31.7.2025 ની સ્થિતિએ મંજૂર થયેલ પ્રાથમિક શિક્ષક મહેકમ અનુસાર વધઘટ બદલી કેમ્પનું આયોજન કરવા બાબત.
ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકો માટે વિવિધ ઠરાવ ના આધારે પ્રાથમિક શિક્ષકોના બદલી નિયમો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
31 .7. 2025 ની સ્થિતિએ મંજૂર થયેલ મહેકમ અનુસાર નીચે જણાવેલ સમયગાળા દરમિયાન આપના તાલુકા જિલ્લા નગર શિક્ષણ સમિતિ હસ્તક ફરજ બજાવતા વિદ્યા સહાયક /પ્રાથમિક શિક્ષકના વધઘટ બદલી કેમ્પનું આયોજન કરવા જણાવવામાં આવે છે. વધઘટ બદલી કેમ્પ મો સંદર્ભિત ઠરાવનો અભ્યાસ કરી લાગુ પડતી જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવાની રહેશે.
➡ શિક્ષણ વિભાગના તારીખ 11 .5 .2023 ના ઠરાવના પ્રકરણ એચ ની જોગવાઈઓને ધ્યાને લઈ તારીખ 31 7 2025 ની સ્થિતિએ મંજૂર કરેલ મેકમ કરતાં વધારાના ફરજ બજાવતા વિદ્યા સહાયક પ્રાથમિક શિક્ષક ઉચ્ચ પ્રાથમિક શિક્ષકની વધ ગણી વધ પડતા વિદ્યા સહાયક પ્રાથમિક શિક્ષક ઉચ્ચ પ્રાથમિક શિક્ષકના વધઘટ કેમ્પના હુકમો કરવાના રહેશે.
➡ કોઈ જગ્યા માટે કોર્ટનો ચુકાદો પેન્ડિંગ હોય તેવા કિસ્સામાં નામદાર હાઇકોર્ટના ચુકાદા ની આધીન કાર્યવાહી કરવાની રહેશે. જેથી કોર્ટની અવમાનના નો પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય.
NEP-2020 અન્વયે AWP&B થી મળેલ મંજૂરી “Special Projects For Equity” સમગ્ર શિક્ષા-ગાંધીનગર, DITE- ………… અને BRC-CRCકૉ.શ્રી દ્વારા મળેલ સૂચના અને માર્ગદર્શન અનુસાર ……………… પ્રાથમિક શાળામાં “એડોલેસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ” (Adolescent Education Program – AEP) ધોરણ-૬ થી ૮ પસંદ કરેલા ૪ વિષયો- પોષણ આરોગ્ય અને સ્વચ્છતા, પિતા બેટી સંમેલન ,મારુ વર્તુળ, માસિક સ્વચ્છતા(MHM કૉર્નર), હિંસા અને ઇજાઓ સામે સલામતી અને સુરક્ષા પોકસો – એક્ટ વિષય ઉપર તાલીમ મેળવેલ શિક્ષકો અને તજજ્ઞ દ્વારા વિવિધ સેશન યોજવામાં આવ્યા. પરિપત્ર સાથે આપેલ મોડ્યુલની મદદથી તમામ વિધાર્થીઓને જીવન ઉપયોગી જ્ઞાનસભર માહિતી મળી.
કિશોરાવસ્થામાં આવતા શારીરિક, માનસિક અને સામાજિક પરિવર્તનો અંગે જાગૃતિ લાવવી, યોગ્ય મૂલ્યો વિકસાવવાં અને જીવન કૌશલ્યો વિકસાવવા માટે પોસ્ટર અને ચાર્ટ પ્રદર્શન, સમૂહ ચર્ચા અને પ્રશ્નોત્તરી સત્ર, વિડિઓ/પ્રેઝેન્ટેશન પ્રથમ સત્ર દરમ્યાન થયું.
વિદ્યાર્થીઓમાં જાગૃતિ વધારવામાં આવી, તેમના પ્રશ્નોનું નિવારણ થયું અને તેમને જીવનમાં યોગ્ય દિશા માટે માર્ગદર્શન મળ્યું.
એડોલેસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ : અહેવાલ ધોરણ-૧ થી ૫ ઉજાસ ભણી (પ્રથમ સત્ર-૨૦૨૫)
NEP-2020 અન્વયે AWP&B થી મળેલ મંજૂરી “Special Projects For Equity” સમગ્ર શિક્ષા-ગાંધીનગર, DITE- …….. અને BRC-CRCકૉ.શ્રી દ્વારા મળેલ સૂચના અને માર્ગદર્શન અનુસાર ……………………….. પ્રાથમિક શાળામાં “એડોલેસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ” (Adolescent Education Program – AEP) ધોરણ-૧ થી ૫ પસંદ કરેલા ૪ વિષયો- સુરક્ષિત સ્પર્શ-અસુરક્ષિત સ્પર્શ,પોષણ આરોગ્ય અંગેની સમજ,મારુ વર્તુળ,આદર અને દયાના ગુણો વિષય ઉપર તાલીમ મેળવેલ શિક્ષકો અને તજજ્ઞ દ્વારા વિવિધ સેશન યોજવામાં આવ્યા. પરિપત્ર સાથે આપેલ મોડ્યુલની મદદથી તમામ વિધાર્થીઓને જીવન ઉપયોગી જ્ઞાનસભર માહિતી મળી.
કિશોરાવસ્થામાં આવતા શારીરિક, માનસિક અને સામાજિક પરિવર્તનો અંગે જાગૃતિ લાવવી, યોગ્ય મૂલ્યો વિકસાવવાં અને જીવન કૌશલ્યો વિકસાવવા માટે પોસ્ટર અને ચાર્ટ પ્રદર્શન, સમૂહ ચર્ચા અને પ્રશ્નોત્તરી સત્ર, વિડિઓ/પ્રેઝેન્ટેશન પ્રથમ સત્ર દરમ્યાન થયું.
વિદ્યાર્થીઓમાં જાગૃતિ વધારવામાં આવી, તેમના પ્રશ્નોનું નિવારણ થયું અને તેમને જીવનમાં યોગ્ય દિશા માટે માર્ગદર્શન મળ્યું.
ઉજાસ ભણી/ એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ (Adolescent Education Program – AEP)
એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ (Adolescent Education Program – AEP)
ભારતમાં 10 થી 19 વર્ષની વયના બાળકોને Adolescents કહેવાય છે. આ વયમાં શારીરિક, માનસિક, ભાવનાત્મક અને સામાજિક સ્તરે મોટા ફેરફારો થાય છે. આ પરિવર્તનોને સમજવા અને સાચી દિશામાં આગળ વધવા માટે Adolescent Education Program (AEP) અમલમાં મૂકવામાં આવ્યો છે. ભારતમાં લગભગ 21% જનસંખ્યા કિશોરાવસ્થામાં છે, એટલે કે દેશના વિકાસમાં આ યુવાનોની મોટી ભૂમિકા છે. AEP દ્વારા તેમને સ્વસ્થ, જવાબદાર અને જાગૃત નાગરિક બનાવવાનો પ્રયત્ન થાય છે.
ઉજાસ ભણી/ એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ (Adolescent Education Program – AEP)
લિંગ સમાનતા, ભેદભાવ દૂર કરવો, સ્ત્રી-પુરુષ સમાનતા.
Health & Nutrition
સ્વચ્છતા, પોષણ અને આરોગ્યપ્રદ જીવનશૈલી.
સમગ્ર શિક્ષા ગુજરાતનો “ઉજાસ ભણી” કાર્યક્રમ
ગુજરાત રાજ્યમાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામને વધુ અસરકારક બનાવવા માટે ખાસ “ઉજાસ ભણી” નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરાઓમાં જાગૃતિ, આત્મવિશ્વાસ અને જીવન કૌશલ્યો વિકસાવવાનો છે.
➕માનસિક આરોગ્ય, કાઉન્સેલિંગ અને આત્મવિશ્વાસ વધારવા માટે પ્રવૃત્તિઓ.
➕”ઉજાસ ભણી” કાર્યક્રમ દ્વારા કિશોરોમાં સંવાદકૌશલ્ય, મૂલ્ય શિક્ષણ અને સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ આવે છે. આથી તેઓ ભવિષ્યમાં સમાજના જવાબદાર નાગરિક બની શકે છે.
શિક્ષકો અને પેરેન્ટ્સની ભૂમિકા
શિક્ષકની ભૂમિકા
પેરેન્ટ્સની ભૂમિકા
👌વિદ્યાર્થીઓને સાચી માહિતી અને માર્ગદર્શન આપવું
👌બાળકો સાથે ખુલ્લી ચર્ચા માટે વાતાવરણ આપવું.
👌લિંગ સમાનતા, નૈતિક મૂલ્યો શીખવવા
👌બાળકોને શારીરિક અને માનસિક ફેરફારો સ્વીકારવામાં મદદ કરવી.
👌વર્કશોપ અને જાગૃતિ કાર્યક્રમો દ્વારા શિક્ષણ આપવું.
👌નકારાત્મક પ્રભાવોથી બાળકોને બચાવવું.
પ્રોગ્રામના ફાયદા
💥કિશોરોમાં આત્મવિશ્વાસ અને જવાબદારી વિકસે છે.
💥સામાજિક દબાણ, નશાની લત અને ખોટી માન્યતાઓથી બચી શકાય છે.
💥સ્વસ્થ જીવનશૈલી અપનાવી શકાય છે.
💥લિંગ સમાનતા અને સામાજિક મૂલ્યો વિકસે છે.
💥માનસિક આરોગ્ય અને તણાવ નિયંત્રણ અંગે જાગૃતિ વધે છે.
AEP એ કિશોરોને શારીરિક, માનસિક, ભાવનાત્મક અને લૈંગિક આરોગ્ય અંગે સાચી માહિતી આપતો પ્રોગ્રામ છે.
Q2: “ઉજાસભણી” કાર્યક્રમ શું છે?
ગુજરાતમાં સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા કિશોરાઓ માટે શરૂ કરાયેલ વિશેષ કાર્યક્રમ છે, જે કિશોરોને સ્વસ્થ જીવનશૈલી, લિંગ સમાનતા, નશામુક્તિ અને માનસિક આરોગ્ય અંગે જાગૃત કરે છે.
Q3: આ પ્રોગ્રામનો સીધો લાભ કોને મળે છે?
શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો, પેરેન્ટ્સ અને સમગ્ર સમાજને તેનો લાભ મળે છે.
સરકાર, શિક્ષણ મંત્રાલય, NCERT અને સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા વર્કશોપ, સેમિનાર, ટ્રેનિંગ અને “ઉજાસભણી” જેવા પ્રોગ્રામ દ્વારા અમલમાં મૂકવામાં આવે છે.
નિષ્કર્ષ📢
Adolescent Education Program (AEP) અને ગુજરાતનું “ઉજાસભણી” કાર્યક્રમ કિશોરોના સર્વાંગી વિકાસ માટે અત્યંત અગત્યનું છે. આ પ્રોગ્રામ દ્વારા કિશોરોને સાચી માહિતી, જીવનકૌશલ્ય અને મૂલ્યો મળી શકે છે, જેથી તેઓ ભવિષ્યમાં જવાબદાર, સ્વસ્થ અને જાગૃત નાગરિક બની શકે.
Secondary and Higher Secondary Gyan Sahayak Recruitment 2025 : શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) ની જગ્યા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.
📌જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ભરતી 2025
શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) અંતર્ગત શાળા કક્ષાએ હાલમાં તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ પર ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” ની ભરતી માટે પસંદગી યાદી તેમજ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.ઉપરોકત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઇન અરજી કરવાની તારીખ સુધીની રહેશે.
📌ઉમેદવારે પ્રમાણપત્રો માટેની સૂચના
ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જયારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન લાઇન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.
NEET PG 2025 Result: NEET PG પરીક્ષા 2025 (NBEMS) માં શામેલ થયેલા કેંડિડેટ્સની આતુરતાનો આવી ગયો છે અંત NEET PG પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સ (NBEMS) દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ – natboard.edu.in અને nbe.edu.in પર સ્કોરકાર્ડ ચકાસી શકશે.
📝પરીક્ષા ક્યારે યોજાઈ હતી?
NEET PG પરીક્ષા 3 ઓગસ્ટ 2025 ના રોજ દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજાઈ હતી. તેમાં હજારો મેડિકલ ઉમેદવારોએ હાજરી આપી હતી. MD, MS અને PG ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે આ પરીક્ષા ફરજિયાત છે. મેડિકલ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પરિણામ પછી જ આગળ વધશે.
📝NEET PG રિઝલ્ટ કઈ રીત ચેક કરવુ ?
🖱સત્તાવાર જાહેરાત બાદ ઉમેદવાર નીચે આપેલા સ્ટેપ પ્રમાણે NEET PG 2025નું પરિણામ ચેક કરી શકે છે.
🖱સત્તાવાર વેબસાઈટ natboard.edu.in પર જાઓ
🖱હોમપેજ પર “NEET PG 2025 પરિણામ લિંક ક્લિક કરો.
🖱નોંધણી નંબર, જન્મ તારીખ અને કેપ્ચા કોડ દાખલ કરો.
🖱સબમિટ કરવા પર NEET PG 2025 નું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
લેપટોપ 📳 ઉપરાંત, ઉમેદવારો NBEMS ની સત્તાવાર વેબસાઇટ પરથી મોબાઇલ ફોન પર પણ પરિણામ (NEET RESULT) ચકાસી શકે છે. મોબાઇલ બ્રાઉઝરમાં લોગ ઇન કરીને સ્કોરકાર્ડ સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે.
પરિણામો જાહેર થયા પછી, મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) કાઉન્સેલિંગ શેડ્યૂલ જાહેર કરશે. આમાં, ઉમેદવારો તેમના રેન્ક અને પસંદગીના આધારે કોલેજો પસંદ કરી શકશે. લાયક ઉમેદવારોના દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે અને તે પછી કોલેજો ફાળવવામાં આવશે. આ પ્રક્રિયા મેડિકલ પ્રવેશમાં એક મહત્વપૂર્ણ પગલું છે.
📝સ્કોરકાર્ડ શા માટે મહત્વપૂર્ણ છે
પરિણામ સાથે જારી કરાયેલ સ્કોરકાર્ડ મેડિકલ પ્રવેશ પ્રક્રિયા માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેમાં ઉમેદવારનો સ્કોર, પર્સન્ટાઇલ અને રેન્ક હોય છે. આ સ્કોરકાર્ડ કાઉન્સેલિંગ દરમિયાન પ્રવેશ માટેનો આધાર બનશે.
હમણાં ગાંધીનગરમાં સંકલન સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી તેમાં કર્મચારીઓની મુખ્ય માગણીઓ પર ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ચર્ચાઓ અને આ બેઠક બાદ કર્મચારીઓએ સરકારને એક મહિનાની મુદત આપી છે અને સ્પષ્ટ ધમકી કે ચીમકી ઉચ્ચારી છે કે જો આ સમયગાળામાં તેમની માગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો તેઓ રાજ્યમાં આંદોલન કરશે અને ગાંધીનગર ને ઘેરી લેશે.
➡ આ માંગણીઓ અને આ નિર્ણય સરકારી કર્મચારીઓની લાંબા સમયથી ચાલી રહેલી નારાજગીનું પ્રતીક છે. જે હવે આક્રમક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.
➡ કયા કયા પ્રશ્નો અને માગણીયો મુખ્ય છે તે નીચે જોઈએ.
કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં સૌથી અગ્રતા કમી જૂની પેન્શન યોજના Ops ( old pension shame ) જૂની પેન્શન યોજનાની સ્થાપિત કરવી અને ફિક્સ પે નીતિમાં સુધારો કરવો. આ બંને મુખ્ય માગણીઓ છે. સંકલન સમિતિ નું કહેવું છે કે નવી પેન્શન યોજના તેમના ભવિષ્ય માટે સુરક્ષિત નથી માટે તેને બંધ કરવી જોઈએ અને ગુજરાતના તમામ કર્મચારીઓને ઓ પી એસ ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવી જોઈએ.
ફિક્સ કે યોજના એ ગુજરાતના યુવા કર્મચારીઓનું આર્થિક શોષણ કરે છે. આ બંને મુદ્દાઓ પર કર્મચારીઓ છે અને તેઓ માને છે કે સરકાર આ પ્રથા નો વહેલી તકે ઉકેલ લાવવો જોઈએ.
આ ઉપરાંત અન્ય માંગણીઓમાં સાતમા પગાર પંચના લાભો પથ્થર અને અન્ય પ્રશ્નો ચર્ચા હતા.
સરકાર અને કર્મચારીઓ વચ્ચે સુમેર અનિવાર્ય
આ પરિસ્થિતિ સરકાર માટે એક મોટો પડકાર છે જો સરકાર સમયસર યોગ્ય પગલાં નહીં ભરે તો રાજ્યવ્યાપી આંદોલન સરકારી વિવિધ કામગીરીઓને ખોરવી શકે છે. કર્મચારીઓનું આંદોલન માત્ર તેમની માંગણીઓ પૂરતું સીમિત નથી પરંતુ તે સરકારની નીતિઓ સામેના અસંતોષનું પણ પ્રતિબિંબ છે. સરકાર અને કર્મચારીઓ બંનેની સંવાદ અને વાટાઘાટો દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરવો જોઈએ.
ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, આંગણવાડી વર્કર્સને ₹24,800 અને હેલ્પર્સને ₹20,300 વેતન ચૂકવવા નિર્દેશ, 1 એપ્રિલથી એરિયર્સ સાથે ચૂકવા આદેશ આ ચુકાદો માત્ર અરજી કરનારા કર્મચારીઓ પૂરતો મર્યાદિત નથી, પરંતુ રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રોમાં કાર્યરત તમામ કર્મચારીઓને લાગુ પડશે.
Gujarat High Court’s Anganwadi verdict
Gujarat High Court Anganwadi verdict: ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) દ્વારા આંગણવાડી કાર્યકરો (Anganwadi Workers) અને સહાયકો (Anganwadi Helpers)ના પગાર (Salary) અંગે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. જસ્ટિસ એ.એસ. સુપેહિયા અને જસ્ટિસ આર.ટી. વાછાણીની બેન્ચે સરકારને છ મહિનાની અંદર આંગણવાડી કાર્યકરોને માસિક ₹24,800 અને સહાયકોને ₹20,300નું વેતન ચૂકવવા નિર્દેશ આપ્યો છે. આ આદેશમાં, હાઈકોર્ટે એ પણ સ્પષ્ટતા કરી છે કે આ વર્ષે 1લી એપ્રિલથી બાકી રહેલી રકમ (arrears) પણ તેમને ચૂકવવી પડશે. અગાઉ આંગણવાડી કાર્યકરોને ₹14,800 અને સહાયકોને ₹10,000 મળતા હતા.
ચુકાદો માત્ર અરજી કરનારા કર્મચારીઓ પૂરતો મર્યાદિત નથી
રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રોમાં કાર્યરત તમામ કર્મચારીઓને લાગુ પડશે
કર્મચારીઓએ કોર્ટનો સંપર્ક કર્યો નથી, તેમને પણ સમાન લાભો મળશે.
કર્મચારીઓ અલગથી અરજીઓ દાખલ કરવાની જરૂર નથી.
Equal work, equal pay
હાઈકોર્ટે આંગણવાડી કર્મચારીઓની સેવાઓને સ્વૈચ્છિક કે માનદ ગણાવવાના સરકારના દાવાને નકારી કાઢ્યો છે. કોર્ટે જણાવ્યું કે આ કર્મચારીઓને તેમની ફરજો અને જવાબદારીઓના આધારે ઓછું વેતન આપીને અન્યાય કરવામાં આવી રહ્યો છે.
જસ્ટિસ નિખિલ એસ. કેરીયલે બંધારણની કલમ 14 અને 16(1) નો ઉલ્લેખ કરીને સમાનતાના સિદ્ધાંત પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે સરકાર આંગણવાડી કર્મચારીઓ સાથે અન્ય સરકારી કર્મચારીઓ જેવો જ વ્યવહાર કરવાથી ભેદભાવ કરી રહી છે, જે બંધારણીય સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
નિયમિત કરવા માટે નીતિ: હાઈકોર્ટે સરકારને આંગણવાડી કર્મચારીઓ માટે કાયમી કર્મચારીઓની જેમ જ વેતન અને લાભો ચૂકવવા માટે 6 મહિનામાં એક યોગ્ય નીતિ બનાવવાનો પણ આદેશ આપ્યો છે. આ નીતિમાં પોસ્ટનું વર્ગીકરણ, પગાર ધોરણ, અને એરિયર્સની ચૂકવણી જેવી બાબતોનું ધ્યાન રાખવું પડશે.
Why is this ruling important?
આ ચુકાદો આંગણવાડી કર્મચારીઓ માટે એક મોટી જીત છે, જેમણે વર્ષોથી ઓછા વેતન અને કાયમીકરણ માટે સંઘર્ષ કર્યો છે. અગાઉ, સિંગલ જજ દ્વારા જારી કરાયેલા આદેશને સરકારે પડકાર્યો હતો, પરંતુ ડિવિઝન બેન્ચે નીચલી કોર્ટના ચુકાદાને માન્ય રાખીને કર્મચારીઓની તરફેણમાં નિર્ણય આપ્યો છે. આ નિર્ણયથી લાખો કર્મચારીઓને આર્થિક સુરક્ષા અને સન્માન મળશે, જેઓ સમાજના પાયાના સ્તરે બાળકો અને માતાઓના સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
LIC Bharti 2025:નોકરીની તલાશ કરતા તમામ ઉમેદવારો માટે મહત્વની ભરતીની જાહેરાત કરવામાં આવી છે આપ સૌને જણાવી દઈએ તો ભારતીય જીવન વીમા નિગમમાં (LIC) અધિકારીની પદ માટે નોકરીની જાહેરાત કરવામાં આવી છે જેમાં સહાયક વહીવટી અધિકારી તેમજ જર્નલીસ્ટ સહાયક એન્જિનિયર સહાયક (AE)વહીવટ અધિકારી તેમજ નિષ્ણાંત ની ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે જો તમે પણ આ ભરતી માટે અરજી કરવા રસ ધરાવો છો તો નીચે અમે તમને અરજી પ્રક્રિયાથી માંડીને અરજી કરવા માટે ફી અંગેની પણ વિગતો આપી છે સાથે જ અરજી કરવાની પ્રક્રિયા પણ તમે વાંચી શકો છો
એલ.આઇ.સી ભરતી માટે ખાલી જગ્યાની વાત કરીએ તો 800થી વધુ ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે જેમાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો અરજી પ્રક્રિયા 16 ઓગસ્ટથી શરૂ થઈ ચૂકી છે અને આઠ સપ્ટેમ્બર 2025 સુધી ચાલુ રહેશે જો તમે lic માં અધિકારીને નોકરી મેળવવા માટે રસ ધરાવો છો તો તમે નોકરી મેળવી શકો છો અરજી પ્રક્રિયા ની વિગતો પણ નીચે આપી છે
આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો બી.ઈ./બી.ટેક. તેમજ ગ્રેજ્યુએટ કરેલા તમામ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે ઉંમર 8 સપ્ટેમ્બર 2025 ના રોજ ઓછામાં ઓછા 21 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 32 વર્ષ હોવી જોઈએ અનામત શ્રેણીમાં આવતા ઉમેદવારોને ધોરણ મુજબ છૂટછાટ આપવામાં આવશે આ સાથે જ ગ્રેજ્યુએટ કરેલા ઉમેદવારો પણ આ ભરતી માટે અરજી કરી શકે છે.
આ ભરતી માટે અરજી ની વાત કરીએ તો અલગ અલગ થી નક્કી કરવામાં આવી છે જેમ કેSC/ST/PWD ઉમેદવારોએ 85 રૂપિયા + ટ્રાન્ઝેક્શન ચાર્જ + GST ચૂકવવા પડશે. આ ઉપરાંત, અન્ય તમામ ઉમેદવારોએ ટ્રાન્ઝેક્શન ચાર્જ + GST સાથે 700 રૂપિયા ફી ચૂકવવી પડશે.
એલ.આઇ.સી ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે LIC ની વેબસાઈટ પર જવાનું રહેશે વેબસાઈટ પર નોટિફિકેશન વાંચી શકો છો વેબસાઈટના માધ્યમથી તમે ઓનલાઇન અરજી કરી શકો છો સાથે જ નોકરી માટે સિલેક્શન પ્રક્રિયા પ્રિલીમ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે ત્યારબાદ મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ રાઉન્ડ નો સમાવેશ થાય છે ત્યારબાદ તમે મેડિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવશે ત્યારબાદ આઠ નવેમ્બર 2025 ના રોજ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે
પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી એક નવી અને મહત્વાકાંક્ષી રોજગાર પ્રોત્સાહન યોજના છે, જેના માધ્યમથી યુવાનોને પહેલી નોકરી મેળવવા પર સીધો લાભ અને ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓને ભરતી માટે પ્રોત્સાહન આપવામાં આવશે. આ યોજના 1 ઓગસ્ટ 2025 થી શરૂ થઈને 31 જુલાઈ 2027 સુધી અમલમાં રહેશે અને તેનું લક્ષ્ય દેશમાં 3.5 કરોડ નવી નોકરીઓનું સર્જન કરવાનો છે. તો આ યોજના શું છે? તેનો હેતુ શું છે? તેના મુખ્ય લાભો શું છે? કોણ પાત્ર છે? અરજી ક્યાં અને કેવી રીતે કરવી? જરૂરી દસ્તાવેજો કયા છે? અને સહાય રકમ કેવી રીતે મળશે? – આવા બધા પ્રશ્નોના જવાબ તમને આજના આ લેખમાં સરળ ભાષામાં મળશે.
देश के नौजवानों के लिए खुशखबरी!
प्रधानमंत्री श्री @NarendraModi जी ने लाल क़िले की प्राचीर से अपने संबोधन में आज से ‘पीएम विकसित भारत रोजगार योजना’ को लागू करने की घोषणा की है।
लगभग 1 लाख करोड़ की लागत वाली इस योजना से देश में 3.5 करोड़ रोज़गार का निर्माण होगा।
પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના (PM-VBRY) એ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી એક રોજગાર આધારિત પ્રોત્સાહન યોજના છે. આ યોજના હેઠળ પહેલીવાર ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવનારા યુવાનોને સીધો આર્થિક લાભ મળશે. સાથે સાથે નોકરીદાતાઓને પણ નવા કર્મચારીઓને ભરતી કરવા માટે દર મહિને પ્રોત્સાહન મળશે. આ યોજનાનો અમલ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) મારફતે કરવામાં આવશે જેથી સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને સુવ્યવસ્થિત બની રહે.
યોજનાનો ઉદ્દેશ્ય
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં મોટા પાયે નવી નોકરીઓનું સર્જન કરવાનો છે. યુવાનોને પહેલીવાર નોકરી મેળવવા માટે પ્રોત્સાહિત કરવું, ખાનગી ક્ષેત્રમાં ભરતીને વેગ આપવો, અને ઉદ્યોગોને વધારે રોજગાર ઊભું કરવા પ્રોત્સાહિત કરવું એ તેના મુખ્ય હેતુઓ છે. આ યોજના રોજગાર સાથે કૌશલ્ય વિકાસ, નાણાકીય જાગૃતિ અને બચત પ્રોત્સાહન જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને પણ જોડે છે, જેથી યુવાનો માત્ર નોકરી મેળવવા પૂરતા જ નહીં પરંતુ લાંબા ગાળે આત્મનિર્ભર બનવા માટે સક્ષમ બને.
યોજનાના મુખ્ય લક્ષ્યો
આ યોજના દ્વારા 1 ઓગસ્ટ 2025 થી 31 જુલાઈ 2027 દરમિયાન 3.5 કરોડ નવી નોકરીઓ ઊભી કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. યુવાનોને પહેલી નોકરી મળતાં જ પ્રોત્સાહન આપીને તેઓને કાર્યક્ષેત્રમાં ટકાવવા, ઉદ્યોગોને વધુ ભરતી માટે આર્થિક સહાય આપવી, તેમજ ઉત્પાદન ક્ષેત્રમાં રોજગાર સર્જનને લાંબા ગાળે મજબૂત બનાવવાનું આ યોજનાનું મુખ્ય લક્ષ્ય છે.
યોજનાના લાભો
આ યોજનાના લાભો બે પ્રકારના છે – યુવાનો માટે અને નોકરીદાતાઓ માટે.
યુવાનોને પહેલીવાર ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવતા જ કુલ ₹15,000 સુધીનું પ્રોત્સાહન મળશે. આ રકમ બે હપ્તામાં મળશે – પહેલો હપ્તો 6 મહિના સતત કામ કર્યા પછી અને બીજો હપ્તો 12 મહિના પૂર્ણ કર્યા પછી. બીજો હપ્તો મેળવવા માટે નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ પૂર્ણ કરવો ફરજિયાત રહેશે.
નોકરીદાતાઓને દરેક નવા કર્મચારીની ભરતી પર દર મહિને ₹3,000 સુધીનું પ્રોત્સાહન મળશે, જે 2 વર્ષ સુધી માન્ય રહેશે. ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓ માટે આ લાભ 4 વર્ષ સુધી ઉપલબ્ધ રહેશે.
યોજના માટે પાત્રતા
આ યોજના ફક્ત ખાનગી ક્ષેત્રની પહેલી નોકરી મેળવનારા યુવાનો માટે છે. ઉમેદવારનો માસિક પગાર ₹1 લાખ સુધીનો હોવો જોઈએ. અરજદાર અગાઉ ક્યારેય EPFO અથવા કોઈ એક્ઝેમ્પ્ટ ટ્રસ્ટમાં નોંધાયેલા ન હોવા જોઈએ. નોકરીદાતા કંપની EPFO માં નોંધાયેલ હોવી ફરજિયાત છે. સાથે સાથે, કંપનીના કર્મચારીઓની સંખ્યા મુજબ ઓછામાં ઓછા નવા લોકોની ભરતી કરવી પડશે – 50 થી ઓછા કર્મચારીઓ ધરાવતી કંપનીએ 2 અને 50 થી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીએ ઓછામાં ઓછા 5 નવા કર્મચારીઓની ભરતી કરવી પડશે.
અરજી પ્રક્રિયા
યુવાનો માટે
પહેલી નોકરી મળતાં જ UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) જનરેટ કરવો અને એક્ટિવેટ કરવો પડશે. EPF યોગદાન શરૂ કરવું, ફેસ ઓથેન્ટિકેશન કરવું અને પાત્રતાની શરતો પૂર્ણ કરવી ફરજિયાત રહેશે.
નોકરીદાતાઓ માટે
ચોક્કસ સંખ્યામાં નવા કર્મચારીઓની ભરતી કર્યા બાદ તેમને EPFO માં નોંધણી કરાવવી પડશે. ત્યાર બાદ જ પ્રોત્સાહન મેળવવાની પ્રક્રિયા શરૂ થશે
જરૂરી દસ્તાવેજો
અરજી કરતા પહેલા ઉમેદવાર પાસે નીચેના દસ્તાવેજો તૈયાર હોવા જોઈએ –
આધાર કાર્ડ
બેંક ખાતાની વિગતો અને રદ થયેલ ચેક
રોજગાર કરાર અથવા નિમણૂક પત્ર
EPFO સાથે જોડાયેલ વિગતો (UAN નંબર)
ફોટો અને ઓળખ પુરાવો
સહાય રકમ અને કઈ રીતે મળશે
યુવાનોને આપવામાં આવતી ₹15,000 ની સહાય બે હપ્તામાં સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવશે. પહેલો હપ્તો 6 મહિના સુધી સતત કામ કર્યા પછી મળશે. બીજો હપ્તો 12 મહિના પૂર્ણ થયા બાદ અને નાણાકીય સાક્ષરતા મોડ્યુલ પૂર્ણ કર્યા બાદ મળશે. નોકરીદાતાઓને દર મહિને ₹3,000 સુધીની સહાય EPFO માધ્યમથી જમા કરવામાં આવશે. ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓ માટે આ સહાય 4 વર્ષ સુધી ચાલુ રહેશે.
યોજનાનો સમયગાળો
આ યોજના 1 ઓગસ્ટ 2025 થી શરૂ થઈને 31 જુલાઈ 2027 સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન થયેલી ભરતી જ પ્રોત્સાહન માટે પાત્ર ગણાશે.
પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના યુવાનોને પહેલી નોકરી માટે પ્રોત્સાહિત કરતી સાથે સાથે નોકરીદાતાઓને નવા રોજગાર ઊભું કરવા માટે સહાય કરે છે. આ યોજના રોજગાર સર્જન સાથે સાથે કૌશલ્ય વિકાસ, નાણાકીય જાગૃતિ અને બચતને પણ પ્રોત્સાહિત કરે છે. લાંબા ગાળે આ યોજના ભારતને આત્મનિર્ભર બનાવવા અને આર્થિક વિકાસને વેગ આપવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.