધ્યાપકો સુધીની પ્રતિભાશાળી વ્યક્તિઓને મૂલ્યાંકન કાર્યક્રમ તથા અન્ય શૈક્ષણિક કાર્યક્રમોમાં જોડવામાં આવે છે. પાઠયપુસ્તક સંપાદન તાલીમ શિબિર અને પાઠયપુસ્તકોના લેખકો, પરામર્શકો, અનુવાદકો વગેરે માટેનો પ્રતિભાશોધ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યાં છે. મંડળની નવાં ક્ષેત્રોમાંની કામગીરી

    બુનિયાદી વિષયોનાં પાઠયપુસ્તકો

    ઈ.સ. ૧૯૯૯થી ધોરણ ૧૧-૧૨ના બુનિયાદી વિષયોનાં ૨૬ પાઠયપુસ્તકોનુંપ્રકાશન કરીને મંડળે જાહેર પરીક્ષા માટેના વધારે વિષયોનાં પાઠયપુસ્તકો દ્વારા જે-તે ક્ષેત્રના વિઘાર્થીઓને આધારભૂત સાહિત્ય પૂરું પાડયું છે. આથી ગ્રામ અને કૃષિનાં ક્ષેત્રોમાં પણ મંડળ માનવ સંશોધન વિકાસના મહત્ત્વના કાર્યમાં પોતાનો ફાળો આપી શક્યું છે.

    મંડળના ઉદ્દેશો

    • ગુજરાત સરકારે મંજૂર કરેલ અભ્યાસક્રમ અનુસાર ધોરણ ૧ થી ૧૨ નાં ગુજરાતી માધ્યમ ઉપરાંત અન્ય સાત માધ્યમો – હિન્દી, અંગ્રેજી, મરાઠી, સિન્ધી, ઉર્દૂ, સંસ્કૃત અને તમિલ . કુલ 8 ભાષા માં સારી ગુણવત્તાવાળાં પાઠ્યપુસ્તકો તૈયાર કરી, તેનું મુદ્રણ કરાવી વિદ્યાર્થીઓને વાજબી કિંમતે સમયસર મળે તે મુજબ વિતરણ કરવું.
    • શિક્ષક અધ્યાપનપોથીઓ, સ્વાધ્યાયપોથીઓ અને અન્ય શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવી.
    • પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના અભ્યાસક્રમ સુધારવા માટેના સંશોધનો હાથ ધરવા અને તેને પ્રોત્સાહન આપવું. છે.
    • પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના વિદ્યાર્થીઓ માટે પૂરક વાચન સામગ્રી તૈયાર | કરવી.
    • પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણની પ્રગતિ અને ગુણવત્તા સુધારણામાં સહાય કરવી અને તેને વેગ આપવો

    શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

    શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

    PM Shree School➖ પીએમ શ્રી શાળાઓ

    PM Shree School➖ પીએમ શ્રી શાળાઓ

    🔗 પીએમસી સ્કૂલ નો અર્થ છે પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઈઝીંગ ઇન્ડિયા ( Pradhanmantri school for rising India )

    ➖ આ યોજના ભારત સરકારના શિક્ષણ મંત્રાલય, ( Ministry of Education) દ્વારા સપ્ટેમ્બર 22 મો શરૂ કરવામાં આવી હતી.

    ➖ તેનો મુખ્ય હેતુ છે દેશભરમો એવી આદર્શ શાળાઓ( Model School) ઊભી કરવી જે નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020(NEP 2020 )ના સિદ્ધાંતોની સંપૂર્ણ રીતે અમલમાં લાવે..

    PM Shree School

    ➖ યોજનાની શરૂઆત7 સપ્ટેમ્બર 2022
    ➖ અમલ સમયગાળો2022-23 થી 2026-27 (5વર્ષ )
    ➖ અમલ કરનાર વિભાગશિક્ષણ મંત્રાલય ભારત સરકાર
    ➖ સહભાગી તંત્રરાજ્ય સરકારો સંઘ પ્રદેશો
    ➖ નાણાકીય અનુપાત60:40( કેન્દ્ર રાજ્ય )90:10 ( ઉત્તર પૂર્વ હિમાલય વિસ્તાર માટે)

    INDIA LEVALE માં કુલ 14,500 જેટલી શાળાઓ પસંદ કરવામાં આવી છે.

    • 🔗 દરેક જિલ્લાની કેટલીક કેન્દ્રીય રાજ્યો અને સ્થાનિક શાળાઓની પસંદ કરીને તેમની પીએમ શ્રી સ્કૂલ તરીકે વિકસાવવામાં આવી રહી છે.
    • 🔗 આ શાળાઓમાં 18 લાખ વિદ્યાર્થીની સીધું લાભ મળશે

    ➖ પસંદગી પ્રક્રિયા

    શાળાઓની પસંદગીની પ્રક્રિયા ત્રણ તબક્કાઓમાં થાય છે

    • પાત્રતા ચકાસણી: રાજ્ય જિલ્લા દ્વારા શાળાઓની મૂળભૂત માપદંડ તપાસ
    • પોર્ટલ પર અરજી : દરેક શાળા ઓનલાઈન પીએમસી પોર્ટલ પર અરજી કરે છે.
    • મૂલ્યાંકન અને ફિલ્ડ વેરિફિકેશન,: શિક્ષણ મંત્રાલય અને nvs /KVS ટીમ દ્વારા ચકાસની બાદ મંજૂરી

    👁️ પીએમસી શાળાઓની મુખ્ય વિશેષતાઓ

    • ➖ શૈક્ષણિક ગુણવત્તા એની પી 20 20 આધારિત અભ્યાસક્રમ અનુભવી શિક્ષકો
    • ➖ ટેકનોલોજી સાથે સંકલન સ્માર્ટ ક્લાસ ડિજિટલ શિક્ષણ
    • ➖ સ્કીલ એજ્યુકેશન અને વ્યવસાયિક શિક્ષણ
    • ➖ સર્વસમાવેશકર્તા દિવ્યાંગ બાળકો માટે સુલભ સુવિધાઓ
    • ➖ વિદ્યાર્થીઓ સમગ્ર વિકાસથી આર્ટ,ખેલકૂદ, જીવન કૌશલ્ય,નૈતિક શિક્ષણ

    શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

    શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

    મધ્યાહન ભોજન યોજના Mid-day meal plan ગુજરાત

    Pradhanmantri poshan Shakti Nirman Yojana ➖ pm poshan

    ભારતના બંધારણમાં આર્ટિકલ-૩૯ મુજબ રાજ્યમાં રહેતા તમામ લોકો માટે આરોગ્ય અને તંદુરસ્તી માટેની જોગવાઇ કરવાની રહે છે. સામાજિક અને રાષ્ટ્રીય એકતાના મુખ્ય સંદેશ સાથે ભારતમાં સૌ પ્રથમ ૧૯૮૨ માં તામિલનાડુમાં મધ્યાહન ભોજન આપવાની શરૂઆત કરવામાં આવી. જ્યારે ગુજરાતમાં તેની શરૂઆત ૧૯મી નવેમ્બર, ૧૯૮૪થી કરવામાં આવી. નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર મધ્યાહ્ન ભોજન યોજનાને ફરજિયાતપણે વર્ષમાં ઓછામાં ઓછા ૨૦૦ દિવસ બાળકોને ભોજન આપવાનું નક્કી કરવામાં આવ્યું. જે અંતર્ગત સરકાર હસ્તકની પ્રાથમિક શાળાઓમાં આ યોજના શરૂ કરવામાં આવી. નેશનલ પ્રોગ્રામ ઓફ ન્યુટ્રિશન સ્કીમ ઓફ એજ્યુકેશન હેઠળ આ યોજના કાર્યરત છે. 

    મધ્યાહ્ન ભોજન યોજના ના હેતુઓ 

    • કુપોષણની સમસ્યાનો ઉકેલ


      વિદ્યાર્થીઓના આરોગ્ય અને પોષણ મુલ્યોમાં વધારો કરવો. 


      ગરીબ બાળકોને શાળામાં આવતા પ્રોત્સાહન આપવું. 


      બાળકોના ડ્રોપઆઉટ દરમાં ઘટાડો કરી હાજરીમાં વધારો કરવો.


      બાલ્યાવસ્થાથી જ બાળકોમાં સામાજિક અને રાષ્ટ્રીય એકતાનું જોડાણ ગ્રામ્ય કક્ષાએ રોજગારીની તકો પુરી પાડવી. 


      પરોક્ષ રીતે રાજ્ય તેમજ રાષ્ટ્રમાંથી ગરીબી દુર કરવી.

    મધ્યાહન ભોજન  સામગ્રી ની લેટેસ્ટ વિગતો 

    વસ્તુ ધો .1 થી 5ધો .6 થી 8
    અનાજ ઘઉં ,ચોખા 100ગ્રામ /50 ગ્રામ 150 ગ્રામ
    દાળ -કઠોળ 20 ગ્રામ30ગ્રામ
    શાકભાજી 50 ગ્રામ75 ગ્રામ
    ખાદ્યતેલ 10 ગ્રામ10 ગ્રામ
    મીઠું મસાલા જરૂરિયાત મુજબ 

    મધ્યાહન ભોજન અગત્ય ની માહિતી 

    • ગુજરાત માં મધ્યાહન ભોજન 1984 માં શરુ થઇ . ત્યારે મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી હતા .
    • ભારત માં સૌ પથમ તામિલનાડુ માં 1982 માં શરૂઆત થઇ. .
    • ભારત માં 1995 માં ચાલુ થઇ (.1995 સુપ્રીમ કોર્ટ ના ચુકાદા થી થઇ. .
    • ભારત માં ફરજીયાત અમલ 2001 માં. 
    • હાલ નવું નામ .PM POSHAN ગુજરાતી અર્થ – પ્રધાન મંત્રી પોષણ શક્તિ નિર્માણ 
    • ઓછા માં ઓછા 200 દિવસ મધ્યાહન ભોજન આપવું. 
    • મધ્યાહન ભોજન ન આપી શકાય તો 3 કિલો અનાજ આપવું .

    મધ્યાહન ભોજન યોજના માળખું 

    શિક્ષણ ખાતું
    કમિશનર (MDM)
    જોઈન્ટ કમિશ્નર કલેક્ટર /મ્યુન્સિપલ કમિશ્નર 
    આસી.કમિશ્નર (અમલીકરણ )ડેપ્યુટી કમિશ્નર /મ્યુન્સિપલ કમિશ્નર 
    મામલતદાર નાયબ મામલતદાર ઇન્ચાર્જ 
    એકાઉન્ટ ઓફિસર નાયબ મામલતદાર એકાઉન્ટ 
    રિચર્સ ઓફિસર નાયબ મામલતદાર ઇન્સ્પેક્ટર 
    નાયબ મામલતદાર નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી 
    સંચાલક ,શાળાઓ 

    NEP -2020 આ યોજનાના લાભ :

    • આ યોજના હેઠળ બાલવાટિકા  થી 8 ધોરણ સુધીના વિદ્યાર્થીઓને શાળામાં બપોરનું ભોજન અને નાસ્તો મફત આપવામાં આવે છે. જો શાળામાં રસોઈની વ્યવસ્થા ન હોય તો દરેક લાયક વિદ્યાર્થીને 3 કિલો અનાજ દર મહિને આપવામાં આવે છે.
    • આ યોજના હેઠળ એ વિદ્યાર્થીઓ લાયક ગણાશે જેઓની શાળાના દિવસોની 80 ટકા હાજરી જરૂરી.છે 

    મધ્યાહન ભોજન અગત્યના પ્રશ્ન 

    👉1. મધ્યાહન ભોજન કેટલા દિવસ આપવું ?

    • 200

    👉2. MDM  ન આપી શકાય તો કેટલું અનાજ મળે ?

    • 3 કિલો અનાજ 

    👉3. ધોરણ 1 થી 5 પ્રાથમિક નો 1 બાળક દીઠ કેટલું MDM અપાય છે ?

    • કુલ વજન 180 ગ્રામ 

    👉4. ધોરણ 6 થી 8ઉચ્ચ  પ્રાથમિક નો 1 બાળક દીઠ કેટલું MDM અપાય છે ?

    • કુલ વજન 265  ગ્રામ 

    Pradhanmantri poshan Shakti Nirman Yojana ➖ pm poshan

    • ✅ભારત સરકાર દ્વારા સપ્ટેમ્બર 2021 માં શરૂ કરવામાં આવી હતી.
    • ✅ અગાઉ આ યોજનાનું નામ મધ્યાન ભોજન યોજના હતું.
    • ✅ કેન્દ્રની રાજ્ય સરકારનો સહયોગ :: નાણાકીય અનુપાત 60:40 ( કેન્દ્ર રાજ્ય )90 :10➖ ઉત્તર પૂર્વ હિમાલય વિસ્તારો માટે

    ➡️ યોજનાની વિશેષતાઓ

    • પ્રી પ્રાઇમરી બાળકો આંગણવાડી ક્લાસ વન ની પણ ભોજનમાં સમાવિષ્ટ કરાયા છે
    • દૂધ અને માઈક્રન્યુટ્રીન્સ ઉમેરો ની દિશામાં પ્રયાસ
    • પીએમ પોસન પોર્ટલ મારફતે ડિજિટલ મોનિટરિંગ
    • Dbt ➖ direct benefit transfer રસોઈખર્ચ નું સીધો ભૂગતાન
    • શાળામાં જ કિચન ગાર્ડન શાળામાં શાકભાજી ઉગાડવી
    • ભાગીદારી સમુદાયની ભાગીદારી વધારવામાં આવી છે
    • ✅mdm app અને pm poshn dashboard દ્વારા રોજિંદા આકલાવ ઓનલાઈન રિપોર્ટ થાય છે

    “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

    • 🔅 રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત આ યોજના અંતર્ગત પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવશે.
    • 🔅 આ નવી યોજનાનો લાભ ૩૨,૨૭૭ શાળાના અંદાજે ૪૧ લાખ વિદ્યાર્થીઓને થશે. 
    • 🔅 આ યોજના અંતર્ગત, સપ્તાહ દરમિયાન ખાંડેલા સીંગદાણા સહિતની સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ તથા શ્રી અન્ન(મીલેટ)માંથી બનાવેલી ખાદ્યસામગ્રી અલ્પાહાર સ્વરૂપે અપાશે.
    • 🔅 આ હેતુસર મટીરીયલ કોસ્ટ માટે રૂ. ૪૯૩ કરોડ તથા પૌષ્ટિક અલ્પાહાર તૈયાર કરવાની વધારાની કામગીરી માટે માનદવેતન ધારકોને ૫૦ ટકા માનદવેતન વધારા માટે રૂ. ૧૨૪ કરોડ મળીને “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” માટે સમગ્રતયા વાર્ષિક રૂ. ૬૧૭ કરોડનો વધારાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.
    • 🔅 તદ્અનુસાર, પી.એમ. પોષણ યોજનાના માનદવેતનધારક સંચાલકને હવે  રૂ. ૪૫૦૦નું માસિક માનદવેતન, ૨૬ કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓના કૂક કમ હેલ્પરને માસિક રૂ. ૩૭૫૦ તથા નાની શાળાઓ માટે વધારાના સ્ટાફ-હેલ્પરને માસિક રૂ.૧૫૦૦ માનદવેતન આપવામાં આવશે.
    • 🔅 પૌષ્ટિક અલ્પાહાર આપવાનો નિર્ણય કરનારું ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય છે. વિદ્યાર્થીઓના સુપોષણ માટે આ યોજના ખૂબ મહત્ત્વની સાબિત થશે. 

    ગુજરાતની આંગણવાડીઓમાં જૂન 2026 થી ‘આધારશિલા’ અભ્યાસક્રમ લાગુ; હવે ભૂલકાઓને મળશે રમત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ

    PRASHST (Pre Assessment Holistic Screening Tool) APP

    શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

    શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

    ગુજરાતની આંગણવાડીઓમાં જૂન 2026 થી ‘આધારશિલા’ અભ્યાસક્રમ લાગુ; હવે ભૂલકાઓને મળશે રમત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ

    ગુજરાતની આંગણવાડીઓમાં જૂન 2026 થી ‘આધારશિલા’ અભ્યાસક્રમ લાગુ; હવે ભૂલકાઓને મળશે રમત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ

    ગુજરાતની આંગણવાડીઓમાં જૂન 2026 થી ‘આધારશિલા’ અભ્યાસક્રમ શરૂ થશે. 3 થી 6 વર્ષના બાળકો માટે 4 કલાકનું નવું સમયપત્રક અને ‘મારી વિકાસ યાત્રા’ પુસ્તિકા મંજૂર કરાઈ છે.

    Aadharshila Curriculum Gujarat: ગાંધીનગરથી શિક્ષણ જગત માટે મોટા સમાચાર છે. ગુજરાતના પૂર્વ પ્રાથમિક શિક્ષણ (Pre-primary Education) ક્ષેત્રે એક ક્રાંતિકારી ફેરફાર થવા જઈ રહ્યો છે. રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલના નેતૃત્વમાં મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં આંગણવાડીના બાળકો માટે તૈયાર કરાયેલા નવા અભ્યાસક્રમ “આધારશિલા” (Aadharshila Curriculum) ને લીલી ઝંડી આપી દેવામાં આવી છે.

    રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) ના માપદંડોને ચુસ્તપણે અનુસરીને આ નવો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. સરકારના નિર્ણય મુજબ, આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે જૂન 2026-27 થી રાજ્યભરની તમામ આંગણવાડીઓમાં (Anganwadi) આ નવો કોર્સ લાગુ કરી દેવામાં આવશે, જેનાથી પાયાના શિક્ષણમાં મોટો સુધારો જોવા મળશે.

    સમયપત્રક

    સ્ટેટ ECCE કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, હવેથી આંગણવાડીઓમાં (Anganwadi gujarat) શિક્ષણની પદ્ધતિ બદલાશે. 3 થી 6 વર્ષના બાળકો માટે રોજના 4 કલાકનું સમયપત્રક નક્કી કરવામાં આવ્યું છે.

    જેમાં પુસ્તકિયા જ્ઞાનને બદલે ‘રમત સાથે જ્ઞાન’ (Play-based Learning) અને ભાર વગરના ભણતર પર ભાર મૂકવામાં આવશે.

    ‘એક્ટિવિટી બુક’

    આ નવા અભ્યાસક્રમમાં બાળકોની વયજૂથને ધ્યાનમાં રાખીને ખાસ ‘એક્ટિવિટી બુક’ તૈયાર કરાઈ છે. આ ઉપરાંત, આંગણવાડી કાર્યકરો બાળકોને યોગ્ય અને સરળ રીતે ભણાવી શકે તે માટે ‘એક્ટિવિટી બેંક’ (Activity Bank) બનાવવામાં આવી છે. આ માટે કાર્યકરોને સઘન તાલીમ પણ આપવામાં આવશે.

    સર્વાંગી વિકાસ (Holistic Development)

    બાળકોના વિકાસ પર નજર રાખવા માટે એક વિશેષ પહેલ કરવામાં આવી છે. મંત્રી ડૉ. મનીષાબેન વકીલે બાળકોના સર્વાંગી વિકાસ (Holistic Development) ના ટ્રેકિંગ માટે “મારી વિકાસ યાત્રા” નામની પુસ્તિકા મંજૂર કરી છે. આના દ્વારા દરેક બાળકની પ્રગતિ અને વિકાસનું વ્યક્તિગત રીતે મૂલ્યાંકન કરવામાં આવશે.

    આ અભ્યાસક્રમમાં ‘સમાવેશી શિક્ષણ(Inclusive Education) પર વિશેષ ભાર મૂકાયો છે, જેમાં દિવ્યાંગ બાળકો માટે અનુકૂળ પ્રવૃત્તિઓનો સમાવેશ છે. બાળકના શિક્ષણમાં માતા-પિતાનો રોલ વધારવા દર અઠવાડિયે ‘હોમ લર્નિંગ’ અને દર મહિનાના ત્રીજા મંગળવારે ‘બાળ દિવસ’ ની ઉજવણીમાં વાલીઓને જોડવામાં આવશે.

    વર્ષ 2016 ના જૂના કોર્સમાં ફેરફાર કરીને આ નવો કોર્સ યુનિસેફ (UNICEF) ગુજરાતના સહયોગથી તૈયાર થયો છે. GCERT, એમ.એસ. યુનિવર્સિટી અને ચિલ્ડ્રન યુનિવર્સિટીના તજજ્ઞોએ 7 જેટલી કાર્યશાળાઓ યોજીને ‘પંચ કોષ’ ની સંકલ્પનાના આધારે આ ‘આધારશિલા’ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે.

    PRASHST (Pre Assessment Holistic Screening Tool) APP

    શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

    શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

    DISE / U-DISE (DISE (Unified District Information System of Education)

    DISE (DISE (Unified District Information System of Education)

    આપણા દેશમાં 1994માં dpep કાર્યક્રમની શરૂઆત થઈ આ કાર્યક્રમ હેઠળ શાળા અને બાળકોનો ડેટા ઓનલાઇન સંચય ક૨વા માટે યુનિસેફ ની મદદથી ન્યુપા દ્વારા કોરડેટા કેપ્ચ૨ નામનું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું જે આગળ જઈ dise તરીકે વિકાસ પામ્યું.

    વર્ષ 2012 13 થી dise + sencondary education managment information system ને જોડી દેવામાં આવ્યા. 

    U-DISE (Unified District Information System for Education) 

    • ભારત સરકારના માનવ સંસાધન અને વિકાસ વિભાગ (MHRD), નવી દિલ્હી દ્વારા DISE સોફ્ટવેર તૈયાર કરવામાં આવેલ છે. આ સિસ્ટમ સર્વ શિક્ષા અભિયાન મારફત વર્ષ 2001 થી કાર્યરત છે.


       આ સિસ્ટમ માં તમામ પ્રકારની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની માહિતીનું એકત્રિકરણ આવે છે. જેમાં સરકારી શાળા, અનુદાનિત (ગ્રાન્ટેડ) શાળા, ખાનગી શાળા, આશ્રમશાળા, સીબીએસસી બોર્ડ તેમજ અન્ય કોઇપણ શાળાઓનો સમાવેશ થાય છે.

    👉આ માહિતી દર વર્ષે DISE ફોર્મમાં જે તે વર્ષની ૩૦ સપ્ટેમ્બરની સ્થિતિએ એકત્રિત કરવામાં આવે છે. વર્ષ 2012 થી આ તમામ માહિતી ઓનલાઈન ક૨વા માં આવેલ છે. શાળા ડાયસકોડ 11 અંક નો હોય છે.

    • 👉પ્રથમ 2 અંક રાજ્ય માટે હોય છે. 
      👉જેમકે ગુજરાત નો ક્રમ 24 છે. 
      👉બીજા બે અંક જિલ્લા માટે હોય છે.
      👉ત્યાર બાદ ના બે અંક શાળા જે બ્લોક માં હોય તે દર્શાવે છે.
      👉 ત્યાર બાદ ના ત્રણ અંકો ગામ બતાવે છે
      👉છેલ્લા બે અંકો શાળા દર્શાવે છે.
      👉વિદ્યાર્થી નો ડાયસ નંબર 18 અંકો નો હોય છે જેમાં પ્રથમ 11 અંકો શાળા જ્યારે બાકી ના 7 અંકો વિદ્યાર્થી નો નંબર હોય

    શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

    અર્ધ પગારી રજા (Ardhpagari leave)

    e-Jaadui Pitara App: Play-Based Learning for Young Children

    Home Jaadui Pitara school STUDY MATERIAL જાદુઈ પિટારા જાદુઈ પિટારા (Jaadui Pitara) : રમતાં-રમતાં શીખવાની નવી ક્રાંતિ

    Home Jaadui Pitara school STUDY MATERIAL જાદુઈ પિટારા જાદુઈ પિટારા (Jaadui Pitara) : રમતાં-રમતાં શીખવાની નવી ક્રાંતિ

    ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ જાદુઈ પિટારા (Magic Box) એ નાના બાળકો માટે રમતાં-રમતાં શીખવાની એક અનોખી પહેલ છે. આ યોજના NCERT દ્વારા વિકસાવવામાં આવી છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય 3 થી 8 વર્ષની વયના બાળકોમાં Foundational Learningને આનંદદાયક, રસપ્રદ અને અસરકારક બનાવવાનો છે.

    “જાદુઈ પીટારા” (Jadui Pitara): જે શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી એક નવતર પહેલ છે. આ પહેલ વિશેની વિગતવાર માહિતી નીચે મુજબ છે:

    મુખ્ય લાક્ષણિકતાઓ અને સામગ્રી

    ટોય બેઝ પેડાગોજી: આ પીટારા ખાસ કરીને રમકડાં આધારિત શિક્ષણ (Toy Based Pedagogy) પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં રમત, કલા, સંગીત અને પ્રોજેક્ટ જેવી ૩૦ જેટલી વિવિધ સામગ્રીઓનો સમાવેશ થાય છે.

    સમાવિષ્ટ સાધનો: જાદુઈ પીટારામાં નીચે મુજબની શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ છે:
    સંગીત અને રમત-ગમતના સાધનો.

    પપેટ્સ (કઠપૂતળી) અને મણકા.

    શૈક્ષણિક રમકડાં અને પઝલ .

    રસોડા સેટ અને અન્ય સર્જનાત્મક સામગ્રી.

    ગુજરાતમાં અમલીકરણ

    • 💥પ્રથમ રાજ્ય: ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય બનશે જે તમામ સરકારી પ્રાથમિક શાળાના બાલવાટિકા તેમજ ધોરણ ૧ અને ૨ના બાળકોને આ પીટારા આપશે.
    • 💥લાભાર્થીઓ: રાજ્યમાં ૭૪ હજારથી વધુ જાદુઈ પીટારા આપવાની પ્રક્રિયા શરૂ થઈ છે, જેનાથી અંદાજે ૧૨.૩૫ લાખથી વધુ વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે.
    • 💥શિક્ષકો માટે સહાય: આ પોલિસી હેઠળ શિક્ષકોને પણ વર્ગખંડમાં અસરકારક શિક્ષણ આપવા માટે જરૂરી સંસાધનો અને માર્ગદર્શિકા પૂરી પાડવામાં આવે છે.
    • 💥આ પહેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ બાળકોના સર્વાંગી વિકાસ અને ભવિષ્યના મજબૂત પાયાના નિર્માણ માટે એક ઐતિહાસિક ડગલું છે.

    જાદુઈ પિટારા શું છે?

    જાદુઈ પિટારા એ માત્ર શૈક્ષણિક કીટ નથી, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટે તૈયાર કરાયેલ એક Play-Based Learning System છે. આમાં રમકડાં, વાર્તા પુસ્તકો, પઝલ્સ, ફ્લેશકાર્ડ્સ, પોસ્ટર્સ અને વર્કશીટ્સનો સમાવેશ થાય છે, જે બાળકોને રમતાં-રમતાં શીખવા માટે પ્રોત્સાહિત કરે છે.

    જાદુઈ પિટારાનો મુખ્ય હેતુ

    જાદુઈ પીટારાનો મુખ્ય ઉદ્દેશ્ય અને પૃષ્ઠભૂમિ

    💥હેતુ: આ પહેલનો મુખ્ય હેતુ બાળકો ગોખણિયું શિક્ષણ છોડીને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તેવો છે. આ દ્વારા બાળકોને ‘ભાર 💥વિનાનું ભણતર’ અને લાંબા ગાળા સુધી યાદ રહે તેવું શિક્ષણ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
    💥શિક્ષણ નીતિ: આ પ્રોજેક્ટ નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP-૨૦૨૦) અને નિપુણ ભારત મિશના લક્ષ્યોને ધ્યાને રાખીને NCERT દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
    💥ટેકનોલોજીનો ઉપયોગ: આજના ટેકનોલોજીના યુગમાં બાળકો માત્ર પુસ્તકો પર આધારિત ન રહેતા રમત-ગમત અને પ્રવૃત્તિ દ્વારા શીખી શકે તે માટે આ ડિજિટલ અને ફિઝિકલ સંસાધનો વિકસાવવામાં આવ્યા છે.
    💥રમતાં-રમતાં શીખવાની પદ્ધતિને પ્રોત્સાહન આપવું
    💥NEP 2020 અનુસાર Foundational Stage (3-8 વર્ષ)ને મજબૂત બનાવવી
    💥બાળકોમાં ભાષા, ગણિત, સર્જનાત્મકતા અને વિચારશક્તિ વિકસાવવી
    💥ભારતીય સંસ્કૃતિ અને સ્થાનિક પરિસ્થિતિને આધારે શીખણ સામગ્રી પૂરી પાડવી

    જાદુઈ પિટારામાં શું-શું મળે છે?

    1. પ્લેબૂક્સ (Playbooks)
    2. શૈક્ષણિક રમકડાં
    3. પઝલ્સ અને એક્ટિવિટી ગેમ્સ
    4. ફ્લેશકાર્ડ્સ અને પોસ્ટર્સ
    5. વાર્તા પુસ્તકો અને વર્કશીટ્સ
    6. ડિજિટલ શીખણ સામગ્રી (e-Jaadui Pitara)
    7. ડિજિટલ જાદુઈ પિટારા (e-Jaadui Pitara)
    8. NCERT દ્વારા વિકસિત e-Jaadui Pitara એ ડિજિટલ પ્લેટફોર્મ છે, જેમાં AI આધારિત બોટ્સ દ્વારા માતા-પિતા અને શિક્ષકોને તરત માર્ગદર્શન મળે છે.
    9. કથા સખી (Katha Sakhi) – બાળકો માટે વાર્તાઓ
    10. પેરેન્ટ તારા (Parent Tara) – માતા-પિતાને માર્ગદર્શન
    11. ટીચર તારા (Teacher Tara) – શિક્ષકો માટે સહાય

    ભાષા અને ઉપલબ્ધતા

    જાદુઈ પિટારા 13 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેથી દેશના દરેક ખૂણે બાળકો સરળતાથી તેનો લાભ લઈ શકે. આ સામગ્રી શાળાઓ ઉપરાંત ઘરમાં પણ ઉપયોગી છે.

    જાદુઈ પિટારા કેવી રીતે મેળવો?

    • વેબસાઈટ: ejaaduipitara.ncert.gov.in
    • DIKSHA પોર્ટલ: diksha.gov.in
    • WhatsApp: +91 95999 61445
    • Telegram: @eJaaduiPitara_bot
    • IVRS: 15108 (વાર્તા અને ગીતો) / 18002120173

    નિષ્કર્ષ

    PRASHST (Pre Assessment Holistic Screening Tool) APP

    રૂપાંતરિત રજા Rupantarit leave

    શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

    જાદુઈ પિટારા એ ભારતના શૈક્ષણિક ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે બાળકોને ભણતરથી ડર્યા વિના આનંદ સાથે શીખવાની તક આપે છે. આ પહેલ માતા-પિતા, શિક્ષકો અને બાળકો માટે એક સાચું શિક્ષણનું જાદુઈ બોક્સ સાબિત થઈ રહી છે.

    આ પણ વાંચો:::: નવો આવકવેરા બિલ 2025: શું તમારો ઇન્કમ ટેક્સ વધશે કે ઘટશે?

    Income Tax 2025–26 (FY 2025-26 / AY 2026-27) — New Rules, Slabs, Benefits, and Full Details 👇📝અહીંયા થી ક્લિક કરી વાંચો

    CET :મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના

    CET :મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના

    નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સમાનતા ની સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર સતત યોજનાઓની કાર્યક્રમો અમલ મૂકી છે. આપણે અહીંયા પરીક્ષાની દ્રષ્ટિએ અમલમાં મૂકેલી મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલર યોજના વિશે માહિતી મેળવીશું.

    🖍️ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના

    • રાજ્યની સરકારી અથવા અનુદાનિત શાળાઓમાં ધોરણ 1 થી 5 મો અભ્યાસ કરી ધોરણ પાંચ નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા 2,00,000 પ્રતિભાષાની વિદ્યાર્થીઓ માટે વિવિધ શાળાઓ ધોરણ છ થી 12 માં અભ્યાસ કરવા માટે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના શરૂ કરવામાં આવેલ છે.
    • તેજસ્વી વિદ્યાર્થીઓને વાલીઓને ધોરણ 6 થી 12 સુધીના અભ્યાસ માટે શાળા શિક્ષણ માટે વધુ પસંદગી વધુ વિકલ્પો આપવા તે આ યોજનાનો મુખ્ય હેતુ છે.
    • સરકારી અથવા અનુદાની શાળામાંથી ધોરણ પાંચ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રેસ્ટ ટેસ્ટ દ્વારા દર વર્ષે 30,000 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.
    • એમપેનલમેન્ટ ની લાયકાત મેળવવા માટે અનુદાનિત અને ખાનગી સેલ ફાઈનાન્સ શાળાઓની તેમના સ્ટ્રકચર અને શાળાના પરિણામો સુધારો કરવા માટે પ્રોત્સાહિત થાય છે.
    • રાજ્યની સરકારી અથવા અનુનાદાની શાળાઓમાં ધોરણ એક થી પાંચમો અભ્યાસ કરી ધોરણ પાંચ નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા બે 2,00,000 લાખ પ્રતિભાષાઢી વિદ્યાર્થીઓ માટે વિવિધ શાળાઓમાં ધોરણ છ થી 12 મો અભ્યાસ કરવા માટે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના આ યોજનાનો અમલ વર્ષ 2023 -24 થી કરવામાં આવેલ છે.
    • દર વર્ષે 30 હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ છ ના અભ્યાસ માટે જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ માટે આ માટેની પરીક્ષાના મેરીટ દ્વારા પસંદ કરવામાં આવી રહેલ છે.

    🖍️ વિદ્યાર્થીની ને ધોરણ 6 અને આગળના અભ્યાસ માટે તેમણે પ્રવેશ લીધેલ શાળા મુજબ મળવાપાત્ર સ્કોલરશીપ ની રકમ

    અભ્યાસનું ધોરણજો વિદ્યાર્થી ખાનગી શાળામાં પ્રવેશ મેળવી તો મળવાપાત્ર સ્કોલરશીપ ની રકમ ( રૂપિયામાં )જો વિદ્યાર્થી સરકારી અથવા અનુદાની શાળામાં પ્રવેશ મેળવી તો મફત શિક્ષણ ઉપરાંત મરવા પાત્ર સ્કોલરશીપ ની રકમ ( રૂપિયામાં )જો વિદ્યાર્થી સરકારી અથવા અનુદાનની શાળામાં પ્રવેશ મેળવી તો શાળાની મળવાપાત્ર સહાયની રકમ ( રૂપિયામાં )
    6 TO 1220.00050002000
    9 TO 1222,00060003000
    11 TO 1225,00070004000

    CET YOJNA MAHTV

    • આ સ્કોલરશીપ ની રકમ direct benefit transfer દ્વારા વર્ષમાં બે વખત કુલ રકમના 50% મુજબ સીધી જ વાલીના ખાતામાં જમા કરવામાં આવે છે.
    • દરેક ક્ષેત્રમાં સ્કોલરશીપ મેળવવા માટે અગાઉના સત્રમાં વિદ્યાર્થીની 80 % હાજરી હોવી અનિવાર્ય.
    • સાત વર્ષનો કુલ લાભાર્થીઓની સંખ્યા બે લાખ પર પહોંચી અને આગામી 30 વર્ષમાં 9 લાખ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓની આ યોજનાનો લાભ મળશે.
    • સરકારના ધારા ધોરણ મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે.
    • કન્યા કેળવણીની પ્રોત્સાહન આપવા માટે દરેક કેટેગરીમાં લાવવાની સંખ્યાના 50 ટકા લાભાર્થી કન્યાઓ છે.

    શિક્ષકો માટે અન્ય આર્ટિકલ વાંચવા લાયક

    PRASHST (Pre Assessment Holistic Screening Tool) APP

    અર્ધ પગારી રજા (Ardhpagari leave)

    રૂપાંતરિત રજા Rupantarit leave

    શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

    ✅ આ પણ વાંચો:➖અગત્યના ટૂંકાક્ષરી નામ : pdf downlod

    શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

    નિયમ ➖60 અસાધારણ રજા

    પ્રસુતિ રજા (Maternity Leave)

    Program 📢 કાર્યક્રમ સ્ટેજ સંચાલન સ્ક્રિપ્ટ | Program Sanchalan Script in Gujarati PDF Download

    Program 📢 કાર્યક્રમ સ્ટેજ સંચાલન સ્ક્રિપ્ટ | Program Sanchalan Script in Gujarati PDF Download

    શાળા, કોલેજ તેમજ જાહેર કાર્યક્રમોમાં મંચ સંચાલન (Stage Management) અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોઈપણ કાર્યક્રમ સફળ બનાવવાનો અડધો ભાગ માત્ર મંચ સંચાલક પર આધારિત હોય છે. યોગ્ય સંચાલક દ્વારા સંચાલિત કાર્યક્રમ સારો, ગોઠવાયેલો અને આકર્ષક બને છે.

    26 January Republic Day Invitation – 26 જાન્યુઆરી આમંત્રણ પત્રિકા

    મંચ સંચાલક માત્ર કાર્યક્રમ ચલાવતો નથી પરંતુ તે પૂર્વ તૈયારી પણ કરે છે. તે કાર્યક્રમ અનુસાર સંચાલન સ્ક્રિપ્ટ, સ્વાગત વાક્યો, શાયરી, વિનંતી વાક્યો વગેરે તૈયાર કરે છે. આવી તૈયારીઓ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવે છે અને સફળતા તરફ લઈ જાય છે

    🎤 Program Sanchalan Script in Gujarati

    અહી આપેલ મંચ સંચાલન સ્ક્રિપ્ટ 15 August (Swatantrata Divas), 26 January (Republic Day), School Programs, College Functions તથા વિવિધ Public Programs માટે ખુબજ ઉપયોગી છે

    26 જાન્યુઆરી – દીકરીની સલામ દેશને નામ – દીકરી માટેનું સન્માન પત્ર “સ્મૃતિપત્ર” PDF | Dikri ni salam desh ne naam

    આ સ્ક્રિપ્ટમાં નીચે મુજબના મુદ્દાઓ સામેલ છે:

    • કાર્યક્રમ શરૂઆત માટેનાં સંચાલન વાક્યો
    • મહિલાઓ, મહેમાનો અને અતિથિઓનું સ્વાગત
    • ધ્વજવંદન / રાષ્ટ્રીય ગીત સંચાલન
    • વિદ્યાર્થીઓના કાર્યક્રમો રજૂ કરવાની પદ્ધતિ
    • પ્રમાણપત્ર / ઇનામ વિતરણ સંચાલસમાપન કાર્યક્રમ સંચાલન

    📥 Manch Sanchalan Script PDF Download

    જો તમે PDF ફાઇલમાં તૈયાર સ્ક્રિપ્ટ ડાઉનલોડ કરવા માંગો છો તો નીચે આપેલ લિંક પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.

    ➧ DOWNLOAD PROGRAM SANCHALAN SCRIPT GUJARATI IN PDF :
    👉 CLICK HERE TO DOWNLOAD PDF

    2 . DOWNLOAD PROGRAM SANCHALAN SCRIPT GUJARATI IN PDF

    3 . DOWNLOAD PROGRAM SANCHALAN SCRIPT GUJARATI IN PDF :

    26 જાન્યુઆરી ઉપયોગી નારા

    • Inkalam Jindabad
    • East or Vest : India Is Best
    • Dharti Druajave Kon : Nana Nana Balako
    • Gandhiji Ne Vahalu Kon : Nana Nana Balako
    • Adhi Roti Khayenge : Desh ko bachayenge
    • Vande : Mataram
    • Bharat Mata Ki : jay
    • Gandhiji : Amar Raho
    • Subhashchandra Boss : Amar Raho
    • Jay Javan : Jay Kisan
    • Hamse Jo Takarayega : Mitti Me Mil Jayega
    • Desh ne Khatar Ladshe Kon : Ham Ladenge, Ham Ladenge
    • Gali Gali Me Nara Hai : Hindustan Hamara Hai
    • Jabtak Suraj Chand Rahega : Hindustan Tera Nam Rahega
    • Kashmir se Lekar Kanyakumari Tak : Hindustan Hamara Hai
    • Goa Ho Ya Gohati : Apna Desh Apni Mitti
    • Ek Do Tin Char : Bharat Mata Ki Jay Jay Kar

    PRASHST (Pre Assessment Holistic Screening Tool) APP

    💥આ એપ્લિકેશન માન્યતા પ્રાપ્ત 21 વિકલાંગતાની સ્થિતિને તપાસવામાં મદદ ક૨શે.

    💥આ એપ શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા 5 સપ્ટેમ્બર 2022 ના રોજ લોન્ચ કરવા માં આવી હતી.

    💥આ એપ CIET, NCERT દ્વારા વિકસાવવામાં આવી છે.

    વિકલાંગ બાળકોને શિક્ષણ મેળવવામાં ઘણી વખત અવરોધોનો સામનો કરવો પડે છે. શાળાઓમાં વિકલાંગતાનું મૂલ્યાંકન, વિકલાંગ વિદ્યાર્થીઓને તેઓ લાયક શિક્ષણ પ્રાપ્ત કરે તે સુનિશ્ચિત કરવા માટે તેમને ઓળખવામાં અને મદદ ક૨વામાં મદદ કરી શકે છે.આ એપ તેના માટે ઉપયોગી છે.

    • તે શિક્ષકોને વિકલાંગતાઓને શરૂઆતમાં ઓળખવામાં મદદ કરે છે. 
    •  કોઈ વિદ્યાર્થીને શીખવાની અક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે, તો એપ્લિકેશન શિક્ષકોને વાંચન, લેખન અથવા ગણિત જેવા મુશ્કેલીના ચોક્કસ ક્ષેત્રોને ઓળખવામાં મદદ કરી શકે છે. 
    • શાળા ના તમામ બાળકો નું સ્ક્રિનિંગ થઈ શકે છે. આ એપ ધો 1 થી 12 ના વિદ્યાર્થી ઓ માટે બનેલી છે

    👉 NCERT દ્વારા PRASHAST એપ વિકલાંગ વિદ્યાર્થીઓ માટે સર્વસમાવેશક શિક્ષણને પ્રોત્સાહન આપે છે

    PRASHAST એપ વિકલાંગ વિદ્યાર્થીઓને તેમની જરૂરિયાતો અને જરૂરિયાતોને ઓળખવા માટે સ્ક્રીનીંગ કરે છે, શિક્ષણમાં સમાવેશને પ્રોત્સાહન આપે છે.

    નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ શાળાઓ માટે PRASHAST (પ્રી-એસેસમેન્ટ હોલિસ્ટિક સ્ક્રિનિંગ ટૂલ) નામની નવી મોબાઇલ એપ્લિકેશન રજૂ કરી છે, જેનો ઉદ્દેશ વિકલાંગ વિદ્યાર્થીઓની ચોક્કસ જરૂરિયાતો અને જરૂરિયાતોને ઓળખીને શિક્ષણ પ્રણાલીની સમાવેશને વધારવાનો છે.  એપ્લિકેશન આવા વિદ્યાર્થીઓને ડિજિટલી સ્ક્રીનીંગ કરશે, તેમની ક્ષમતાઓ અને જે ક્ષેત્રોમાં સુધારાની જરૂર છે તેનું વ્યાપક મૂલ્યાંકન પ્રદાન કરશે.

    👉NCERT એ તેમના અધિકૃત ટ્વિટર હેન્ડલ દ્વારા જાહેરાત કરી હતી, 
    જેમાં શિક્ષણ ક્ષેત્રને સુધારવાની અને તમામ વિદ્યાર્થીઓના સમાવેશને સુનિશ્ચિત કરવા માટેની એપ્લિકેશનની સંભવિતતાને પ્રકાશિત કરવામાં આવી હતી

    આ વિષય ની મુખ્ય બાબત નો અભ્યાસ

    💥PRASHST 👉Pre Assessment Holistic Screening Tool
    💥લોન્ચ 👉5 સપ્ટેમ્બર 2022
    💥PRASHAST👉(પ્રી-એસેસમેન્ટ હોલિસ્ટિક સ્ક્રિનિંગ ટૂલ) 
    💥એપ્લિકેશન  👉Downlod
    💥વિકલાંગ 👉21 પ્રકાર ની વિકલાંગતા ની ઓળખ 

    PRASHAST App By NCERT Promotes Inclusive Education For Disabled Students

    PRASHAST app screens students with disabilities to identify

    PRASHST (Pre Assessment Holistic Screening Tool) APP ppt

    શિક્ષકો માટે અન્ય આર્ટિકલ વાંચવા લાયક

    અર્ધ પગારી રજા (Ardhpagari leave)

    રૂપાંતરિત રજા Rupantarit leave

    શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

    ✅ આ પણ વાંચો:➖અગત્યના ટૂંકાક્ષરી નામ : pdf downlod

    શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

    નિયમ ➖60 અસાધારણ રજા

    પ્રસુતિ રજા (Maternity Leave)

    નિયમ ➖60 અસાધારણ રજા

    નમસ્કાર મિત્રો નિયમ 60 મુજબ મળવાપાત્ર થતી અસાધારણ રજા ની વાત અહીંયા કરવામાં આવેલી છે. રાજ્ય સરકારના કર્મચારીઓની ઘણી વખત લાંબી બીમારી ક્ષય કે કેન્સર જેવા અસાધ્ય રોગ થતા હોય છે ત્યારે આ રજાઓ આપણને કામ લાગતી હોય છે.

    રજાઓ માટે મેં વિવિધ મોડેલું માંથી માહિતી એકત્રિત કરવાનો પ્રયત્ન કરેલો છે. છેલ્લે જીસીઆરટી દ્વારા બહાર પાડવામાં આવેલું મોડ્યુલ મુખ્ય શિક્ષક ટ્રેનિંગ લીડરશીપ હું આધાર લીધેલો છે વિવિધ કટીંગ પણ નીચે મુકેલા છે.

    નિયમ ➖60 અસાધારણ રજા

    નિયમ ➖60 અસાધારણ રજા

    🔛 તમામ ખાતાના કર્મચારીઓની મળે.
    🔛 સમગ્ર નોકરી દરમિયાન 36 માસ (ત્રણ) વર્ષ મળે.
    🔛 જ્યારે કોઈ રજા જમા ન હોય અથવા કર્મચારી લેખિત વિનંતી કરે ત્યારે મંજૂર કરી શકાય.
    🔛 ફરજ મોકોથી માટે (નવ) 9 માસ

    🔛 કેન્સર ની બીમારી હોય તો 12 માસ.
    🔛એક વર્ષની સળંગ નોકરી હોય….
    ક્ષય કે ક્ષય પ્લુરસી માટે 15 માસ.
    🔛👁️ યાદ રાખો:- નોકરીમાં ત્રણ માસની ટૂટ પેન્શન માટે પાત્ર ગણાશે

    🔛👁️ રજા દરમિયાન પગાર અને મોંઘવારી સિવાયના અન્ય ભથ્થાઓ મળવાપાત્ર છે.
    ✅ યાદ રાખો વધુમાં વધુ પાંચ વર્ષ અસાધારણ રજા મળે છે.

    ➖🚨 વગર પગાર ની રજા

    • એકંદર 36 મહિના કરતાં વધારે ન હોય તેટલા દિવસની વગર પગારની રજા વિનિમય પ્રમાણે બીજી કોઈ રજા મળવાપાત્ર ન હોય અથવા બીજી રજા મળવાપાત્ર હોય પણ કર્મચારી વગર પગાર ની રજા મંજૂર કરવા માટે લેખિત અરજી કરે ત્યારે ખાસ સંજોગોમાં કર્મચારીને તે આપી શકાશે. પરંતુ કાયમી કર્મચારી સિવાયના દાખલામાં વગર પગારની રજાની મુદત કોઈપણ એક પ્રસંગે જ્યારે તે કર્મચારી ક્ષય અથવા રક્તપિતની સારવાર લેતો હોય ત્યારે 12 મહિના અને બીજા કોઈ દાખલામાં ચાર મહિના કરતાં વધવી જોઈએ નહીં. રજા મંજૂર કરવાની સત્તા ધરાવતા અધિકારી રજા વગર ગેરહાજરીની મુદતનું પાછળથી વગર પગારની રજામાં રૂપાંતરિત કરી શકશે.

    ➡️સુધારો

    શિક્ષકો માટે અન્ય આર્ટિકલ વાંચવા લાયક

    રૂપાંતરિત રજા Rupantarit leave

    શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

    ✅ આ પણ વાંચો:➖અગત્યના ટૂંકાક્ષરી નામ : pdf downlod

    શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

    0

    Subtotal