
આપણે અહીંયા ગુજરાત સરકાર ની શિક્ષણ વિભાગની બે મહત્વ પૂર્ણ યોજના ઓ નો અભ્યાસ કરીશું આ યોજનાઓ ગુજરાત ના વિદ્યાર્થીઓ અને ખાસ કરીને ગામડાના તેજસ્વી વિદ્યાર્થીઓ ને ખુબજ ઉપયોગી છે .
આ બને યોજનાઓ સ્કોલરશીપ અને રેસીડેન્સીયલ શાળા યોજના છે .આ યોજનાઓ શિક્ષણ વિભાગ ની મહત્વની યોજનાઓ છે . અહીંયા તેનો સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી અભ્યાસ રજૂ કરેલ છે .જે ટેટ.ટાટ HTAT ,અને શિક્ષણ ની તમામ પરીક્ષામાં ઉપયોગી છે . તો ચાલો આપણે જોઈએ જ્ઞાનસેતુ અને જ્ઞાનસાધના સ્કોલરશીપ યોજના વિષે
જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ ઠરાવ
📥જ્ઞાન સેતુ ઠરાવ📥
📥જ્ઞાન સાધનાઠરાવ📥
જ્ઞાનસેતુ રેસીડેન્સીયલ અને સ્કોલરશીપ યોજના
અમલીકરણ એજન્સી | ગુજરાત કાઉન્સિલ ફોર સ્કૂલ એજ્યુકેશન (GCSE-SS) |
જ્ઞાન સેતુ સ્કૂલ સંચાલન માટે કમિટી 👉 | 💥સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સમગ્ર શિક્ષા તેના સભ્ય સચિવ રહેશે .💥અધ્યક્ષ -GSHSEB,કમિશ્નર શાળાઓની કચેરી ,નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ ,નિયામક શ્રી GCEART ,નાણાં વિભાગ ના પ્રતિનિધિ આ કાઉન્સિલ ના સભ્ય રહેશે 💥આ ઉપરાંત ત્રણ સ્વતંત્ર સભ્ય શિક્ષણવિદ ,અનુભવી શાળા સંચાલક |
💥શાળા માં કેટલા વિદ્યાર્થી ની ક્ષમતા હશે | 💥500💥સમગ્ર રાજ્ય માં 400 જેટલી શાળાઓ સામાજિક ભાગીદારી થી ચાલુ કરવામાં આવશે |
💥રાજ્ય સ્તરે કઈ પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યુ . | 💥કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET (પ્રવેશ પરીક્ષા ,ધો 5અને 6) |
IMP —જ્ઞાન સેતુ વેબસાઈટ કઈ છે ?
નોંધ : જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના શિષ્યવૃતિ ની વેબસાઈટ એકજ છે
શિક્ષણ વિભાગ દ્રારા પ્રોજેક્ટ પાર્ટનર ને બાળક દીઠ ચુકવવાની રકમ
ક્રમ | વિગત | રકમ |
1 | શિક્ષકો અને બિન શેક્ષણિક કર્મચારી ના પગાર ,પ્રોત્સાહનો | 14,000 |
2 | હાઉસકીપિંગ ,સમારકામ જાળવણી -ફર્નિચર ,વીજળી .પ્લમ્બિંગ અને અન્ય ખર્ચ | 2500 |
3 | સ્ટેશનરી ,પાઠ્યપુસ્તકો ,યુનિફોર્મ અને ટેકનોલોજી સક્ષમ શિક્ષણ સામગ્રી | 2500 |
4 | પર્ફોમીંગ આર્ટસ ,કૌશલ્ય વિકાસ ,કારકિર્દી માર્ગદર્શન ,સ્પર્ધાત્મક પરીક્ષા ,કોચિંગ વિગેરે જેવી સહાભ્યાસિક | 1000 |
પ્રતિ વિધાર્થી વાર્ષિક ઉચ્ચક | 20,000 |
જ્ઞાન સેતુ યોજના મુખ્ય ઉદ્દેશ્યો

- 👉રાજ્યની સરકારી અને અનુદાનિત શાળા ઓ માં અભ્યાસ કરતાં 2,00,000 તેજસ્વી વિધાર્થીઓની ઓળખ કરવી અને તેમને ધોરણ 6 થી 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત ડે સ્કૂલિંગ પ્રદાન કરવું.
- 👉સમગ્ર રાજ્યમાં 400 જેટલી શાળાઓ સામાજિક ભાગીદારી દ્વારા સ્થાપિત કરવામાં આવશે, જેમાં ગુજરાતના દરેક તાલુકા/મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ઓછામાં ઓછી એક શાન સેતુ ડે સ્કૂલ હશે. દરેક શાળામાં લગભગ 500 વિધાર્થીઓની ક્ષમતા હશે.
- 👉વિધાર્થી સર્વાંગી વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું પૂરું પાડવું.
- 👉ખાનગી શાળાઓની જેમ આધુનિક ભૌતિક સુવિધાઓ સરકારી શાળાના બાળકોને પૂરી પાડી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું.
- 👉ખાનગી શાળાઓ સમકક્ષ શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ, ઉચ્ચ અધ્યયન સામગ્રી, દ્વિભાષીય શૈક્ષણિક માધ્યમ વગેરે બાબતો આ શાળાઓમાં આપવામાં આવશે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના FAQ
પ્રશ્ન 1. જ્ઞાન સાધના યોજનાનું અમલીકરણ કયા વર્ષ થી કરવામાં આવશે ?
- જવાબ = શૈક્ષશિક વર્ષ 2023 – 24 થી જ્ઞાન સાધના યોજનાનું અમલીકર કરવામાં આવશે અને યોજના હેઠળ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને વાર્ષિક શિષ્યવૃતિ ચૂકવવામાં આવશે.આ શિષ્યવૃત્તિ મેળવવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા પસાર કરવાની રહેશે.
પ્રશ્ન 2 . ધોરણ 9–10 ના બાળકો ને કેટલી શિષ્યવૃતિ ચુકવવામાં આવશે ?
- જવાબ = આ યોજના હેઠળ ધોરણ 9-10 ના બાળકોને વાર્ષિક ર્ 20 000 શિષ્યવૃતિ ચુકવવામાં આવશે.
પ્રશ્ન 3. ધોરણ 11 – 12 ના બાળકોને કેટલી શિષ્યવૃતિ ચુકવવામાં આવશે ?
- જવાબ = આ યોજના હેઠળ ધોરણ 11-12 ના બાળકોને વાર્ષિક ર્ 25 000 શિષ્યવૃતિ ચુકવવામાં આવશે.
પ્રશ્ન 4 . આ શિષ્યવૃતિ માટે કેટલી હાજરી જોઈશે અને પરીક્ષા કોણ લેશે ?
- જવાબ = આ શિષ્યવૃત્તિ મેળવવા માટે વર્ષ માં 80% હાજરી હોવી જરૂરી છે.પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે
પ્રશ્ન 5 . આ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ્ય કક્ષા/ શહેરી કક્ષાએ વાર્ષિક આવક કેટલી છે ?
- જવાબ .=આ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ્ય કક્ષાએ વાર્ષિક 1,20,000 અને શહેરી કક્ષાએ વાર્ષિક 1,50,000 ની આવક મર્યાદા રાખવામાં આવેલી છે.( sudhar thayo hoi shake alart)
પ્રશ્ન 6 . વિદ્યાર્થી કોઈ સરકારી અથવા અનુદાનિત શાળા માં ધોરણ 9 માં પ્રવેશ મેળવે તો કેટલી શિષ્યવૃતિ ચુકવાશે ?
- જવાબ = વિદ્યાર્થી કોઈ સરકારી અથવા અનુદાનિત શાળા માં ધોરણ 9 માં પ્રવે6શ મેળવે તો 9-10 માટે રૂ 6000 અને ધોરણ 11-12 માટે 7000 સહાય શિષ્યવૃત્તિ ચુકવાશે અને તે શાળા ને પણ વાર્ષિક વિધાર્થી દીઠ રૂ 3000(ધો 9-10 માટે)અને રૂ 4000 (ધો 11-12 માટે )ચૂકવાશે.
ALSO READ :: GPSC Shixan Seva -Leave Rules Basic Information /રજા ના નિયમો ની પ્રાથમિક જાણકારી
સ્વચ્છતા પખવાડા 2025: School Sanitation Grants, CSR Funding & Swachh Bharat Mission માર્ગદર્શન