રાજ્યની શાળાઓમાં ખાલી જગ્યાઓ પર નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ, ટેટ-ટાટ ઉમેદવારોના રોષ બાદ સરકારનો નિર્ણય
Gujarat Teachers Recruitment: ગુજરાત સરકારે વિદ્યાસહાયકોની ભરતીને લઈને તાત્કાલિક ધોરણે પોતાના મનસ્વી નિર્ણયને બદલવાની ફરજ પડી છે. સરકારે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય હવે રદ કર્યો છે. આ અંગે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને માહિતી આપી છે.
શું હતો પરિપત્ર ?
રાજ્યના શિક્ષણ વિભાગે શૈક્ષણિક કાર્ય ખોરવાય નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નિવૃત્ત શિક્ષકોને માનદવેતનથી ભરતી કરવાનો નિર્ણય કર્યો હતો. આ માટે પરિપત્રમાં નિયમો પણ બનાવવામાં આવ્યા હતા.
શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાસહાયકોની ખાલી જગ્યા પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં નવા શિક્ષકોની બદલે ધોરણ 1થી 12માં ખાલી જગ્યાઓમાં નિવૃત્ત શિક્ષકોની 11 માસના કરાર હેઠળ ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
નિર્ણયનો વિરોધ : તમામ સંઘ નો વિરોધ
આજે તારીખ 28/7/2025 પરત ખેંચ્યો નિર્ણય
આ નિર્ણયનો વિરોધ થયા બાદ સરકારને આ તઘલઘી નિયમ પાછો લેવો પડ્યો છે. એકબાજું જ્યાં હજારો-લાખોની સંખ્યામાં ઉમેદવારોનું શિક્ષક બનવાનું સપનું ભરતી ન પડતી હોવાના કારણે રોળાય છે. ત્યાં બીજી બાજું ખાલી જગ્યા પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાના આ મનસ્વી નિર્ણયનો ઉમેદવારો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ અને ટીકાઓના વંટોળના કારણે સરકાર ભોંઠી પડી અને બે દિવસમાં જ આ નિર્ણય પરત ખેંચવામાં આવ્યો છે.
UIDAI હવે એક એવી ટેકનોલોજી વિકસાવી રહ્યું છે જેના દ્વારા બાળકોનું બાયોમેટ્રિક અપડેટ શાળાના પરિસરમાં માતા-પિતાની સંમતિથી કરવામાં આવશે. જો આ અપડેટ નિર્ધારિત સમયની અંદર કરવામાં ન આવે તો આધાર નંબર પણ નિષ્ક્રિય થઈ શકે છે.
👫આ કામ આગામી 45 થી 60 દિવસમાં તબક્કાવાર શરૂ થશે.
દેશના 7 કરોડથી વધુ બાળકોએ પાંચ વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી હજુ સુધી આધારમાં જરૂરી બાયોમેટ્રિક અપડેટ કરાવ્યું નથી. આવા બાળકો માટે, આધાર જારી કરતી સંસ્થા, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) હવે દેશભરની શાળાઓ દ્વારા બાળકોના બાયોમેટ્રિક્સ અપડેટ કરવાની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે. PTI ના સમાચાર અનુસાર, આ કાર્ય આગામી 45 થી 60 દિવસમાં તબક્કાવાર શરૂ થશે. આ માહિતી UIDAI ના CEO ભુવનેશ કુમારે ગયા રવિવારે આપી હતી.
શાળાઓ આધાર અપડેટ માટે કેન્દ્રો બનશે
UIDAI હવે એક એવી ટેકનોલોજી વિકસાવી રહ્યું છે જેના દ્વારા બાળકોનું બાયોમેટ્રિક અપડેટ શાળાના પરિસરમાં માતા-પિતાની સંમતિથી કરવામાં આવશે. ઓથોરિટી હાલમાં આ ટેકનોલોજીનું પરીક્ષણ કરી રહી છે અને તે આગામી બે મહિનામાં તૈયાર થઈ શકે છે. નિયમો અનુસાર, 5 થી 7 વર્ષની વય વચ્ચે બાયોમેટ્રિક અપડેટ મફત છે, પરંતુ 7 વર્ષ પછી તેના માટે ₹ 100 ની ફી ચૂકવવી પડશે. જો આ અપડેટ નિર્ધારિત સમયની અંદર કરવામાં ન આવે, તો આધાર નંબર પણ નિષ્ક્રિય થઈ શકે છે.
શાળા પ્રવેશ અને અન્ય લાભો માટે જરૂરી
બાયોમેટ્રિક અપડેટ પછી, આધાર કાર્ડનો ઉપયોગ શાળા પ્રવેશ, શિષ્યવૃત્તિ, સરકારી યોજનાઓ અને પરીક્ષા નોંધણી જેવી સેવાઓ માટે સરળતાથી થઈ શકે છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા 15 વર્ષની ઉંમરે બીજા ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ એટલે કે MBU માટે શાળાઓ અને કોલેજો દ્વારા આ સુવિધા પૂરી પાડવાનું પણ આયોજન કરી રહી છે.
આ પ્રોજેક્ટ હેઠળ, ઓથોરિટી દરેક જિલ્લામાં બાયોમેટ્રિક મશીનો મોકલશે, જે રોટેશનલ ધોરણે વિવિધ શાળાઓમાં મોકલવામાં આવશે, જેથી વધુને વધુ બાળકો આ સુવિધાનો લાભ લઈ શકે. ઓથોરિટીનો ઉદ્દેશ્ય એ છે કે બધા બાળકોને સરકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ સમયસર મળે અને તેમની ઓળખ સંબંધિત પ્રક્રિયા સરળ અને સુલભ હોય.
મહિલા શિક્ષિકાઓને શક્ય બને ત્યાં સુધી વસતી ગણતરી કામગીરીમાંથી મુક્તિ આપવા બાબત રજૂઆત.
વસ્તી ગણતરી ૧ જુનથી શરૂ કરવા બાબત રજુઆત
Census :Education news teacher વસ્તી ગણતરીની પ્રક્રિયાની તારીખની જાહેરાત થઈ ચુકી છે. આ વખતે વસ્તી ગણતરી બે તબક્કામાં કરવામાં આવશે. રજિસ્ટ્રાર જનરલ ઑફ ઈન્ડિયાએ કહ્યું કે, આવતા વર્ષે પહેલી એપ્રિલથી તેનો પહેલો તબક્કો શરૂ થઈ જશે. આ તબક્કામાં લોકોને તેમના ઘરમાં હાજર વાહન, ઇલેક્ટ્રોનિક સામાન અને અન્ય સુખ સુવિધાઓની વસ્તુઓની લિસ્ટ તૈયાર કરવામાં આવશે. જેના માટે સેન્સર કમિશ્નર અને રજિસ્ટ્રાર જનરલ ઑફ ઈન્ડિયાએ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. જોકે, આ વખતે મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ડિજિટલ માધ્યમથી વસ્તી ગણતરી કરવામાં આવશે.
બે તબક્કામાં થશે વસ્તી ગણતરી
વસ્તી ગણતરીની પહેલા તબક્કાની પ્રક્રિયામાં લોકોની રહેવાની સ્થિતિ, મિલકત અને સુખ-સુવિધાના સામાનની જાણકારી લેવામાં આવશે. વળી વસ્તી ગણતરીના બીજા તબક્કામાં ઘરમાં રહેતા પ્રત્યેક વ્યક્તિની ગણતરી, સામાજિક આર્થિક અને અન્ય જાણકારી એકઠી કરવામાં આવશે. જેને પોપ્યુલેશન એન્યૂમરેશન (PE) કહેવામાં આવશે.
34 લાખથી વધુ લોકો જોડાશે આ પ્રક્રિયામાં
રાજ્યોના મુખ્ય સચિવોને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, નક્કી કરેલી તારીખ પહેલાં સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણતરી અધિકારીઓ અને કાર્યકર્તાઓના કામની વહેંચવામાં આવશે. આ કામ જિલ્લા સ્તરે કરવામાં આવશે. સરકારે કહ્યું કે, આ વખતે વસ્તી ગણતરીમાં જાતિની જાણકારી પણ નોંધવામાં આવશે, વસ્તી ગણતરીના કાર્ય માટે 34 લાખ સરવે કરનારા અને સુપરવાઇઝર લગાવવામાં આવશે. આ લોકો ફીલ્ડ પર જઈને કામ કરશે. આ સિવાય 30 હજાર વસ્તી ગણતરી પદાધિકારી ગોઠવવામાં આવશે. આ અધિકારી વસ્તી ગણતરી દરમિયાન મળેલી જાણકારીના ડેટા તૈયાર કરશે. ત્યારબાદ આ જાણકારીને ડિજિટલાઇઝ કરવામાં આવશે.
શું પૂછવામાં આવશે?
ઑફિસ ઑફ રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશ્નરે આશરે ત્ણ ડઝન સવાલ તૈયાર કર્યા છે, જે વસ્તી ગણતરી દરમિયાન લોકોને પૂછવામાં આવશે. આ સરવેમાં દરેક વ્યક્તિના ફોન, ઈન્ટરનેટ, વાન, રેડિયો, ટીવી, ફ્રિજ સાથે જોડાયેલી જાણકારી માંગવામાં આવશે. આ સિવાય લોકોને એવું પણ પૂછવામાં આવશે કે તે કયું અનાજ ખાય છે અને પીવાના પાણીનો સ્ત્રોત શું છે? લોકોએ શૌચાલય, પાણીનો નિકાસ, ન્હાવા અને રસોઈ સાથે જોડાયેલી જાણકારી પણ પૂછવામાં આવશે. લોકોને એલપીજી અથવા પીએનજી કનેક્શનની જાણકારી પણ આપવાની રહેશે.
લોકોને પૂછવામાં આવશે કે, તેમણે છત, દીવાલ અને જમીન પર કઈ સામગ્રીનો ઉપયોગ કર્યો છે. ઘરમાં કેટલા લોકો રહે છે? ઘરમાં કેટલા ઓરડા છે? ઘરમાં કેટલાં પરીણિત દંપતી છે? ઘરનો મુખિયા મહિલા છે કે પુરૂષ?
પહેલી માર્ચ 2027 સુધી વસ્તી ગણતરીનો અંતિમ તબક્કો પૂરો થશે. સૂચના મળ્યા બાદ જ એજન્સીઓએ આ અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. જોકે, કોવિડના કારણે 2011 બાદ વસ્તી ગણતરી થઈ શકી નહતી.
Four Indian schools shortlisted for World’s Best School Awards 2025World’s Best School: વિશ્વની શ્રેષ્ઠ શાળા પુરસ્કાર 2025ની ફાઇનલ યાદીમાં ભારતની ચાર શાળાઓનો સમાવેશ
ભારતની ચાર શાળાઓએ વિશ્વની શ્રેષ્ઠ શાળા પુરસ્કાર 2025 માં વિવિધ શ્રેણીઓમાં ટોચના 10 ફાઇનલિસ્ટની યાદીમાં સ્થાન મેળવ્યું છે. પુરસ્કારોના વિજેતાઓની જાહેરાત ઓક્ટોબરમાં કરવામાં આવશે.
શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપતી શાળાઓને સન્માનિત કરવા માટે આયોજિત વિશ્વની શ્રેષ્ઠ શાળા પુરસ્કાર 2025 માં ભારતની ચાર શાળાઓએ વિવિધ શ્રેણીઓમાં ટોચના 10 ફાઇનલિસ્ટની યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ એવોર્ડ કાર્યક્રમ યુકેમાં આયોજિત કરવામાં આવે છે અને તેનો હેતુ શાળાઓના સામાજિક યોગદાનને ઓળખવાનો છે.
હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઉત્તર પ્રદેશની આ શાળાઓ બેસ્ટ સ્કુલ ટુ વર્ક કાર્યક્રમના સભ્યપદ માટે પણ દાવેદાર છે, જે શિક્ષકોને આકર્ષવામાં અને જાળવી રાખવામાં મદદ કરે છે. આ પુરસ્કારોના વિજેતાઓની જાહેરાત ઓક્ટોબરમાં કરવામાં આવશે.
પુરસ્કાર શ્રેણીઓ અને ઉદ્દેશ્યો
વિશ્વનો શ્રેષ્ઠ શાળા પુરસ્કાર પાંચ શ્રેણીઓમાં છે – World’s Best School Awards 2025
સમુદાય સહયોગ
પર્યાવરણીય કાર્યવાહી
નવીનતા
પ્રતિકૂળતા દૂર કરવી
સ્વસ્થ જીવનને ટેકો આપવો
T4 શિક્ષણ
યુકે સ્થિત T4 શિક્ષણ દ્વારા COVID-19 રોગચાળાને પગલે આ પહેલ શરૂ કરવામાં આવી હતી જેથી શાળાઓને તેમના વર્ગખંડોની બહાર જીવન પરિવર્તન લાવી રહેલી શાળાઓ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડી શકાય. આ પ્લેટફોર્મ 100 થી વધુ દેશોના 2 લાખથી વધુ શિક્ષકોને જોડે છે.
T4 શિક્ષણના સ્થાપક વિકાસ પોટાએ જણાવ્યું હતું કે, “આજના વિશ્વમાં, જ્યાં કૃત્રિમ બુદ્ધિ જેવા તકનીકી ફેરફારો શિક્ષણ અને રોજગારની દિશા બદલી રહ્યા છે, ત્યાં સારું અને માનવીય શિક્ષણ પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ બની ગયું છે.”
4 ભારતીય શાળાઓ ફાઇનલ
સરકારી કન્યા વરિષ્ઠ માધ્યમિક શાળા, NIT-5, ફરીદાબાદ, હરિયાણા
જિ.પં. શાળા, જાલિન્દર નગર, પુણે, મહારાષ્ટ્ર
એક્ય શાળા, જેપી નગર, બેંગલુરુ, કર્ણાટક
દિલ્હી પબ્લિક સ્કૂલ, વારાણસી, ઉત્તર પ્રદેશ
સરકારી કન્યા વરિષ્ઠ માધ્યમિક શાળા, NIT-5, ફરીદાબાદ, હરિયાણા
તે એક રાજ્ય સંચાલિત માધ્યમિક શાળા છે. તેણે શિક્ષણ, પોષણ, માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સુખાકારીને એકીકૃત કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલી છોકરીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું છે. શાળાને ‘સ્વસ્થ જીવનને ટેકો આપતી’ શ્રેણીમાં ટોચના 10 માં સ્થાન આપવામાં આવ્યું છે.
જિ.પં. શાળા, જાલિન્દર નગર, પુણે, મહારાષ્ટ્ર
આ એક સરકારી પ્રાથમિક શાળા છે જે ‘વિષય મિત્ર’ નામની સિસ્ટમ દ્વારા વિદ્યાર્થીઓને વય-યોગ્ય શિક્ષણની તકો પૂરી પાડીને સરકારી શાળા શિક્ષણમાં ક્રાંતિ લાવે છે. આ શાળા ‘સમુદાય સહયોગ’ શ્રેણીમાં ફાઇનલિસ્ટ છે.
એક્ય શાળા, જેપી નગર, બેંગલુરુ, કર્ણાટક
આ એક ખાનગી કિન્ડરગાર્ટનથી માધ્યમિક સ્તરની શાળા છે જે વિદ્યાર્થીઓમાં ડિઝાઇન વિચારસરણી દ્વારા નવીનતા અને સમસ્યાનું નિરાકરણ કૌશલ્ય વિકસાવે છે. તે ‘ઇનોવેશન’ શ્રેણી માટે ટોચના 10 ફાઇનલિસ્ટમાં સામેલ છે.
દિલ્હી પબ્લિક સ્કૂલ, વારાણસી, ઉત્તર પ્રદેશ
આ ખાનગી શાળા તેના શિક્ષણ મોડેલ દ્વારા શિક્ષણમાં પર્યાવરણીય જાગૃતિ અને સામાજિક જવાબદારી કેળવી રહી છે. તે બાળકોને આત્મનિર્ભર અને સંવેદનશીલ નાગરિક બનવા માટે પ્રેરણા આપે છે. આ શાળા ‘પર્યાવરણીય કાર્યવાહી’ શ્રેણીમાં ફાઇનલિસ્ટ છે
પુરસ્કાર પ્રક્રિયા અને આગામી કાર્યક્રમો
ફાઇનલિસ્ટ શાળાઓને અભિનંદન આપતા, T4 એજ્યુકેશનના વિકાસ પોટાએ જણાવ્યું હતું કે, “આવી શાળાઓમાં, આપણે નવીનતા અને સંભાવના જોઈએ છીએ જે ભવિષ્યને વધુ સારું બનાવવાની આશા આપે છે. વિશ્વના અન્ય દેશોની શાળાઓ અને નેતાઓ આ ભારતીય સંસ્થાઓ પાસેથી ઘણું શીખી શકે છે.”
આ પાંચ શ્રેણીઓમાં કુલ 50 ફાઇનલિસ્ટ શાળાઓમાંથી, એક વિજેતાની પસંદગી નિષ્ણાતોની નિર્ણાયક એકેડેમી દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત, બધી ફાઇનલિસ્ટ શાળાઓ જાહેર મતદાનમાં પણ ભાગ લેશે જે કોમ્યુનિટી ચોઇસ એવોર્ડના વિજેતાનો નિર્ણય લેશે.
ઓક્ટોબરમાં વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે
ઓક્ટોબરમાં વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે. આ પછી, બધી ફાઇનલિસ્ટ અને વિજેતા શાળાઓને 15-16 નવેમ્બરના રોજ અબુ ધાબીમાં યોજાનારી વર્લ્ડ સ્કૂલ્સ સમિટમાં આમંત્રિત કરવામાં આવશે. અહીં તેઓ નીતિ નિર્માતાઓ અને વૈશ્વિક શિક્ષણ ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ સાથે તેમના અનુભવો, સફળ મોડેલો અને વ્યૂહરચનાઓ શેર કરશે.
DOWNLOAD GUNOTSAV- Teacher GRED CERTYFICATE AT Gunotsav School Report card available now at reportcard.gsqac-gunotsav.org : Are you searching for these thing …? Gunotsav Result 2018, Gunotsav-8 School Certificate, Gunotsav teacher Certificate, Gunotsav School Results. Primary education is the foundation on which the development of every citizen and the nation as a whole built on. In recent past, India’s improved education system is often cited as one of the main contributors to the economic development of India. At the same time, the quality of elementary education in India has also been a major concern. Student of primary school at least have basic knowledge of reading, writing and simple mathematics equations which may be helpful in performing their daily activities. Gunotsav crc Report Card Download
DiskDigger can undelete and recover lost photos and images from your memory card or internal memory. No rooting necessary. Whether you accidentally deleted a photo or even reformatted your memory card, DiskDigger’s powerful data recovery or Photo Recovery features can find your lost pictures and let you restore them.
worldwide and show accurate results within 30 seconds.
Report Card 💳 નો અસરકારક ઉપયોગ થવા
Every year Education Department of Gujarat Organized GUNOTSAV in All Primary school of Gujarat. This Programme is also Organized generally in March month of every year.
After all these Government of Gujarat and Education Department Assesment these all Answer key and give GUNOTSAV SCHOOL GRED according to criteria.
Gunotsav School Grade Certificate All Year : Gunotsav School Grade Certificate All Year Provide Here. You Can Search Two Type Results. First you Select District and Select Taluka Name And Click on your School Name. The onother second Trick is You Can Enter School Dise Code and Search Result.
જ્ઞાન પ્રભાવ – પ્રથમ સત્રાંત કસોટી 2025-26 રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ
શૈક્ષણિક વર્ષ 2025-26 ના પ્રથમ સત્રાંત કસોટીના રિપોર્ટ કાર્ડ પર ઉપલબ્ધ કરેલ છે જેમાં ડેટા આધારે શૈક્ષણિક ગુણવત્તાની ઊર્ધ્વગતિ માટે એક નિશ્ચિત દિશાનિર્દેશ છે.! 📊
આ ફક્ત એક રિપોર્ટ કાર્ડ નથી – તે આપની મહેનત, અભ્યાસ સાથે અને આરોગ્ય વિષયક બાબતોનો અરીસો છે. વિદ્યાર્થીઓના વિવિધ વિષયોનું પરિણામો તેમજ હાજરી, સાથે આરોગ્ય તપાસના આધારે સ્વાસ્થ્ય વિષયક સ્થિતિ આપેલ છે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.