Teacher setup register based on student-teacher ratio till 31/07/2025

વિષય: રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ માટે વિદ્યાર્થી-શિક્ષક પ્રમાણને અનુલક્ષીને શિક્ષક સેટઅપ રજીસ્ટર તૈયાર કરવા બાબત મહત્વપૂર્ણ સૂચનાઓ

શિક્ષક સેટઅપ રજીસ્ટર એ આવક-જાવક અને વર્ગની ગણતરીઓના આધારે શાળામાં કેટલાં શિક્ષકો જરૂરી છે તે નક્કી કરવા માટેનો આધિકારીક દસ્તાવેજ છે. દરેક શાળાએ 31/07/2025 ની સ્થિતિએ વર્ગ, વિદ્યાર્થી અને શિક્ષકની વિગત CTS, SAS અને Teacher Portal પર અપલોડ કરવી ફરજીયાત છે.

શિક્ષણ વિભાગનો ઠરાવ (11/05/2023): દરેક વર્ષે 31 જુલાઈએ શિક્ષક સેટઅપ નિર્ધારણની જોગવાઈ

ઠરાવ (20/07/2024): Shikshak Setup Register તૈયાર કરવા બાબતે સૂચનાઓ

પ્રશાસકી પત્ર (02/07/2025) અને (21/07/2025): સ્કૂલ ઓફ એક્સલન્સ, બાલવાટિકા અને દિવ્યાંગ બાળકોની વિગત આપવી ફરજિયાત

પત્રક-1 થી પત્રક-12 સુધીના તમામ Excel પત્રકો નમૂનાની સાથે આપવામાં આવ્યા છે. મુખ્ય પત્રકોમાં નીચે મુજબની વિગતો જરૂરી રહેશે:

પત્રક નં.વિગતો વિશે
પત્રક-1ધો. 1 થી 5 ના વિદ્યાર્થીઓ અને બાલવાટિકા પ્રવેશ વિઘાર્થીઓ
પત્રક-2મુખ્ય શિક્ષકના મહેકમની માહિતી
પત્રક-11દિવ્યાંગ વિઘાર્થીઓની માહિતી (UDID/પ્રમાણપત્ર આવશ્યક)
CTS Portal પર ડેટા અપલોડ 31 જુલાઈ સુધીના તમામ વિદ્યાર્થીઓની પ્રવેશ માહિતી CTs portal પર હોવી જરૂરી
SAS અને Teacher Portalશિક્ષકો અને વિદ્યાર્થીઓની માહિતી અપડેટ રાખવી
શૂન્ય વિદ્યાર્થી શાળાઓ તાત્કાલિક બંધ કરવા સૂચના
ફેક પ્રવેશથી બચો –આભાસી ડેટા દર્શાવી વધારાના શિક્ષક મેળવવાના પ્રયત્નો ટાળો

વર્ગ રજીસ્ટર અને વયપત્રક મુજબ દરેક વર્ગના વિદ્યાર્થીઓની વિગતો એકઠી કરો

પત્રક 1 થી 12માં જરૂરી તમામ કૉલમ મુજબ માહિતી દાખલ કરો

CTs Portal, SAS અને Teacher Portal પર વિગતો અપલોડ કરો

Taluka Education Officer ને સોફ્ટકોપી ફોર્મેટમાં પત્રકો મોકલવા

“Shikshak setup register Gujarat”

“31 July school teacher student ratio format”

“Primary teacher setup excel sheet download”

“CTs portal student data entry”

“SAS teacher portal update”

“Balvatika entry in setup register”

“UDID certified Divyang student report”

“School of Excellence student details format”

“Zero student school closure Gujarat”

“Primary teacher allotment criteria Gujarat”

🎯 સેટ અપ બાબતની અગત્યનો પરિપત્ર જોવા

🎯 આ સાથેના પત્રક-1 થી 12 Excel નમૂનાઓ 

last world

આ સૂચનાઓ ગુજરાતના દરેક પ્રાથમિક શિક્ષક અને મુખ્ય શિક્ષક માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ પ્રક્રિયાના કોઈ પણ તબક્કાની અવગણના ફરજદારી અને જવાબદારીના મુદ્દે થઈ શકે છે. ખાસ કરીને શાળાની પ્રવેશ વિગત, બાલવાટિકા વિદ્યાર્થીઓ, અને દિવ્યાંગ બાળકોની માહિતી ચોકસાઈથી ભરો અને સમયસર અપલોડ કરો.

Knowing the National Education Policy-2020

21મી સદીની આ પ્રથમ શિક્ષણ નીતિ છે અને દેશમાં અમલી ૩૪ વર્ષ જુની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NPE)૧૯૮૬ના બદલે તેને અમલમાં  મુકવામાં આવશે.નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 વિષે અહીંયા મેં તમામ બાબત ને આવરી લઇ એક નવીન લેખ ,આર્ટિકલ અને તેના પ્રશ્નો મૂક્યા છે .જે નવી રાષ્ટ્રીય શિક્ષણ ની નીતિ 2020 ને સમજવા ઉપયોગી થશે

💥રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- 1968 
💥નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-1986 
💥રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સુધારો-1992 
💥નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2016-2020
💥(1) ACCESSએક્સેસ(પ્રવેશ ,પ્રવેશ માર્ગ
💥(2) EQUITY સમાનતા 
💥(3) QUALITYગુણવત્તા
💥(4)AFFORDABILITY પરવડે તેવી ક્ષમતા
 💥(5) ACCOUNTABILITY  જવાબદારી
💥અધ્યક્ષ👉કે.કસ્તૂરીરંગન, ભૂતપૂર્વ અધ્યક્ષ, ઈસરો, બેંગ્લુરુ
💥સભ્યો👉વસુધા કામત, મંજુલ ભાર્ગવ, રામશંકર કુરિલ, ટી.વી. કેટ્ટીમની, કૃષ્ણ મોહન ત્રિપાઠી, મઝહર આસિફ, એમ.કે.શ્રીધર
💥સચિવ👉શકીલા ટી. શેમ્સ, (રાષ્ટ્રીય શિક્ષણ નીતિ), ઉચ્ચ શિક્ષણ વિભાગ, માનવ સંસાધન વિકાસ મંત્રાલય, ભારત સરકાર, નવી દિલ્હી

મુદ્દા પરથી વાર્તા:“પથ્થર ખસેડવાનું ઇનામ’

નવું અભ્યાસ માળખું  5 + 3+3+4 પેહલા 1986 ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માં 10+2 હતું . આ  5 + 3+3+4 નવા માળખાનો અભ્યાસ અહીંયા સંપૂર્ણ કોષ્ટક માં કરેલ છે . માળખામાં સૌ પ્રથમ વાર “બાલવાટિકાનો નવો કોન્સેપટ છે  બે કોષ્ટક થી આપ વધુ માહિતી મેળવો 

  • ✅રાષ્ટ્રીય સંશોધન કાઉન્ડેશન (NRF)ની સ્થાપના કરવામાં આવશે જે સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપશે
  • ✅ઉચ્ચ શિક્ષણમાં એક જ રેગ્યુલેટરી બોડી હશે
  • ✅ 15 વર્ષોની અંદર તબક્કાવાર રીતે કોલેજોની સંલગ્નતા દૂર કરાશે અને કોલેજો શ્રેણીબદ્ધ સ્વાયત્તતા આપવા માટે રાજ્ય-દીઠ વ્યવસ્થાતંત્રની સ્થાપના કરાશે
  • ✅શિક્ષણ, મૂલ્યાંકન, આયોજન, વહીવટમાં વધારો કરવા માટે ટેક્નોલીજીના ઉપયોગ અંગેના વિચારોના મુક્ત આદાન-પ્રદાન માટેનું મંચ પૂરું પાડવા રાષ્ટ્રીય શિક્ષણ ટેકનિકલ મંચ (NETF)ના નામથી એક સ્વાયત સંસ્થાનું ગઠન કરાશે
  • ✅SC, ST, OBC અને અન્ય ડEDG શ્રેણીના વિધાર્થીઓની કૂશળતાને પ્રોત્સાહન અપાશે. શિષ્યવૃત્તિઓ પ્રાપ્ત કરી રહેલા વિધાર્થીઓની સહાયતા માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલનો વ્યાપ વધારવામાં આવશે.
  • ✅2035 સુધીમાં ઉચ્ચ અભ્યાસમાં GER((ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો) 50% સુધી કરવાનું લક્ષ્યાંક, 3.5 કરોડ બેઠકો ઉચ્ચ અભ્યાસમાં ઉમેરવામાં આવશે 
  • ✅વિધાર્થી કોઈ એક કોર્ષ વચ્ચે જો બીજો કોર્ષ કરવા માંગે તો પ્રથમ કોર્ષમાં એક નિશ્ચિત સમય માટે બ્રેક લઈને કરી શકે છે.
  • ✅અનુસ્નાતક થયેલા વિધાર્થીઓએ M.Phil કરવાનું રહેશે નહીં ડાયરેક્ટ PhD કરી શકાશે
  • ✅વિધાર્થીનું શિક્ષણ કોઇ કારણસર અધૂરું રહી જાય તો પણ તેમણે મેળવેલ શિક્ષણ સુધીનું પ્રમાણપત્ર મેળવી શકશે (એક વર્ષ પછી પ્રમાણપત્ર, 2 વર્ષ પછી એડવાન્સ ડિપ્લોમા, ૩ વર્ષ પછી સ્નાતકની પદવી અને 4 વર્ષ પછી સંશોધન સાથે સ્નાતક.)
  • ✅ વિવિધ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં મેળવવામાં આવેલી શૈક્ષણિક ક્રેડિટનો ડિજિટલ રીતે સંગ્રહ કરવા માટે “એકેડેમિક બેન્ક ઓફ કેડિટ’ની સ્થાપના કરવામાં આવશે, જેથી અંતિમ મેળવેલી ઉપાધી માટે તેનું હસ્તાંતર અને ગણતરી કરી શકાય.

The date of application for admission to Jawahar Navodaya Vidyalaya has been extended.

જવાહર નવોદય વિદ્યાલય એડમિશન માટે પ્રવેશ કરવાની અરજી ની તારીખ લંબાવાય છે.

➡️ દેશભરમાં જવાહર નવોદય વિદ્યાલયમાં વર્ષ 2025 26 માટે ધોરણ છ માં પ્રવેશ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 29 જુલાઈ 2025 હતી .પરંતુ હવે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. જે વાલીઓ પોતાના બાળકોની નવોદય વિદ્યાલય પ્રવેશ અપાવવા માગે છે તેઓ કોઈપણ વાલી કે વિદ્યાર્થી 13 તારીખ પહેલા ફોર્મ ભરી શકે છે. 13 ઓગસ્ટ પછી અરજી વિન્ડો બંધ થઈ જશે.

Nvs ની સત્તાવાર વેબસાઈટ Navodaya. gov.in  અરજી ફોર્મ ભરી શકાય છે.

➡️ ધ્યાન રાખવું કે ઓલ ફોર્મ ફક્ત ઓનલાઇન સ્વીકારવામાં આવશે.

બધાની જાણકારી માટે તમને જણાવી દઈએ કે નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે અરજી કરતી વખતે કોઈપણ પ્રકારની ફી જમા કરાવવાની જરૂર નથી.

 જવાહર નવોદય વિદ્યાલયના તમામ વર્ગો સંપૂર્ણપણે મફતમાં છે.

✅Jnvvst ધોરણ 6 પ્રવેશ ઓનલાઇન ફોર્મ ભરવા માટે સૌપ્રથમ વેબસાઈટ .Navodaya.gov.in ની મુલાકાત લો 

✅ વેબસાઈટના હોમપેજ પર પોપ પોપ એપ માં પ્રવેશ સંબંધી વેબસાઈટ લીંક cbseitms. rcil. gov. in/nvs પર ક્લિક કરો

✅ હવે નવા પેજ પર CLICK HERE FOR RAJISTRESHAN CLASS VI( ક્લિક હેર ફોર રજીસ્ટ્રેશન ફોર ક્લાસ વી આઇ જે.એનવીએસટી) 2026-2027  પર ક્લિક કરો અને બધી જરૂરી માહિતી દાખલ કરી ફોર્મ ભરો.

✅ અરજી સંપૂર્ણ ભર્યા બાદ નોંધણી ફોર્મ પ્રિન્ટ કરવા માટે અહીં ક્લિક કરો તેનું પ્રિન્ટ આઉટ લો અને સુરક્ષિત રાખો 

ફોર્મ ભરવાની સાથે માતા-પિતે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો અપલોડ કરવા પડશે આવી સ્થિતિમાં અરજી કરતા પહેલા બધા દસ્તાવેજો તમારી સાથે રાખો આ દસ્તાવેજો માં 

✅ વિદ્યાર્થીની સહી 

✅ વાલીની સહી 

✅ વિદ્યાર્થીનો ફોટોગ્રાફ્સ 

✅ વાલી દ્વારા ભરાયેલ અને આચાર્ય દ્વારા ચકાસાહેબ પ્રમાણપત્ર 

✅ આધારકાર્ડ 

✅ સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ રહેઠાણ પ્રમાણપત્ર હોવું જોઈએ .

✅ રહેઠાણ પ્રમાણપત્રમાં ઉમેદવારની મૂળભૂત વિગતો જેમ કે રાજ્ય પ્લોક જીલ્લો આધાર નંબર પાન વિગેરે અરજી પોટલમાં ભરવાની રહેશે .

➡️ બધા ડોક્યુમેન્ટ જેપીજી ફોર્મેટમાં હોવા જોઈએ અને તે 10KB થી 100KB ની વચ્ચે હોવા જોઈએ.

સેટ અપ પત્રક સૂચનાઓ લેટર 30.7.2025 new

સેટ અપ પત્રક સૂચનાઓ લેટર 30.7.2025 newCLICK HERE
GRUP CHENAL
DAYS
HOURS
MINUTES
SECONDS

“પે સેન્ટર” શાળાઓમાં ચિત્ર અને સંગીત શિક્ષકોની માનદ વેતનથી ભરતી

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં “પે સેન્ટર શાળાઓ”માં ચિત્ર અને સંગીત વિષયક શિક્ષકોની માનદ વેતનથી કોન્ટ્રાક્ટ આધારે નિમણૂકની મંજૂરી આપવામાં આવી છે.

આ નિર્ણય વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને NEP 2020 (New Education Policy 2020)

ના દૃષ્ટિકોણથી શિક્ષણની ગુણવત્તા વધારવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

🔸 NEP 2020 મુજબ કલા અને સંસ્કૃતિને અભ્યાસક્રમમાં સામેલ કરવો

🔸 બાળકોમાં સર્જનાત્મકતા અને ભાવનાત્મક વિકાસને પ્રોત્સાહન

🔸 શાળામાં વિવિધ રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના કાર્યક્રમોમાં કલા અને સંગીતનું આયોજન કરવાની ક્ષમતા વધારવી

🔸 ‘અનંદદાયી શનિવાર’, ‘બેગલેસ ડે’ જેવી પ્રવૃત્તિઓમાં યોગદાન આપવો

📝 ઉમેદવારો માટે આ ભરતીમાં સમાવેશ થવા માટે સ્થાનિક શાળાના સંપર્કમાં રહેવું જરૂરી છે.

📌 અરજી પસંદગી શાળાની SMC (શાળા વ્યવસ્થાપન સમિતિ) દ્વારા થશે.

🎓 સંબંધિત વિષયમાં તાલીમ, અભ્યાસક્રમ અને અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય મળશે.

💥Art & Music Teacher Recruitment Gujarat 2025

💥Pay Center School Teacher Bharti

💥Drawing Teacher Honorarium Job in Gujarat

💥NEP 2020 Art Education Implementation

💥SSA Gujarat Contract Teacher Jobs

💥Gujarat Government Music Teacher Vacancy

💥Kendriya Vidyalaya Art Teacher Jobs

💥Honorarium Based Teacher Appointment News

📍 કલા, સંગીત, નાટક, નૃત્ય જેવા વિષયોમાં ભાગ લેવાથી શિક્ષણની ગુણવત્તા વધશે

📍 બાળકો માટે આનંદદાયી શાળાનો અનુભવ

📍 સ્વાનુભવી કલાકારોને શિક્ષણક્ષેત્રમાં યોગદાન આપવાની તક

📍 શાળામાં કુશળ તાલીમકારો મળવાથી બાળકોની પ્રસ્તુતિ શક્તિ, આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિ કળામાં વધારો

1. સદર અંશકાલીન ચિત્ર/સંગીત શિક્ષકોને તાસ દીઠ રૂ.50/-નું ઉચ્ચક માનદવેતન આપવાનું રહેશે. દિવસના મહત્તમ 6 થી 8 તાસનો કાર્યભાર આપવાનો રહેશે. આ પ્રકારના અંશકાલીન ચિત્ર/સંગીત શિક્ષકોને મહત્તમ માસિક રૂ.9000/- સુધીનું મહેનતાણું આપવાનું રહેશે.

2. આ રીતે સેવાઓ લેવા માટે લાયકાત તરીકે વયમર્યાદા 18 વર્ષથી વધુ અને 38 વર્ષથી ઓછી રાખવાની રહેશે તેમજ અંશકાલીન ચિત્ર/સંગીત વિષયના શિક્ષકો માટે ચિત્ર/સંગીત વિશારદ લાયકાત ધ્યાને લેવાની રહેશે. અને વયમર્યાદા ધરાવતા વ્યક્તિઓને પગાર કેન્દ્રની શાળાની શાળાવ્યવસ્થાપન સમિતિ મારફત કામગીરી સોંપી શકાશે. આવા ઉમેદવારોની પસંદગી વખતે જાહેરાત આપવાની રહેશે નહી કે નિમણૂંક પત્ર આપવાનો રહેશે નહી. પરંતુ સંબંધિત પગાર કેન્દ્રની શાળા તથા તેની તાબાની શાળાના ગામોના જાહેર સ્થળના નોટીસ બોર્ડ પર વિગતો દર્શાવવાની રહેશે.અને તેની નકલ અત્રેની કચેરીને મોકલી આપવાની રહેશે.

૩. પગાર કેન્દ્રની શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિએ તેઓના પગાર કેન્દ્ર વિસ્તારમાં રહેતા કે તે તાલુકામાં રહેતા ઉમેદવારોની સદર કામગીરી માટે સેવાઓ લેવા પ્રાથમિકતા આપવાની રહેશે.

4. મંજૂર કરેલ અંશકાલીન ચિત્ર/સંગીત શિક્ષકોની મર્યાદામાં જિલ્લા/નગર શિક્ષણ સમિતિની જરૂરીયાત પ્રમાણે નિયુકત કરવાની રહેશે.

5. સદર અંશકાલીન ચિત્ર/સંગીત શિક્ષકોને કાર્યભાર સોંપતી વખતે પ્રથમ ધોરણ 6 થી 8 ના તાસની ફાળવણી કરવાની રહેશે અને ત્યારબાદ ધોરણ 1 થી 5 ના તાસની ફાળવણી કરવાની રહેશે. તે મુજબ પગાર કેન્દ્ર શાળાના આચાર્ય અને ફાળવેલ શાળાના આચાર્યે કામગીરી કરવાની રહેશે.

6. પગાર કેન્દ્ર શાળાઓમાં અંશકાલીન ચિત્ર/સંગીત શિક્ષકોની પ્રવાસી શિક્ષકો તરીકે તાસ દીઠ મહેનતાણાંથી નિમણૂક કરવાની રહેશે, જે કાર્યવાહી શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા હાથ ધરવાની રહેશે.

7. પગાર કેન્દ્રના આચાર્ય દ્વારા તેઓને પગાર કેન્દ્રના કાર્યક્ષેત્રમાં આવતી શાળાઓમાં દરરોજની કામગીરી માટેનું સમયપત્રક ફાળવવાનું રહેશે.

8. આ રીતે કામ કરનાર શિક્ષકોને શાળા ફાળવતી વખતે સંબંધિત પગાર કેન્દ્ર શાળામાં આવેલ શાળાઓ પૈકી વધુ વિદ્યાર્થી ધરાવતી શાળાઓને અગ્રતાક્રમ આપવાનો રહેશે.

9. મહેનતાણું ચુકવવાની જવાબદારી પગારકેન્દ્રના આચાર્યશ્રીની રહેશે અને સબંધિત અંશકાલીન ચિત્ર/સંગીત શિક્ષકોના ખાતામાં તે રકમ સીધી જમા કરાવવાની રહેશે અથવા ચેકથી ચૂકવવાની રહેશે. કોઇપણ સંજાગોમાં રોકડમાં મહેનતાણું ચૂકવવાનું રહેશે નહી.

10. મહેનતાણું ચૂકવતી વખતે સદર પ્રવાસી શિક્ષકોએ જે શાળાઓમાં જે તે દિવસે કામગીરી કરેલ તે શાળાના આચાર્યશ્રીએ તે તારીખ સહિત કામ કરેલ તાસની સંખ્યાનું પ્રમાણપત્ર સંબંધિત પગારકેન્દ્રના આચાર્યશ્રીને રજૂ કરવાનું રહેશે. તેના આધારે મહેનતાણાની ચૂકવણી કરવાની રહેશે.

11. અંશકાલીન ચિત્ર/સંગીત શિક્ષકને ચાલુ શૈક્ષણિક કામગીરીમાં કોઈ રજા કે છૂટ આપી શકાશે નહીં.

12. સદર અંશકાલીન ચિત્ર/સંગીત શિક્ષકો નિમણુંક વાળી શાળામાં યોગ્ય કામ કરે છે કે કેમ ? તેની ચકાસણી કરવા તથા બિનજરૂરી કામગીરી/ચુકવણું ન થાય તે માટે યોગ્ય વ્યવસ્થાતંત્ર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારી એ તેમની કક્ષાએથી ગોઠવવાનું રહેશે.

13. પ્રાથમિક શાળાઓમાં બાળકોનું શૈક્ષણિક કાર્ય ચાલુ હોય તેટલા દિવસ પુરતા જ અંશકાલીન ચિત્ર/સંગીત શિક્ષકને કામગીરી કરાવવાની રહેશે અને તે કરેલ કામગીરીના દિવસો પૂરતો જ પગાર ચૂકવવાનો રહેશે.

શિક્ષણ ક્ષેત્રમાં “કલા અને સંગીત” શિક્ષકોની માનદ વેતનથી ભરતી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે એક સરાહનીય પગલું છે. આ ભર્તીનો લાભ સ્થાનિક કલા શિક્ષકો અને તાલીમાર્થીઓને રોજગારરૂપ અને બંને રીતે મળશે.

EDUCATION PARIPATR :BHARTI

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં “પે સેન્ટર શાળાઓ”માં ચિત્ર અને સંગીત વિષયક શિક્ષકોની માનદ વેતનથી કોન્ટ્રાક્ટ આધારે નિમણૂકની મંજૂરી આપવામાં આવી છે.

ping back:: વિદ્યાર્થીના નામ, અટક, પિતાનું નામ અને જન્મતારીખમાં સુધારો કરવાની સંપૂર્ણ માર્ગદર્શિકા (2025)

ping back:: Google course:Grow your business with Workspace

LIC NEW FD YOJNA.

LIC FD યોજના: આજના સમયમાં, લોકો પોતાના પૈસા અને મૂડી એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાં તેમને સારું વળતર મળી શકે અને તેમના પૈસા સુરક્ષિત રહી શકે. આજના સમયમાં, લોકો બેંકની FD યોજનામાં પોતાના પૈસા રોકાણ કરવાનું પસંદ કરે છે. બેંક એક એવું માધ્યમ છે જ્યાંથી તેમને સારું વળતર મળે છે અને તેમના પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે. બેંકની સાથે, LIC પણ એક વિશ્વસનીય સ્થળ છે જ્યાં તમે તમારા પૈસા ફિક્સ ડિપોઝિટમાં જમા કરીને નફો કમાઈ શકો છો.

બેંકોની જેમ, LIC પાસે પણ ઘણા પ્રકારની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ્સ છે. આ ઉપરાંત, LIC ઘણી બધી સ્કીમ્સ ચલાવે છે જ્યાં પૈસાનું રોકાણ કરીને સારો નફો કમાઈ શકાય છે. ચાલો જાણીએ કે LIC માં ફિક્સ્ડ ડિપોઝિટમાં ₹ 100000 નું રોકાણ કરવાથી તમને કેટલું રિફંડ મળશે?

એફડી યોજના એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા ચલાવવામાં આવે છે. હાલમાં, આ એફડી યોજના 6.45% સુધી વ્યાજ આપે છે. આ ઉપરાંત, વરિષ્ઠ નાગરિકોને 0.25% વધુ વ્યાજ મળે છે, ખાસ યોજનાઓમાં આ વ્યાજ દર 7% સુધી જાય છે.

જો તમે LIC ની 5 વર્ષની FD યોજનામાં રોકાણ કરો છો, તો તમને આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ મુક્તિ મળી શકે છે. ઉપરાંત, જો તમારી વ્યાજની આવક 40,000 રૂપિયાથી વધુ ન હોય, તો તમે ફોર્મ 15G/H ભરીને TDS ટાળી શકો છો.

જો તમે LIC ની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં તમારા પૈસા રોકાણ કરો છો, તો આ સ્કીમમાં 6 મહિના પછી જ ઉપાડની શક્યતા છે અને રન ઓફ એફડી સ્કીમની સુવિધા પણ ઉપલબ્ધ છે.

LIC જીવન વીમા પોલિસી, પેન્શન યોજનાઓ અને આરોગ્ય વીમા યોજનાઓ પૂરી પાડે છે. તે ભારતના સૌથી મોટા સંસ્થાકીય રોકાણકારોમાંનું એક છે અને દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

LIC ની ફિક્સ્ડ ડિપોઝિટ યોજના સંપૂર્ણપણે સલામત છે, સામાન્ય લોકો અહીં રોકાણ કરીને મોટી કમાણી કરી શકે છે. LIC યોજનામાં રોકાણ કરવા પર, દર મહિને એક નિશ્ચિત રકમ સીધી બેંક ખાતામાં વ્યાજ તરીકે ટ્રાન્સફર થાય છે.

ping back:: વિદ્યાર્થીના નામ, અટક, પિતાનું નામ અને જન્મતારીખમાં સુધારો કરવાની સંપૂર્ણ માર્ગદર્શિકા (2025)

ping back:: Google course:Grow your business with Workspace

Google course:Grow your business with Workspace:

ઓગસ્ટ 2025 માં, ગૂગલે ફરી એકવાર ફ્રી કોર્સ વિથ સર્ટિફિકેટ પ્રોગ્રામનો વિસ્તાર કર્યો છે જેનો ઉદ્દેશ્ય ભારતના યુવાનો અને વિદ્યાર્થીઓને ડિજિટલ કૌશલ્યમાં નિપુણ બનાવવાનો છે. આ પહેલ હેઠળ, દેશભરના 10મા, 12મા પાસ વિદ્યાર્થીઓ, સ્નાતકો, બેરોજગાર યુવાનો અને વ્યાવસાયિકો કોઈપણ ફી વિના ગૂગલ પાસેથી ઓનલાઈન કોર્સ કરી શકે છે અને તેનું સત્તાવાર પ્રમાણપત્ર પણ મેળવી શકે છે.

આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય યુવાનોને ભવિષ્યમાં ડિજિટલ અને ટેકનિકલ ક્ષેત્રોમાં નિપુણ બનાવવાનો છે જેથી તેઓ માત્ર નોકરી જ નહીં પરંતુ પોતાની કારકિર્દી પણ શરૂ કરી શકે.

ગુગલનું “Grow with Google”, “Google Digital Garage”, “Google Career Certificates” ઓગસ્ટ 2025 માં આવી પહેલનો વધુ વિસ્તાર કરવામાં આવ્યો છે, અને હવે ભારતના વધુને વધુ યુવાનો તેમાં સામેલ થઈ રહ્યા છે. આ અભ્યાસક્રમો સ્માર્ટફોન અથવા લેપટોપનો ઉપયોગ કરીને ઘરેથી પૂર્ણ કરી શકાય છે. ઉપરાંત, અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી, મફતમાં ગુગલ પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે, જે નોકરી અથવા ઇન્ટર્નશિપ માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

👉Digital Marketing Course

👉Fundamentals of Artificial Intelligence

👉Basics of Machine Learning

👉Cybersecurity Essentials

👉IT Support Professional Certificate

👉Python Programming for Beginners

👉Data Analytics using Google Tools

👉Career Development & Interview Skills

👉Google Ads & SEO Training

👉YouTube Channel Growth & Monetization

ગુગલ ફ્રી કોર્સ માટે કોઈ કડક લાયકાત નથી:

કોઈપણ ભારતીય નાગરિક અરજી કરી શકે છે

૧૦મું પાસ, ૧૨મું પાસ, સ્નાતક અથવા નવા વિદ્યાર્થીઓ પાત્ર છે

અંગ્રેજી/હિન્દી ભાષાની મૂળભૂત સમજ હોવી આવશ્યક છે

સ્માર્ટફોન અથવા કમ્પ્યુટર અને ઇન્ટરનેટ કનેક્શન હોવું આવશ્યક છે

કોઈ ફી લેવામાં આવતી નથી.

  • ઘરે બેઠા મફતમાં કૌશલ્ય વિકાસ
  • નોકરી મેળવવાની શક્યતાઓમાં વધારો
  • ઇન્ટરવ્યૂમાં આત્મવિશ્વાસ વધશે
  • ડિજિટલ માર્કેટિંગ, કોડિંગ, ડેટા વિશ્લેષણ જેવી હોટ કુશળતા
  • તમારું પોતાનું સ્ટાર્ટઅપ અથવા યુટ્યુબ ચેનલ શરૂ કરવામાં મદદ
  • AI, ML જેવી અદ્યતન તકનીકોનું જ્ઞાન
  • સંપૂર્ણપણે ઑનલાઇન, ગમે ત્યાંથી કરી શકાય છે

ગુગલના મફત અભ્યાસક્રમો માટે નોંધણી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે:

💥ગુગલ ફ્રી કોર્સ 2025 ગુગલની અધિકૃત લર્નિંગ વેબસાઇટની મુલાકાત લો

💥તમને રસ હોય તે કોર્સ પસંદ કરો

💥“મફતમાં નોંધણી કરો” પર ક્લિક કરો

💥તમારા Gmail ID થી લોગિન કરો

💥કોર્સ શરૂ કરો અને મોડ્યુલ પૂર્ણ કરો

💥કોર્સના અંતે, ગુગલ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે

જે યુવાનો મોંઘુ કોચિંગ પરવડી શકતા નથી

જેઓ ઘરેથી કૌશલ્ય શીખવા માંગે છે

જેઓ અભ્યાસની સાથે કારકિર્દી બનાવવા માંગે છે

જેઓ ઇન્ટરવ્યુ અથવા સરકારી યોજનાઓમાં પોતાનું કૌશલ્ય બતાવવા માંગે છે

જેઓ ફ્રીલાન્સિંગ અથવા ઓનલાઈન કાર્યના ક્ષેત્રમાં પ્રવેશવા માંગે છે

ગુગલની આ યોજના માત્ર એક કોર્ષ યોજના નથી, પરંતુ ડિજિટલ ઇન્ડિયા વિઝનનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય યુવાનોને આત્મનિર્ભર બનાવવાનો છે. આના દ્વારા, ભારતના ગામડાઓથી લઈને મહાનગરો સુધીના વિદ્યાર્થીઓ હવે મફતમાં આંતરરાષ્ટ્રીય સ્તરની કુશળતા પ્રાપ્ત કરી શકશે.

ping back:: વિદ્યાર્થીના નામ, અટક, પિતાનું નામ અને જન્મતારીખમાં સુધારો કરવાની સંપૂર્ણ માર્ગદર્શિકા (2025)

8મા પગાર પંચ મુજબ સરકારી કર્મચારીઓને ઓછામાં ઓછા 3 પ્રમોશન મળશે, પગાર પણ બમણો થશે

8મું પગાર પંચ: ભારતમાં સરકારી કર્મચારીઓના પગાર અને સેવાની સ્થિતિમાં સુધારો લાવવા માટે આઠમું પગાર પંચ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે. નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરીએ તાજેતરમાં કર્મચારી અને તાલીમ વિભાગને આઠમા પગાર પંચ માટે એક વ્યાપક દરખાસ્ત રજૂ કરી છે. આ દરખાસ્તમાં સરકારી કર્મચારીઓના પગાર માળખા, ભથ્થાં, પેન્શન પ્રણાલી અને સેવાની શરતોમાં ધરમૂળથી ફેરફારની માંગ કરવામાં આવી છે. .આ કમિશન 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ, સંરક્ષણ કર્મચારીઓ, અર્ધલશ્કરી દળો અને વિવિધ સરકારી સંસ્થાઓના કર્મચારીઓને અસર કરશે.

કર્મચારી સંગઠનોએ 1 જાન્યુઆરી, 2026 થી નવા. પગાર પેકેજને લાગુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નવા માળખામાં, સુપ્રીમ કોર્ટના વિવિધ નિર્ણયોને ધ્યાનમાં રાખીને લઘુત્તમ પગાર નક્કી કરવામાં આવ્યો છે જેથી કર્મચારીઓનું જીવનધોરણ સુધારી શકાય. આ સાથે, 1957 ના ડૉ. આયક્રોયડ ફોર્મ્યુલાને વર્તમાન આર્થિક પરિસ્થિતિઓ અનુસાર અપડેટ કરવાની ભલામણ કરવામાં આવી છે. કર્મચારી સંગઠનોએ 2019 માં શ્રમ મંત્રાલયના અહેવાલમાં ઉલ્લેખિત મુજબ, પ્રતિ પરિવાર ત્રણ પોઇન્ટ છ વપરાશ એકમોના ફોર્મ્યુલાને અપનાવવાનું સૂચન કર્યું છે.

સરકારી સેવા દરમિયાન ઓછામાં ઓછા ત્રણ પ્રમોશન સુનિશ્ચિત કરવાની માંગ કર્મચારી સંગઠનોની પ્રાથમિકતાઓમાંની એક છે. આ ઉપરાંત, સુધારેલ ખાતરીપૂર્વકની કારકિર્દી પ્રગતિ યોજનાને પ્રમોશન આધારિત સિસ્ટમમાં રૂપાંતરિત કરવાની ભલામણ કરવામાં આવી છે. આ સિસ્ટમ કર્મચારીઓને નિર્ધારિત સમયગાળામાં પ્રમોશનની ખાતરી આપશે અને તેમની કારકિર્દી વૃદ્ધિને વેગ આપશે. પગાર મેટ્રિક્સના સ્તર એક, બે અને ત્રણને અનુક્રમે સ્તર ચાર, પાંચ અને છમાં મર્જ કરવાનો પણ પ્રસ્તાવ છે.

મોંઘવારી ભથ્થાના વર્તમાન ટકાવારીનો મૂળ પગાર અને પેન્શનમાં સમાવેશ કરવાની માંગ કરવામાં આવી છે. .આ ઉપરાંત, આઠમા પગાર પંચની ભલામણો લાગુ થાય તે પહેલાં કર્મચારીઓ અને પેન્શનરોને તાત્કાલિક નાણાકીય રાહત. આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ વ્યવસ્થાનો હેતુ આગામી પગાર પંચનો અહેવાલ આવે ત્યાં સુધી કર્મચારીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે, જેથી તેમની નાણાકીય મુશ્કેલીઓ ઓછી થઈ શકે.

સાતમા પગાર પંચની વિસંગતતાઓ દૂર કરવા સાથે, પેન્શન, ફેમિલી પેન્શન અને ગ્રેચ્યુઇટી જેવા નિવૃત્તિ લાભોમાં સુધારો કરવાનો પ્રસ્તાવ છે.સંસદીય સમિતિની ભલામણ મુજબ પંદર વર્ષની જગ્યાએ બાર વર્ષમાં રૂપાંતરિત પેન્શન પુનઃસ્થાપિત કરવાની અને દર પાંચ વર્ષે પેન્શન વધારવાની માંગ છે. તબીબી સુવિધાઓને સરળ, કેશલેસ અને બધા પેન્શનરો માટે સુલભ બનાવવાની તેમજ નિશ્ચિત તબીબી ભથ્થામાં વધારો કરવાની પણ ભલામણ છે.

બાળકોના શિક્ષણ ભથ્થા અને છાત્રાલય સબસિડીને અનુસ્નાતક સ્તર સુધી લંબાવવાની માંગ કરવામાં આવી છે. રેલ્વે અને સંરક્ષણ કર્મચારીઓ માટે તેમના જોખમી કાર્યકારી વાતાવરણને કારણે ખાસ જોખમ ભથ્થાની જોગવાઈ પ્રસ્તાવિત કરવામાં આવી છે. આ સુધારાઓથી સરકારી કર્મચારીઓના જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે.

આ લેખ સામાન્ય માહિતીના હેતુ માટે તૈયાર કરવામાં આવ્યો છે. આઠમા પગાર પંચની વાસ્તવિક ભલામણો અને તેનો અમલ સરકારી નિર્ણયો પર આધાર રાખે છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા સત્તાવાર સ્ત્રોતોમાંથી માહિતીની પુષ્ટિ કરવી જરૂરી છે.

ALSO READ

પથ્થર ખસેડવાનું ઇનામ”

વિદ્યાર્થીના નામ, અટક, પિતાનું નામ અને જન્મતારીખમાં સુધારો કરવાની સંપૂર્ણ માર્ગદર્શિકા (2025)

સુશાંશન ના નવા આયમ.’ હવે નામ અને અટક બદલવું ઘણું સેહલું અને ઝડપી બન્યું.

મુદ્દા પરથી વાર્તા:“પથ્થર ખસેડવાનું ઇનામ’

  • 💥વિદ્યાર્થીનું નામ
  • 💥અટક
  • 💥પિતાનું નામ
  • 💥માતાનું નામ દાખલ કરવું
  • 💥જન્મતારીખ (Date of Birth)
  • 💥જન્મસ્થળ
  • 💥જાતિ (Gender)
  • 💥પિતા અથવા માતા બદલાઈ ગયા હોય તો માહિતી અપડેટ
ધોરણ 10 અને 12 માટે31 ઓગસ્ટ 2025
ધોરણ 9 અને 11 માટે 30 સપ્ટેમ્બર 2025

જન્મ પ્રમાણપત્ર / LC

આધાર કાર્ડ

સાચા નામવાળો અન્ય પુરાવો

ગેઝેટ નકલ (જોડવું હોય તો)

રેશન કાર્ડ

વિદ્યાર્થીનો LC અને આધાર કાર્ડ

વાલીની LC, આધાર/પાન/ચૂંટણી કાર્ડ

રેશન કાર્ડ

ગેઝેટ નકલ (jodvu હોય તો)

વિદ્યાર્થી અને પિતાના આધાર/LC

પિતાનું સાચું નામ દર્શાવતો પુરાવો

પિતાનું અવસાન દાખલો (જો હોય તો)

ગેઝેટ / દસ્તાવેજો

LC

આધાર કાર્ડ

સાચી DOB ધરાવતો પુરાવો

ધો.1માં પ્રવેશ વખતે દાખલ કરેલ દાખલો

➕શાળાનો ભલામણ પત્ર (નિયત નમૂનાઓમાં)

➕ફોર્મ–A: વિદ્યાર્થીની વિગતો સાથેનું સુધારાવાળું ફોર્મ

➕પ્રમાણિત નકલ/મૂળ દસ્તાવેજોની જોડણી

➕વાલીએ કરેલ સોગંદનામું

👀દરખાસ્ત માત્ર શાળાના આચાર્ય દ્વારા સહી કરીને જ મોકલવી રહેશે. વ્યક્તિગત રીતે મોકલેલી અરજીઓ મંજૂર થશે નહીં.

ધોરણ 12 પાસ થયા પછી કે જયારે વિદ્યાર્થીએ શાળા છોડેલ હોય ત્યારે શાળા રેકોર્ડમાં કોઇ ફેરફાર મંજૂર નથી.

મંજુર વિના થયેલ કોઇપણ ફેરફાર અયોગ્ય ગણાશે અને તેની જવાબદારી શાળા વડાની રહેશે.

જરૂરી નમૂના ફોર્મ ડાઉનલોડ કરવા માટે .અહીં ક્લિક કરો
CHENAL GRUP

આ નમૂનો પાલનપુર, બનાસકાંઠા નો છે. પણ સમજવા ખુબજ ઉપયોગી છે.દરખાસ્ત અને તમામ પુરાવા સાથેની નકલ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, પાલનપુર ખાતે શાળાના જવાબદાર કર્મચારી દ્વારા જ મોકલવી રહેશે.

વાંચન  ગણન લેખન FLN ના તમામ પત્રકો અને ઉપયોગી સાહિત્યCLICK HERE
પ્રાથમિક શાળા માં બાળકો ની ગેરહાજરી બાબતે પગલાં લેવા બાબતે ઠરાવ RAJISTAR CLICK HERE
ત્રીજા બેગલેસ દિવસનો અહેવાલ (૧૯ જુલાઈ, ૨૦૨૫)CLICK HERE
શાળાના તમામ અહેવાલની PDF ફાઈલ: લોગો અને ફોટો સાથે અહીંથી ડાઉનલોડ કરો.CLICK HERE
રજા બાબતે કેન્દ્ર સરકાર નો નિર્ણય : શું આ સાચું છે ?CLICK HERE

મોંઘવારી ભથ્થામાં કેટલો થશે વધારો? 

DA HIKE

કેન્દ્ર સરકારના કર્મચારીઓ મોંઘવારી ભથ્થા (Dearness Allowance)ના છેલ્લા વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે જાણીએ કે આ વખતે કેન્દ્ર સરકાર કેટલા ટકા મોંઘવારી ભથ્થું વધારી શકે છે.DA Hike under 7th Pay Commission: 

કેન્દ્ર સરકારના કર્મચારીઓ મોંઘવારી ભથ્થા (Dearness Allowance)ના છેલ્લા વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 7મા પગારપંચ હેઠળ આ છેલ્લો DA રિવિઝન હશે, જે ડિસેમ્બર 2025માં સમાપ્ત થઈ જશે. જોકે, આ મોંઘવારી ભથ્થું જુલાઈથી લાગુ ગણાય છે, પરંતુ સામાન્ય રીતે તેની ચૂકવણી ઓક્ટોબરમાં કરવામાં આવે છે. આવી સ્થિતિમાં કર્મચારીઓને આ વખતે પગારમાં ખાસ રાહત મળવાની આશા છે, ખાસ કરીને તહેવારોની સિઝન પહેલાં.

READ MORE:::

આ વર્ષે  માર્ચ 2025માં 2% DA વધારવાની જાહેરાત કરી હ
 કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોનું DAમૂળ પગાર (બેઝિક પગાર)ના 55% સુધી પહોંચી ગયું છે.

માર્ચ 2025માં 2% DA વધારવાની જાહેરાત કરી હતી, આ વધારો જાન્યુઆરી 2025થી લાગુ કરાયો હતો. આ 2%ના વધારાથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોનું DA વધીને મૂળ પગાર (બેઝિક પગાર)ના 55% સુધી પહોંચી ગયું છે.

આ વખતે 3% વધારો થાય તેવી સંભાવનામોંઘવારી ભથ્થાની ગણતરી લેબર બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવતા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ ફોર ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સ (CPI-IW)ના આધારે કરવામાં આવે છે. જૂન 2024થી મે 2025 સુધી, છેલ્લા 12 મહિનાનું સરેરાશ AICPI-IW 143.3 આવ્યું છે. તેને 2001ના બેઝ યરના 261.42 સાથે જોડીને 7મા પગારપંચના ફોર્મ્યુલા દ્વારા DAનો સંભવિત વધારો નક્કી કરવામાં આવે છે.

મોંઘવારી ભથ્થાની ગણતરી લેબર બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવતા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ ફોર ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સ (CPI-IW)ના આધારે કરવામાં આવે છે. જૂન 2024થી મે 2025 સુધી, છેલ્લા 12 મહિનાનું સરેરાશ AICPI-IW 143.3 આવ્યું છે. તેને 2001ના બેઝ યરના 261.42 સાથે જોડીને 7મા પગારપંચના ફોર્મ્યુલા દ્વારા DAનો સંભવિત વધારો નક્કી કરવામાં આવે છે.

412.70 – 261.42 / 261.42 x 100 = 0.57857.8% અથવા લગભગ 58% 
મતલબ DA 55%થી વધીને 58%

આનો મતલબ છે કે DA 55%થી વધીને 58% સુધી જઈ શકે છે. આનો અર્થ એ થયો કે કેન્દ્ર સરકાર આ વખતે 3% DA વધારી શકે છે, કારણ કે હાલમાં DA 55% છે. આ હિસાબે જો કોઈ કર્મચારીનો બેઝિક પગાર ₹25,000 હોય, તો તેમનું DA ₹13,750થી વધીને લગભગ ₹14,500 થઈ જશે.

સરકારે હજુ સુધી 8મા પગારપંચની ટર્મ્સ ઓફ રેફરન્સ (TOR) જાહેર કરી નથી, અને ન તો તેના અધ્યક્ષ કે સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. નિષ્ણાતો માને છે કે આ પ્રક્રિયામાં ઓછામાં ઓછો દોઢથી બે વર્ષનો સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં 8મું પગારપંચ વર્ષ 2027ની શરૂઆતમાં લાગુ થઈ શકે છે, જેની ગણતરી જાન્યુઆરી 2026થી કરવામાં આવશે. તેની સીધી અસર એ થશે કે કર્મચારીઓને તે સમયગાળાનું એરિયર પેમેન્ટ પણ મળશે.

 આ છેલ્લો DA વધારો કેમ મનાય છે? જ્યારે 7મા પગારપંચની ભલામણો લાગુ કરવામાં આવી હતી, ત્યારે DAને શૂન્ય કરીને ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું

Dearness Allowance

3 કે 4 ટકા,  કર્મચારીઓના સમજી લો ગણિત

DAYS
HOURS
MINUTES
SECONDS
August 2025
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Gujarati Suvichar for School

શું તમે ગુજરાતીમાં સુવિચાર શાળા માટે શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

✔શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે.

✔શાળા એ ગ્રંથાલય અને રમતગમતનું મંદિર છે.

✔શિક્ષણ એ આત્માનું ખોરાક છે.

✔શિક્ષક એ વિદ્યાર્થીનો માર્ગદર્શક છે.

✔વિદ્યા એ શક્તિ છે.

✔જ્ઞાન એ સર્વશ્રેષ્ઠ સંપત્તિ છે.

✔શિક્ષણ એ સમાજનો આધાર છે.

✔શિક્ષણ એ વિકાસનું શસ્ત્ર છે.

✔શિક્ષણ એ શાંતિનું સાધન છે.

✔શિક્ષણ એ ઉત્સાહ અને પ્રેરણાનો સ્ત્રોત છે.

✔શાળા એ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાનું કેન્દ્ર છે.

✔શિક્ષણ એ સમાજનું આધુનિકીકરણ છે.

✔શિક્ષણ એ ગરીબીનો નાશ કરવાનું એક માધ્યમ છે.

✔શિક્ષણ એ સંસ્કૃતિ અને ધર્મનું જતન કરે છે.

✔શિક્ષણ એ સમાજનું સુધારણા કરે છે.

✔શિક્ષણ એ સમાજનું સંકલન કરે છે.

✔શિક્ષણ એ સમાજનું સંરક્ષણ કરે છે.

✔શિક્ષણ એ સંશોધન અને નવીનતાનું ઘર છે.

✔શિક્ષણ એ વ્યક્તિગત અને સામાજિક વિકાસનું મહત્વનું સાધન છે.

👉શિક્ષણ એ વિશ્વની સમસ્યાઓનું નિરાકરણ શોધવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે.

👉શિક્ષણ એ વિશ્વને એક સ્થળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે.

👉શિક્ષણ એ આપણા બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે

  • 💥આજનું કામ આજે જ કરો.
  • 💥સકારાત્મક વિચારોથી સફળતા નીકળે છે.
  • 💥જીવનમાં ક્યારેય હાર ન માનવી જોઈએ.
  • 💥શીખવાનું ક્યારેય બંધ ન કરવું જોઈએ.
  • 💥સમયનું મૂલ્ય જાણો.
  • 💥સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન રહે છે.
  • 💥પ્રેમ એ જીવનનું સૌથી મોટું આભાર્ય છે.
  • 💥સહકાર એ સફળતાનો પાયો છે.
  • 💥દાન એ ભગવાનનું ધર્મ છે.
  • 💥અહિંસા એ સૌથી મોટું બળ છે.
  • 💥સત્ય એ જીવનનો પાયો છે.
  • 💥ભગવાનમાં વિશ્વાસ રાખો.
  • 💥મનની શાંતિ એ જીવનનું સૌથી મોટું સુખ છે.
  • 💥સમસ્યાઓને પડકાર તરીકે જુઓ.

💛જીવનમાં સફળ થવા માટે મહેનત અને સખત પરિશ્રમ જરૂરી છે.

💛ખુશી એ જીવનનું સૌથી મોટું સંપત્તિ છે.

💛સમયનો સારો ઉપયોગ કરો.

💛જીવનને સરળતાથી લો.

💛ખુશી તમારી પાસે છે, તમે તેને શોધવા માટે બહાર જોઈ રહ્યા છો.

💛સમસ્યાઓને ભૂલી જાઓ, સમાધાનો શોધો.

💛જીવન એક અનુભવ છે, તેને માણો.

💛બીજાઓને જે રીતે ઈચ્છો છો તે રીતે તમારી સાથે વર્તવા દો.

💛પ્રેમ કરો અને પ્રેમ પામો.

💛સ્વીકારો અને છોડી દો.

💛આજે જ શરૂઆત કરો.

💛તમારી જાતને પ્રેમ કરો.

💛કૃતજ્ઞ રહો.

💛સંશોધન કરો અને જાણો.

💛પરિપૂર્ણ ન હોવાથી ડરશો નહીં.

💛તમારા સપનાને પૂર્ણ કરો.

💛જવાબદારી લો.

💛આત્મવિશ્વાસ રાખો.

💛સમય જાય છે, પરંતુ સમય મૂલ્યવાન છે.

💛જીવનમાં સફળ થવા માટે શીખો અને વિકસો.

💛જીવનમાં સુખી રહેવા માટે તમારી જાતને સંતુષ્ટ રાખો.

💛જીવનમાં સફળ થવા માટે ખુશ રહો.

  1. હમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતા પણ વધારે જલ્દી ઈશ્વરની નજીક પહોચાય છે.
  2. જેનામાં આત્મવિશ્વાસ ન હોય એનામાં બીજી વસ્તુઓ તરફ વિશ્વાસ કઈ રીતે ઉત્પન્ન થઇ શકે.
  3. જ્ઞાની માણસોનું કામ પોતાના દોષ શોધી કાઢવાનું છે.
  4. પરિણામની જે પરવા કરતો નથી એવા માણસ ને બધા કર્તવ્યો એકસરખા લાગે છે.
  5. બકરીની જેમ સો વર્ષ જીવવા કરતા એક પળ સિંહની જેમ જીવવું વધુ બહેતર છે.
  6. સાચી કેળવણી તો તે છે કે જે માનવી પોતાના પગ પર ઊભો રહેતા શીખવે.
  7. જે સ્વાર્થી માણસ પોતાની જ પરવા કરે છે અને આળસુ જીવન ગાળે છે, તેને નરકમાં પણ સ્થાન નથી.
  8. અનંત શ્રદ્ધા અને બળ, એજ માત્ર સફળતાનું રહસ્ય છે.
  9. દરેક બાળક એવો સંદેશ લઈને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ થયા નથી.
  10. શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.
  11. ઓછી આવડતવાળો શિક્ષક કદાચ નિભાવી શકાય, પણ શીલ અને સંસ્કાર વિનાનો શિક્ષક તો ન જ ચાલે.
  12. બંધ હોઠમાં કેદ ચમકતા સફેદ મોટી જેવા દાત સાથેના ચઢેલા ચહેરા કરતા પીળા દાંત બતાવતું મુગ્ધ હાસ્ય વધુ સારૂ.
  13. કોણ કેટલું જીવે છે એ મહત્વનું નથી, કોણ કેવું જીવે છે એ અગત્યનું છે.
  14. હજાર માઈલની લાંબી સફર પણ માત્ર પ્રથમ પગલાં  શરૂ થાય છે.
💜આજના સુર્યને આવતીકાલના વાદળો પાછળ સંતાડી દેવો એનું નામ ચિંતા.
💜ખુદને ખરાબ કહેવાની હિમત નથી રહી તેથી બધા કહે છે કે જમાનો ખરાબ છે.
💜મારો જન્મ મારા પિતાને આભારી છે, પરંતુ મારૂ જીવન તો મારા શિક્ષકને આભારી છે.
💜ભેગા મળીને જીવે તે ગામડાની સંસ્કૃતિ, પરંતુ ભેગું કરીને જીવે તે શહેરની સંસ્કૃતિ. 
💜શિક્ષણ એટલે જીવનની વિકટ પરિસ્થિતિઓનો મુકાબલો કરવાની શક્તિ.
💜તકની મોટી મુશ્કેલી એ છે કે એ આવે છે તેના કરતા જતી રહે ત્યારે મોટી લાગે છે
.💜મારૂ એ સાચું નહિ પણ સાચું એજ મારૂ – આ સિદ્ધાંત જીવનમાં અપનાવાથી સુખી થવાય છે
💜 દાન કેટલું આપ્યું તે મહત્વનું નથી, દાન ક્યાં માર્ગે વપરાયું તે મહત્વનું છે. 
💜કોણ સાચું છે તે વાત મહત્વની નથી, પણ શું સાચું છે તે વાત મહત્વની છે.
💜ક્ષમા આપવી એ ઉતમ છે, પણ ભૂલી જવું એ એના કરતાંય વધુ ઉત્તમ.
💜શિક્ષણ આજીવિકા ના સાધન તરીકે હોય તો કલા છે ,જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે.
💜તરસ્યા ને પાણી પાવું, ભુખ્યાને રોટલો આપવો, અંધને રસ્તો બતાવવો – એ ઉત્કૃષ્ટ કર્મદાન છે.
💜જે ઘરમાં પાચ થી દસ સારા પુસ્તકો ન હોય ત્યાં દિકરી આપતા વિચાર કરજો.
💜શિક્ષક અર્કવાળો, તર્કવાળો, મધુપર્કવાળો અને સતત સંપર્ક વાળો હોવો જોઈએ.
💜પ્રબળ આત્મવિશ્વાસ જ મહાનાકાર્યોનો જનક છે.
  • ✅અમીર હોવા છતાં જેની ધનલાલસા ઓછી નથી થઇ, તે સૌથી વધુ ગરીબ છે.
  • ✅તમે આળસને માત્ર “આજ” આપશો, તો તે તમારી “કાલ” પણ ચોરી જશે.
  • ✅જાત ને બદલશો તો આખું જગત બદલાઈ જશે.
  • ✅જોખમ તો દરેક કામમાં છે, પરંતુ કશું નહિ કરવામાં સૌથી મોટું જોખમ છે.
  • ✅સાચું બોલવાનો એક ફાયદો એ છે કે પછી આપને શું બોલેલા તે યાદ રાખવું પડતું નથી.
  • ✅હું સુખી છુ એનું કારણ એ છે કે મારે કોઈની પાસેથી કશું જોઈતું નથી. – આઇન્સ્ટાઇન
  • ✅જિંદગીનો સૌથી નકામો દિવસ એ છે કે જે દિવસે આપણે હાસ્ય ના હોઈએ.- ચાર્લી ચેપ્લીન
  • ✅જયારે દરેક વસ્તુ તમને સહેલાયથી મળવા લાગે ત્યારે સમજવું કે તમે એ રસ્તા પર એકલા ચાલી રહ્યા છો.
  • ✅ જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હમેશા ખુશ રહો, કારણકે તમારી ખુશી એ વ્યક્તિઓને ખતમ કરી નાખશે. 
  • ✅જીવનની મુશ્કેલ પળ એ છે કે જયારે તમને ખબર જ છે કે તમે ખોટા છો છતાં તમે દલીલ કરવાનું ચાલુ રાખો.
  • ✅જો આપને પ્રસન્ન હોઈએ તો આખી પ્રકૃતિ આપણી સાથે હસતી હોય તેવું લાગે છે.
  • ✅પુસ્તકનું મુલ્ય રત્ન કરતાય અધિક છે, રત્ન બહારની ચમક બતાવે છે. જયારે પુસ્તક અંતઃકરણને ઉજજવળ કરે છે. – ગાંધીજી
  • ✅ધન કરતા જ્ઞાન એટલા માટે ઉતમ છે કે ધનની રક્ષા તમારે જ કરવી પડે છે જયારે જ્ઞાન તો પોતે જ તમારી રક્ષા કરે છે.
  • ✅કોઈ એક ઉંચા આસન પર બેસવાથી કઈ ગૌરવ વધતું નથી, ગૌરવ ગુણોને કારણે આવે છે, કાગડો રાજમહેલના શિખર પર બેઠો હોય તો તે ગરૂડ કહેવાય નહિ.
💢જગતને જોવા માટે આંખ હોવી અનિવાર્ય છે, પણ શું જોવા જેવું છે ને શું નથી એના માટે દ્રષ્ટિ જોઈએ.
💢જિંદગીની કિતાબમાં ભૂતકાળમાં ખોટું લખાઇ ગયું હોય તો તેની ચિંતામાં પડવા કરતા કિતાબના કોરા પાના સારા લખાય તેની ચિંતા કરો. જાગ્યા ત્યાર થી સવાર.
💢સાહેબ કહે એ સાચું નહિ પણ સાચું કહે એ સાહેબ.
💢પુરુષાર્થ વિનાની સંપતિ, આત્મા વિનાનો આનંદ, માનવતા વિનાનું વિજ્ઞાન, સંસ્કાર વિનાનું જ્ઞાન, સિદ્ધાંત વિનાનું રાજકારણ, નૈતિકતા વિનાનો વેપાર અને ત્યાગ વિનાની પૂજા. આ સાત મહાપાપ છે. – ગાંધીજી
💢આજીવિકા માટે તમને ગમે તેવું કામ પસંદ કરો, પછી આખી જિંદગી ક્યારેય તમારે કામ કરવું પડશે નહિ.
💢મને આ વાત માં વિશ્વાસ છે – તમારા કામથી તમારી ઓળખ ઊભી થાય છે, ઓળખથી તમને સન્માન મળે છે, અને સન્માનથી તમને શક્તિ મળે છે.- નારાયણ મૂર્તિ
💢પ્રેમ વિનાનું કામ એ ગુલામી છે. – મધર ટેરેસા
💢ગુસ્સાની એક ક્ષણ સાંભળી શકશો, તો પસ્તાવાના સો વર્ષ થી બચી જશો.
💢ખેતરે પહોચો સૌથી પહેલા,ખાટલે પહોચો સૌથી છેલ્લા.
💢જે કઈક પૂછે છે એ પાંચેક મીનીટ માટે મૂરખ સાબિત થઇ શકે, જે કશું પૂછતો નથી એ આખી જિંદગી મૂરખ રહે છે.
💢તમારું કોઈ કામ કોઈ જાણે નહિ એવું ઇચ્છતા હો તો એ કામ કરો જ નહિ.
💢પોતાની જવાબદારીમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.
💢જે માણસ કોઈનુંય કશું સંભાળતો નથી એનું ઈશ્વર પણ કઈ સાંભાળતો નથી. 64. સાદાઈ,સંયમ અને સંતોષ હશે તો જ શાંતિની અનુભૂતિ થઇ શકશે.
💢સંતતિ અને સંપતિ એ કુદરતી દેન છે, તેને પ્રાપ્ત કરવા પાપ ન કરાય પણ પ્રયત્ન કરાય.
💢તમારી હાજરીથી જે લોકો કાપે છે, એ જ લોકો તમારી ગેરહાજરીમાં તમને કાપે છે.
💢બાળકોને કેળવવા એ એક કળા છે, એમાં જેટલો સમય આપશો એટલા મીઠા ફળ ભવિષ્યમાં મળશે.
💢દુનિયામાં માનપૂર્વક રહેવાનો સરળ માર્ગ એ છે કે, આપણે જેવા બહારથી દેખાવા ઇચ્છતા હોઈએ તેવાજ અંદર થી પણ રહીએ.
💢પગ લપસવાથી થયેલા ઘા રૂઝાય જશે, પણ જીભ લપસવાથી થયેલા ઘા રૂઝાતા બહુ વાર લાગે છે.
💢માણસ જો પોતાના મન થી શાંતિ પ્રાપ્ત ન કરી શકતો હોય, તો દુનિયાનું કોઈપણ સ્થળ તેને શાંતિ આપી શકશે નહિ.
💢સાચા-ખોટાને પારખી શકવાનો વિવેક જ સાચું શિક્ષણ.
💢હે પ્રભુ હું જે ઈચ્છું એ નહિ, પણ જે યોગ્ય હોય તેજ થાજો.
💢કામ આજે જ કરો આવતી કાલે તો એ કામ ને કાટ ચડી જશે.
💢વ્યવહારુ માણસ એ ગણાય જે દરેક સમસ્યામાંથી પોતાની તક શોધી લે.
💢આ દુનિયામાં આપણું કઈ જ નથી સિવાય કે સમય.
💢ગૂંચ પડી છે તો ઉકેલી નાખો,ગાંઠ પડી છે તો છોડી નાખો,ભૂલ થઇ હોય તો સુધારી લો.
💢કામ કરવાનો વિચાર આવતાજ જેને, થાક લાગવા માંડે છે એ માણસ ખરો આળસુ.
💢જેની પાસે ઓછું ધન છે તે ગરીબ નથી પણ જેની ઇચ્છાઓ અતૃપ્ત છે તેજ ખરેખરો ગરીબ છે.
💢દૂર રહીને પણ જે દિલ માં રહે એ આપણો ખરો સ્વજન.
💢ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.
💢માણસ પોતે જ પોતાનો ભાગ્યવિધાતા છે.
💢જે મળે તે ગમે એનું નામ સુખ.
  • 💖માણસ એટલે સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક.
  • 💖સપના સાચા પાડવા માટે ખરા સમયે જાગી જવું પણ બહુ જરૂરી છે.
  • 💖જે માતા-પિતા પોતાના બાળકોને લાડકા ઉછેરે છે, તેઓ તેનું ભવિષ્ય બગાડે છે.
  • 💖રાતે ઘસઘસાટ ઊંઘવા માટે નિષ્કલંક અંતરાત્મા જેવું મુલાયમ ઓશીકું એકેય નથી.
  • 💖શાણપણ એટલે વિવેક મર્યાદાને પાણી ચડાવેલું જ્ઞાન.
  • 💖શાણા માણસો પુસ્તક અને પોતાનું જીવન બન્ને વાંચે છે.
  • 💖જે તમારા દોષ દેખાડે તેને દાટેલું ધન દેખાડનારો સમજો.
  • 💖જે બીજાને જાણે તે શિક્ષિત પણ પોતાને ઓળખે તે બુદ્ધિમાન.
  • 💖સફળ થવું હોય તો બે જ રસ્તા છે, ગમતું કામ કરો યા કામને ગમતું કરો.
  • 💖આવડત હમેશા નમ્રતાના વસ્ત્રો માં જ શોભે.
  • 💖ખુવાર થવાની તૈયારી હોય તો જ ખુમારી રાખજો.
  • 💖ફૂલ વગર પણ મધ બનાવનારી મધમાખીનું નામ આશા છે.
  • 💖મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ મન છે.
  • 💖જેને ક્યારેય થાક ન લાગે એનું નામ સફળતા.
  • 💖આવેલ તક ને ઝડપી લો એમાં જ તમારું ભાગ્ય છે.
  • 💖તમે ક્ષણને બગાડો એ તમારું ભાગ્ય બગાડશે.
  • 💖જગતમાં ચીજ માત્રની કિમત આંકી શકાય છે, સમયની નહિ.
  • 💖પ્રસન્નતા સૌને પ્રિય છે ખિન્નતા નહિ,
  • 💖પ્રમાદી માણસ કાર્યશક્તિ ખોઈ બેસે છે.
  • 💖પડવું એ પતન નથી, પડ્યા રહેવું એ પતન છે.
  • 💖સિદ્ધિના આનંદ કરતા લક્ષ્યની સ્પષ્ટતા વધારે જરૂરી છે.
  • 💖પોતાનો જન્મજાત સ્વભાવ અને પૂર્વગ્રહ ભૂલીને શિક્ષણની સાધના કરવી એનું નામ ખરી સંસ્કૃતિ.
  • 💖મોઢા પર કડવી વાત સંભળાવી દે અને પીઠ પાછળ ખરા દિલથી વખાણ કરે તેનું નામ સાચો મિત્ર.
  • 💖વેરમાં હમેશા વાંધો હોય છે, જયારે સ્નેહમાં કે પ્રેમમાં હમેશા સાંધો હોય છે.

👉હે પ્રભુ આખા જગતને સુધારજે અને સુધારવાની શરૂઆત પ્લીઝ મારાથી કરજે.

👉આજના સુરજને આવતીકાલના વાદળા પાછળ સંતાડી દે એનું નામ ચિંતા.

👉સફળતાના દ્વાર ખોલવા હોય ત્યારે મુસીબતના દરવાજે ટકોરા તો મારવા જ પડે.

👉વિજયી માણસ જે માટીમાંથી બન્યો છે એનું નામ સાહસ છે.

👉જિંદગી ખુલ્લી કિતાબ છે એનો અર્થ એ નહિ કે મનફાવે ત્યારે પાના ફાડી નાખવા.

👉બાળક પાસે જે એક સચોટ બ્રહ્માસ્ત્ર છે, એનું નામ છે હાસ્ય.

👉કામથી મો ફેરવી લેવું, ગમો – અણગમો જાહેર કરવો એ કાયરતાની નિશાની છે.

👉પુસ્તક એટલે સમયના સાગરમાં ઊભી કરવામાં આવેલી દીવાદાંડી.

👉જેની પાસે માં ના સ્તર સુધી જઈને સમજાવવાની શક્તિ છે એ માસ્તર.

  • (1) મારી પ્રજાનું કલ્યાણ થાઓ. – કૃષ્ણકુમારસિંહજી
  • (2) વિશાળ જગવિસ્તારે નથી એક જ માનવી; પશુ છે, પંખી છે, પુષ્પો; વનોની છે વનસ્પતિ.​ઉમાશંકર જોશી
  • (3) “મારો મત એ મારું ભવિષ્ય.. 
  • (4) દરેક જાતિ કે રાષ્ટ્ર ખાલી તલવારથી બહાદુર નથી બનતું, સંરક્ષણ માટે તલવાર જરૂરી છે, પરંતુ રાષ્ટ્રની પ્રગતિ તેની નૈતિકતાથી જ માપી શકાય છે.સરદાર વલ્લભભાઈ પટેલ
  • (5) ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ
  • સરખો એ પ્રેમનો પ્રવાહ જો
  • જનનીની જોડ સખી નહીં જડે રે લોલ… બોટાદકર
  • (6) વિજ્ઞાન, પ્રયોગશાળામાંથી આવતું હોય છે.  
  • (7) ॐ ईशावास्यमिदं सर्वं यत्किंच जगत्यां जगत् । तेन त्यक्तेन भुंजीथा. 
  • (8) गुरु सा मतिमान, है तू पवन सा गतिमान,
  • तेरी नभ से भी ऊँची उड़ान है, रे. मनुष्य तू बड़ा महान है, भूल मत, हाँ ….
  • (9) Love all, trust a few, do wrong to none.
  • (10)  “Don’t be afraid to struggle to achieve your goal, because struggle is the key to success.”
  • (11) इंसान को दिया गया सबसे बड़ा संगीत यंत्र आवाज है। दयानंद सरस्वती
  • (12) गुरु गृह गये पढ़न रघुराई, अल्पकाल विद्या सब पाई- तुलसी दास
  • (13) ભણાવવું એટલે શું?
  • ભણાવવું એટલે જ્ઞાન આપવું
  • અને સાથે મરદાનગી આપવી.
  • આજે શિક્ષણનું મુખ્ય કામ
  • અન્યાય સામે લડતાં શીખવવાનું છે.
  • મનુભાઇ પંચોળી – દર્શક

બાળઉછેર અને વિકાસની બુનિયાદી બાળાગોળી

૧- બાળકો પ્રારબ્ધનો ભોગ બન્યા હોય તે શક્ય છે પરંતુ તેઓ આપણી ઉપેક્ષાનો ભોગ તો ન જ બનવા જોઈએ.

૨- બાળકોના taste( ‌રૂચિ) ને પણ ધ્યાનમાં રાખીએ, નહીં કે માત્ર test (કસોટી).

૩- શિક્ષણનું કામ બાળકરૂપી પુષ્પને ખીલવવાનું અને સાંગોપવાનુ છે.

                                – ગુણવંત શાહ

૪- બાળકોને માર્ક પાછળ નહીં, માનવતા પાછળ દોડવો. 

                                 – મનોજ શુક્લ

૫- બાળકના હિતની વાત હોય તો એના પર લાદવા કરતાં એના ગળે ઉતારવાનો પ્રયત્ન કરો.

૬- બાળકો સાથેના વર્તનમાં માતા-પિતાએ લાગણી રાખવી, વળગણ નહીં.

૭- બાળકએ કંઈ વાસણ નથી કે એને ભરી કાઢીએ, એક જ્યોતિ છે જેને પ્રગટાવવાની છે.

                                 -આઈન્સ્ટાઈન

૮- બાળકોમાં ગુણ કરતાં ગુણો વધુ વિકસાવીએ.

૯- આજે સમાજને બીવડાવે એવી   નહીં, પરંતુ બી-વાવે એવી કેળવણીની જરૂર છે.

                                 – સાંઈરામ દવે