ITI Limited Recruitment: ITI લિમિટેડ દ્વારા ઉદ્યોગ ક્ષેત્રોમાં વિવિધ પદો માટે સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

ITI Limited Recruitment

ITI Limited Recruitment: ITI લિમિટેડ દ્વારા વિવિધ પદો માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જો તમે હાલમાં નોકરીની શોધમાં છો અથવા સારી નોકરી મેળવવાની ઈચ્છા રાખો છો, તો આ તમારા માટે એક ઉત્તમ તક છે. આ ભરતી હેઠળ અનેક જગ્યાઓ ખાલી છે. ભરતી સંબંધિત વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, જરૂરી લાયકાત, પગાર, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પદ્ધતિ વિશેની તમામ વિગતો આ લેખમાં આપવામાં આવી છે. તેથી તમને સલાહ આપવામાં આવે છે કે આખો લેખ ધ્યાનથી વાંચો.

📖 શિક્ષક દિવસ અહેવાલ

ITI Limited Recruitment। ITI લિમિટેડ ભરતી
અગત્યની તારીખો:

ALSO READ :: 5 saptembar Teacher day speech Dr Radhakrishnan Birthday

ITI લિમિટેડ દ્વારા ભરતીની જાહેરાત 12 ઑગસ્ટ 2025 ના રોજ બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 18 સપ્ટેમ્બર 2025 છે. જો તમે આ ભરતીમાં જોડાવા ઈચ્છતા હો, તો અમારી સલાહ છે કે તમે છેલ્લી તારીખ પહેલાં જ તમારી અરજી પૂર્ણ કરીને જમા કરો, કારણ કે એક વાર અંતિમ તારીખ વીતી જાય પછી વિભાગ કોઈપણ અરજી સ્વીકારશે નહીં.

અરજી ફી

ITI લિમિટેડ ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ,ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની અરજી ફી ની ચુકવાની નથી.

પદોના નામ:

ITI લિમિટેડ ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ

ALSO READ :: શિક્ષક દિવસ 2025: ભારત 5 સપ્ટેમ્બરના રોજ શા માટે ઉજવે છે? જાણો ઇતિહાસ, મહત્વ

  • પ્રોજેક્ટ્સ,માર્કેટિંગ,HR,ફાઇનાન્સ,જનરલ મેનેજર – ફાઇનાન્સ ના પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
વય મર્યાદા:

ઉમેદવાર મિત્રો ITI લિમિટેડ ની ભરતી માં ઓછા માં ઓછી 18 થી 56 વર્ષ સુધી ની હોવી જોઈએ. પદો પ્રમાણે અલગ અલગ વય મર્યાદા હોવાના લીધે અરજી કરતા પેહલા જાહેરાત વાંચો.

પગારધોરણ:

ઉમેદવાર મિત્રો ITI લિમિટેડ ભરતી માં પદો પ્રમાણે પગાર મળશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા:

ITI લિમિટેડ ની ભરતી માં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ નીચે આપેલ માહિતી દ્વારા કરવામાં આવશે.

  • ઓનલાઈન અરજીઓની પ્રથમ તપાસ: ઉમેદવારો દ્વારા સબમિટ કરાયેલી ઓનલાઈન અરજીઓના આધારે પ્રારંભિક તપાસ હાથ ધરવામાં આવશે.
  • સ્ક્રીનિંગ યાદીનું પ્રકાશન: શરૂઆતમાં તપાસ કરાયેલા ઉમેદવારોની યાદી ITI વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવશે.
  • દસ્તાવેજ અપલોડ: તપાસાયેલા ઉમેદવારોએ ITI વેબસાઇટ પર સૂચના મુજબ જરૂરી સ્વ-પ્રમાણિત દસ્તાવેજો અપલોડ કરવા ના રહેશે.
  • દસ્તાવેજોની ચકાસણી: દસ્તાવેજોની ચકાસણી થયા પછી, ઇન્ટરવ્યૂ માટે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની યાદી કંપનીની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવશે.
  • ઇન્ટરવ્યૂ: શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ દરમિયાન મૂલ્યાંકન કરવામાં આવશે. મૂલ્યાંકન તેમના વિષય જ્ઞાન, પ્રાપ્ત અનુભવ અને પદ માટે જરૂરી ગુણો, જેમાં વલણ અને સોફ્ટ સ્કિલનો સમાવેશ થાય છે, પર આધારિત હશે.
શૈક્ષણિક લાયકાત:

TI લિમિટેડ ની ભરતી માં પદો પ્રમાણે અલગ અલગ લાયકાત ની જરૂર છે. તેથી અરજી કરતા પેહલા જાહેરાત વાંચો.

  • પ્રોજેક્ટ્સ (ગ્રેડ IX): B.E./B.Tech (E&C, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ અથવા સિવિલ) જરૂરી. M.E./M.Tech અથવા PGDM/MBA (પ્રોજેક્ટ મેનેજમેન્ટ) ઇચ્છનીય. મોટી સંસ્થામાં 23 વર્ષનો સંબંધિત અનુભવ જરૂરી.
  • માર્કેટિંગ (ગ્રેડ IX): ડિગ્રી સાથે MBA અથવા સમકક્ષ. 23 વર્ષનો અનુભવ, જેમાં MBA બાદ 8 વર્ષ જરૂરી.
  • HR (ગ્રેડ IX): ડિગ્રી સાથે MBA-HR/MSW-HR અથવા સમકક્ષ. LLB/LLM ઇચ્છનીય. HR પોલિસી, ભરતી અથવા તાલીમમાં 23 વર્ષનો અનુભવ જરૂરી.
  • ફાઇનાન્સ (ગ્રેડ IX): ક્વોલિફાઇડ CA/ICWA અથવા MBA (ફાઇનાન્સ) સમકક્ષ. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, ઑડિટિંગ અથવા ટૅક્સેશનમાં 23 વર્ષનો અનુભવ જરૂરી
  • કંપની સેક્રેટરી (ગ્રેડ VI): ICSIની એસોસિએટ મેમ્બરશિપ (ACS) જરૂરી. કુલ 14 વર્ષનો અનુભવ, જેમાં લિસ્ટેડ કંપનીમાં 7 વર્ષ જરૂરી.
  • એક્ઝિક્યુટિવ – સેક્રેટરિયલ (ગ્રેડ II): ICSIની એસોસિએટ મેમ્બરશિપ (ACS) અને પબ્લિક લિમિટેડ કંપનીના સેક્રેટરિયલ વિભાગમાં 2 વર્ષનો અનુભવ જરૂરી.
જગ્યાઓ

ઉમેદવાર મિત્રો ITI લિમિટેડ માં કુલ 07 જગ્યાઓ પર ભરતી ની પ્રક્રિયા ચાલુ છે. જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

અરજી પ્રક્રિયા:
  • ITI લિમિટેડ ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • હરિયાણા સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા ઓએનજીસીની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
Notifecation

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

PTC પ્રવેશ પુનઃ જાહેરાત.

Teacher day 2025: પર 500 શબ્દોનો નિબંધ અહીંથી તૈયાર કરો

Teacher day 2025: પર 500 શબ્દોનો નિબંધ અહીંથી તૈયાર કરો

આપણા દેશમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના બીજા રાષ્ટ્રપતિ, મહાન શિક્ષક અને દાર્શનિક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિની ઉજવણી માટે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી 5 સપ્ટેમ્બર 1962 થી શરૂ થઈ હતી.

આપણા દેશમાં શિક્ષકોને ભગવાન કરતા પણ ઊંચો દરજ્જો આપવામાં આવે છે. એટલા માટે દર વર્ષે 5 સપ્ટેમ્બરને શિક્ષકોના સન્માન માટે શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં 5 ઓક્ટોબરે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે પરંતુ ભારતમાં આ દિવસ 5 સપ્ટેમ્બરે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે.

📖 શિક્ષક દિવસ અહેવાલ

આ દિવસે શાળાઓ અને કોલેજોમાં વિવિધ નિબંધ અને વક્તવ્ય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. જો તમે પણ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાના છો તો આ પેજ તમારા માટે ઉપયોગી છે. શિક્ષક દિવસ નિમિત્તે તમે અહીંથી 500 શબ્દોનો નિબંધ તૈયાર કરી શકો છો.

પ્રસ્તાવના

ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન નિમિત્તે ઉજવવામાં આવે છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન એક મહાન શિક્ષક અને દાર્શનિક તેમજ ભારતના બીજા રાષ્ટ્રપતિ હતા. તેમણે પોતાના જીવનનો મોટાભાગનો સમય શિક્ષણનો ફેલાવો અને સમાજમાં જ્ઞાનનું મહત્વ ફેલાવવામાં વિતાવ્યો. તેથી જ જ્યારે તેમને રાષ્ટ્રપતિ બનવા બદલ અભિનંદન આપવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે જો તેમનો જન્મદિવસ શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે તો તેઓ ખૂબ ખુશ થશે. આ પછી, તેને સરકારે માન્યતા આપી અને દર વર્ષે 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું.

જીવનમાં શિક્ષકની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે.

શિક્ષકો આપણા જીવનને ઘડવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માતાપિતા આપણને જીવન આપે છે, પરંતુ શિક્ષકો આપણને જીવનમાં યોગ્ય દિશા આપે છે. તેઓ આપણને ફક્ત પુસ્તકિયું જ્ઞાન જ આપતા નથી, પરંતુ સારા મૂલ્યો, શિસ્ત અને ચારિત્ર્ય નિર્માણ પણ શીખવે છે. શિક્ષકો તેમના વિદ્યાર્થીઓને સ્વપ્ન જોવા અને તેમને પૂર્ણ કરવા પ્રેરણા આપે છે. સારા શિક્ષકો એક સારા સમાજ અને મજબૂત રાષ્ટ્રના નિર્માણનો પાયો છે.

ALSO READ :: શિક્ષક દિવસ 2025: ભારત 5 સપ્ટેમ્બરના રોજ શા માટે ઉજવે છે? જાણો ઇતિહાસ, મહત્વ

શિક્ષકનો દરજ્જો ભગવાન કરતાં પણ ઊંચો છે.

વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકનું સ્થાન સૌથી ઊંચું માનવામાં આવે છે. એક સારો શિક્ષક હંમેશા તેના વિદ્યાર્થીઓને માત્ર અભ્યાસ જ નહીં, પણ પ્રામાણિકતા, સખત મહેનત, શિસ્ત અને ધીરજ જેવી મહત્વપૂર્ણ બાબતો પણ શીખવે છે. જ્ઞાનની સાથે, તે આપણને સારા માનવી બનવાનું પણ શીખવે છે. આ જ કારણ છે કે ગુરુનું સ્થાન ભગવાનથી પણ ઉપર છે.

ALSO READ :: Happy Teachers’ Day Quotes, Wishes & Messages to Share

આપણા દેશમાં શિક્ષકની ભૂમિકા ફક્ત જ્ઞાન આપવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેઓ રાષ્ટ્ર નિર્માતા પણ છે. જો વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળે, તો તેઓ જીવનમાં કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકે છે અને દેશના વિકાસમાં યોગદાન આપી શકે છે. શિક્ષક પોતાના વિદ્યાર્થીઓમાં સારા નાગરિક બનવાની અને સમાજ અને દેશનું કલ્યાણ કરવાની ભાવના જગાડે છે.

ALSO READ :: 5 saptembar Teacher day speech Dr Radhakrishnan Birthday

નિષ્કર્ષ

શિક્ષક દિવસ આપણને આપણા શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક આપે છે. આ દિવસ આપણને હંમેશા આપણા શિક્ષકોનો આદર કરવાની અને જીવનભર તેમના માર્ગદર્શનને યાદ રાખવાની યાદ અપાવે છે. ખરા અર્થમાં, આપણો પ્રયાસ તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો અને સમાજમાં સકારાત્મક યોગદાન આપવાનો હોવો જોઈએ. આ એક વિદ્યાર્થી દ્વારા તેના શિક્ષકને આપવામાં આવતો સર્વોચ્ચ આદર છે.

📖 શિક્ષક દિવસ અહેવાલ

📖 શિક્ષક દિવસ અહેવાલ

અહીંયા મેં teacher day :: શિક્ષક દિવસ અહેવાલ લખેલ છે. જે સૌ વિધાર્થી શિક્ષક ને ઉપયોગી થશે..📌 આ અહેવાલ લગભગ 400 શબ્દોનો છે.

અમારી શાળામાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. આ દિવસ ખાસ કરીને ભારતના મહાન વિદ્વાન, શિક્ષણશાસ્ત્રી, તત્ત્વજ્ઞાની અને રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે મનાવવામાં આવે છે. તેઓનું માનવું હતું કે “શિક્ષક એ માત્ર જ્ઞાનનો પ્રકાશક નથી પરંતુ રાષ્ટ્ર નિર્માણનો સચ્ચો શિલ્પી છે.” તેમની આ વિચારસરણીને આગળ ધપાવવા માટે દર વર્ષે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે.

અમારી શાળામાં પણ આ વર્ષે શિક્ષક દિવસ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યો. સવારે પ્રાર્થના પછી વિદ્યાર્થીઓએ શિક્ષકોને ફૂલો અને શુભેચ્છા કાર્ડ અર્પણ કર્યા. શાળાના પ્રવેશદ્વારથી લઈને વર્ગખંડો સુધી સુંદર રીતે શણગાર કરવામાં આવ્યા હતા. મુખ્ય કાર્યક્રમ શાળાના ભવનમાં રાખવામાં આવ્યો હતો.

ALSO READ :: શિક્ષક દિવસ 2025: ભારત 5 સપ્ટેમ્બરના રોજ શા માટે ઉજવે છે? જાણો ઇતિહાસ, મહત્વ

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગીતથી થઈ. ત્યારબાદ વિદ્યાર્થીઓએ શિક્ષક દિવસના મહત્ત્વ વિષે ભાષણો આપ્યા, કાવ્યો રજૂ કર્યા અને કેટલાક વિદ્યાર્થીઓએ નૃત્ય તેમજ નાટિકા દ્વારા શિક્ષકની ભૂમિકા સુંદર રીતે રજૂ કરી. વિશેષ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1 અને 8 ના વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા નિભાવી અને નાના બાળકોને પાઠ ભણાવ્યા. આ પ્રવૃત્તિથી તેમને શિક્ષકનું કાર્ય કેટલું જવાબદારીપૂર્ણ છે તે સમજવાનો અવસર મળ્યો.

Teacher day 2025: પર 500 શબ્દોનો નિબંધ અહીંથી તૈયાર કરો

મુખ્યાધ્યાપકશ્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે શિક્ષક જીવનમાં માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે. તેઓ માત્ર પુસ્તકી જ્ઞાન આપતા નથી પરંતુ સમાજમાં સારા સંસ્કાર, શિસ્ત, નૈતિક મૂલ્યો અને માનવતા વિકસાવે છે. શિક્ષક વિના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ શક્ય નથી.

કાર્યક્રમના અંતે તમામ શિક્ષકોને વિદ્યાર્થીઓએ ફૂલ, કાર્ડ અને નાની ભેટો આપી સન્માનિત કર્યા. શિક્ષકોના ચહેરા પર ખુશીની લાગણી સ્પષ્ટ જોવા મળી. આખો દિવસ શાળાનું વાતાવરણ ખૂબ જ આનંદમય અને યાદગાર રહ્યું.

👉 આ રીતે અમારી શાળામાં શિક્ષક દિવસની ઉજવણી ખૂબ જ સફળ રહી. આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓએ શિક્ષકો પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી અને તેમના જીવનમાં શિક્ષકનું મહત્વ ફરી એકવાર સમજ્યું.

ALSO READ :: 5 saptembar Teacher day speech Dr Radhakrishnan Birthday

Happy Teachers’ Day Quotes, Wishes & Messages to Share (3)

ALSO READ :: Happy Teachers’ Day Quotes, Wishes & Messages to Share

Dr. Sarvepalli Radhakrishnan:Life story

Dr. Sarvepalli Radhakrishnan:Life story

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન  ભારતીય તત્વચિંતક અને રાજપુરૂષ હતા. તેઓ વિવિધ ધર્મ અને તત્વચિંતનનાં જાણીતા વિદ્વાન હતા, તેઓ ૨૦મી સદીનાં એ વિદ્વાનોમાંના એક હતા, જેમણે પૂર્વીય અને પશ્ચિમી વિચારો અને તત્વચિંતન વચ્ચે સેતુબંધ સમાન કાર્ય કર્યું હતું. તેઓએ ભારતીય તત્વચિંતનને પશ્ચિમી વિચારસરણીની ઓળખ કરાવી અને પશ્ચિમી જગતને, અંગ્રેજીભાષીઓને, ભારતીય ધાર્મિક અને ચિંતનીય સાહિત્યનો રસાસ્વાદ કરાવ્યો હતો. તેઓ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૬૨) અને દ્વિતિય રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭) હતા. તેઓનો જન્મદિવસ ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે.

ALSO READ :: Happy Teachers’ Day Quotes, Wishes & Messages to Share

 ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન (સર્વપલ્લી તેમની અટક છે, અને રાધાકૃષ્ણન તેમનું નામ છે) નો જન્મ, ૫ સપ્ટેમ્બર, ૧૮૮૮ના રોજ તામિલ નાડુનાં ચેન્નઈ (જૂનું મદ્રાસ) થી ઉતર-પશ્ચિમમાં ૬૪ કિ.મી. દુર આવેલ તિરૂત્તાની નામક ગામમાં થયો હતો. તેઓની માતૃભાષા તેલુગુ હતી. તેઓનું બાળપણ તિરૂત્તાની, તિરૂવેલુર અને તિરૂપતિમાં વિત્યું હતુ. તેમના પિતાનું નામ સર્વપલ્લી વીરાસ્વામી અને માતાનું નામ સીતામ્મા  હતું. દક્ષિણ ભારતની પરંપરા પ્રમાણે તેમના નામમાં લાગતો સર્વપલ્લી શબ્દ હકીકતમાં ગામનું નામ છે. વર્ષો પહેલાં તેમના પૂર્વજો આ ગામમાં રહેતાં હતાં.

Teacher day 2025: પર 500 શબ્દોનો નિબંધ અહીંથી તૈયાર કરો

બાળપણ

ત્રિમાસિક કસોટી ની માર્કશીટ 📝/ગુણપત્રક ડાઉનલોડ કરો

 બાળપણથી જ રાધાકૃષ્ણન ભણવામાં હોશિયાર હતા. ૧૯૦૬માં મદ્રાસ કોલેજમાંથી તેમણે ફિલોસોફીના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેઓ જ્યારે વીસ વર્ષના હતા ત્યારે જ તેમણે માસ્ટર ડિગ્રી માટે તૈયાર કરેલા શોધનિબંધથી તેમના પ્રોફેસર ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમનો આ શોધનિબંધ વીસ વર્ષની ઉંમરે પ્રકાશિત થયો હતો. ફિલોસોફીનો વિષય તેમને પસંદ ન હતો, પરંતુ તેમના દૂરના એક ભાઈ કે જે તેમની શાળા અને કોલેજમાં ભણતા હતા એ ફિલોસોફીનાં પુસ્તકો રાધાકૃષ્ણનને આપતા. રાધાકૃષ્ણન સમય પસાર કરવા માટે તે વાંચતા અને આ રીતે ફિલોસોફીમાં તેમનો શોખ કેળવાતો ગયો. ૧૯૦૯માં રાધાકૃષ્ણને ફિલોસોફીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. કોલેજની નોકરીની સાથે સાથે તેઓ લેખનકાર્ય પણ કરતા. કેટલાંક સાંપ્રત સામયિકોમાં તેઓ ફિલોસોફી પર લેખ લખતા. તેમના સૌથી પહેલા પુસ્તકનું નામ ‘ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર’ હતું. ૧૯૨૬માં હાવર્ડ યુનિર્વિસટી ખાતે તેમણે ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં તેમણે કોલકાત્તા યુનિર્વિસિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારે તેઓ યુનેસ્કો ખાતે ભારતના પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા.

ALSO READ :: 5 saptembar Teacher day speech Dr Radhakrishnan Birthday

ઉપકુલપતિ 

   દેશમાં ઉપકુલપતિ સુધી પહોંચ્યા પછી તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ૬ વર્ષ વિઝિટિંગ પ્રોફેસર રહ્યા. ત્યાં તેમણે હિન્દુ ધર્મ ભણાવ્યો. એ દરમિયાન ઇન્દિરા ગાંધી, સાંસદ ભૂપેશ ગુપ્તા અને ઇઝરાયેલના ઉપવડાપ્રધાન રહી ચૂકેલા યિગેલા આલોં જેવાં તેમના વિદ્યાર્થીઓ હતાં.

  ૧૯૪૮માં તેઓ યુનેસ્કોના ચેરમેન બન્યા. જ્યારે ૧૯૪૯થી ૧૯૫૨ દરમિયાન તેઓ સોવિયેત યુનિયન ખાતે ભારતના રાજદૂત રહ્યા હતા. સરમુખત્યાર જોસેફ સ્ટાલિન કોઈને મળવા માટે તૈયાર ન થતા પણ રાધાકૃષ્ણનને બે વખત મળ્યાં. સ્ટાલિન-રાધાકૃષ્ણનની બે મુલાકાતથી આખા જગતને આશ્ચર્ય થયેલું. ૧૯૫૨માં દેશને સક્ષમ ઉપરાષ્ટ્રપતિની જરૂર પડતાં રાધાકૃષ્ણનને ભારત બોલાવી લેવાયા. અહીંથી જ તેઓ ભારતના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા. ૧૯૬૨માં તેમણે ભારતના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અને રાષ્ટ્રપતિ તરીકે પોતાનો પગાર ઘટાડી ૨ હજાર રૂપિયા કરી નાખ્યો.

 રાષ્ટ્રપતિ

 જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો. જોકે રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઉજવવાનું સૂચન કર્યું હતું. બસ, ત્યારથી તેમનો જન્મદિવસ ભારતમાં શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે.

ALSO READ ::: Khel Mahakumbh 2025: Your Ultimate Guide to Registration, Games, and Huge Cash Prizes!August 27, 2025

  ડૉ. રાધાકૃષ્ણનને તેમના સેવાકાર્ય માટે કેટલાક બ્રિટિશ અને ભારતીય ઈલકાબોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૫૪માં તેમને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૭૫માં ઓક્સફર્ડ યુનિર્વિસિટીએ તેમને ટેમ્પલટન એવોર્ડથી નવાજ્યા હતા. ઈનામમાં મળેલી બધી જ રકમ તેમણે યુનિર્વિસિટીને દાનમાં આપી દીધી હતી. ત્યારથી ૧૯૮૯માં ઓક્સફર્ડ યુનિર્વિસિટીએ ડો. રાધાકૃષ્ણનની યાદમાં સ્કોલરશિપ આપવાની શરૂઆત કરી છે

વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2025-26 ના આયોજન બાબત પરિપત્ર 🌍 One Day Seminar Topic 2025

ALSO READ :: શિક્ષક દિવસ 2025: ભારત 5 સપ્ટેમ્બરના રોજ શા માટે ઉજવે છે? જાણો ઇતિહાસ, મહત્વ

૧૭મી એપ્રિલ, ૧૯૭૫ના રોજ  તેમનું અવસાન થયું હતું.

Happy Teachers’ Day Quotes, Wishes & Messages to Share

શિક્ષક દિવસ એ આપણા માર્ગોને આકાર આપનારાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો ઉત્તમ સમય છે. એક સરળ સંદેશ અથવા હૃદયસ્પર્શી અવતરણ ખૂબ જ અર્થપૂર્ણ હોઈ શકે છે, જે શિક્ષકોને યાદ અપાવે છે કે તેઓ કેટલા મૂલ્યવાન છે. નીચે તમને 100 અનન્ય હેપી ટીચર્સ ડે અવતરણો, શુભેચ્છાઓ અને સંદેશાઓ શ્રેણીઓમાં ગોઠવાયેલા મળશે,

ALSO READ :: 5 saptembar Teacher day speech Dr Radhakrishnan Birthday

Happy Teachers’ Day Quotes

“શિક્ષણ એ એક એવો વ્યવસાય છે જે બીજા બધાનું સર્જન કરે છે.” – અજ્ઞાત. શિક્ષક દિવસની શુભકામનાઓ.

Teacher day 2025: પર 500 શબ્દોનો નિબંધ અહીંથી તૈયાર કરો

ALSO READ :: શિક્ષક દિવસ 2025: ભારત 5 સપ્ટેમ્બરના રોજ શા માટે ઉજવે છે? જાણો ઇતિહાસ, મહત્વ

“એક સારો શિક્ષક આશાને પ્રેરણા આપી શકે છે, કલ્પનાશક્તિને પ્રજ્વલિત કરી શકે છે અને શીખવા માટે પ્રેમ જગાડી શકે છે.” – બ્રેડ હેનરી. શિક્ષક દિવસની શુભકામનાઓ.

Best Quotes
  • “શિક્ષકો જ્ઞાનના બીજ વાવે છે જે જીવનભર ટકી રહે છે.” – અજ્ઞાત. શિક્ષક દિવસની શુભકામનાઓ.
  • “શિક્ષણનું કાર્ય વ્યક્તિને સઘન રીતે વિચારવાનું અને વિવેચનાત્મક રીતે વિચારવાનું શીખવવાનું છે. બુદ્ધિ અને ચારિત્ર્ય – તે જ સાચા શિક્ષણનું લક્ષ્ય છે.” – માર્ટિન લ્યુથર કિંગ જુનિયર. શિક્ષક દિવસની શુભકામનાઓ.
  • “મહાન શિક્ષકો પ્રેરણા આપે છે, પડકાર આપે છે અને સશક્તિકરણ કરે છે.” – અજ્ઞાત. શિક્ષક દિવસની શુભકામનાઓ.
  • “શ્રેષ્ઠ શિક્ષકો હૃદયથી શીખવે છે, પુસ્તકમાંથી નહીં.” – અજ્ઞાત. શિક્ષક દિવસની શુભકામનાઓ.
  • “ચાક અને પડકારોના યોગ્ય મિશ્રણથી શિક્ષકો જીવન બદલી શકે છે.” – જોયસ મેયર. શિક્ષક દિવસની શુભકામનાઓ.
  • “શિક્ષણ એ સૌથી શક્તિશાળી શસ્ત્ર છે જેનો ઉપયોગ તમે વિશ્વને બદલવા માટે કરી શકો છો.” – નેલ્સન મંડેલા. શિક્ષક દિવસની શુભકામનાઓ.
  • “શિક્ષકો આપણને વધવા માટે મૂળ અને ઉડવા માટે પાંખો આપે છે.” – અજ્ઞાત. શિક્ષક દિવસની શુભકામનાઓ.
  • “શિક્ષકો સમાજના શાંત શિલ્પી છે.” – અજ્ઞાત. શિક્ષક દિવસની શુભકામનાઓ.
  • “શિક્ષણ આપવું એ જીવનને હંમેશ માટે સ્પર્શ કરવાનું છે.” – અજ્ઞાત. શિક્ષક દિવસની શુભકામનાઓ.
  • “દરેક સફળ વિદ્યાર્થી પાછળ એક શિક્ષક હોય છે જે વિશ્વાસ રાખે છે.” – અજ્ઞાત. શિક્ષક દિવસની શુભકામનાઓ.
  • “શ્રેષ્ઠ શિક્ષકો એ છે જે તમને ક્યાં જોવું તે બતાવે છે પણ શું જોવું તે કહેતા નથી.” – એલેક્ઝાન્ડ્રા કે. ટ્રેનફોર. શિક્ષક દિવસની શુભકામનાઓ.
  • “શિક્ષકની સર્વોચ્ચ કળા એ સર્જનાત્મક અભિવ્યક્તિ અને જ્ઞાનમાં આનંદ જાગૃત કરવો છે.” – આલ્બર્ટ આઈન્સ્ટાઈન. શિક્ષક દિવસની શુભકામનાઓ.
Best Messages

👉શિક્ષક દિવસની શુભકામનાઓ, તમે મને શીખવાના પ્રેમમાં પડવા દીધો.

👉શિક્ષક દિવસની શુભકામનાઓ, તમે શંકાઓને દૃઢ નિશ્ચયમાં ફેરવી દીધી.

👉શિક્ષક દિવસની શુભકામનાઓ, તમારા પાઠે મારી દરેક સિદ્ધિને આકાર આપ્યો.

👉શિક્ષક દિવસની શુભકામનાઓ, તમે મને ચમકવાની હિંમત આપી.

👉શિક્ષક દિવસની શુભકામનાઓ, તમે મને નિષ્ફળતામાંથી શીખવાનું શીખવ્યું.

👉મારા રોલ મોડેલ અને માર્ગદર્શકને શિક્ષક દિવસની શુભકામનાઓ.

👉શિક્ષક દિવસની શુભકામનાઓ, તમે એવા મિત્ર હતા જેની મને ખબર નહોતી કે મને જરૂર છે.

👉શિક્ષક દિવસની શુભકામનાઓ, તમે મને દરેક વસ્તુ વિશે ઉત્સુક બનાવ્યો.

👉શિક્ષક દિવસની શુભકામનાઓ, તમે મારી નબળાઈને મારી શક્તિમાં ફેરવી દીધી.

👉શિક્ષક દિવસની શુભકામનાઓ, મારામાં તમારા વિશ્વાસે મારો માર્ગ પ્રકાશિત કર્યો.

👉શિક્ષક દિવસની શુભકામનાઓ, તમે મને કેવી રીતે વિચારવું તે બતાવ્યું, શું વિચારવું તે નહીં.

👉શિક્ષક દિવસની શુભકામનાઓ, મને નિર્ભય બનાવનાર શિક્ષકને શિક્ષક દિવસની શુભકામનાઓ.

👉શિક્ષક દિવસની શુભકામનાઓ, હું તમારા શબ્દોને બખ્તરની જેમ રાખું છું.

👉શિક્ષક દિવસની શુભકામનાઓ, તમે મને મારા જુસ્સાને શોધવામાં મદદ કરી.

Wishes & Messages to Share
last notes

શિક્ષક દિવસ એ લોકોનું સન્માન કરવાનો છે જેમણે આપણને જે બનાવ્યા છે તે બનાવ્યા છે. ભલે તે હૃદયસ્પર્શી શબ્દો દ્વારા હોય, વિચારશીલ સંદેશ દ્વારા હોય કે યાદગાર ભેટ દ્વારા હોય, તમારી પ્રશંસા તેમના માટે વિશ્વનો અર્થ રાખશે.

ALSO READ ::: Khel Mahakumbh 2025: Your Ultimate Guide to Registration, Games, and Huge Cash Prizes!August 27, 2025

વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2025-26 ના આયોજન બાબત પરિપત્ર 🌍 One Day Seminar Topic 2025

ત્રિમાસિક કસોટી ની માર્કશીટ 📝/ગુણપત્રક ડાઉનલોડ કરો

એડોલેસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ : અહેવાલ ધોરણ-૧ થી ૫ ઉજાસ ભણી (પ્રથમ સત્ર-૨૦૨૫)

શિક્ષક દિવસ 2025: ભારત 5 સપ્ટેમ્બરના રોજ શા માટે ઉજવે છે? જાણો ઇતિહાસ, મહત્વ

શિક્ષક દિવસ 2025: ભારત 5 સપ્ટેમ્બરના રોજ શા માટે ઉજવે છે? જાણો ઇતિહાસ, મહત્વ

શિક્ષક દિવસ 2025: પરંપરાઓથી લઈને ઇતિહાસ અને ઉજવણીઓ સુધી, આ ખાસ દિવસ વિશે તમારે જે જાણવાની જરૂર છે તે બધું અહીં છે.

શિક્ષક દિવસ 2025: શિક્ષકો એ માર્ગદર્શક દીવા છે જે વર્ગખંડોથી આગળની આપણી સફરને આકાર આપે છે. તેઓ શાણપણ, જીવન કૌશલ્ય અને મૂલ્યો પ્રદાન કરે છે જે આપણને વિકાસ, વિકાસ અને આપણી જાતનું શ્રેષ્ઠ સંસ્કરણ બનવામાં મદદ કરે છે. દર વર્ષે, 5 સપ્ટેમ્બરના રોજ, શિક્ષક દિવસ આપણા જીવનમાં શિક્ષકોની ભૂમિકાને માન આપવા માટે ઉજવવામાં આવે છે.

૫ સપ્ટેમ્બરે શિક્ષક દિવસ કેમ ઉજવવામાં આવે છે?

દેશના બીજા રાષ્ટ્રપતિ અને ફિલોસોફર અને શિક્ષણવિદ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને પોતાનું જીવન શિક્ષકને સમર્પિત કર્યું, એક રાષ્ટ્રપતિ, એક શિક્ષણવિદ, એક શિક્ષણવિદ અને એક નેતાની ભૂમિકામાં. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને વિનંતી કરી કે તેમનો જન્મદિવસ વ્યક્તિગત ઉજવણી તરીકે ન ઉજવવો જોઈએ, પરંતુ દેશના શિક્ષકોના સન્માન માટે સમર્પિત કરવો જોઈએ.

શિક્ષક દિવસ વિશે બધું અહીં જાણો.

૧૯૬૨ માં, ભારત સરકારે તેમની વિનંતીનો જવાબ આપ્યો અને દર વર્ષે ૫ સપ્ટેમ્બરના રોજ દેશભરમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી. ત્યારથી, આ દિવસ તેમની જન્મજયંતિ અને શિક્ષકો અને આપણા જીવનમાં તેમની ભૂમિકાની ઉજવણી માટે ઉજવવામાં આવે છે.

Also read | 5 saptembar Teacher day speech Dr Radhakrishnan Birthday

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન કોણ છે?

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ફિલોસોફીના પ્રખ્યાત વિદ્વાન હતા. ૧૮૮૮માં જન્મેલા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ૧૯૫૨માં દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ બન્યા અને ૧૯૬૨ સુધી આ પદ પર રહ્યા. ૧૯૬૨માં, તેઓ દેશના બીજા રાષ્ટ્રપતિ બન્યા અને ૧૯૬૭ સુધી સેવા આપી. તેમણે શિક્ષણ અને રાષ્ટ્રીય વિકાસના મહત્વ પર ભાર મૂક્યો અને શિક્ષકોની ભૂમિકાનું સન્માન કર્યું.

ALSO READ ::: Khel Mahakumbh 2025: Your Ultimate Guide to Registration, Games, and Huge Cash Prizes!August 27, 2025

શિક્ષક દિવસ 2025: મહત્વ અને ઉજવણીઓ

શાળા, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. વિદ્યાર્થીઓ શિક્ષકનો પોશાક પહેરે છે અને તેમના જુનિયર વિદ્યાર્થીઓનો વર્ગ લે છે તે શાળાઓમાં અનુસરવામાં આવતી સામાન્ય વિધિઓમાંની એક છે. શિક્ષકો પણ ક્યારેક વિદ્યાર્થીઓની ભૂમિકા ભજવે છે, જે તેમની વચ્ચે વહેંચાયેલા શિક્ષણના પરસ્પર બંધનનું પ્રતીક છે.

Revenue Talati Exam 2025: Exam will be conducted on September 14, see district-wise list of venues

શિક્ષક દિવસ 2025:Faq

વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2025-26 ના આયોજન બાબત પરિપત્ર 🌍 One Day Seminar Topic 2025

ત્રિમાસિક કસોટી ની માર્કશીટ 📝/ગુણપત્રક ડાઉનલોડ કરો

એડોલેસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ : અહેવાલ ધોરણ-૧ થી ૫ ઉજાસ ભણી (પ્રથમ સત્ર-૨૦૨૫)

Breking news education Gujarat Teacher Recruitment :Bad news 

Breking news education Gujarat Teacher Recruitment :Bad news 

Gujarat Teacher Recruitment : શિક્ષકોની ભરતીને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 6 થી 12 ની ખાલી જગ્યા પર શિક્ષકોની ભરતી પ્રક્રિયા ફરી એક વખત વિલંબમાં પડી છે, જેના કારણે હજારો ઉમેદવારોમાં નિરાશા વ્યાપી છે. મહત્વનું છે કે, ધોરણ 9 થી1 2 માટે સરકાર દ્વારા પહેલા જાહેરાત આપવામાં આવી હતી કે, ખાલી જગ્યાઓ ઝડપથી ભરી દેવામાં આવશે. જોકે હજુ સુધી આ અંગે કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી. પરિણામે શાળાઓમાં શિક્ષકની અછત યથાવત છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પણ તેની સીધી અસર પડે છે.

ALSO READ ::: Khel Mahakumbh 2025: Your Ultimate Guide to Registration, Games, and Huge Cash Prizes!August 27, 2025

Gujarat Teacher Recruitment : અગાઉ યોજાયેલી ભરતી પ્રક્રિયામાં પસંદ થયેલા વેઇટિંગ ઉમેદવારોને પણ હજુ સુધી પસંદગી માટે સંપર્ક કરવામાં આવ્યો નથી તો શિક્ષકોની ભરતી પ્રક્રિયા ફરી એક વખત વિલંબમાં પડી

વેઇટિંગ ઉમેદવારો સમયસીમા

અગાઉ યોજાયેલી ભરતી પ્રક્રિયામાં પસંદ થયેલા વેઇટિંગ ઉમેદવારોને પણ હજુ સુધી પસંદગી માટે સંપર્ક કરવામાં આવ્યો નથી. સરકાર તરફથી કોઈ સ્પષ્ટ સમયસીમા ન જણાવવામાં આવતાં આ ઉમેદવારો નિરાશ થઈ રહ્યાં છે.

ધોરણ 6 થી 8ની ભરતી અટકાઈ

આ સાથે માધ્યમિક સ્તરથી આગળ ધોરણ 6 થી 8 માટે પણ ભરતી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે. કેટલીય સ્કૂલો એવા શિક્ષકના અભાવે ચાલી રહી છે કે, જ્યાં દરેક વિષય માટે યોગ્ય શિક્ષક ઉપલબ્ધ નથી. આમ છતાં ભરતી માટેના પગલાં ખોટા ચક્રવ્યૂહમાં સપડાઈ ગયા છે. આ તરફ શિક્ષણ વિભાગ દ્વારા રચાયેલી કમિટીએ ઉમેદવારોની રજૂઆત સાંભળી લીધી હોવા છતાં હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. પદ્ધતિમાં પારદર્શિતા અને સમયસર નિર્ણય લેવામાં અક્ષમતા કેમ છે, એ પ્રશ્ન હવે ઊઠી રહ્યો છે.

🎓ધોરણ 6 થી 8 ભરતી અપડેટ

  • 👉દોઢ વર્ષ બાદ પણ ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થઈ શકી
  • 👉કમિટીએ ઉમેદવારોને સાંભળ્યા છતાં નિર્ણય નહિ
  • 👉ધોરણ 6 થી 8 માં શિક્ષકોની ભરતી પણ અટકેલી
🔥શિક્ષકોની ભરતી પ્રક્રિયા પર શિક્ષણ મંત્રી નું નિવેદન

VIDIYO SOURSE SANDESH

કચ્છ જિલ્લા ભરતી સમાચાર

ત્રિમાસિક કસોટી ની માર્કશીટ 📝/ગુણપત્રક ડાઉનલોડ કરો

આ બધાની વચ્ચે એક સમાચાર એ પણ છે કે, કચ્છ જિલ્લામાં હાથ ધરવામાં આવેલી સ્પેશ્યલ ભરતીમાં પણ ઘણી જગ્યાઓ ખાલી જ રહેવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

એડોલેસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ : અહેવાલ ધોરણ-૧ થી ૫ ઉજાસ ભણી (પ્રથમ સત્ર-૨૦૨૫)

September 2025
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

PGVCL Bharti 2025 : કંપની સેક્રેટરી પોસ્ટ માટે ₹1.10 લાખ સુધીનો પગાર, આજે જ અરજી કરો

PGVCL Bharti 2025 : કંપની સેક્રેટરી પોસ્ટ માટે ₹1.10 લાખ સુધીનો પગાર, આજે જ અરજી કરો

PGVCL Bharti 2025: પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા કંપની સેક્રેટરી પદ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ સ્થિત કોર્પોરેટ ઓફિસ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે. કંપની કાનૂન, કાનૂની પાલન અને કોર્પોરેટ ગવર્નન્સ ક્ષેત્રે અનુભવ ધરાવતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે.

ભરતીની મુખ્ય વિગતો
સંસ્થા નામ પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL)
પદ નામ કંપની સેક્રેટરી
કુલ જગ્યાઓ01
સ્થાનકોર્પોરેટ ઓફિસ, રાજકોટ
અરજી કરવાની રીતઑફલાઇન (RPAD/સ્પીડ પોસ્ટ)
છેલ્લી તારીખ09 સપ્ટેમ્બર 2025

SAVE🔗LINK 🚨👉 આંગણવાડી મેરીટ

લાયકાત અને અનુભવ
  • 💥કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન ફરજિયાત છે.
  • 💥ICSI સભ્યતા હોવી જરૂરી છે.
  • 💥LL.B ડિગ્રી ધરાવતા ઉમેદવારને વિશેષ પ્રાથમિકતા મળશે.
  • 💥ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ પબ્લિક લિમિટેડ કંપની (₹100 કરોડથી વધુ ટર્નઓવર) અથવા રાજ્ય/કેન્દ્ર સરકારની PSUમાં ફરજિયાત છે.
  • 💥કંપની કાનૂન, રિપોર્ટ/મીટિંગ મિનિટ્સ તૈયાર કરવી, SEBI નિયમો, કોર્પોરેટ ગવર્નન્સ અને કાનૂની બાબતોમાં અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે.

ADC Bank Apprentice Clerk Recruitment 2025 — સંપૂર્ણ માર્ગદર્શિકા

પગાર અને સુવિધાઓ

👉પસંદ થયેલા ઉમેદવારને દર મહિને ₹55,600 થી ₹1,10,100 સુધીનો પગાર મળશે. સાથે અન્ય ભથ્થાં અને સુવિધાઓ કંપનીના નિયમ મુજબ મળશે.

વય મર્યાદા
મહત્તમ વય 40 વર્ષ (20 ઑગસ્ટ 2025 સુધી).40 વર્ષ (20 ઑગસ્ટ 2025 સુધી).

Gujarat Agricultural Universities Recruitmentગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ ભરતી 2025: લેબ ટેકનિશિયન/અસિસ્ટન્ટ માટે સોનેરી તક

પસંદગી પ્રક્રિયા
  • 👉ઉમેદવારની લાયકાત અને અનુભવ આધારિત શોર્ટલિસ્ટ કરવામાં આવશે.
  • 👉ત્યારબાદ ઇન્ટરવ્યુ અથવા અન્ય પ્રક્રિયા દ્વારા અંતિમ પસંદગી થશે.
કેવી રીતે અરજી કરવી ?

 📝નિર્ધારિત ફોર્મ ડાઉનલોડ કરીને ભરી લો.

 📝પાસપોર્ટ સાઇઝ ફોટો, શૈક્ષણિક સર્ટિફિકેટ, અનુભવ પ્રમાણપત્ર, ICSI સભ્યપદનો પુરાવો વગેરે દસ્તાવેજો જોડો.

 📝અરજી ફક્ત RPAD અથવા સ્પીડ પોસ્ટ દ્વારા નીચેના સરનામે મોકલો:

ALSO READ ::: Khel Mahakumbh 2025: Your Ultimate Guide to Registration, Games, and Huge Cash Prizes!August 27, 2025

ત્રિમાસિક કસોટી ની માર્કશીટ 📝/ગુણપત્રક ડાઉનલોડ કરો

એડોલેસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ : અહેવાલ ધોરણ-૧ થી ૫ ઉજાસ ભણી (પ્રથમ સત્ર-૨૦૨૫)