Summer Vacation 2026 Gujarat: ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. શાળાઓમાં ઉનાળુ વેકેશન 2026ની સંભવિત તારીખો અંગે શિક્ષણ વિભાગ દ્વારા સમયપત્રક જાહેર થવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ગરમી વધતા સ્વાસ્થ્ય અને સુરક્ષા ધ્યાનમાં રાખીને દર વર્ષે મે-જૂન દરમિયાન લાંબી રજા આપવામાં આવે છે
ઉનાળુ વેકેશન 2026 ક્યારે શરૂ થશે અને રાજ્ય મુજબ તારીખોમાં શું ફેરફાર હોઈ શકે તેની વિગતવાર સમજણ
શાળાઓમાં ઉનાળુ વેકેશન સામાન્ય રીતે એપ્રિલના અંતિમ સપ્તાહ અથવા મેના પ્રારંભથી શરૂ થાય છે અને જૂન મધ્ય સુધી ચાલે છે. ગુજરાતમાં શૈક્ષણિક કેલેન્ડર અને રજાઓ અંગેનો નિર્ણય Education Department, Government of Gujarat દ્વારા જાહેર કરવામાં આવે છે. રાજ્યના હવામાન અને શૈક્ષણિક સમયપત્રક મુજબ તારીખોમાં થોડો ફેરફાર શક્ય છે. કેટલાક જિલ્લાઓમાં તાપમાન વધારે હોય તો વહેલી રજા જાહેર કરવાની પણ શક્યતા રહે છે.
ખાનગી અને સરકારી શાળાઓ માટે શું નિયમ રહેશે તેની વિસ્તૃત માહિતી
સરકારી શાળાઓ માટે રજાઓ રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવે છે. ખાનગી શાળાઓ સામાન્ય રીતે રાજ્ય માર્ગદર્શિકા અનુસાર સમયપત્રક બનાવે છે, પરંતુ કેટલીક શાળાઓમાં દિવસોની સંખ્યામાં થોડો ફેરફાર હોઈ શકે છે. બોર્ડ પરીક્ષા અને પ્રવેશ પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને ઉચ્ચતર કક્ષાઓ માટે અલગ સમયપત્રક પણ લાગુ પડી શકે છે.
વાલીઓ અને વિદ્યાર્થીઓએ શું ધ્યાનમાં રાખવું
ઉનાળાની રજામાં અભ્યાસ માટે આયોજન કરવું જરૂરી છે. શાળાઓ ઘણી વખત હોમવર્ક અથવા પ્રોજેક્ટ કાર્ય આપે છે. સાથે સાથે ગરમીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, પાણીનું પૂરતું સેવન કરવું અને બહાર નીકળતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે.
Conclusion: ઉનાળુ વેકેશન 2026 વિદ્યાર્થીઓ માટે રાહત અને આનંદનો સમય રહેશે. સત્તાવાર જાહેરાત બાદ ચોક્કસ તારીખો સ્પષ્ટ થશે. વાલીઓએ શાળાની સૂચનાઓ પર નજર રાખવી અને રજાનો સમય સકારાત્મક રીતે ઉપયોગ કરવા માટે આયોજન કરવું જોઈએ.
Disclaimer: આ લેખ સામાન્ય માહિતી માટે તૈયાર કરવામાં આવ્યો છે. રજાની ચોક્કસ તારીખો સત્તાવાર જાહેરનામા મુજબ જ માન્ય ગણાશે. અપડેટ માટે સંબંધિત શિક્ષણ વિભાગ અથવા શાળાની સૂચનાઓ તપાસવી જરૂરી છે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
૧. પેન્શન માટે લઘુત્તમ સેવા (Minimum Qualifying Service):
નિવૃત્તિ પછી પેન્શન મેળવવા માટે કર્મચારીએ ઓછામાં ઓછી ૧૦ વર્ષની સળંગ સેવા પૂર્ણ કરેલી હોવી ફરજિયાત છે. ૨. સ્વૈચ્છિક નિવૃત્તિ (Voluntary Retirement – VRS): કોઈપણ કર્મચારી ૨૦ વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ શકે છે. (આ માટે તેણે ૩ મહિના અગાઉ લેખિત નોટિસ આપવી પડે છે). ૩. પેન્શનની રકમ (Amount of Pension): નિવૃત્તિ સમયે કર્મચારીને તેના છેલ્લા મૂળ પગાર (Last Drawn Basic Pay) ના ૫૦% રકમ પેન્શન તરીકે મળે છે. ૭મા પગાર પંચ મુજબ, રાજ્ય સરકારના કર્મચારીઓ માટે લઘુત્તમ પેન્શન ₹૯,૦૦૦/- પ્રતિ માસ નિર્ધારિત કરવામાં આવ્યું છે. ૪. કુટુંબ પેન્શન (Family Pension): જો પેન્શનર અથવા નોકરી ચાલુ હોય તેવા કર્મચારીનું મૃત્યુ થાય, તો તેના આશ્રિતોને કુટુંબ પેન્શન મળે છે. સામાન્ય દર: છેલ્લા મૂળ પગારના ૩૦% (આમાં પણ લઘુત્તમ રકમ ₹૯,૦૦૦/- જ રહેશે). ૫. ગ્રેચ્યુઇટી (Gratuity – DCRG): નિવૃત્તિ સમયે કર્મચારીની સેવાના વર્ષોના આધારે એકસાથે મોટી રકમ મળે છે જેને ડેથ-કમ-રિટાયરમેન્ટ ગ્રેચ્યુઇટી કહે છે. ૭મા પગાર પંચ મુજબ ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદા ₹૨૦ લાખ છે. ૬. પેન્શનનું રૂપાંતર (Commutation of Pension): પેન્શનર પોતાના મૂળ પેન્શનમાંથી વધુમાં વધુ ૪૦% ભાગનું એકસાથે રોકડમાં રૂપાંતર (એડવાન્સ) કરાવી શકે છે. આ ૪૦% રકમ દર મહિને પેન્શનમાંથી કપાશે, પરંતુ ૧૫ વર્ષ પછી આ રકમ મૂળ પેન્શનમાં પાછી ઉમેરાઈ જશે (Restore થશે) અને ફરીથી પૂરેપૂરું પેન્શન મળવા લાગશે.
GCSR પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર પેન્શનના વિવિધ કુલ સાત પ્રકારો
વય નિવૃત્તિ પેન્શન: (નિ-45)
નિયમ-10 મુજબ નિયત વય પુરી થતાં મળતું પેન્શન.
– વર્ગ-4 ના કર્મચારી માટે 60 વર્ષ.
– અન્ય કર્મચારી માટે 58 વર્ષ..
– જન્મ તારીખના માસના છેલ્લા દિવસે નિવ્રુત્ત કરવાના રહે છે.
–શાળા-કોલેજના કર્મચારીને ટર્મ પુરી થતાં સુધી ચાલુ રાખી શકાય..
નિવૃત્તિ પેન્શન [નિ-46 થી 51]
👉20 વર્ષની નોકરી બાદ લીધેલ સ્વૈચ્છિક નિવૃત્તિ અથવા નિવ્રુતિ વય પહોંચતા પહેલા નિવ્રુત કરાતા મળવાપાત્ર પેન્શન.
👉30 વર્ષની નોકરી બાદ નિમણૂક અધિકારી 3 માસની નોટીસ આપીને કર્મચારીને જાહેરહિતમા છુટા કરી શકે અથવા કર્મચારી નોટીસ આપીને છુટા થઈ શકે.
20 વર્ષ ની નોકરી પછીની સ્વૈ. નિવૃત્તિ.
1 ત્રણ માસની નોટીસ જરૂરી.
2 નિમણુંક અધિકારી દ્વારા સ્વીકારાય તે જરૂરી.
નકારાય નહિ તો નિવ્રુત્તિ અમલી.
4 ત્રણ માસથી ઓછો નોટીસનો સમય સરકાર માફ કરી શકે.
5 . સેવાની ગણતરી કરતાં અસાધારણ રજા બાદ કરાશે.
6 નોટીસની મુદત પહેલાં નિમણુંક અધિકારીની મંજુરીથી પરત લઇ શકાય.
અશક્તતા પેન્શન: (નિ. 52 થી 64)
👉શારીરિક કે માનસિક અશક્તતા અંગે તબીબી પ્રમાણપત્ર અન્વયે નિવૃત્તિ વખતે મળતું પેન્શન.
👉વર્ગ-4 માટે સીવીલ સર્જન, અન્ય માટે તબીબી બોર્ડ સક્ષમ,
👉નિમણુંક અધિકારી કે કચેરીના વડાના જણાવ્યા સિવાય આવું પ્રમાણપત્ર ઇસ્યુ કરી શકાય નહિ
👉 તબીબી પ્ર.પત્રની તારીખથી 7 દિવસમાં કર્મચારીને છુટા કરવાના રહે છે, વિલંબના કિસ્સામાં સરકારની મંજુરી જરૂરી,
👉આ પેન્શન માટે પણ 10 વર્ષની સેવા હોવી જરૂરી,
👉કર્મચારીની ફુટેવો કે અસંયમને લીધે અશક્તતા હોય તો આ પેન્શન મળવાપાત્ર થાય નહિ.
👉એક માસમાં તબીબી બોર્ડને અરજી કરી શકશે.
વળતર પેન્શન: (નિ. 65 થી 67)
.1. વય નિવૃત્તિ કે નિવૃત્તિ પેન્શન મળવાપાત્ર થાય તે પહેલાં વહિવટી કારણોસર છુટા કરાતાં અપાતુ પેન્શન.
2. સામાન્ય રીતે કાયમી જગા નાબુદ થતાં કે ફરજનો પ્રકાર બદલાતાં, કર્મચારીને સમાન શરતોવાળી અન્ય જગા પર નિમણુંક આપશે.
આમ ન થઇ શકે તો
વળતર પેન્શન માટેનો અથવા
બીજા મહેકમ પર નિમણુંક, બદલી કે નીચા પગારની નોકરી સ્વીકારીને અગાઉની નોકરીને પેન્શનપાત્ર ગણવાનો વિકલ્પ આપવામાં આવશે.
ઘા અને ઇજા પેન્શન; (નિ. 69 થી 76)
ચાલુ નોકરી દરમિયાન ઘા કે ઇજાને કારણે કર્મચારીને થયેલ નુકશાન માટે અપાતું પેન્શન.
તબીબી અધિકારીના અહેવાલને આધારે મંજુરી અપાશે.
જરૂરી જણાય એટલા સમય માટે અથવા કાયમી ધોરણે મંજુરી અપાશે, કાયમી ન હોય ત્યારે દર ત્રણ વર્ષે તબીબી તપાસ જરૂરી
નીચેના સંજોગોમાં સરકાર મંજુર કરશે
+ મુલ્કી હેસિયતથી લશ્કરી દળ સાથે ફરજના સમયે
+ ખાસ ચેપી રોગની સારવાર કરતા ડોક્ટરનર્સની ફરજ વખતે.
+ હુલ્લડ-તોફાનો વખતે ન્યાયાધીશ અને પોલીસની ફરજો.
+ ફરજ માટેની હવાઇ મુસાફરી
👉આ પેન્શન નોકરી દરમિયાન અને ત્યારબાદ તથા સામાન્ય પેન્શન ઉપરાંત મળવાપાત્ર છે.
રહેમિયત પેન્શન : (નિ. 77 થી 79)
નાદારી, કે ગેરવર્તણુંક ને કારણે નોકરીમાંથી છુટા (Removal) કે ફરજીયાત નિવૃત કરાતાં માત્ર રહેમિયત પેન્શન મળવાપાત્ર થશે.
ઉપરના સંજોગોમાં સરકાર દરેક કિસ્સાના ખાસ સંજોગો ધ્યાને લેતાં યોગ્ય જણાયે રહેમિયત પેન્શન મંજુર કરશે.
બરતરફી (Dismissal) ના કેસમાં રહેમ પેન્શન મળવાપાત્ર નથી.
આ નિયમ હેઠળ મંજુર કરેલ પેન્શન લઘુત્તમ પેન્શનથી ઓછુ ન હોઇ શકે.
કુટુંબ પેન્શન: (નિ. 87 થી 95)
ચાલુ નોકરીએ કે નિવૃત્તિ પછી, કર્મચારીના અવસાન બાદ કુટુંબના સભ્યને મળવાપાત્ર પેન્શન.
કોને મળવાપાત્ર:
જીવનસાથીને (પતિ/પત્નિને, નિવૃત્તિ પછીનું લગ્ન પણ માન્ય) નિવૃત્તિ પહેલાંનાં લગ્ન હોય તો કોર્ટ દ્વારા છુટા પાડેલ (Judicially separated) જીવનસાથી પણ પાત્ર ગણાય.
છુટા છેડા લીધેલ હોય તેવા પતિ/પત્નિ પાત્ર નથી
. કર્મચારીનાં સંતાનો (નિવૃત્તિ પહેલાં દત્તક લીધેલ સહિત)
નિવૃત્તિ બાદનાં લગ્નથી થયેલ સંતાનો પણ પાત્ર ગણાય છે.
જીવનસાથી કે સંતાનો ન હોય તો અવસાન સમયે કર્મચારી પર આધારીત માતા પિતા.
કુટુંબ પેન્શન:
ક્યાં સુધી મળવાપાત્ર:
💥પતિ/પત્નિના કિસ્સામાં પુન:લગ્ન સુધી અન્યથા આજીવન.
💥સંતાન વિહિન પત્નિ પુનઃલગ્ન કરેતો તે વ્યક્તિગત કશુ કમાતા ન થાય ત્યાં સુધી કુટુમ્બ પેન્શન મળશે
💥પુત્ર કે પુત્રીના કિસ્સામાં 25 વર્ષની વય થાય, લગ્ન કરે અથવા કમાતા થાય ત્રણ પૈકી વહેલુ હોય ત્યાં સુધી. આધારિત માતા-પિતા
💥માનસિક કે શારિરીક અશક્ત સંતાનને જો તે જીવનનિર્વાહ કમાવા શક્તિમાન ન હોય તો આજીવન પેન્શન મેળવશે.
💥એક કરતાં વધુ વિધવા હોય તો પેન્શન સરખે હિસ્સે અપાશે.
કુટુંબ પેન્શનની રકમ:
કુટુંબ પેન્શનની ગણતરી માટે છેલ્લો પગાર ધ્યાને લેવાશે.
છેલ્લા પગારના 30% જેટલી રકમ કુ.પે. તરીકે મંજુર કરાશે.
નીચે મુજબ ઉંચા દરે કુટુંબ પેન્શન ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં અવસાનની તારીખથી 10 વર્ષ સુધી નિવૃતિ પછીના અવસાનના કેસમાં 7 વર્ષ કે કર્મચારી જીવતા હોત તો 65 વર્ષના થાત, બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી મળશે, ત્યારબાદ સામાન્ય દરે મળશે.
અવસાનના કિસ્સામાં ઉંચાંદરે છેલ્લા પગારના 50% માતા કે પિતાને 30% લેખે જ મળવાપાત્ર.
કોઇપણ સંજોગોમાં છેલ્લા પગારના 30% થી ઓછુ કુ.પે.મળશે નહિ.
આ રકમ 161/2 % પગાર કે 20 લાખ રૂપિયાની મર્યાદાને આધીન રહેશે. આ હેતુ માટે છેલ્લો પગાર અને નિવૃત્તિ સમયે મળવાપાત્ર મોંઘવારી ભથ્થુ પણ ધ્યાને લેવાશે. (1-4-04 થી મોંઘવારી પગાર સહિત)
ચાલુ નોકરીએ અવસાન સમયે નીચે મુજબ મૃત્યુ ગ્રેજ્યુઇટી મળવાપાત્ર થશે,
સેવાનાં વર્ષ
મળવાપાત્ર ગ્રેજ્યુઇટી
💢1 વર્ષથી ઓછી
👉2 પગાર
💢1વર્ષ કે વધુ – 5 વર્ષથી ઓછી
👉6 પગાર
💢5 વર્ષ કે વધુ – 11 વર્ષથી ઓછી
👉12 પગાર
💢11 વર્ષ કે વધુ – 20 વર્ષથી ઓછી
👉20 પગાર
💢20 વર્ષ કે વધારે
👉સેવાના વર્ષ દીઠ 1 પગાર ( મહત્તમ 21 પગાર કે ૨૦ લાખ)
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
Gujarat Police Bharti Physical Test Result: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ (PSI) અને લોકરક્ષક(LRD) કેડરની ભરતી પ્રક્રિયાને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ભરતી બોર્ડ દ્વારા આજે(25 ફેબ્રુઆરી) શારીરિક કસોટીનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે.
શારીરિક કસોટીમાં 1.10 લાખથી વધુ ઉમેદવારો પાસ
ભરતી બોર્ડની અખબારી યાદી મુજબ, શારીરિક કસોટીમાં કુલ 1,10,665 ઉમેદવારો સફળ થયા છે. પાસ થયેલા ઉમેદવારોનું વિભાજન નીચે મુજબ છે:
પુરુષ ઉમેદવારો: 74,591
મહિલા ઉમેદવારો: 36,074
લેખિત પરીક્ષાની સંભવિત તારીખ
શારીરિક કસોટીમાં પાસ થયેલા આ તમામ ઉમેદવારો હવે લેખિત પરીક્ષામાં બેસશે. બોર્ડના જણાવ્યા અનુસાર, લેખિત પરીક્ષા 19 એપ્રિલ, 2026 ના રોજ યોજવાની પૂરેપૂરી સંભાવના છે. ઉમેદવારોને અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દેવા સૂચના આપવામાં આવી છે. વધુ માહિતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.