NEP – 2020 મૂલ્યાંકન પદ્ધતિ માં પરિવર્તન || પરીક્ષાઓ કેવી રીતે થશે

NEP - 2020 મૂલ્યાંકન પદ્ધતિ માં પરિવર્તન || પરીક્ષાઓ કેવી રીતે થશે

👉શાળા આધારિત મૂલ્યાંકન માટેના તમામ વિદ્યાર્થીઓના પ્રગતિ કાર્ડ, જેને શાળાઓ દ્વારા માતાપિતાને આપવામાં આવે છે તેને સૂચિત રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર, NCERT અને SCERTના માર્ગદર્શન હેઠળ રાજ્યો /કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સંપૂર્ણ રીતે પુનઃ રચના કરવામાં આવશે.

પ્રગતિ કાર્ડ કેવા પ્રકાર નું હશે

💢પ્રગતિ કાર્ડ એક સમગ્રદર્શી અને 360 ડિગ્રીનો, બહુપરિમાણ્વીય અહેવાલ હશે જેમાં વિદ્યાર્થીના જ્ઞાનાત્મક,ભાવાત્મક અને મનોક્રિયાત્મક ક્ષેત્રના વિકાસનું બારીકાઈપૂર્વક કરેલ વિશ્લેષણનું વર્ણન તેમજ તેની પ્રગતિ વિશિષ્ટતાને પ્રતિબિંબિત કરેલું હશે. 
તેમાં વિદ્યાર્થીના પ્રોજેક્ટ આધારિત, પૂછપરછ આધારિત અધ્યયન, ક્વીઝ, રોલ પ્લે, જૂથ કાર્ય, પોર્ટફોલિયો વગેરેનું સ્વ મૂલ્યાંકન, સહપાઠી દ્વારા મૂલ્યાંકન અને શિક્ષક દ્વારા મૂલ્યાંકન સમાવિષ્ટ હશે.
💢 માતાપિતા, શિક્ષકો અને સહપાઠી મિત્રોને પ્રશ્નાવલી આપી તે દ્વારા પોતાના અધ્યયન વિશે ક્ષમતાઓ અને રસ રુચિના ક્ષત્રો વિશે, કઈ દિશામાં સુધારણાની જરૂર છે તે વિશે માહિતી મેળવી કૃત્રિમ બુદ્ધિમત્તા (Ai )ના ઉપયોગથી વિદ્યાર્થીઓ સોફ્ટવેર બનાવી શકે જે તેમને અધ્યયનમાં પ્રગતિની સંભાળ લેવામાં અને શ્રેષ્ઠ કારકિર્દીની પસંદગી કરવામાં મદદરૂપ થઈ શકે.

બોર્ડની પરીક્ષાઓ અને પ્રવેશ પરીક્ષાઓ

  1. હાલની બોર્ડની અને પ્રવેશ પરીક્ષાઓની પ્રણાલીમાં કોચિંગ વર્ગો કરવાની જરૂરિયાતને દૂર કરવા માટે સુધારણા કરવામાં આવશે જ્યારે ધોરણ 10 અને 12 માટે બોર્ડની પરીક્ષા ચાલુ રાખવામાં આવશે.
  2.  બોર્ડની પરીક્ષાઓના માળખાની પુનઃરચના કરવામાં આવશે.બોર્ડની પરીક્ષાઓને પણ ‘સરળ બનાવવામાં આવશે. સરળ એ અર્થમાં કે તે પરીક્ષાઓ કોચિંગ કે ગોખવાને બદલે ક્ષમતાઓ અને યોગ્યતાઓની પરીક્ષા કરશે.
  3. 👉બોર્ડ પરીક્ષાઓના ‘વર્ષ બગડવાના સંકટ’ ને દૂર કરવા માટે, બધા વિદ્યાર્થીઓ કોઈપણ શાળાકીય વર્ષ દરમિયાન બે વખત બોર્ડની પરીક્ષા આપી શકશે, એક પરીક્ષા  સુધારણા માટે, જો ઇચ્છિત હોય તો.
  • 👉 કે જેમાં દરેક પરીક્ષણમાં ઘણી ઓછી સામગ્રી હોય અને શાળામાં સંબંધિત અભ્યાસક્રમ પછી તરત જ લેવામાં આવે 
  • 👉ગણિતથી લઈને દરેક વિષય સંબંધિત મૂલ્યાંકન બે સ્તર પર કરવામાં આવે, એક વર્ગ કક્ષાએ અને બીજી ઉચ્ચ કક્ષાએ
  • 👉કેટલાક વિષયોમાં બોર્ડની પરીક્ષાઓ બે ભાગમાં રાખી શકાય એક ભાગમાં બહુવિક્લ્પ પ્રશ્નો હોય અને બીજા ભાગમાં વિસ્તૃત ઉત્તરના પ્રશ્નો રાખી શકાય.

મૂલ્યાંકન પદ્ધતિ ક્યારે બદલાશે

👉 NCERT દ્વારા મુખ્ય હિતધારકો, જેમ કે SCERTS, બોર્ડ ઓફ એસેસમેન્ટ (BoA),સૂચિત નવા  રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર અને  અને શિક્ષકોસાથે પરામર્શ ના  આધારે દિશા નિર્દેશો તૈયાર કરવામાં આવશે
જેથી શૈક્ષણિક સત્ર 2022-23 સુધીમાં NCFSE 2020-21 ને અનુરૂપ મૂલ્યાંકન પદ્ધતિને સંપૂર્ણ રીતે બદલી શકાય.

ધોરણ 3-5-8 નું મૂલ્યાંકન

👉શાળાકીય આયોજન અને અધ્યાપન-અધ્યયન પ્રક્રિયાઓમાં સુધારણા માટે માત્ર ધોરણ 10 અને 12 ના અંતમાં જ નહીં પણ વિદ્યાર્થીઓ ધોરણ 3, 5 અને 8 માં શાળા પરીક્ષા આપશે જે યોગ્ય ઓથોરિટી દ્વારા લેવામાં આવશે.
👉આ પરીક્ષાઓ પાયાની અધ્યયન નિપજોનું મૂલ્યાંકન કરશે
👉ધોરણ 3 ની પરીક્ષા મૂળભૂત સાક્ષરતા, સંખ્યા જ્ઞાન અને અન્ય પાયાની કુશળતાનું પરીક્ષણ કરશે

રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર, PARAKH

MHRD અંતર્ગત એક પ્રમાણભૂત રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર, PARAKH (સમગ્ર વિકાસ માટે જ્ઞાનનું પ્રદર્શન મૂલ્યાંકન, સમીક્ષા અને વિશ્લેષણ), સ્થાપિત કરવાનો પ્રસ્તાવ  છે
👉 જે ભારતના તમામ માન્યતા પ્રાપ્ત શાળા બોર્ડ માટે વિદ્યાર્થી મૂલ્યાંકન અને મૂલ્યાંકન માટે માપદંડ, પ્રમાણભૂતઅને દિશાનિર્દેશ જેવા કેટલાક મૂળ ઉદ્દેશો પૂર્ણ કરશે.શાળાના જુદાજુદા બોર્ડ વચ્ચે પરસ્પર સહયોગને પ્રોત્સાહન આપશે
👉સાથેસાથે PARAKH {સ્ટેટ અચિવમેન્ટ સર્વે (SAS){ નું માર્ગદર્શન અને {નેશનલ અચિવમેન્ટ સર્વે (NAS)}નું પણ સંચાલન ક૨શે

વિશ્વ વિદ્યાલય પ્રવેશ પરીક્ષાઓ

શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

  • → રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (National Testing Agency) ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રવેશ પરીક્ષાઓ વર્ષમાં ઓછામાં ઓછી બે વખત લેવાનું કામ ક૨શે.
  • →  National Testing Agency ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અનુસ્નાતક અને સ્નાતકમાં પ્રવેશ તેમજ ફેલોશિપ માટેની પ્રવેશ પરીક્ષાઓ યોજવા માટે સ્વાયત્ત પરીક્ષણ સંસ્થા તરીકે સેવા આપશે.
  • → NTA મૂલ્યાંકનનો ઉપયોગ તેમની પ્રવેશ પરીક્ષા માટે કરવો કે નહીં તે નિર્ણય વ્યક્તિગત વિશ્વવિદ્યાલયો અને મહાવિદ્યાલયો સ્વતંત્ર રીતે લેશે.

✅➖ ✅કર્મયોગી પોર્ટલ માં રજા આ રીતે મુકાય

Operation Blackboard ઓપરેશન બ્લેકબોર્ડ

  • →આ યોજના ની શરૂઆત વર્ષ 1987 માં માં કરવા માં આવી હતી.
  • → આ યોજના નો મુખ્ય ઉદેશ પ્રાથમિક શિક્ષણમાં ગુણાત્મક સુધાર કરવાનો હતો. 
  • → આ યોજના માં ગુણવતા અને સુવિધા બંન્ને બાબતો પર ભાર મૂકવા ના આવ્યો હતો.
  •  →પ્રાથમિક શિક્ષણ પર ખાસ ભારભાર મુકવા માં આવ્યો હતો. 
  • →આ યોજના માં 100% માં સહયોગ કેન્દ્ર સરકાર નો હતો. 
  • →આ યોજનામાં દરેક પ્રાથમિક શાળા ને સામેલ કરવાનું લક્ષ્ય રાખવા માં આવ્યું હતું, 

પ્રજ્ઞા અભિગમ પ્રશ્નોત્તરી // Pragna Abhigam Questions and Answers PDF Useful For All Teachers

Opration blackboard ની ન્યુનતમ 
જોગવાઇ ઓ

AEI / HTAT Imp Question 25

  • ♦ બે ઓરડાઓ, ૨ શિક્ષક ( એક મહિલા), એક TLM સેટ 
    ♦1 – વિશાનકીટ, ગણિત કીટ, ટૂલકીટ, 45ચાર્ટ, પાઠ્ય પુસ્તકો, એક બ્લેકબોર્ડ (ન્યુનતમ) 
    ♦ કુમાર કન્યા માટે અલગ શૌચાલય ની વ્યવસ્થા
        ♦શાળા માં પુસ્તકાલય પર ભાર 
     ♦50% મહિલા શિક્ષકોની જોગવાઇ કરવા માં આવી છે.
        ♦100થી વધુ બાળકો વાળી શાળામાં ત્રીજો ઓરડો અને ત્રીજો શિક્ષક ની જોગવાઈ

    ♦એક આચાર્યખંડનીજોગવાઇ,
    ♦પ્રતિવર્ષ રૂ.1000 નું આકસ્મિક અનુદાન ની જોગવાઈ.

     ♦પીવાના પાણી અને સંગીત, રમતનાસાધનોનીજોગવાઇ,
     ♦વર્ષ 1993 ના સુધારા અનુસાર આ યોજના ઉચ્ચ પ્રાથમિક શાળા સુધી વિસ્તાર કરવા ની જોગવાઇ,
    💥
     ♦આ યોજનામાં વર્ષ 1992 માં સંશોધન કરવા માં આવ્યું હતું.
      ♦આ યોજના સાતમી પંચવર્ષીય યોજના દરમિયાન અમલમાં મુકાઇ હતી

✅➖ ✅કર્મયોગી પોર્ટલ માં રજા આ રીતે મુકાય

શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

Holi Vacationહોળી વેકેશન 2026: વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે રજાની સંપૂર્ણ માહિતી – Holi Vacation

Holi Vacation હોળી વેકેશન 2026: વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે રજાની સંપૂર્ણ માહિતી – Holi Vacation

Holi Vacation: ભારતમાં રંગોના તહેવાર તરીકે ઉજવાતી Holi 2026માં માર્ચ મહિનામાં ઉજવાશે. દર વર્ષે જેમ શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં જાહેર રજા આપવામાં આવે છે, તેવી જ રીતે 2026માં પણ હોળી નિમિત્તે રજા જાહેર થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે આ તહેવાર લાંબા વીકએન્ડનું રૂપ લઈ શકે છે, ખાસ કરીને જો રજા શનિવાર અથવા સોમવાર સાથે જોડાય.

2026માં હોળી ક્યારે છે?

✅➖ ✅કર્મયોગી પોર્ટલ માં રજા આ રીતે મુકાય

કેલેન્ડર મુજબ હોળી 2026માં માર્ચ મહિનામાં આવશે. સામાન્ય રીતે “હોળિકા દહન” એક દિવસ પહેલા અને “ધુલેટી” અથવા રંગવાળી હોળી બીજા દિવસે ઉજવાય છે. અનેક રાજ્યોમાં ધુલેટી પર મુખ્ય જાહેર રજા હોય છે. ચોક્કસ તારીખ માટે રાજ્ય સરકારની સત્તાવાર રજા સૂચિ તપાસવી જરૂરી છે.

શાળાઓમાં કેટલા દિવસ રજા રહેશે?

03% મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે.

ઘણા રાજ્યોમાં હોળી નિમિત્તે ઓછામાં ઓછો 1 દિવસ જાહેર રજા હોય છે. કેટલીક ખાનગી શાળાઓ 2 દિવસ સુધી રજા આપે છે, ખાસ કરીને હોળિકા દહન અને ધુલેટી બંને માટે. જો તહેવાર વીકએન્ડ સાથે જોડાય તો વિદ્યાર્થીઓને 2 થી 3 દિવસનો વેકેશન મળી શકે છે.

સરકારી કચેરીઓ અને બેંક રજા

ગુજરાત બજેટ 2026 / બસમાં ફ્રી પાસ અને મફત પુસ્તકો, ગુજરાતના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે 13 મોટી જાહેરાતો કરાઈ, વિદ્યાર્થીઓ ખુશખુશાલ

સરકારી કચેરીઓ, બેંકો અને જાહેર ક્ષેત્રની સંસ્થાઓમાં સામાન્ય રીતે હોળીના દિવસે રજા જાહેર થાય છે. કેટલીક જગ્યાએ રાજ્ય મુજબ અલગ તારીખે રજા હોઈ શકે છે. બેંકિંગ કામગીરી માટે રજા પહેલાં અને પછીના દિવસોમાં ભીડ વધી શકે છે, તેથી કામકાજ અગાઉથી પૂર્ણ કરવું યોગ્ય રહેશે.

રાજ્યવાર રજા અલગ હોઈ શકે

ભારતના અલગ અલગ રાજ્યોમાં હોળીની ઉજવણીની રીત અને રજા તારીખમાં થોડો ફેરફાર હોઈ શકે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં હોળી વિશેષ ધામધૂમથી ઉજવાય છે અને જાહેર રજા સામાન્ય રીતે બંને દિવસ માટે હોય છે, જ્યારે કેટલાક દક્ષિણ રાજ્યોમાં એક દિવસની રજા આપવામાં આવે છે.

Conclusion: હોળી વેકેશન 2026 વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે આનંદ અને આરામનો સમય બની શકે છે. તહેવારની ચોક્કસ તારીખ અને રજા અંગેની માહિતી માટે રાજ્ય સરકારની સત્તાવાર જાહેર રજા સૂચિ તપાસવી જરૂરી છે. સમયસર આયોજન કરીને હોળીની ઉજવણી આનંદથી કરી શકાય છે.

ગુજરાતની આંગણવાડીઓમાં જૂન 2026 થી ‘આધારશિલા’ અભ્યાસક્રમ લાગુ; હવે ભૂલકાઓને મળશે રમત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ