Ambaji recruitment 2026 : અંબાજી ભરતી 2026 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ અને સ્થળ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
| Ambaji recruitment 2026: અંબાજી અને આસપાસ રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીના સારા સમાચાર આવી ગયા છે. અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા વિવિધ પોસ્ટની કુલ ત્રણ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ તમામ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે. |
અંબાજી ભરતી 2026 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ અને સ્થળ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
| સંસ્થા | અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમન સત્તામંડળ |
| પોસ્ટ | સર્વેયર, અધિક મદદનીશ ઈજનેર, સેનેટરી ઈન્સ્પેક્ટર |
| જગ્યા | 3 |
| એપ્લિકશન મોડ | વોક ઈન ઈન્ટરવ્યુ |
| વય મર્યાદા | સરકારના ધારાધોરણ પ્રમાણે |
| ઈન્ટરવ્યુ તારીખ | 23 માર્ચ 2026 |
| ઈન્ટરવ્યુ સ્થળ | નીચે આપેલું છે |
પોસ્ટની વિગતો
| જગ્યા | જગ્યા |
| સર્વેયર | 1 |
| અધિક મદદનીશ ઈજનેર | 1 |
| સેનેટરી ઈન્સ્પેક્ટર | 1 |
| કુલ | 3 |
શૈક્ષણિક લાયકાત
કુટુંબ ની વ્યાખ્યા માં સુધારોઆરોગ્ય વિભાગ નો કર્મચારી માટે મહત્વ નો પત્ર
- સર્વેયર – સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ડિપ્લોમાં ઈન સિવિલ ઈન્જીનિયરિંગ ઓછામાં ઓછા 55 ટકા સાથે પાસ કરેલું હોવું જોઈએ તથા કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ.
- અધિક મદદનીશ ઈજનેર- સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બીઈ સિવિલ એન્જીનિયરિંગમાં ઓછામાં ઓછા 55 ટકા સાથે પાસ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ.
- સેનેટરી ઈન્સ્પેક્ટર- સરકાર માન્ય યુનિવર્સિટી- માન્ય સંસ્થામાંથી સેનેટરી ઈન્સ્પેક્ટરનો કોર્સમાં ઓછામાં ઓછા 55 ટકા સાથે પાસ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
વય મર્યાદા
- અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારોની વય મર્યાદા સરકારના ધારાધોરણ મુજબ હોવી જોઈએ.
પગાર ધોરણ
આ ભરતી 11 માસના કરાર આધારિત હોવાથી પસંદ પામેલા ઉમેદવારોને નીચે પ્રમાણે ફિક્સ પગાર મળશે.
| પોસ્ટ | પગાર |
| સર્વેયર | ₹31,340 |
| અધિક મદદનીશ ઈજનેર | ₹31,340 |
| સેનેટરી ઈન્સ્પેક્ટર | ₹26,000 |
ભરતીની જાહેરાત

વોક ઈન ઈન્ટરવ્યુ સ્થળ, તારીખ અને સમય
તારીખ – 23 માર્ચ 2026
સમય – બપોરે 12 વાગ્યે
સ્થળ – અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમન સત્તામંડળ અંબાજી, અંબાજી મંદિર પરિસર, મું.પો. અંબાજી, તાલુકો- દાંતા, જિલ્લો બનાસકાંઠા
રસ ધરાવતા ઉમેદવારએ જરૂરી દસ્તાવેજો અને અરજી સાથે આપેલા સરનામા પર નિયત તારીખ અને સમયે હાજર રહેવું.
પેન્શનમાં મૂળ નામ શબ્દ પછી જોડાયેલ માનવાચક પ્રત્યયો બાબત ➖paripatr
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ..
અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
કુટુંબ ની વ્યાખ્યા માં સુધારોઆરોગ્ય વિભાગ નો કર્મચારી માટે મહત્વ નો પત્ર
| M | T | W | T | F | S | S |
|---|---|---|---|---|---|---|
| 1 | 2 | 3 | ||||
| 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
| 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
| 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
| 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
